આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત મહિલાઓને આત્મનિર્ભર બનાવવા નાયબ બાગાયત નિયામકની કચેરી,અરવલ્લી દ્વારા ગુરૂકુળ સોસાયટી, મોડાસા, જી. અરવલ્લી ખાતે ફળ અને શાકભાજી ની જાળવણી કાર્યક્રમ હેઠળ મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા (સ્ટાઇપેન્ડ) આપવાની યોજના હેઠળ ફળ અને શાકભાજી પરિરક્ષણ અંગેની પાંચ દિવસીય તાલીમ આપવામાં આવી.
ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી તાલીમમાં ફળ અને શાકભાજી માંથી બનતી વિવિધ બનાવટો જેવી કે, સફરજન લીંબુનો સ્ક્વોશ, ટામેટા કેચપ, મિક્ષ ફ્રુટની ચટણી, મિક્ષફ્રુટ જામ, કાજુ ક…