મોદી સાહેબના “પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદા ખાતે નિહાળવામાં આવ્યું

મોદી સાહેબના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદા ખાતે નિહાળવામાં આવ્યું.

(ગુજરાત કારોબાર,કેયુરપટેલ, વાંસદા )

ભાજપ સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા “પરીક્ષા પે ચર્ચા”- છઠ્ઠી આવૃત્તિઅંતર્ગત વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે દેશના યશસ્વી વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અનોખા ઈન્ટરેકટીવ કાર્યક્રમનું તા.૨૭ મી જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ નું લાઈવ પ્રસારણ કાર્યક્રમ શ્રી પ્રતાપ હાઈસ્કૂલ,વાંસદાના હોલમાં રાખવામાં આવેલ જે અંતર્ગત “એક્ઝામવોરીયર્સ” પુસ્તક આધારિત ચિત્રસ્પર્ધાયોજવામાં આવી હતી. તાલુકાની વિવિધશાળામાં યોજાયેલ ચિત્રસ્પર્ધાનું પ્રદર્શન શ્રી પ્રતાપ હાઈસ્કૂલ,વાંસદા ખાતે રાખવા માં આવ્યું હતું.

જેમાં શાળાકક્ષાએ વિજેતા થયેલા વિદ્યાર્થીઓને વાંસદાના પ્રાંત સાહેબશ્રી ડી.આઈ.પટેલનાવરદ્દ હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાહતા.જયારેતા.૨૭-૦૧-૨૦૨૩ ના રોજ“પરીક્ષા પે ચર્ચા”કાર્યક્રમની શરૂઆતમાં ૧૦.૩૦ કલાકે ઉપસ્થિત મહેમાનો નું શાળા ના આચાર્ય શ્રીમહેન્દ્રસિંહ પરમારે પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. મહેમાનો દ્વારા દિપપ્રાગટ્યકરવા માં આવ્યું હતું અને “પરીક્ષા પે ચર્ચા” અંતર્ગત યોજાયેલ તાલુકા કક્ષાની ચિત્ર સ્પર્ધામાંપ્રથમ-હુસેન મુસ્તાકભાઈ બારાનપૂરી-શ્રી પ્રતાપ હાઈસ્કૂલ, વાંસદા ,દ્વિતિય-વૈષ્ણવ આયુષી દેવેન્દ્ર કુમાર-નવયુગ ઈંગ્લીશ સ્કૂલ,વાંસદા, તૃતીય- પટેલ સુહાની સંજીવભાઈ- શ્રી પ્રતાપ હાઈસ્કૂલ,વાંસદા નંબર પ્રાપ્ત કરનાર વિધાર્થીઓને વાંસદાના મામલ તદાર વસાવાસાહેબ,જિલ્લા ઉપપ્રમુખ શ્રી વિરલભાઈ વ્યાસ,જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી ગણપતભાઈ માહલાના વરદ્દહસ્તે પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા ત્યાર બાદ મામલતદાર સાહેબ અને વિરલભાઈ વ્યાસેવિદ્યાર્થી ઓને તેમના ઉદ્દબોધન દ્વારા પ્રેરણા આપી હતી. ત્યાર બાદ વિદ્યાર્થીઓ અને મહેમાનોએ ૧૧.૦૦ વાગ્યાથી માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાહેબના પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.

આ પ્રસંગે વાંસદાના મામલતદાર વસાવા સાહેબ,તાલુકા પંચાયત પ્રમુખ શાંતુભાઈ ગાંવિત, તાલુકા પંચાયતઉપપ્રમુખદશરથભાઈ ભોયા, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી ગણપતભાઈ માહલા, જિલ્લા ઉપપ્રમુખશ્રી વિરલ ભાઈ વ્યાસ,તાલુકા મહામંત્રી રાકેશ ભાઈ શર્મા, તાલુકા ભાજપ પ્રમુખમુકેશભાઈ પટેલ, કાર્યકર પીયુષભાઈ પટેલ, બક્ષી પંચમોરચાના પ્રમુખ રાજુભાઈ મોહિતે,વાંસદા તાલુકા કેળવણી મંડળના પ્રમુખશ્રી નટવરલાલ પાંચાલ,મંત્રી શ્રી ધર્મેશભાઈ પુરોહિત, ટ્રસ્ટી શ્રીધર્મેન્દ્ર સિંહ સોલંકી ,કારોબારી સભ્ય શ્રી પ્રદ્યુમન સિંહ સોલંકી,જિલ્લા પંચાયત સદસ્ય અંબાબેન પટેલ વેગેરે ઉપસ્થિત રહયા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *