જૂનાગઢ ૧૨ સાયન્સનું પહેલું પેપર આપે તે પૂર્વે જ તબિબ પૂત્ર વિદ્યાર્થી ર્નો ગળાફાંસો ખાઈ આપઘાત

જૂનાગઢની શુભમ રેસિડેન્સીમાં રહેતા તબીબના પુત્ર એ પરીક્ષાને લીધે ડીપ્રેશનમાં પગલું ભરી લીધાનું અનુમાન

પરીક્ષા દેવા જતા પહેલા જ પગલું ભરી લીધું, પરિવારમાં યુવાનીના ઉંબરે ઉભેલા પુત્રના આપઘાતથી ઘેરી ગમગીની

જૂનાગઢના એક જાણીતા તબીબના ધોરણ 12 માં ભણતા પુત્રએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી જિંદગી ટૂંકાવી લેતા ભારે અરેરાટી સાથે ગમગીની નો માહોલ છવાયો હતો ધોરણ 12 ની પરીક્ષા આપે તે પહેલા જ પગલું ભરી લેતા તબીબના પરિવારજનોમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઇ હતી

આ અંગે સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ શહેરના મોતીબાગ વિસ્તારમાં બાલાજી એવન્યુમાં રહેતા અને ઝાંઝરડા ચોકડીએ ઝેરી સર્પદંશની સારવારની હોસ્પિટલ ધરાવતા એનેસ્થેટિક તબીબ ડો.પી.જી.વડાલીયાનો પુત્ર મનન ધોરણ 12 માં અભ્યાસ ચાલુ હતો મંગળવારે બોર્ડની પરીક્ષા શરૂ થાય તે પૂર્વે પરીક્ષા દેવા જવાનો સમય થવા છત્તાં મનન રૂમમાંથી બહાર આવ્યો ન હતો. દરવાજો અંદરથી બંધ હતો અને દરવાજો ખખડાવવા છતાં ખોલતો ન હતો. પરિણામે પરિવારજનોને કંઇક અઘિટત બનાવની શંકા જાગી હતી બાદમાં અન્ય લોકોને બોલાવી દરવાજો તોડીને પ્રવેશ કરતા મનને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું હતું.
ડો. પંકજભાઇ વડાલીયાને એક દિકરી છે જે અમેરિકા સાસરે છે જ્યારે તેમનો એકનો એક પુત્ર મનન હતો. ત્યારે એકના એક પુત્રએ આપઘાત કરી લેતા તબીબ પરિવાર રિતસર ભાંગી પડ્યો હતો. પ્રાથમિક તબક્કે પરીક્ષાના ટેન્શનમાં આ પગલું ભર્યું હોવાનું હનુમાન લગાવાઇ રહ્યું છે. બનાવની જાણ થતા જૂનાગઢના તબીબો ડો. પંકજભાઇ વડાલીયાના ઘરે પહોંચી ગયા હતા અને તેને આશ્વાસન આપ્યું હતું.

શૈલેષ પટેલ……. જૂનાગઢ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *