Uncategorized

મહિલા સરપંચ શ્રીમતિ સવિતાબેન બાબુભાઇ બારીઆ સરપંચશ્રી વાઘજીપુર ગ્રામ પંચાયત તા.શહેરા જી.પંચમહાલ 25000 ની લાંચ લેતા એસીબી ના હાથે ઝડપાયા

પંચમહાલ : એહવાલ રમેશ ભાઈ દ્ધારા

મહિલા સરપંચ 25000 ની લાંચ લેતા ACB ના હાથે ઝડપા

સ્વછ્ ભારત મિશન (ગ્રામીણ) નરેગા અંર્તગત કરેલ કામોને લગત રૂ.૩,૩૨,૫૦૦/- નો ચેક ઉપર સહી કરવાના બદલામા રૂ.૨૫૦૦૦/-ની લાંચની માંગણી કરેલ
ધરણીધર સોસાયટી રેલ્વે ટ્રેક પાસે ગોધરા પાસે ACB ના અધિકારી ઓ એ લાંચની રકમ સ્વીકારતા રંગે હાથે ઝડપી પડ્યા 

તે એવી રીતે આ કામના ફરિયાદીએ સ્વછ્ ભારત મિશન (ગ્રામીણ) નરેગા અંર્તગત કરેલ કામોને લગત  રૂ.૩,૩૨,૫૦૦/- નો ચેક ઉપર સહી કરવાના બદલામા રૂ.૨૫૦૦૦/-ની લાંચની માંગણી કરેલ જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય જેથી  એ.સી.બી નો સંપર્ક કરી ફરિયાદ આપેલ હોય. જે અંગેની ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતા આરોપી નં (૧) સાથે  ફરીયાદીએ હેતુલક્ષી વાતચીત કરી રૂપીયા ૨૫૦૦૦/- લાંચની માંગણી કરતા આરોપી નં.(૧) નાએ  સ્વીકારી આરોપી નં (૨) ને ગણવા આપતા આરોપી નં(૨)નાઓએ  પૈસા ગણી પોતાના ખિસ્સામાં મુકી દીધેલ આમ બંને આરોપીએ એકબીજાની મદદગારી કરી  પકડાઇ જઇ ગુન્હો કરતા એસબી દ્ધારા આગળ ની કાર્યવાહી હાથ ધારાઈ છે 

ટ્રેપીગ અધિકારી :-

શ્રીમતિ ,આર.બી.પ્રજાપતિ
પોલીસ ઇન્સ્પેકટર
પંચમહાલ એ.સી.બી પો. સ્ટે. ગોધરા તથા ટીમ

સુપરવિઝન અધિકારી :-

શ્રી પી.એચ.ભેસાણીયા
ઇન્ચાર્જ મદદનીશ નિયામકશ્રી
પંચમહાલ એ.સી.બી.એકમ ગોધરા દ્ધારા તમામ આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

મહિલા સરપંચ શ્રીમતિ સવિતાબેન બાબુભાઇ બારીઆ સરપંચશ્રી વાઘજીપુર ગ્રામ પંચાયત તા.શહેરા જી.પંચમહાલ 25000 ની લાંચ લેતા એસીબી ના હાથે ઝડપાયા Read More »

Uncategorized

રાજ્યના ઉર્જા ક્ષેત્રના ભવિષ્યને વેગ આપવા માટે GUVNL અને GMDC સાથે જોડાયા:વાઈબ્રન્ટ ગુજરાતની ઉર્જા સુરક્ષાના ભાગીદારો

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સહયારા વિકાસ, નિવેશને પ્રોત્સાહન આપવાના અને દેશના ઉર્જા ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવાના વિચારોથી પ્રેરણા લઇ ગુજરાત સરકારે રાજ્યની ઉર્જા સુરક્ષા માટે પહેલ કરી છે.

રાજ્યની વીજ જરૂરિયાતમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે જે છેલ્લા ૫ વર્ષો દરમિયાન ૬% થી વધુના વાર્ષિક દરે (CAGR) વધી રહ્યો છે. રાજ્યમાં વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ૨૪૫૪૪ મેગાવોટની મહત્તમ વીજ માંગ નોંધાયેલ છે, જે CEA ના 20th EPS રિપોર્ટના અંદાજ મુજબ વર્ષ ૨૦૩૧-૩૨ માં ૩૬૦૦૦ મેગાવોટ સુધી પહોચી શકે છે. માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દુરંદેશી નેતૃત્વ હેઠળ, માનનીય ઉર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન અન્વયે ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગ તથા ઉદ્યોગ અને ખનીજ વિભાગ, રાજ્ય સરકાર દ્વારા રાજ્યની ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે MoU કરેલ છે. માનનીય ઉર્જામંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમા તા. ૨૫.૦૬.૨૦૨૪ ના રોજ MoU પર હસ્તાક્ષર કરેલ છે જે અન્વયે ઉર્જા અને ખનીજ વિભાગની કંપનીઓ; ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ (GUVNL) અને ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (GMDC) રાજ્યની લાંબા ગાળાની ઉર્જા સુરક્ષાને સંબોધવા હાથ મેળવ્યા છે. વીજ એકમોની નવી ક્ષમતાઓ ઉમેરવા ઉપરાંત જૂના કાર્યરત વીજ મથકોને બદલવાની જરૂરિયાતને ધ્યાને લઇ, GUVNL અને GMDC ના શીર્સ નેતૃત્વએ સાથે મળી કોલસા અને લિગ્નાઈટ આધારિત વીજ મથકોના વિકાસ થકી રાજ્યની ઉર્જા સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે સહયોગ કર્યો છે. આ વ્યૂહાત્મક ભાગીદારી કોલસા અને લિગ્નાઈટના ઉપયોગથી ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા માટેનો એક સહયારો પ્રયાસ છે.

ઉપરોક્ત બાબતે, માનનીય ઉર્જા અને નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, દ્વારા જણાવેલ કે “રાજ્યના ભવિષ્યની ઉર્જા જરૂરિયાતને સુનિશ્ચિત કરવાની દિશામાં આ MoU પરના હસ્તાક્ષર એક ઐતિહાસિક અને માર્ગસૂચક પગલું બની રહેશે. GUVNL અને GMDC નો આ લેન્ડમાર્ક એગ્રીમેન્ટ ઉર્જા શ્રેષ્ઠતા પ્રત્યે આપણા સહયારા સમર્પણનું પ્રતિક છે. સામુહિક સમજદારી અને વ્યુહાત્મક ભાગીદારી વડે બધાને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પૂરો પાડવા માટે અમે કટિબદ્ધ છીએ જેથી રાજ્યની સમૃદ્ધિ અને વૃદ્ધિ થતી રહે. આત્મ-નિર્ભર અને વાઈબ્રન્ટ ગુજરાત દેશની અર્થવ્યવસ્થાને પણ વેગ આપવાનું કામ કરશે. માઈનીંગ અને વીજ ક્ષેત્રમા નોંધનીય રોકાણ અને સકારાત્મક પરિણામો થકી ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવું એ આપણા પ્રયાસોમાં છે.”

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના વિભાગો કાર્બન ફૂટપ્રિન્ટ્સ ઘટાડવાની જરૂરિયાતને લઇ સજાગ છે અને સાથે સાથે બિન-પરંપરાગત વીજ સ્ત્રોતોના વિકાસ માટે પણ પ્રતિબદ્ધ છે. પરંતુ, હયાત પગલાઓ રાજ્યની વધી રહેલી વીજ માંગ તથા લોડ બેલેન્સીંગમા અને પીક સમયગાળાની વીજ માંગને પહોચી વળવામાં ઉપયોગી બની રહેશે. GMDC, કેન્દ્ર સરકાર દ્વારા ફાળવેલ રાજ્યની લિગ્નાઈટ ખાણોને વિકસાવવા માટે આ દિશામાં નોંધનીય પગલાઓ લઇ રહી છે. આ પહેલના ભાગરૂપે, ભારત સરકારે ઓડીશા રાજ્ય ખાતે સ્થિત બેત્રણી-પશ્ચિમ (જીલ્લો: અંગુલ) અને બુરાપહર (જીલ્લો: સુંદરગઢ) કોમર્શીયલ ખાણોની ફાળવણી કરેલ છે. બંને ખાણોમાં આશરે કુલ ૬૬૦ મીલીયન મેટ્રિક ટન કોલસાનો રીઝર્વ મેળવી શકાશે (જીઓલોજીકલ રીઝર્વ – ૧૭૦૦ મિલિયન મેટ્રિક ટન) જેના થકી ૪૪૦૦ મેગાવોટ ક્ષમતાના થર્મલ વીજ ઉત્પાદનને સહાય મળી રહેશે. તદુપરાંત, GMDC રાજ્યમાં સ્થિત લિગ્નાઈટ ખાણોને પણ કાર્યરત કરવાની પ્રક્રિયામાં છે જેના થકી વધુ ૧૨૫૦ મેગાવોટ લિગ્નાઇટ આધારિત વીજ સ્ત્રોતને સમર્થન મળી રહેશે. સદર પ્રયાસો રાજ્યના વીજ ગ્રાહકોને ૨૪*૭ સાતત્યપૂર્ણ વીજ પુરવઠો સ્પર્ધાત્મક અને વિશ્વસનીય રીતે મળી રહે તે સુનિશ્ચિત કરશે.


રાજ્યના ઉર્જા ક્ષેત્રના ભવિષ્યને વેગ આપવા માટે GUVNL અને GMDC સાથે જોડાયા:વાઈબ્રન્ટ ગુજરાતની ઉર્જા સુરક્ષાના ભાગીદારો Read More »

Uncategorized

ઉમરગામ તાલુકાના તુમ્બની ટોકર ખાડીમાં હજારોની સંખ્યામાં માછલીઓ મૃત પામી ભૂત કાળનું પુનરાવર્તન થતાં સ્થાનિકો રોષ

ઉમરગામ તા-24/6 ઈરફાન પઠાણ દ્ધારા

ભૂતકાળ માં પણ ટોકર ખાડીમાં માછલીઓ મૃત જોવા મળવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. મામલતદાર ઉમરગામ દ્ધારા તટસ્થ તપાસ થાય તે જરૂરી.

ઉમરગામ તાલુકાના તુમ્બની ટોકર ખાડીમાં હજારોની સંખ્યામાં માછલીઓ મૃત પામી ભૂત કાળનું પુનરાવર્તન થતાં સ્થાનિકો રોષ આ ખાડીમાં આજુ બાજુ ના વંકાસ અને તુમ્બ ગામના લોકો કપડા ધોવા અને નાહવા માટે આવે છે. અને આજ પાણી પીવા માટે અને ખેતી કરવામાટે પણ વાપરમાં આવે છે પરંતુ વારંવાર આ ખડીમાં માછલીઓ મરવાના કિસા સામે આવતા સ્થાનિકો માં ભય નો માહોલ છવાયો છે..! આ બાબત ને ગંભીરતા થી લઈને જો તપાસ કરવામાં નહિ આવે તો મોટી હોનારત ઉભીથાય તેવી શક્યતા છે..!

વિગતવાર વાત કરીએ તો વલસાડ જિલ્લા ના ઉમરગામ તાલુકા ના તુમ્બ ગામ નજીક આવેલી ખાડીમાં ગઈ કાલે મૃત હાલતમાં માછલીઓ તણાઈ આવી હતી જેને લઈને ગામના લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા.. આ ખાડી સરીગામ થઈને ભીલાડ થઈને આવે છે અને આ ખાડીમાં તુમ્બ ગામના લોકો કપડા ધોવા અને નાહવા પણ આવે છે અને આ ખાડીનું પાણી લોકો પીવામાટે પણ ઉપીયોગ કરે છે. આ રીતે અવાર નવાર ખડીમાં માછલીઓ મરેલી હાલત માં જોવા મળતા ગામલોકો માં ભયનો માહોલ છવાયો છે હવે આ ખાડીમાં લોકો કપડાં ધોતાં અને નાહતા પણ ઘભરાય છે આ બાબતને તંત્ર ગંભીરતાથી લઇ તાત્કાલિક તપાસ કરે અને આ માછલીઓ મારવાનો જે સીલ સીલો છે તે અટકાવે તે જરૂરી..!

ઉમરગામ તાલુકાના તુમ્બની ટોકર ખાડીમાં હજારોની સંખ્યામાં માછલીઓ મૃત પામી ભૂત કાળનું પુનરાવર્તન થતાં સ્થાનિકો રોષ Read More »

Uncategorized

અરવલ્લી જિલ્લાના મેઘરજ અને ભિલોડા તાલુકામાં “આપણો તાલુકો બાગાયત તાલુકો” અંતર્ગત તાલીમ યોજાઇ

ગુજરાત કારોબાર દૈનિક સમાચાર 

અહેવાલ -ભરતસિંહ.આર.ઠાકોર (બ્યુરો રિપોર્ટ) અરવલ્લી 

અરવલ્લી જિલ્લામાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા “આપણો તાલુકો બાગાયત તાલુકો” અંતર્ગત મેઘરજ તેમજ ભિલોડા તાલુકામાં તાલીમનું આયોજન કરાયું હતું. તાલીમમાં બાગાયત અધિકારીશ્રી જે.આર.દેસાઇ, એ.વી. ગઢવી,એચ.બી.પટેલ અને ખેતીવાડી ખાતાના ગ્રામસેવકશ્રી તેમજ આત્મા પ્રોજેક્ટના અધિકારીશ્રી દ્વારા પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવવામાં આવ્યું.તાલીમમાં બાગાયત ખાતાના અધિકારીશ્રીઓ દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ તથા બાગાયત પાકોની ખેતી તેમજ ફળપાકના વાવેતર માટે બાગાયત ખાતા દ્વારા શરૂ કરવામાં આવેલ “ ગ્રો મોર ફ્રુટ ક્રોપ” કેમ્પેઇનની માહિતી આપવામાં આવી. બંને તાલુકાઓમાં અંદાજીત ૧૦૦ થી વધુ તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો.

અરવલ્લી જિલ્લાના મેઘરજ અને ભિલોડા તાલુકામાં “આપણો તાલુકો બાગાયત તાલુકો” અંતર્ગત તાલીમ યોજાઇ Read More »

Uncategorized

૨૬- વલસાડ બેઠક પર ધવલ પટેલે ૨૧૦૭૦૪ મતથી ભવ્ય વિજય મેળવ્યો. ભારે ચર્ચામાં રહીહતી વલસાડ ડાંગ લોકસભા સીટ. વલસાડ ડાંગ માં ભગવો લેહરાયો..

વલસાડ : એનિશ શેખ દ્ધારા

ધવલ પટેલ એકદમ નવો ચહેરો અને અનંત પટેલ આદીવાસીઓ ના મસીહા તરીકે જાણીતા, પરંતુ અહીં બીજેપી નું સિમ્બોલ કામ કારીગયું..! ધવલ પટેલ ને નહિ પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચેહરા ને જોઈને લોકોએ મત આપ્યા હોવાની ચર્ચાઓ શરૂ
ભાજપના ધવલ પટેલને ૭૬૪૨૨૬ મત જ્યારે કોંગ્રેસના અનંત પટેલને ૫૫૩૫૨૨ મત મળ્યા
૧થી ૧૯ રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર આગળ હતા, જયારે ૨૦ થી ૨૩ ચાર રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવારને વધુ મત મળ્યા હતા
ડાંગ, વાંસદા, ધરમપુર અને કપરાડા બેઠક પર કોંગ્રેસને વધુ મત મળી રહ્યા હતા જ્યારે વલસાડ, પારડી અને ઉમરગામ બેઠક પર ભાજપને મોટી સરસાઈ મળી


લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત ૨૬- વલસાડ બેઠક પર આજે મંગળવારે વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં મતગણતરી હાથ ધરાતા ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલને ૭૬૪૨૨૬ મત જ્યારે તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર અનંતભાઈ પટેલને ૫૫૩૫૨૨ મત મળતા ભાજપના ધવલ પટેલ ૨૧૦૭૦૪ મતથી વિજેતા થયા છે.
સવારે ૮ કલાકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરી હાથ ધરાતા પ્રથમ રાઉન્ડમાં જ ભાજપના ધવલ પટેલને ૪૪૨૮૬ જ્યારે કોંગ્રેસના અનંત પટેલને ૨૦૪૬૬ મત મળતા પહેલા રાઉન્ડથી જ ધવલ પટેલે ૨૩૮૨૦ મતની સરસાઈ મેળવી હતી. બીજા રાઉન્ડમાં ધવલ પટેલને ૩૯૦૫૩ જ્યારે અનંત પટેલને ૨૬૮૬૦ મત મળતા ધવલ પટેલ ૧૨૧૯૩ મતથી આગળ રહ્યા હતા. પહેલા અને બીજા રાઉન્ડમાં બંને ઉમેદવાર વચ્ચે ૩૬૦૧૩ મતનું અંતર જોવા મળ્યું હતું.ત્રીજા રાઉન્ડમાં કોંગ્રેસના અંનત પટેલને ૨૫૧૬૨ જ્યારે ભાજપના ધવલ પટેલને ૩૮૬૬૫ મત મળતા ધવલ પટેલ ૧૩૫૦૩ મતથી આગળ રહ્યા હતા. કુલ ૩ રાઉન્ડ સુધીમાં બંને વચ્ચે ૪૯૫૧૬ મતોનું અંતર જોવા મળ્યું હતું. ચોથા રાઉન્ડમાં અનંત પટેલને ૨૭૫૨૩ જ્યારે ધવલ પટેલને ૪૦૦૨૨ મત મળતા તેઓ ૧૨૪૯૯ મતથી ચોથા રાઉન્ડમાં આગળ રહ્યા હતા. કુલ ૧ થી ૪ રાઉન્ડમાં બંને વચ્ચે ૬૨૦૧૫ મતનું અંતર જોવા મળ્યું હતું. ૫ થી ૧૯ રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર સતત આગળ રહ્યા હતા પરંતુ ૨૦ માં રાઉન્ડમાં ભાજપના ધવલ પટેલ કરતા કોંગ્રેસના અનંત પટેલને વધુ મત મળ્યા હતા. જેમાં ધવલ પટેલને ૧૫૧૨૯ જ્યારે અનંત પટેલને ૧૭૨૮૫ મત મળ્યા હતા. જોકે કુલ ૨૧ રાઉન્ડ સુધીમાં ભાજપને ૭૪૨૭૫૭ જયારે કોંગ્રેસને ૫૨૭૭૩૩ મત મળતા ભાજપના ધવલ પટેલે ૨૧૫૦૨૪ મતની સરસાઈ મેળવી લીધી હતી. ૨૨માં રાઉન્ડમાં ધરમપુર, વલસાડ, પારડી અને ઉમરગામની મત ગણતરી પૂર્ણ થયા બાદ ડાંગ, વાંસદા અને કપરાડા બેઠકના મતોની ગણતરી ચાલુ રહી હતી. આ રાઉન્ડમાં પણ કોંગ્રેસને વધુ મત મળ્યા હતા. ભાજપના ધવલ પટેલને ૮૪૭૦ જ્યારે કોંગ્રેસના અનંત પટેલને ૧૦૪૬૮ મત મળ્યા હતા. ડાંગ અને વાંસદાના ૨૩માં રાઉન્ડમાં પણ કોંગ્રેસના અનંત પટેલને ભાજપના ધવલ પટેલની સરખામણીએ ૮૦૮ મત વધુ મળ્યા હતા. અનંત પટેલને ૮૨૧૮ અને ધવલ પટેલને ૭૪૧૦ મત મળ્યા હતા. અંતે ૨૪માં રાઉન્ડમાં માત્ર ડાંગ બેઠકના મતોની ગણતરી ચાલુ રહેતા ભાજપને ૧૪૧૦ મત વધુ મળ્યા હતા. અનંત પટેલને ૮૮૮ અને ભાજપના ધવલ પટેલને ૨૨૯૮ મત મળ્યા હતા. આમ, કુલ ૨૪ રાઉન્ડમાં ૨૬- વલસાડ બેઠકની મત ગણતરી પૂર્ણ થતા કોંગ્રેસના અનંત પટેલને ૫૪૬૪૧૯ જ્યારે ભાજપના ધવલ પટેલને ૭૬૦૯૩૫ મત મળતા બંને વચ્ચે ૨૧૩૬૨૮ મતનું અંતર જોવા મળ્યું હતું. પરંતુ પોસ્ટલ બેલેટના ૧૦૫૭૭ મતની ગણતરી થતા ભાજપના વિજેતા ઉમેદવારની લીડ ઘટી હતી. કારણ કે, પોસ્ટલ બેલેટમાં ભાજપ કરતા કોંગ્રેસને વધુ મત મળ્યા હતા. અનંત પટેલને ૬૨૧૫ જ્યારે ધવલ પટેલને ૩૨૯૧ ટપાલ મત મળ્યા હતા. જેથી ભાજપના ઉમેદવારનું જીતનું અંતર ઘટતા અંતે ૨૧૦૭૦૪ મતથી ધવલ પટેલનો વિજય થયો હતો. કુલ ૧ થી ૨૪ રાઉન્ડમાં ચાલેલી મત ગણતરી દરમિયાન જેમ જેમ ડાંગ, વાંસદા, ધરમપુર અને કપરાડા બેઠકના મતોની ગણતરી થતા કોંગ્રેસને વધુ મત મળી રહ્યા હતા જ્યારે વલસાડ, પારડી અને ઉમરગામ બેઠક પર ભાજપને મોટી સરસાઈ મળી હતી.
વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી –વ- જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકે ભાજપના ધવલ પટેલને વિજેતા ઉમેદવાર જાહેર કરી પ્રમાણપત્ર આપી અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે, રાજકોટ ટીઆરપી મોલમાં આગની કરૂણ દુર્ઘટનાને પગલે ભાજપ દ્વારા સંવેદનશીલતા દાખવી વિજય સરઘસ કાઢવાનું મોકૂફ રાખવામાં આવ્યું હતું.

ગત ચૂંટણીમાં નોટામાં ૧૯૩૦૭ જ્યારે ૨૦૨૪માં નોટામાં ૧૮૩૭૩ મત પડ્યા
સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારોને કોઈ પણ ઉમેદવાર પસંદ ન હોય તો નોટાનો વિકલ્પ પણ ઈવીએમમાં આપ્યો છે. વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ૨૬- વલસાડ બેઠક પર કુલ ૧૨૬૧૩૬૪ મતદારોએ મતદાન કર્યુ હતું. જેમાંથી ૧૯૩૦૭ મતદારોએ નોટાનો વિકલ્પ પસંદ કર્યો હતો. જ્યારે વર્ષ ૨૦૨૪ની ચૂંટણીમાં કુલ ૧૩૬૨૨૧૪ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાંથી ૧૮૩૭૩ મતદારોએ નોટાનો વિકલ્પ પસંદ કર્યો હતો. જે આંકડો જોતા ગત ચૂંટણીની સરખામણીએ મતદારોનો નોટા તરફ ઝુકાવ ઘટ્યો હતો. ૨૦૧૯માં વાંસદા બેઠક પર સૌથી વધુ ૩૯૦૬ મત નોટામાં પડ્યા હતા જ્યારે પારડીમાં સૌથી ઓછા ૧૪૦૯ મત નોટામાં પડ્યા હતા, વર્ષ ૨૦૨૪માં સૌથી વધુ નોટામાં મત વાંસદા બેઠક પર ૩૫૫૫ અને સૌથી ઓછા નોટામાં મત વલસાડ બેઠક પર ૧૬૫૯ નોંધાયા છે.



વર્ષ ૨૦૧૯માં ૯૮૭ જ્યારે ૨૦૨૪માં ૮૦૩ રિજેક્ટ વોટ નોંધાયા
વલસાડ બેઠક પર ગત લોકસભાની ચૂંટણીમાં વર્ષ ૨૦૧૯માં કુલ ૧૨૬૧૩૬૪ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જેમાંથી ૪૫૨૬ મતદારોએ પોસ્ટલ બેલેટનો ઉપયોગ કર્યો હતો જેમાંથી ૯૮૭ મત ગણતરી દરમિયાન રદ થયા હતા જેથી માન્ય મત ૧૨૪૧૦૭૦ નોંધાયા હતા. જ્યારે વર્ષ ૨૦૨૪ની ચૂંટણીની મત ગણતરી હાથ ધરાતા કુલ ૧૩૬૨૨૧૪ મતદારોમાંથી ૧૦૫૭૭ મતદારોએ પોસ્ટલ બેલટથી મતદાન કર્યુ હતુ. જેમાંથી ૮૦૩ મત રિજેક્ટ થતા કુલ ૧૩૬૧૪૧૧ મત વેલિડ વોટ તરીકે ગણાયા હતા. વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૪ની સરખાણી કરીએ તો રદ થયેલા મત ૧૮૪ ઘટયા હતા.



પુનરાવર્તનઃ ગત ચૂંટણીની જેમ જ આ વખતે પણ ભાજપ કરતા કોંગ્રેસને પોસ્ટલ મત વધુ મળ્યા
ગત ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ડો.કે.સી.પટેલનો વિજય થયો હતો પરંતુ પોસ્ટલ મતની વાત કરીએ તો તેમને પોતાના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી કરતા ૩૩૫ મત ઓછા મળ્યા હતા. જેના આંકડા જોઈએ તો, કુલ ૪૫૨૬ પોસ્ટલ મતમાંથી ડો. કે.સી.પટેલને ૧૫૩૮ જયારે જીતુ ચૌધરીને ૧૮૭૩ મત મળ્યા હતા. ગત ચૂંટણીનું પુનરાવર્તન ૨૦૨૪ની ચૂંટણીમાં પણ જોવા મળ્યું હતું. વિજેતા ભાજપના ઉમેદવાર ધવલ પટેલ કરતા કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલને વધુ ટપાલ મત મળ્યા હતા. કુલ ૧૦૫૭૭ પોસ્ટલ મત મતમાંથી ભાજપને ૩૨૯૧ અને કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલને ૬૨૧૫ પોસ્ટલ મત મળ્યા છે.

આદિવાસી નેતા અનંત પટેલને વાંસદા, ધરમપુર અને કપરાડા બેઠક પર વિજેતા ધવલ પટેલ કરતા વધુ મત મળ્યા
૨૬- વલસાડ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સાત વિધાનસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને મળેલા મતોનું વિશ્લેષણ કરીએ તો, આદિવાસી નેતા તરીકેની છબી ધરાવતા કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલને વાંસદા, ધરમપુર અને કપરાડા બેઠક પર વિજેતા ભાજપના ઉમેદવાર ધવલ પટેલ કરતા વધુ મત મળ્યા છે. વાસંદામાં અનંત પટેલને ૧૨૪૨૮૬ જ્યારે ધવલ પટેલને ૯૨૫૦૮, ધરમપુરમાં અનંત પટેલને ૯૭૯૫૭ જ્યારે ધવલ પટેલને ૯૩૯૩૨ અને કપરાડામાં અનંત પટેલને ૧૧૫૭૯૦ જ્યારે ધવલ પટેલને ૯૨૫૬૪ મત મળ્યા હતા. જ્યારે ભાજપના ધવલ પટેલને ડાંગ, વલસાડ, પારડી અને ઉમરગામ બેઠક પર વધુ મત મળ્યા હતા.

૨૦૧૯ની તુલનાએ કોંગ્રેસમાં મતનું પ્રમાણ વધ્યું, ભાજપમાં વોટનું પ્રમાણ ઘટ્યુ
વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવાર ડો. કે.સી.પટેલનો કોંગ્રેસના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી સામે ૩૫૩૭૯૭ મતથી વિજય થયો હતો. જેમાં કુલ ૧૨૪૧૦૭૦ મતમાંથી ડો.કે.સી.પટેલને ૭૭૧૯૮૦ અને જીતુભાઈ ચૌધરીને ૪૧૮૧૮૩ મત મળ્યા હતા. જ્યારે ૨૦૨૪ ની ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે પરંતુ તેઓ તેમની પાર્ટીના ગત ચૂંટણીના ઉમેદવાર ડો.કે.સી.પટેલ જેટલી લીડ મેળવી શક્યા ન હતા. જેથી ભાજપમાં વોટનું પ્રમાણ ઘટ્યુ હતું. કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલનો પરાજય થયો પરંતુ કોંગ્રેસમાં મતનું પ્રમાણ વધ્યું છે. ગત ૨૦૧૯ની ચૂંટણીમાં કોંગ્રેસના જીતુભાઈ ચૌધરીને ૪૧૮૧૮૩ મત મળ્યા હતા જ્યારે ૨૦૨૪ની ચૂંટણીમાં કોંગ્રેસના અનંત પટેલને ૫૫૩૫૨૨ મત મળ્યા છે. આમ, કોંગ્રેસને ગત ૨૦૧૯ની ચૂંટણી કરતા ૨૦૨૪ની ચૂંટણીમાં ૧૩૫૩૩૯ મત વધુ મળ્યા છે. જ્યારે ભાજપને ૭૭૫૪ મત ઓછા મળ્યા છે.

૨૬- વલસાડ બેઠક પર ધવલ પટેલે ૨૧૦૭૦૪ મતથી ભવ્ય વિજય મેળવ્યો. ભારે ચર્ચામાં રહીહતી વલસાડ ડાંગ લોકસભા સીટ. વલસાડ ડાંગ માં ભગવો લેહરાયો.. Read More »

Uncategorized

વલસાડ જિલ્લામાં આગામી પાંચ દિવસ તાપમાન ૪૩ થી ૪૫ ડિગ્રી સુધી જવાની આગાહી. વારંવાર પાણી પીશું, ગરમીથી બચીશું ” સંદેશને મહત્તમ લોકો સુધી પહોંચાડવા તંત્રની અપીલ

વલસાડ અનિશ શેખ દ્વારા

વલસાડ જિલ્લામાં આગામી પાંચ દિવસ તાપમાન ૪૩ થી ૪૫ ડિગ્રી સુધી જવાની આગાહી

હવામાન વિભાગ દ્વારા તા. ૧૮ મે ના રોજ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ

લાંબો સમય તડકામાં ન રહેવું, ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવા સહિતના સૂચન કરાયા


હવામાન વિભાગ દ્વારા આજ રોજ તા. ૧૮ મે ૨૦૨૪ના રોજ ‘‘ઓરેન્જ એલર્ટ’’ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે તાપમાન ૪૩ ડિગ્રી થી ૪૫ ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે તેમજ આગામી પાંચ દિવસ તા. ૨૨ મે ૨૦૨૪ સુધી મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી છે.
આ પરિસ્થિતિમાં વલસાડ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, જરૂર પડ્યે બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખવી, પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવુ જોઈએ જેમ કે, પાણી, લીંબુ શરબત, છાશ, નાળિયેર પાણી, ORS અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું, તાજા ફળો અને શાકભાજી ખાવા જોઈએ, તીખુ ખાવાનું ટાળો તેમજ આહારમાં વધુ પડતું પ્રોટીન અને વાસી ખોરાક લેવાનું ટાળો, ચા કોફી અને સોડા વાળા પીણાં પર નિયંત્રણ રાખો. બહાર જતી વખતે છત્રી/ટોપી/સ્કાર્ફ સાથે રાખવું જોઈએ. લાંબો સમય તડકામાં ન રહેવું, આછા રંગના તેમજ ઢીલા સુતરાઉ કપડાં પહેરવાં. કામ કરતી વખતે થોડા થોડા સમયે વિરામ લેવો જોઈએ, અને ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો. નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું. ”વારંવાર પાણી પીશું, ગરમીથી બચીશું ” આ સંદેશને મહત્તમ લોકો સુધી પહોંચાડવા આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત વલસાડ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.


હિટવેવને કારણે થતી શારીરિક અસરોના લક્ષણો
• ગરમીની અળાઈઓ
• ખુબ પરસેવો થવો અને અશક્તિ લાગવી.
• માથાનો દુ:ખાવો,ચક્કર આવવા.
• ચામડી લાલ-સુકી અને ગરમ થઈ જવી.
• સ્નાયુઓમાં દુ:ખાવો અને અશક્તિ આવવી.
• ઉબકા અને ઉલ્ટી થવી.
-૦૦૦-

વલસાડ જિલ્લામાં આગામી પાંચ દિવસ તાપમાન ૪૩ થી ૪૫ ડિગ્રી સુધી જવાની આગાહી. વારંવાર પાણી પીશું, ગરમીથી બચીશું ” સંદેશને મહત્તમ લોકો સુધી પહોંચાડવા તંત્રની અપીલ Read More »

Uncategorized

ગુજરાતની વિદ્યાર્થિનીની માર્કશીટ થઇ વાયરલ, 200માંથી મળ્યા 212 માર્ક્સ..! જેણે ગુજરાત એજ્યુકેશન બોર્ડ પર સવાલ ઉભા કર્યા ?

ગૂજરાત અનિશ શેખ દ્વારા

આ ફોટો સોશિયલ મીડિયા પરથી સમજણ માટે લેવામા આવ્યો છે. વાયરલ થયેલા ફોટો છે..

દાહોદ જિલ્લાના ખરસાણા ગાંમની પ્રાથમિક શાળાની એક વિદ્યાર્થીની માર્કશીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેણે ગુજરાત એજ્યુકેશન બોર્ડ પર સવાલ ઉભા કર્યા
દાહોદ : જિલ્લાની એક પ્રાથમિક શાળાની માર્કશીટે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે. ચોથા ધોરણની વિદ્યાર્થિનીની માર્કશીટમાં થયેલી એક મોટી ગડબડ સામે આવી છે. આ માર્કશીટ જોઈને બધાને આશ્ચર્ય થઇ રહ્યું છે. આ ગડબડની વાત કરીએ તો વિદ્યાર્થિનીને બે વિષયમાં કુલ માર્કસ કરતાં વધુ માર્કસ મેળવ્યા છે. જયારે રિઝલ્ટ આપવામાં આવ્યું ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો છે અને વિવાદ ઉભો થયો છે. જણાવી દઈએ કે આ મામલે હવે તાપસના આદેશ આપવામાં આવ્યા છે .
બનાવની બિગતો જોઈએ તો, આ ઘટના છે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ખરસાણા ગામની. પ્રાથમિક શાળાના ચોથા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની કટારા વંશીબેન મનીષભાઈને બે વિષયમાં કુલ માર્ક્સ કરતાં વધુ ગુણ આપવામાં આવ્યા હતા. જયારે વંશી રિઝલ્ટ લઈને ઘરે પહોંચી ત્યારે આ સમગ્ર બનાવ સામે આવ્યો હતો.આ બાબતે વાલીએ તરત જ શાળાનો સંપર્ક કરી શિક્ષકની ભૂલ તરફ ધ્યાન દોર્યું હતું. ત્યાર બાદ ફરીથી તેનું પરિણામ સુધારીને નવું બનાવવામાં આવ્યું હતું. જો કે ત્યાં સુધીમાં આ માર્કશીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઈ હતી.

