રાજ્યસરકારશ્રીના નેતૃત્વ હેઠળ માનનીય વડાપ્રધાનશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ માનનીય મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં 10 ફેબ્રુઆરી 2024 ના રોજ કેન્દ્ર તથા રાજ્ય સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજના ના ખાતમૂહર્ત લોકાર્પણ કાર્યક્રમ યોજાશે*
પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ ),પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી ),હળપતિ આવાસ યોજના ,ડો.આંબેડકર આવાસ યોજના ,પંડિત દિનદયાલ ઉપાધ્યાય ,યોજનાઓના સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓના અંદાજિત 1,27,000 આવાસ ઈ-લોકાર્પણ અને ખાતમુહર્ત કાર્યક્રમ
અરવલ્લી જિલ્લામાં અંદાજિત 404 ખાતમુહૂર્ત અને 2101 લોકાર્પણ કરવામાં આવશે
અરવલ્લી જિલ્લામાં મેઘરજ, મોડાસા, બાયડ તાલુકાઓમાં આ કાર્યક્રમ યોજાશે,જેમાં ભિલોડા અને મેઘરજ વિધાનસભા બેઠક,મોડાસા અને ધનસુરા વિધાનસભા, બાયડ અને માલપુર વિધાનસભા મુજબ કાર્યક્રમ યોજાશે
રાજ્યસરકારશ્રી દ્વારા આવાસ લોકાર્પણ અને ખાતમૂહર્ત કાર્યક્રમ આગામી ૧૦ ફેબ્રુઆરીએ યોજવાનો છે. ત્યારે આ કાર્યક્રમ વિધાનસભા મુજબ યોજવાનો છે જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં મેઘરજ, મોડાસા, બાયડ તાલુકાઓમાં આ કાર્યક્રમ યોજાશે,જેમાં ભિલોડા અને મેઘરજ વિધાનસભા બેઠક, મોડાસા અને ધનસુરા વિધાનસભા, બાયડ અને માલપુર વિધાનસભા મુજબ કાર્યક્રમ યોજાશે .
આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી પ્રશસ્તિ પારીક દ્વારા અરવલ્લી જિલ્લાના પદાધિકારીશ્રીઓ તેમજ વહિવટી તંત્રના વિભાગીય અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં જરૂરી માર્ગદર્શન અને સુચનો કરવામાં આવ્યા હતા તેમજ સુચારુ આયોજન થકી કાર્યક્રમ યોજવા માટેના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી.
માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા આવાસોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવશે અને આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે માનની વડાપ્રધાન શ્રી સંવાદ કરશે.અરવલ્લી જિલ્લામાં અંદાજિત 404 ખાતમુહૂર્ત અને 2101 લોકાર્પણ કરવામાં આવશે,અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષમાં છ તાલુકાઓમાં 8155 આવાસ મંજુર થયેલ છે,અને વર્ષ 2018 -19 થી 2020 -23 સુધીમાં 36602 આવાસ મંજુર થયા છે,જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ, આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના, ટ્રાયબલ આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી નો સમાવેશ થાય છે.
रेड क्रॉस मोडासा द्वारा नवीन डेंटल क्लिनिक रु. उद्घाटन समारोह 15 लाख के दानदाता श्री महेशभाई अमीचंदभाई पटेल के आशीर्वाद से आयोजित किया गया था।
इंडियन मेडिकल एसोसिएशन के राष्ट्रीय मंत्री डाॅ. अनिल जे. रेड क्रॉस मोडासा के डेंटल क्लिनिक का उद्घाटन समारोह नायक की अध्यक्षता में आयोजित किया गया।
भारतीय रेड क्रॉस सोसाइटी अरावली जिला शाखा मोडासा ने सेवाओं में तेजी लाने के अलावा रियायती प्रयोगशाला, प्राथमिक चिकित्सा प्रशिक्षण, आपदा प्रबंधन, जेआरसी/वाईआरसी विभिन्न गतिविधियों के साथ एक नया रियायती डेंटल क्लिनिक लॉन्च किया। लंबे समय से डेंटल क्लिनिक के लिए प्रयासरत दानदाता महेशभाई अमीचंदभाई पटेल (अमिधारा ट्रस्ट- फतेपुर, हिम्मतनगर) की ओर से रु. यह उद्घाटन समारोह उस दानदाता के आशीर्वाद से आयोजित किया गया था जिसे 15 लाख का दान मिला था।
इस अवसर पर दानदाता महेशभाई पटेल ने फीता काटकर डेंटल क्लिनिक का उद्घाटन किया और इसे जनसेवा के लिए खोल दिया. इस अवसर पर समारोह के अध्यक्ष डॉ. अनिल जे. नायक (रेड क्रॉस – जोनल सह समन्वयक), श्री संजयभाई शाह (कोषाध्यक्ष रेड क्रॉस – राज्य शाखा), श्री भूपेन्द्रभाई शाह (रेड क्रॉस हिम्मतनगर), श्री जिलुभा धांधल (रेड क्रॉस गांधीनगर), श्री कनुभाई पटेल (अध्यक्ष) – चैंबर ऑफ कॉमर्स), डॉ. वसीम सुथार (बीडीएस), डॉ. हरिभाई पटेल (बीडीएस), डॉ. एम.एम. चांदनीवाला (एम.डी.), श्री राजेंद्रभाई पटेल (अध्यक्ष एपीएमसी), श्री विमलभाई पटेल (अध्यक्ष-सहकारी जीन) ), श्री पंकजभाई पटेल (अध्यक्ष- तालुका क्रय एवं विक्रय संघ) आदि अतिथिगण उपस्थित रहे और रेडक्रॉस की गतिविधि की सराहना की। रेड क्रॉस सोसायटी मोडासा द्वारा सभी अतिथियों का स्वागत फ्लास्क, शॉल एवं मोमेंटो देकर किया गया। अध्यक्ष श्री भरतभाई परमार ने सभी अतिथियों का स्वागत एवं परिचय करायादानदाता महेशभाई पटेल ने अपने भाषण में रेडक्रॉस की सेवाओं की सराहना की और कम समय में ब्लड बैंक शुरू करने के लिए हर संभव प्रयास करने को कहा। साथ ही रेडक्रॉस ब्लड बैंक के लिए भूमि आवंटित करने की अनुशंसा उपस्थित अतिथियों से की. समारोह के अध्यक्ष डॉ. अनिल जे. नायक ने रेडक्रॉस का इतिहास बताया और शहरवासियों से दान की अपील की. रेड क्रॉस सोसाइटी मोडासा के सचिव श्री राकेशभाई जोशी, कोषाध्यक्ष श्री विट्ठलभाई पटेल, कार्यकारी सदस्य श्री अरविंदभाई श्रीमाली, श्री जितेंद्रभाई अमीन, श्री मुकेशभाई पटेल, श्री केके शाह, श्री वनिताबेन पटेल, श्री कनुभाई पटेल, पदाधिकारी तालुका शाखा के अधिकारी, विभिन्न संगठनों के नेता, रेड क्रॉस सदस्य, नगरवासी और कर्मचारी उपस्थित थे। धन्यवाद ज्ञापन सचिव राकेश भाई जोशी ने किया। अंत में राष्ट्रगान के बाद कार्यक्रम की समाप्ति की घोषणा की गई।
अरावली जिले के भिलोडा तालुका के लुसडिया में अरावली जिला पुलिस सुरक्षा सेतु सोसायटी के तहत “शामलाजी पुलिस स्टेशन और एल.एन. ग्राम विकास मंडल” द्वारा एक ग्रामीण वॉलीबॉल टूर्नामेंट का आयोजन किया गया था…
– टूर्नामेंट का उद्घाटन वक्सीभाई मोघजीभाई सुवेरा ने किया,जबकि राजनीतिक नेता और जिला पंचायत सदस्य डॉ. वनराजभाई डामोर और तालुका पंचायत सदस्य अरविंदभाई सोमाभाई गामेती और एसएम खराडी (अध्यक्ष, साबरकांठा – अरावली वॉलीबॉल एसोसिएशन) विशेष अतिथि के रूप में उपस्थित थे…
– वॉलीबॉल टूर्नामेंट में अरावली, साबरकांठा और राजस्थान की कुल 26 टीमों ने हिस्सा लिया, जिसमें साबरकांठा जिले के विजयनगर की टीम विजेता बनी…
– टूर्नामेंट में मुख्य अतिथि के रूप में उपस्थित अरावली जिला पंचायत सदस्य डाॅ. विजेता विजयनगर टीम को 11000/- रुपये और उपविजेता सारकी लिमडी टीम को 5100/- रुपये वनराजभाई डामोर द्वारा नकद पुरस्कार दिया गया…
ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી
સંવત 2080 માગશર માસની પ્રથમ અમાસે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી સ્થિત વિશ્વના એક માત્ર કુબેર ભંડારી મંદિર ખાતે ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.
કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ દિનેશગીરી મહારાજ, નંદગીરી મહારાજએ કુબેર ભંડારી મંદિર વિશે જણાવ્યું છે કે કુબેર ભંડારી એ રાવણના ભાઈ હતા તેઓને શ્રીલંકાની ગાદી મળવાને પાત્ર હતી પરંતુ રાવણે શિવજીની આરાધના કરી પ્રસન્ન થતા શિવજીએ રાવણને શ્રીલંકાની ગાદી આપી હતી તે બાદ કુબેર એ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી ગામે આવી શિવજીની આરાધના કરી હતી અને શિવજી પ્રસન્ન થતા કુબેર ને થયેલા અન્યાયની વાત રજૂ કરી હતી તે સામે શિવજીએ કુબેરને શ્રીલંકા કરતા પણ મોટુ પદ અને પૈસા નું વચન આપ્યું અને કુબેર ને દેવોના ખજાનચી નું સૌથી મોટું પદ પ્રાપ્ત થયું.
કુબેર એ કરનાળીમાં જે શિવલિંગની સમક્ષ બેસીને તપ કરી શિવજીને પ્રસન્ન કર્યા હતા તે શિવલિંગ આજે હવે કુબેર ભંડારી ના નામથી ઓળખાય છે.
વિશ્વના એકમાત્ર કુબેર ભંડારી મંદિરે પાંચ અમાસ કે તેથી વધુ જે ભાવિક ભક્ત શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરે તેને કુબેર ની જેમ કાંતો સારું પદ મળે અથવા તો ધન પ્રાપ્ત થાય છે.
વડોદરા જીલ્લા ના મા નર્મદા નદીના કિનારે આવેલા વિશ્વના એકમાત્ર કુબેર ભંડારી કરનાળી મંદિરે 2024 ની પ્રથમ અમાસે દર્શનાર્થીઓ ખૂબ મોટી સંખ્યામા ઉમટી પડ્યા હતા. વર્ષ ની પ્રથમ અમાસે મંદિર પ્રશાસન દ્વારા મંદિર ને ફૂલોથી શણગારવામા આવ્યુ હતું કરનાળી અમાસ ભરતા ભાવિક ભક્તો અગિયારસ થી અમાસ સુધી નિયમિત દર્શન કરી માથું ટેકવે છે. ચૌદશ ની રાત્રી થી ભક્તોએ શ્રધ્ધા થી માથુ ટેકવ્યુ હતું.કુબેર દાદા ને ભક્તો દ્વારા અવનવા રંગબેરંગી સાફા ચડાવવામા આવે છે . વિવિધ ફૂલો થી કુબેર મંદિર ને ખૂબ સુંદર શણગાર કરવાભા આવ્યો હતો.રાત્રી ના 12 કલાકે મંદિર ના કપાટ ખૂલતા ભક્તોએ જયકુબેર જયજયકુબેર ના નાદ સાથે સમગ્ર મંદિર પ્રાંગણ ગુંજી ઉઠ્યુ હતું. હતો.દર માસ ની અમાસે ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત દેશના ખૂણે ખૂણે થી દર્શનાર્થીઓ કુબેર દાદા ના દર્શન કરી ધન્યતા અનુભવે છે .મંદિર પ્રશાસન દ્વારા મંદિર ની ખૂબ સુંદર શણગાર કરવામા આવ્યો હતો ભાવિક ભક્તો માટે વિશાળ ભંડારા નું આયોજન કરવામા આવે છે ભક્તોની સલામતી, પાર્કિંગ અને ભોજન પ્રસાદી માટે સગવડ ઉભી કરવામા આવી છે. પોલીસ પ્રશાસને ખડેપગે રહી કામગીરી બજાવી હતી. મંદિર ના ટ્રસ્ટીઓ અને કર્મચારીઓ એ ભાવિક ભક્તો ના દર્શન માટે ખૂબ સુંદર આયોજન કર્યુ હતુ.
રુદ્રયાગ યજ્ઞ તથા ભંડારાના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મંત્રી શ્રી અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારીતા શ્રી ભીખુસિંહજી પરમાર તથા અરવલ્લી જિલ્લા પોલીસ વડા શૈફાલી બરવાલ તથા જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક કે.જે. ચૌધરી તથા ટીંટોઈ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.કે રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રીશ્રી તથા જિલ્લા પોલીસ વડા શૈફાલી બરવાલ અને નાયબ પોલીસ અધિક્ષક કે.જે. ચૌધરી સાહેબ નું ફૂલોના બુકે દ્વારા સ્વાગત કરાયું હતું ત્યારબાદ ભોજન ના દાતાશ્રી અને અન્ય દાતાઓનું પણ ફૂલોના બુકેથી સ્વાગત કરવામાં આવ્યું હતું ટેકરી મહાદેવ મંદિર પરિસરમાં વન વિભાગ દ્વારા નવીન વન કુટીર બનાવવામાં આવી હતી જેનું ઉદઘાટન મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર અને જિલ્લા પોલીસ વડા શૈફાલી બરવાલ દ્વારા કરવામાં આવ્યું હતું વન કુટીરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં આરએફઓ સહિત વન વિભાગના અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ટીંટોઇ ગામના વતની અને હાલ મુંબઈ રહેતા ઉદ્યોગપતિ અને દાતાશ્રી હરેશભાઈ વ્યાસ નું ફૂલોના બુકે થી સ્વાગત કરાયું હતું ટીંટોઈ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન પ્રહલાદસિંહજી ચંપાવત બાપુનું ફૂલોના બુકે થી સ્વાગત કરાયું હતું આર.એફ.ઓ. પ્રવીણભાઈ આંજણા સાહેબનું પણફૂલોના બુકે થી સ્વાગત કરાયું હતું ટીંટોઈ જિલ્લા પંચાયત સદસ્ય વીણાબેન ખરાડીનું પણ ફૂલોનાબુકે થી સ્વાગત કરાયું હતું અંતે હીરાભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત આમંત્રિત સૌ મહેમાનો અનેદાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો ટીંટોઈ ગામ તથા આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાંગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા યજ્ઞ તથા ભંડારાના કાર્યક્રમમાં મહાપ્રસાદ નું સુંદર આયોજનઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું
અંતર્ગત બોરમઠ ગામમાં અયોધ્યા થી આવેલ રામમંદિર આમંત્રણ પત્રિકા શ્રી રામજી મંદિરનો દિવ્ય ફોટો અને અક્ષત ગામમાં ઘર ઘર સુધી પહોંચાડવામાં આવ્યું સૌ ગ્રામજનો એ આમંત્રણ પાઠવી રહેલા રામ ભક્તોનું કંકુ તિલક કરી સ્વાગત સન્માન કર્યું હતું કેટલીક જગ્યાએ ચા પાણી અને નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જય જય શ્રી રામ ના નાદથી ગામમાં ભક્તિમય વાતાવરણ બની ગયું હતું સૌ રામ ના રંગે રંગાઈ ગયા હતા ગામમાં વડીલો અને વિદ્વાનો આમંત્રણથી હરખ ઘેલા થયા હતા. એક ૧૦૦ વર્ષના દાદી મા એ શ્રી રામ ભક્તોનું રામના ભજન ગાઈ ને સ્વાગત કર્યું હતું.
અરવલ્લી -ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સૂર્ય નમસ્કાર સ્પર્ધા -2023-24 ની જીલ્લા કક્ષાની સ્પર્ધા અરવલ્લી જીલ્લાના મોડાસા ખાતે યોજાઈ હતી, જેમાં *શ્રી હરિઓમ વિદ્યાલય મેઘરજ* ની ધોરણ-8 ની વિદ્યાર્થીની *ધ્રુવી કનુભાઈ રાઠોડ* સમગ્ર અરવલ્લી જીલ્લામાં તૃતીય સ્થાને વિજેતા થઇ રૂપિયા 11,000/- નું ઇનામ પ્રાપ્ત કરી સમગ્ર જીલ્લા અને શાળાને ગૌરવ અપાવ્યું. જેમાં જીલ્લાના જવાબદાર અધિકારીશ્રોઓ પણ હાજર હતા અને સૌ એ સર્વ વિજેતા ને અભિનંદન પાઠવ્યા હતા. અને વિજેતા ધ્રુવી ને મોઢેરા સૂર્ય મંદિર ખાતે રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં માન. મુખ્યમંત્રીશ્રી સમક્ષ જે સૂર્ય નમસ્કાર નો વલ્ડ રેકોર્ડ થયો તે કાર્યક્રમમાં સહભાગી થવાની સુવર્ણ તક મળી. જેની શાળા પરિવારમાં ખુશીની લહર જોવા મળી હતી.
ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી
સાબરકાંઠા -અરવલ્લી રબારી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે આજે તલોદ ખાતે રબારી સમાજનો સ્નેહ મિલન તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન -ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે ધોરણ 8 થી 12માં સૌથી વધુ ટકા મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર, અંગ્રેજી વિષયની દીક્ષનરી તેમજ જનરલ નોલેજનું પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તલોદ ખાતેના રબારી સમાજના સ્ટડી સેન્ટરમાંથી પ્રશિક્ષણ લઈને સરકારી નોકરીમાં ભરતી થયેલા અધિકારીઓ- કર્મચારીઓ, વિવિધ પદ પર બઢતી પ્રાપ્ત સમાજના અધિકારીઓ, સમાજની વિશિષ્ટ પ્રતિભાઓ તેમજ નિવૃત્ત અધિકારીઓનું પ્રમાણપત્ર -શાલ, ગીતાનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું.
સ્નેહ મિલન કાર્યક્રમમાં દલાનીમુવાડીના ભોજનના આજીવન દાતા શ્રી બળદેવભાઇ રબારી, ઈનામના આજીવન દાતા શ્રી નાગજીભાઈ રબારી, મંડપના આજીવન દાતા શ્રી બળદેવભાઈ મેઘાભાઈ દેસાઈપુરા, ચા -નાસ્તાના આજીવન દાતા શ્રી રાકેશભાઈ રણછોડભાઈ, દેસાઈપુરાનું સન્માન કરવામાં આવેલ હતું.વરિષ્ઠ પત્રકાર અને દાતા શ્રી અમૃતભાઈ દેસાઈએ રૂ.151000/-, શ્રી હેમરાજભાઈ દેસાઈ રસુલપુરએ 1,51,000/-, શ્રી કનુભાઈ રામજીભાઈ અને પરિવારે રૂ.100000/- ના દાનની રકમ અર્પણ કરેલ હતી. વધુમાં દાતાશ્રી બળદેવભાઈ મેવાભાઇ દલાનીમુવાડીએ અગાઉ રૂ.250000/- દાન આપેલ હતું જે વધારીને રૂ.5,00,000/-, શ્રી શામળિયા ગ્રુપ શ્રી સાવનભાઈ દેસાઈ, હિંમતનગરએ રૂ.51000/- નું દાન વિગેરે દાતાશ્રીઓએ માતબર રકમનાં દાન આપેલ હતા. વિવિધ દાતાશ્રીઓનું મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
તલોદ ખાતે નિર્માણધીન રબારી સમાજના સ્ટડી સેન્ટર -વિદ્યા મંદિરમાં આર્થિક સહયોગ માટે વિદ્યાની દેવી સરસ્વતી-ઈષ્ટદેવ દ્વારકાધીશની છબી સાથેનો ‘ રબારી સમાજ શિક્ષણ જાગૃતિ રથ’નો મહાનુભાવોના હસ્તે પ્રસ્થાન- શુભારંભ કરવવામાં આવ્યો હતો. આ શિક્ષણ રથને ગામે ગામ પરિભ્રમણ કરાયા બાદ છેલ્લે સ્ટડી સેન્ટર ખાતે તેનું સ્થાપન કરવામાં આવશે અને તેની સમાજ દ્વારા પ્રતિષ્ઠા કરવામાં આવશે, તેમ નક્કી કરવામાં આવ્યું.
કાર્યક્રમ દરમ્યાન સમાજના વિદ્યાર્થીઓ સ્ટડી સેન્ટરમાં અભ્યાસ કરી નોકરી લાગેલા હોઈ હાજર 11 (અગિયાર) રૂ.2,75,000/ ની રકમનું દાન નવનિયુક્ત યુવાનોએ તેઓના નોકરીના એક માસનો પગાર સ્ટડી સેન્ટરના મકાન માટે અર્પણ કરેલ હતો.
કાર્યક્રમમાં હાજર રહેલા બનાસકાંઠા જિલ્લાના બે કુટુંબો જે રોજગારી અર્થે અહીં વસવાટ કરે છે તેઓ દ્વારા આપણા બાળકોની સંસ્થાના મકાન માટે રૂ.11,000/ દાન અર્પણ કરેલ હતું.
સન્માન અને ઇનામ મેળવનાર વિધાર્થીઓ પૈકી તેજસ્વી વિદ્યાર્થી શ્રી વિરાજ હિતેષભાઇ ખોડાભાઈ ગામ આંજણાએ પ્રતિભાવમાં સમાજની શૈક્ષણિક વિકાસ માટેની આં પ્રવૃત્તિની સરાહના કરી, પરિશ્રમ કરવાથી સફળતા મળે, કોઈ ચમત્કાર થતો નથી, જાતે ક્રમ કરવો પડે, ઉંચા ધ્યેગ રાખવા જોઈએ તેમ જણાવી નાના બાળકોનું સન્માન કરવા અને પ્રોત્સાહિત કરવા બદલ સમાજના સર્વે આગેવાનોનો આભાર વ્યક્ત કરેલ હતો.
શ્રી કે. ડી. દેસાઈ, નિવૃત્ત સચિવશ્રીએ સાબરકાંઠા અરવલ્લી સમાજના આગેવાનોને સમાજના શિક્ષણની સેવા માટે ધન્યવાદ આપેલ હતો. કાર્યક્રમ બાદ એસટી ડ્રાયવરની પરીક્ષાના 55 ઉમેદવારોને સંસ્થાના વર્ગખંડમાં 4 કલાકની સળંગ તાલીમ અને સંસ્થા તરફથી રૂ.500/ ની કિંમતના કુલ 55 પુસ્તકો તૈયારી માટે આપવામાં આવેલ.
આજના કાર્યક્રમ દરમિયાન રૂ.5000/ આજીવન સભ્ય ફી ભરીને 11 નવા સભ્યો નોંધાયેલ હતા.
આગામી સ્પર્ધાત્મક પરીક્ષાઓના વર્ગો ચાલુ કરવાના હોઈ ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન ફોર્મ ભરી નોંધણી કરાવવા અપીલ કરવામાં આવેલ હતી.બંને જિલ્લાના સમાજ દ્વારા કાર્યક્રમમાં વિસ્તારના તમામ પરગણાના આગેવાનો અને દાતાઓનું નું ભગવાન વાળીનાથની શિવયાત્રાના સફળ સંચાલન માટે સન્માન કરવામાં આવેલ હતું. તેમજ ધર્મમાં વાપરીએ છીએ તેના કરતાં સવાયું શિક્ષણ માટે વાપરવાનો સમય આવી ગયેલ હોઈ તેની અપીલ કરવામાં આવેલ હતી.સ્ટડી સેન્ટરના ભૂતપૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી. જે અભિનંદનને પાત્ર હતી. આપણા બાળકો શીલ, શિક્ષણ અને સંસ્કારથી શોભી ઉઠેલ તેના તાદ્દશ દર્શન થયેલ હતા.કાર્યક્રમ બાદ બંને જિલ્લાના આગેવાનોની સમૂહલગ્ન સમિતિની મીટીંગ સ્ટડી સેન્ટરના પ્રાંગણમાં કરવામાં આવેલ હતી.સમાજના શિક્ષકરત્નો શ્રી અલ્પેશભાઈ મોયદ, શ્રી રામજીભાઈ લાલપુર, શ્રી વિરમભાઈ જીતપુરએ કાર્યક્રમનું સફળ સંચાલન કરેલ હતું,સર્વે મહાનુભાવો, મહેમાનોએ સમાજની આવનારી પેઢીના ઉત્તમ શિક્ષણ અને પ્રગતિ માટે ચિંતા વ્યક્ત કરી ઘટતું બધું કરવા સૌને કટીબધ્ધ થવા આહવાન કરેલ હતું.આ કાર્યક્રમમાં ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી લીલાભાઈ, ઉપ પ્રમુખશ્રી નાગજીભાઈ, મંત્રીશ્રી વાસુદેવભાઈ,ટ્રસ્ટીશ્રીઓ રાજાભાઈ દેસાઈ, પ્રભાતભાઈ દેસાઈ, પ્રો મનહરભાઈ દેસાઈ,શ્રી માવજીભાઈ દેસાઈ, બળદેવભાઈ દેસાઈ, શ્રી નવધણભાઈ દેસાઈ,શ્રી ખોડાભાઈ દેસાઈ ધનજીભાઈ દેસાઈ બોરમઠ વિગેરે ટ્રસ્ટીશ્રીઓ તેમજ પરગણાના આગેવાનો, સાબરકાંઠા-અરવલ્લી સમાજના અગ્રણીઓ,ભાઈ -બહેનો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર સહભાગી થયા હતા.
ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી
તાલીમમાં ફળ અને શાકભાજી માંથી બનતી વિવિધ બનાવટો જેવી કે, સફરજન લીંબુનો સ્ક્વોશ, ટામેટા કેચપ, મિક્ષ ફ્રુટની ચટણી, મિક્ષફ્રુટ જામ, કાજુ કારેલાંનું અથાણું, ખજુરનું અથાણું, લીંબુ મરચાંનું અથાણું, ગાજર મરચાનું અથાણું, સફરજનનું અથાણું, આમળાનું અથાણુ, આમળા કેન્ડી, આમળાનો મુરબ્બો, મુખવાસ, કોપરાની છીણના લાડુ, ખજૂરના લાડુ, આમળા જીંજર, લેમન જીંજર, દાડમ લીંબુ નું શરબત, પાઈનેપલ સ્ક્વોશ, દાડમની જેલી, કાચા પપૈયાની તુટી ફ્રુટી બનાવવા અંગેની પ્રેક્ટિકલ સાથે કુલ ૩૮ મહીલાઓને તાલીમ આપવામાં આવી.
તાલીમ દરમ્યાન મહિલાઓને કોલેજ ઓફ ફ્રુટ પ્રોસેસિંગ, આણંદ કૃષિ યુનિવર્સીટી ખાતે એક દિવસીય પ્રેરણા પ્રવાસ તથા તાંત્રિક માર્ગદર્શન મેળવવા માટે લઇ જવામાં આવ્યા હતા.
ઉક્ત તાલીમ બાગાયત અધિકારીશ્રી, એ.વી.ગઢવી, બાગાયત નિરીક્ષક, જે.પી.સોલંકી, તથા અનસૂયાબેન, ધારાબેન, કૈલાષબેન દ્વારા આપવામાં આવી.
તાલિમના પુર્ણાહુતી કાર્યક્રમમાં નાયબ બાગાયત નિયામકશ્રી, શ્રી ભાવિક કરપટિયા હાજર રહ્યા અને તેઓના હસ્તે તાલીમાર્થીઓએ સર્ટીફિકેટ અને તાલિમ સાહિત્ય આપવામાં આવ્યુ.
અરવલ્લી જીલ્લા ના માલપુર તાલુકા ના અંબાવા ગામે પાણી પુરવઠા વિભાગ દ્વારા નળ સે જલ યોજના અંતર્ગત નળ નાખવા માં આવેલ છે પરંતુ આ ગામને સાતરડા જૂથ યોજના માં સમાવેશ કરવા માં આવેલ છે આ ગામમાં છેલ્લા પંદર દિવસ થી બેથી ચાર વાર લાઈન ઉપર પાણી આવે છે બાકીના દિવસોમાં સંપ સુધી પાણી આવતું નથી માટે લોકો ને પાણી મળતું નથી આ બાબતે આંબવા ગ્રુપ ગ્રામ પંચાયત ના લોકપ્રિય પૂર્વ સરપંચ શ્રી લક્ષ્મણ ભાઈ પણુચાઅને ગ્રામ જનોના જણાવ્યા પ્રમાણે લાગતી વળગતી કચેરીએ લગતા વળગતા અધિકારી શ્રી ઓને વારંવાર રજૂઆત કરવા છતાં કચેરીએ થી એવો જવાબ મળે છે કે લાઈન લીકેજ માં છે તેવો વારંવાર રટણ કરવા માં આવે છે તેવો ગામના પૂર્વ સરપંચ અને ગ્રામ જનોનું કહેવું છે ગ્રામ જનો દ્વારા વધુમાં જણાવ્યુ હતું કે અમોને દિવિજત માં કે માલપુર થી સીધું પાણી આપો જેથી અમોને કાયમી પાણી મળી રહે સાતરડા લાઈન થી કોઈ દિવસ રેગ્યુલર પાણી આવતું નથી જેથી અમોને ખુબ મુસીબત સામનો માપલુર થી અંબાવા તાત્કાલિક સર્વે કરી સીધું પાણી આપવા માં આવે તેવું સમગ્ર ગ્રામ જનોની માગ ઉઠવા પામી છે