અરવલ્લી જિલ્લા કક્ષાનો “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ”

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

જિલ્લા કક્ષાનો “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” જિલ્લા કક્ષાએ કલેકટર કચેરી, અરવલ્લી ખાતે તા. ૨૬/૧૦/૨૦૨૩(ગુરુવાર)ના રોજ ૧૧:૦૦ કલાકે રાખેલ છે. આ કાર્યક્રમ માટે જાહેર જનતા, જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં પોતાના પ્રશ્ન રજૂઆત કરવા માંગતા હોય તેઓએ પોતાના પ્રશ્ન કચેરીના કામકાજ સમય દરમિયાન તા. ૧૬/૧૦/૨૦૨૩, સમય: ૧૪: ૦૦ કલાક સુધી કલેકટર કચેરી, અરવલ્લી ખાતે મળે તે રીતે બે નકલમાં મોકલી આપવાના રહેશે અને અરજદાશ્રીએ જાતે” સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ”માં ઉપરોક્ત તારીખે અને સમયે હાજર રહેવાનું રહેશે.

આ કાર્યક્રમમાં કર્મચારીઓની નોકરી અંગેના, કોર્ટમાં કેસો ચાલુ હોય તે બાબતના, ન્યાયિક કે અર્ધ ન્યાયિક બાબતને લગતા પ્રશ્નો તેમજ આ કાર્યક્રમમાં અગાઉ રજૂ થયેલ પ્રશ્નો ફરીથી રજૂ કરવાના રહેશે નહિ. વધુમાં, પ્રથમવાર અરજી કરતાં હોય તેવા પ્રશ્નો કરવા નહિ તેમજ એક અરજીમાં એક જ પ્રશ્ન મોકલી શકાશે. અરજીના મથાળે “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” માટેની અરજી એમ લખવાનું રહેશે. અરજી બે નકલમાં જરૂરી પુરાવા સાથે આપવાની રહેશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *