सरीगाम स्थित G.M.FEBRICS PVT. LTD कम्पनी में एक कामदार की रहस्य मय मृत्यु । रात 8 बजे मृतक कामदार का दिनके 1बजने तक पोस्मोटम बी नही हूवा ? आखिर क्याबात है कम्पनी और परिवार के बीच किस बातकी बहस ?

सरीगाम: अहवाल अनीस शेख द्वारा

कम्पनी में ना पीएफ कटता है ना कामदरो को जोइनीग लेटर मिलता है? लेबर और सेफ्टी नियम का भंग करती कम्पनी के सामने क्या कार्यवाही?

सरीगाम स्थित G.M.FEBRICS PVT. LTD कम्पनी में बॉयल पे काम करते समय 40 से 45 सालके एक कामदार की मौत से कम्पनी में भागदौड़ मची ।

मृतक कामदार 1 से डेढ़ साल से काम कर रहा था फिरभी आज दिन तक नातो पीएफ कटा नाते उन्हें कोई आईकार्ड बनाके दिया नातो उन्हें जोइनिग लेटर दिया गया।। ऐसे और बोहत से कामदार इस कम्पनी का शिकार बने हुवे है।।

कम्पनी में ऑडिट करने आते लेबर ऑफिसर । फेक्ट्री इंस्पेक्टर और पीएफ ऑफिसर । सेफ्टी इंस्पेक्टर इस मौत के पीछे के सही कारण को जानकर के कम्पनी के सामने कड़क कार्यवाही करे और मृतक को न्याय दिलवाए । अपने फायदेके लिए कामदारो का शोषण करती ऐसी कम्पनी के सामने प्रशासक मौन क्यों है ? सालो से काम करते कामदारों का आजदीन तक पीएफ नही कटा? तो बाकी की लेबर की सुविधा केसे मिलेगी? कम्पनी मलिक अपने घरसे बाकी की सुविधा करके देंगे? ऐसे अनगिनत सवाल इस कम्पनी के सामने उठ रहे है?

पोलिस प्रशासन न्यायिक कार्यवाही करके मृतक कामदार को न्याय दिलवाए ऐसी लोगो की मांग हे।

देखिए हमारे आगेके पार्ट 2 के एपिसोड में ।

सरीगाम स्थित G.M.FEBRICS PVT. LTD कम्पनी में एक कामदार की रहस्य मय मृत्यु । रात 8 बजे मृतक कामदार का दिनके 1बजने तक पोस्मोटम बी नही हूवा ? आखिर क्याबात है कम्पनी और परिवार के बीच किस बातकी बहस ? Read More »

Uncategorized

ભિલોડા તાલુકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવ ઉજવાયો

ગુજરાત કારોબાર ન્યુઝ ચેનલ દ્વારા 

અહેવાલ – ભરતસિંહ આર ઠાકોર અરવલ્લી (બ્યુરો ચીફ)

           વિજયાદશમી દશેરા પર્વ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના શતાબ્દી વર્ષ નિમિત્તે ” સંગઠિત હિન્દુ સમર્થ ભારત ” ના સુત્ર ને સાકાર કરવા અને આ વિચારધારા ને સર્વ વ્યાપી બનાવવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની ઈસ. ૧૯૨૫ ને વિજયાદશમી દશેરા ના દિવસ થી અવિરત કાર્ય કરી રહેલ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સ્થાપના દિન વિજયાદશમી અને આ વર્ષ ના શતાબ્દી વર્ષ નિમિત્તે ભિલોડા તાલુકા ના 21 મંડલ માં થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના કાર્યકર્તા ભાઈ બહેનો દ્વારા પૂર્ણ ગણવેશ અને શિસ્ત સાથે  શહેરમાં યોજાયેલ “પથ સંચલન કાર્યક્રમ”અને વિજયાદશમી દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 

         આ કાર્યક્રમ ના મુખ્ય અતિથી વિશેષ મહંત શ્રી પ્રકાશગિરી મહારાજ ( શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, હરદાસપુર) ઉપસ્થિત રહી આર્શિવચન પાઠવ્યા હતાં. અને પ્રબોધક વક્તા તરીકે શ્રી નરેન્દ્રભાઈ એન.પટેલ ( જનજાતિ કલ્યાણ આશ્રમ, ગુજરાત પ્રાન્ત મહામંત્રી ) એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના શતાબ્દી વર્ષ નિમિત્તે સંગઠન ને વધુ મજબૂત બનાવવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

ભિલોડા તાલુકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવ ઉજવાયો Read More »

Uncategorized

વર્લ્ડ ની ફર્સ્ટ કાર સ્પોર્ટ્સ કાર જે લોન્ચ થઈ નથી 2025 માં લોન્ચ થવાની છે તે એડવાન્સમાં શ્રી ઇન્દ્રજીતસિંહજી મહેન્દ્રસિંહજી ઝાલા કટોસણ સ્ટેટ રાજ પરિવાર ને ખરીદી,ગુજરાત તથા દેશનું ગૌરવ વધાર્યુ

ગુજરાત કારોબાર ન્યુઝ ચેનલ દ્વારા 

અહેવાલ – ભરતસિંહ આર ઠાકોર અરવલ્લી,ગુજરાત (બ્યુરો ચીફ)

શ્રી.ઇન્દ્રજીતસિંહજી મહેન્દ્રસિંહજી ઝાલા કટોસણ સ્ટેટરાજ પરિવાર જેમને ચાલતા વિક્રમ સંવત 2080. ચાલે છે વર્લ્ડ ની ફર્સ્ટ કાર સ્પોર્ટ્સ કાર જે લોન્ચ થઈ નથી,2025 માં લોન્ચ થવાની છે તે એડવાન્સમાં ખરીદી લીધી છે.જે ગ્લોબલ લેવલે પૃથ્વી લેવલે વર્લ્ડ લેવલે દરેક દેશની પાસે તેમજ દુબઈના રાજા પાસે પણ નથી.કોઈ ક્રિકેટર પાસે નથી કોઈ ફિલ્મ સ્ટાર પાસે નથી.કોઈ સેલિબ્રિટી પાસે નથી.કોઈ મોટા રાજ પરિવાર પાસે નથી. પરંતુ તે કરોડો રૂપિયાની મોગીદાટ કાર ગુજરાત ના કટોસન સ્ટેટ રાજ પરિવાર ના શ્રી. ઇન્દ્રજીતસિંહજી મહેન્દ્રસિંહજી ઝાલાએ કાર લીધી અને એમના પિતાજી શ્રી.મહેન્દ્રસિંહજી સજ્જનસિંહજી ઝાલા ના દાદાશ્રી તખતસિંહજી કરણસિંહજી મહારાજા કટોસણ નામદાર ઠાકોર સાહેબને યાદ કર્યા જેમને વીન્ટેજ કાર અને આવી મોધીદાટ ઈમ્પોર્ટેડ ફોરેન ની કાર નો શોખ હતો જય હો ચુંવાળ.84

વર્લ્ડ ની ફર્સ્ટ કાર સ્પોર્ટ્સ કાર જે લોન્ચ થઈ નથી 2025 માં લોન્ચ થવાની છે તે એડવાન્સમાં શ્રી ઇન્દ્રજીતસિંહજી મહેન્દ્રસિંહજી ઝાલા કટોસણ સ્ટેટ રાજ પરિવાર ને ખરીદી,ગુજરાત તથા દેશનું ગૌરવ વધાર્યુ Read More »

Uncategorized

માલપુર તાલુકાના જાલમખાંટના મુવાડા ગામે જૂની પરંપરા મુજબ નવરાત્રી મહોત્સવની હર્ષોલાસથી અને ધામધુમથી ઉજવણી કરવામાં આવી 

ગુજરાત કારોબાર ન્યુઝ ચેનલ દ્વારા 

અહેવાલ – ભરતસિંહ આર ઠાકોર અરવલ્લી (બ્યુરો ચીફ)

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના જાલમખાંટના મુવાડા ગામે વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે નવરાત્રી મહોત્સવ ખુબ જ હર્ષોલાસથી અને ધામધુમથી ઉજવાઈ રહ્યો છે ત્યારે આઠમનાં નોરતાના ગરબામાં પૂર્વ ડી.વાય.એસ.પી.શ્રી કે.બી.ખાંટ સાહેબ ,જશવંતસિહ ખાંટ,મહેશભાઈ ખાતુભાઈ ખાંટ,રમેશભાઈ રામાભાઈ ખાંટ,શ્રી પ્રતાપજી ખાંટ ( સેવક ),લાલજીભાઈ ધીરાભાઈ ખાંટ (પુજારી ),માજી સરપંચ શ્રી અમરાજી ખાંટ,પૂર્વ વાઈસ પ્રિન્સિપાલ શ્રી અભેસિંહ એચ.ખાંટ ,પૂર્વ અગ્ર રહસ્ય સચિવ શ્રી ગુલાબસિંહ ખાંટ સાહેબ,માજી જિલ્લા ડેલીગેટ શ્રી ધિરુભાઈ ખાંટ, રમેશભાઈ લક્ષ્મણભાઈ ખાંટ ,પૂર્વ તલાટી શ્રી ડી. એચ.ખાંટ ,શ્રી પી. ડી.ખાંટ ( શિક્ષક શ્રી ) તથા ગામના તમામ બાળકો,વડીલો, બહેનો વિગેરેની ઉપસ્થિતિ માં ગરબાનો રંગ જામ્યો હતો . નવરાત્રિ મહોત્સવમાં ગામના નવ યુવાન સરપંચ શ્રી ખુમાનસિહ ખાંટ પણ સતત સાથે રહી સૌની સાથે હળીમળી, ગામના તમામ રહીશોના સાથ સહકારથી ખુબ જ ઉત્સાહભેર નોરતાની ભાવપૂર્વક ઉજવણી થયી હતી,

માલપુર તાલુકાના જાલમખાંટના મુવાડા ગામે જૂની પરંપરા મુજબ નવરાત્રી મહોત્સવની હર્ષોલાસથી અને ધામધુમથી ઉજવણી કરવામાં આવી  Read More »

Uncategorized

શામળાજી ખાતે મેશ્વો ફાર્મર પ્રોડ્યુસર કંપનીની વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી તથા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પરીખ દ્વારા આઉટલેટનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ

ગુજરાત કારોબાર ન્યુઝ દ્વારા

અહેવાલ – ભરતસિંહ ઠાકોર અરવલ્લી

ભિલોડા તાલુકાના શામળાજી રણછોડજી મંદિરના સાભાખંડમાં મેશ્વો ફાર્મર પ્રોડ્યુસર કંપનીની વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી. નાબાર્ડના સહયોગથી માંનવ ઉત્થાન ટ્રસ્ટ દ્વારા મેશ્વો ફાર્મર પ્રોડ્યુસર કંપની (FPO) ની સ્થાપના કરવામાં આવી છે. માનવ ઉત્થાન ટ્રસ્ટ ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ક્ષેત્રોમા ગ્રામીણ વિકાસના કાર્યો કરી રહી છે આ અંતર્ગત તારીખ 25-09-2024ના રોજ મેશ્વો ફાર્મર પ્રોડયુસર કંપનીની પ્રથમ સાધારણ સભા યોજવામાં આવી હતી. સાથે સભાસદ બહેનોએ ગૃહ ઉધ્યોગ દ્વારા તૈયાર કરેલ પ્રોડકટ જેવી કે હળદર પાવડર, વિવિધ પ્રકારના સાબુ, વિવિધ દાળો, વિવિધ અથાણાં, મહુડાના લાડુ, સરગવાનો પાવડર તથા મધના વેચાણ માટે આઉટલેટનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માનનનીય કલેક્ટર શ્રી પ્રશસ્તિ પરીખ અરવલ્લી જિલ્લા, શ્રી કેડિયા સાહેબ જિલ્લા વિકાસ અધિકારી અરવલ્લી જિલ્લા, ડી.ડી.એમ શ્રી મનોજ હરચંદાણી નાબાર્ડ, લીડ બેન્ક મેનેજરશ્રી અરવલ્લી, નાયબ ખેતી નિયામકશ્રી પરમાર સાહેબ, આત્મા ડાયરેક્ટરશ્રી, જિલ્લા બાગાયત અધિકારીશ્રી, તથા માનવ ઉત્થાન ટ્રસ્ટના ડાયરેક્ટર શ્રી અમરસિંહજી હાજર રહી માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ.
આ પ્રસંગે મહંતશ્રી હરીકિશોરદાસજી મહારાજ ખાખચોક અખાડા, અને મહંતશ્રી શિવશંકરદાસજી-રામબોલા મઠ-ડુંગરપુર રાજસ્થાન દ્વારા મંગલાચરણ અને પ્રવચન થકી સૌને આશિર્વાદ આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમનુ સંચાલન મેશ્વો કંપનીના ચેરમેન શ્રી નરેશભાઈ કટારા અને સી.ઇ.ઓ શ્રી રાયમલભાઈ દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મેશ્વો ફાર્મર પ્રોડ્યુસર કંપનીના તમામ ડાયરેકટરશ્રીઓ તથા છાયડો સંસ્થાના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

રાયમલભાઈ જે. પગી
CEO મેશ્વો ફાર્મર પ્રોડ્યુસર કંપની લી.
મો. 9925624631

શામળાજી ખાતે મેશ્વો ફાર્મર પ્રોડ્યુસર કંપનીની વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી તથા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પરીખ દ્વારા આઉટલેટનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ Read More »

Uncategorized

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાજીના અધ્યક્ષસ્થાને ગરીબ કલ્યાણ મેળો યોજાયો.

અરવલ્લી જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળામાં ૧૪ હજારથી વધુ લાભાર્થીઓને રૂ .૪૪ કરોડની સહાયના વિતરણ કરવામાં આવ્યાં.

ગુજરાત કારોબાર ન્યુઝ દ્વારા

અહેવાલ – ભરતસિંહ આર ઠાકોર અરવલ્લી

ગરીબોના બેલી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી સુશાસનનાં સંકલ્પ સાથે જન કલ્યાણના સેવા યજ્ઞ માટે સમર્પિત સતત કાર્યશીલ ગુજરાત સરકાર દ્વારા ગરીબી નિવારણ કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો મોડાસાના એન્જિનિયર કોલેજ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાના અધ્યક્ષસ્થાને તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો.

આ મેળામાં અરવલ્લી જિલ્લાના લાભાર્થીઓને જુદા- જુદા ૧૫ જેટલા વિભાગોના ચેક તથા સાધન સહાય હાથોહાથ ચૂકવવામાં આવનાર છે. જેમાં વ્યક્તિલક્ષી લાભ આપતી રાજ્ય સરકારની મહત્વની કલ્યાણકારી યોજનાઓ પૈકી વિદેશ અભ્યાસ સહાય, માનવ ગરીમા યોજના, માનવ કલ્યાણ યોજના, પ્રધાનમંત્રી જનઆયુષ્યમાન કાર્ડ,સમાજ સુરક્ષા યોજના,વિદ્યાસાધના,ગંગા સ્વરૂપ, ખેતી સહાય તેમજ લાભાર્થી કીટ સહિત અનેક યોજનાઓ અંતર્ગત ચેક અને સાધનસહાયના વિતરણ કરવામાં આવ્યાં.

ગરીબ કલ્યાણ મેળા પહેલા અરવલ્લી જિલ્લામાં ૧૨ હજારથી વધુ લાભાર્થીઓને રૂ. ૪૧ કરોડની નાણાકીય અને સાધન સહાયના વિતરણ કરવામાં આવ્યા છે. તો ગરીબ કલ્યાણ મેળા દરમિયાન ૨૨૦૦ થી વધુ લાભાર્થીઓને રૂ. ૩ કરોડ ૩૨ લાખની નાણાકીય અને સાધન સહાયના વિતરણ કરવામાં આવ્યાં.સરકારની જન કલ્યાણલક્ષી યોજનાનો લાભ મેળવેલા લાભાર્થીઓએ તેમના જીવનમાં આવેલ ગુણાત્મક પરિવર્તનના અનુભવો વર્ણવ્યા

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રિયંકાબેન ડામોર, જિલ્લા કલેકટરશ્રી પ્રશસ્તિ પરિક, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેન કેડિયા , ધારાસભ્ય ભીલોડા પી.સી. બરંડા, જીલ્લા સંગઠન મહામંત્રી ભીખાજી ઠાકોર, મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ, તાલુકા પંચાયત ના પ્રમુખશ્રી, સંગઠનના પ્રમુખશ્રી હોદ્દેદારો, સહિતના મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાજીના અધ્યક્ષસ્થાને ગરીબ કલ્યાણ મેળો યોજાયો. Read More »

Uncategorized

રક્તદાન અને આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ અયોધ્યા ખાતે હસમુખ પટેલ (રવેલ) ને રાષ્ટ્રીય સેવા રત્ન એવોર્ડ થી કેરળ અને નાગાલેન્ડના પૂર્વ રાજ્યપાલ ના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા

ગુજરાત કારોબાર ન્યુઝ દ્વારા

અહેવાલ ભરતસિંહ ઠાકોર અરવલ્લી (બ્યુરો ચીફ)

ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા ધામમાં આયોજિત રક્તદાતાઓના મહાકુંભમાં બનાસકાંઠાના હસમુખ પટેલનું કેરળ અને નાગાલેન્ડના પૂર્વ રાજ્યપાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. રામકૃષ્ણ સેવા ફાઉન્ડેશન વી મેજર ધ્યાનચંદ ખેલ ઉત્થાન સમિતિ દ્વારા ૨૧ અને ૨૨ સપ્ટેમ્બર અયોધ્યા ધામમાં બે દિવસીય રાષ્ટ્રીય રક્તદાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું , જેમાં ભારતના તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને ઉત્તર પ્રદેશના તમામ ૭૫ જિલ્લાઓમાંથી ૨૦૧ સામાજિક કાર્યકરો હાજર રહ્યા હતા આ ઉપરાત નેપાળ અને ભૂતાન સામાજિક કાયકરો હાજર રહ્યા હતા સંસ્થાના સ્થાપક પ્રમુખ આકાશ ગુપ્તા અને પસંદગી સમિતિ દ્વારા સંસ્થાના સામાજિક કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું છે. આ કાયક્રમમાં ગુજરાતમાંથી હસમુખ પટેલના નામની પસંદગી કરવામાં આવી હતી . નોંધનીય છે હસમુખ પટેલ ધણા સમય થી ભારત માં કોઈ પણ જગ્યાએ બ્લડની જરૂરિયાત મંદ લોકો ને મદદ કરે છે આવી સેવાકીય ઉત્કૃષ્ઠ સેવા કાર્ય કરનાર હસમુખ પટેલ ને આયોધ્યા ખાતે સેવા રત્ન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા

રક્તદાન અને આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ અયોધ્યા ખાતે હસમુખ પટેલ (રવેલ) ને રાષ્ટ્રીય સેવા રત્ન એવોર્ડ થી કેરળ અને નાગાલેન્ડના પૂર્વ રાજ્યપાલ ના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા Read More »

આઈપીએલ

અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે ટાટા સ્ટીલ ફાઉન્ડેશન દ્વારા રિઝનલ સંવાદ યોજાયો

ગુજરાત કારોબાર ન્યુઝ ચેનલ દ્વારા 

અહેવાલ -ભરતસિંહ ઠાકોર અરવલ્લી (બ્યુરો ચીફ)

 વિસ્તાર ની સમસ્યા નું સમાધાન પણ ખુદ કઈ રીતે કરી શકાય તેના વિશે ઊંડાણ થી  સમજણ  આપવામાં  આવી. દરેક સમસ્યા નું કોઈક તો સમાધાન હોય જ ગ્રામ્ય સ્તરે નેત્તૃત્વ ઉભું થાય અને લોકોમાં જાગૃતિ આવે. તેમજ આદિવાસી વિસ્તાર ના  પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં (૧) ખોટાં જાતિનાં પ્રમાણ પત્ર અટકાવવાના ઉપાયો.(૨) સામાજિક સંગઠનોમાં એકતા બનાવી રાખવાના પગલાં.(૩) શિક્ષણની ગુણવત્તામા સુધારો.(૪) આરોગ્ય સુધારવાના ના પગલાં.(૫) ગ્રામ્ય લેવલે રોજગારી માટે ના પગલાં.મુખ્ય પાંચ સમસ્યાના નિવારણ માટે ગ્રામ્ય લેવલે થી કંઈ રીતે કામગીરી હાથ ધરી શકાય તેનાં પર મિટીંગમાં હાજર રહેલ સામાજીક કાર્યકરો દ્વારા માહિતી મેળવી પોતપોતાના અભિપ્રાય વ્યક્ત કરવામાં આવેલ હતાં

. જેમાં અરવલ્લી તથા સાબરકાઠા એક્ટિવ સામાજિક સંગઠનોના સહયોગથી આવનાર સમયમાં સમાજની સમસ્યાના નિરાકરણ માટે એકબીજાના પૂરક બની કામગીરી કરવામાં આવશે. ટાટા સ્ટીલ ફાઉન્ડેશન ગુજરાત તથા અન્ય રાજ્યનાં આદિવાસી સમાજના લીડરો ને એક બીજા સાથે જોડવાનું કામ કરે છે આદિવાસી કલ્ચરના ખાણી પીણી, વેશભુષા, બોલી ભાષા, રહેણી કહેણી. રીતરિવાજ, ને જીવંત રાખવાં દર વર્ષે ઝારખંડમાં સંવાદ કાર્યકમ નું અયોજન કરવામાં આવે છે. જેમાં ઉત્તર ગુજરાત માંથી પણ યુવાનો ભાગ લઈ ને દેશનાં આદીવાસી  સમાજો સાથે દર વર્ષે ભાગ લઈ શકે તેવા હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતુ.

અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે ટાટા સ્ટીલ ફાઉન્ડેશન દ્વારા રિઝનલ સંવાદ યોજાયો Read More »

Uncategorized

ગુજરાતના ધરતીપુત્રો રાજ્ય સરકારની ખેડૂત કલ્યાણલક્ષી યોજનાઓનો સરળતાથી લાભ મેળવી શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકાશે

ગુજરાત કારોબાર ન્યુઝ દ્વારા 

અહેવાલ-ભરતસિંહ ઠાકોર અરવલ્લી (બ્યુરો ચીફ)

*આઈ-ખેડૂત પોર્ટલ વિવિધ જિલ્લા માટે તબક્કાવાર સાત દિવસ માટે અરજીઓ મેળવવા ખુલ્લું રખાશે:*

• રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લા માટે તા. ૨૧ થી ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી

• અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર અને બોટાદ જિલ્લા માટે તા. ૨૩ થી ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી

• મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ અને નર્મદાના ખેડૂતો માટે તા. ૨૪ થી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી

ગુજરાતના ખેડૂતોને સ્વનિર્ભરતા તરફ લઇ જવા માટે રાજ્ય સરકારે અનેકવિધ ખેડૂત કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. ખેડૂતો સરળતાથી અરજી કરીને યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૪-૨૫માં ખેડૂતો આવી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા અરજી કરી શકે તે માટે ખેતી નિયામકની કચેરી-ગાંધીનગર દ્વારા જિલ્લાવાર સાત દિવસ માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે, તેમ ખેતી નિયામકની અખબારી યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, ખેડૂતો માટેની ખેત ઓજાર, એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાક મૂલ્યવૃદ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો, પાવર સંચાલીત પંપ સેટ્સ, સોલાર પાવર યુનિટ, વોટર કેરીંગ પાઇપલાઈન અને રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર જેવી યોજનાઓ માટે આઇ-ખેડૂત પોર્ટલ તબક્કાવાર ખુલ્લું મૂકવામાં આવશે.

જે અંતર્ગત રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાને મળી કુલ ૧૧ જિલ્લાના ખેડૂત મિત્રો વિવિધ યોજનાનો લાભ મેળવવા માટે આગામી તા. ૨૧ સપ્ટેમ્બરથી ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે. તેવી જ રીતે, અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર અને બોટાદ જિલ્લાને મળી કુલ ૧૦ જિલ્લાના ખેડૂતો માટે આગામી તા. ૨૩ સપ્ટેમ્બરથી ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે. આ ઉપરાંત મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ અને નર્મદા જિલ્લાને મળી કુલ ૧૨ જિલ્લાના ખેડૂતો આગામી તા. ૨૪ સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે.

રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે ખેતી નિયામકની કચેરી-ગાંધીનગર દ્વારા રાજ્યના સૌ ખેડૂત મિત્રોને અનુરોધ કરવામાં આવ્યો છે.

ગુજરાતના ધરતીપુત્રો રાજ્ય સરકારની ખેડૂત કલ્યાણલક્ષી યોજનાઓનો સરળતાથી લાભ મેળવી શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકાશે Read More »

Uncategorized

નરેન્દ્રભાઇ મોદી સાહેબ નો જન્મદિવસ બન્યો સેવા દિવસ…બહેરામુંગા વિદ્યાલય-હિંમતનગર ખાતે હિયરએન્યુ ઇન્સ્ટ્રુમેન્ટ વિતરણ કાર્યક્રમ યોજાયો.

ગુજરાત કારોબાર ન્યૂઝ ચેનલ દ્વારા

અહેવાલ-ભારતસિંહ,આર,ઠાકોર અરવલ્લી (બ્યુરો ચીફ)

ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સાબરકાંઠા અરવલ્લી જીલ્લાના લોકપ્રિય અને પ્રજવાત્સલ્ય સાંસદશ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાજીના પ્રથમ સાંસદ ફંડમાંથી રૂ.13 લાખના ખર્ચે* બહેરામુંગા વિદ્યાલય-હિંમતનગર ખાતે હિયરએન્યુ ઇન્સ્ટ્રુમેન્ટ વિતરણ કાર્યક્રમ હિંમતનગરના જનપ્રિય ધારાસભ્ય શ્રી વિ.ડી.ઝાલા જી ની ઉપસ્થિતમાં યોજાયો.

જે બાળકો જન્મજાત સાંભળી નથી શકતા તેવા બાળકોને આજે માનનીય મોદી સાહેબ ના જન્મદિવસ નિમિત્તે હિયરએન્યુ ઇન્સ્ટ્રુમેન્ટ નું વિતરણ કરતા ખૂબ જ ગૌરવ ની લાગણી અનુભવુ છું.

આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભારતીબેન પટેલ,જિલ્લા કલેક્ટર શ્રી રતનકવર ગઢવીચારણ,જિલ્લા મહામંત્રી મહેન્દ્રસિંહ રહેવર, લોકેશભાઈ સોલંકી,નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય, બહેરામૂંગા સ્કૂલના પ્રમુખ ચીમનભાઈ પટેલ,પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા,શામળાજી મંદિર ના ટ્રસ્ટી સિદ્ધાર્થભાઈ પટેલ,પૂર્વ ધારાસભ્ય મણીભાઈ વાઘેલા,તાલુકા સંગઠન પ્રમુખ હસમુખભાઈ, નગરપાલિકા ઉપપ્રમુખ સવજીભાઈ, સંગઠનના   હોદ્દેદારો, વિવિધ  મોરચાના પ્રમુખશ્રીઓ,સામાજિક – રાજકીય અને સહકારી આગેવાનશ્રીઓ અને ખુબ મોટી સંખ્યામાં પ્રજાજનો હાજર રહ્યા.

નરેન્દ્રભાઇ મોદી સાહેબ નો જન્મદિવસ બન્યો સેવા દિવસ…બહેરામુંગા વિદ્યાલય-હિંમતનગર ખાતે હિયરએન્યુ ઇન્સ્ટ્રુમેન્ટ વિતરણ કાર્યક્રમ યોજાયો. Read More »

Uncategorized

Valsad Police: 39 missing/abducted people in last seven years were found and reunited with their families in a single month.

Valsad : Anish shekh (date : 4/8/2024 time : 16:53)

According to the instructions of Gujarat DGP Vikas Sahai and Surat Range IG Prem Veer Singh, Valsad District SP. Dr. Under the guidance of Karanraj Vaghela, 39 children/persons who went missing/kidnapped in the last seven years in different police stations of Valsad district have been traced by the Valsad district police within a period of one month.

In order to trace the missing/abducted children/girls and persons in different police stations of Valsad district during the last seven years, the Valsad District Police checked the papers and registers of that time and contacted the complainant and witnesses along with the statements of the complainant and witnesses as well as the address shown by them. was turned on. In which many genuine cases include missing/abducted children and persons

In order to trace the missing/abducted children/girls and persons in different police stations of Valsad district during the last seven years, the Valsad District Police checked the papers and registers of that time and contacted the complainant and witnesses along with the statements of the complainant and witnesses as well as the address shown by them. was turned on. In which many genuine cases include missing/abducted children and persons

In this campaign, a total of 15 missing/abducted children and 24 male and female have been found and a total of 39 people have been found in a short period of one month in the month of August. It includes 1 boy, 14 girls, 17 women and 7 men.1

  1. ↩︎

Valsad Police: 39 missing/abducted people in last seven years were found and reunited with their families in a single month. Read More »

Uncategorized