ગુજરાતની વિદ્યાર્થિનીની માર્કશીટ થઇ વાયરલ, 200માંથી મળ્યા 212 માર્ક્સ..! જેણે ગુજરાત એજ્યુકેશન બોર્ડ પર સવાલ ઉભા કર્યા ? Read More »

Uncategorized

ભ્રષ્ટ બાબુના ઘરમાં બેડ નીચેથી મળ્યાં રૂ. 30,00,000, ધંધુકામાં નાયબ કાર્યપાલ ઇજનેરની થઇ છે ધરપકડ.. અમદવાદ માર્ગ અને મકાન વિભાગ ના ભ્રમભટ્ટ ની પણ એસીબીએ વોચ ગોઠવવી જોઈએ..!

એહવાલ અનિશ શેખ દ્ધારા

અમદાવાદઃ ધધુંકા તાલુકાના 54 ગામના પાણી પૂરવઠાનું મરામતની કામગીરી કરતા વૈભવ અચલકુમાર શ્રીવાસ્તવ, નાયબ કાર્યપાલક ઇજનેર રૂ. 1,20,000 ની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા. તેમના રહેણાંક મકાનની તપાસ દરમિયાન 30,00,000 રકમ મળી આવતા અઘીકારીઓ ચોકી ગયા
સરકારના જુદાજુદા વિભાગોના અધિકારીઓ કે કર્મચારીઓ કાયદેસરના પગાર સિવાય જાહેર જનતા પાસે ગેરકાયદેસર લાંચની માંગણી કરે છે તો તમે પણ આ અંગેની જાણ એ.સી.બી કચેરીના ટોલ ફ્રી નંબર 1064 પર કરી શકો છો.

અમદવાદ કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગ સાથે RTI એક્ટિવિશો અને અન્ય જિલ્લા ના પત્રકારો સાથે આટલો પ્રેમ કેમ?

અમદાવાદ કાર્ય પાલક ઈજનેર અમદવાદ માર્ગ અને મકાન વિભાગ ના અધિકારી ભ્રમભટ્ટ ની કચેરીમાં RTI થી આજદિન સુધી એમની સામે થયેલી RTI ની વિગત માંગી છે.. ભ્રષ્ટ અધિકારીઓ પાસેથી RTI ની મંગણી કરી કે અન્ય રીતે મસમોટી રકમો વસુલવા મા આવે છે..? અને અમદવાદ કાર્ય પાલક ઈજનેર અમદવાદ માર્ગ અને મકાન વિભાગ ના અધિકારી ની કચેરી ની એસી બી ની ટિમ દ્ધારા વોચ ગોઠવવા માં આવે એમાં પણ દિવાળી અને માર્ચ મહિના બાદ જો વોચ ગોઠવવા માં આવે તો એસીબીને ખબર પડે કે ગુજરાત ના અલગ અલગ જિલ્લાઓ માંથી કેટલા પત્રકારો. અને RTI એક્ટિવિશો એમને મળવા માટે કેટલા ઉત્સુક હોય છે ..! આ તમામ ને આ ભ્રમ ભટ્ટ કાર્ય પાલક ઈજનેર અમદવાદ માર્ગ અને મકાન વિભાગ નાઓ થી આટલો પ્રેમ કેમ..? આ ગુજરાત સરકાર માટે તપાસનો વિષય છે..?

વૈભવ અચલકુમાર શ્રીવાસ્તવ, નાયબ કાર્યપાલક ઇજનેર (વર્ગ-2), ગુજરાત પાણી પૂરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ, ધંધુકાને લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યાં હતા. આરોપી પાસે લાંચની રકમ 1 લાખ 20 હજાર રિકવર કરવામાં આવી હતી. નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી, પાણીપુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ, રાણપુર રોડ, ધંધુકામાં પોતાની ચેમ્બરમાં જ આ આરોપીએ લાંચ લીધી હતી.

ફરીયાદી ધંધુકા તાલુકાના 54 ગામના પાણી પૂરવઠાનુ મરામત અને નિભાવણીની કામગીરી કરે છે. કામગીરીના ત્રણ માસના બીલોમાં કપાત નહીં કરવા, બીલો તાત્કાલિત ફોરવર્ડ કરીને મંજૂર કરવા માટે 1 લાખ 20 હજારની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. જેથી ફરીયાદને આધારે લાંચના છટકાનું આયોજન કરાયું હતુ, જેમાં આ ભ્રષ્ટ બાબુ સરકારી કેબિનમાં જ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા.

ભ્રષ્ટ બાબુના ઘરમાં બેડ નીચેથી મળ્યાં રૂ. 30,00,000, ધંધુકામાં નાયબ કાર્યપાલ ઇજનેરની થઇ છે ધરપકડ.. અમદવાદ માર્ગ અને મકાન વિભાગ ના ભ્રમભટ્ટ ની પણ એસીબીએ વોચ ગોઠવવી જોઈએ..! Read More »

Uncategorized

સંજાણમાં 2ટ્રક અને પિકઅપ વચ્ચે થયેલા અકસ્માતમાં ટ્રકના ઈશ્યુરાન્સ,પાસિંગની વેલીડિટી ખતમ!સાથે ટ્રકમાં ભરેલ માટી ગાયબ??

ઉમરગામ : ઈરફાન પઠાણ દ્ધારા..

શું માટી ગેરકાયદેસર ખેંચવામાં આવી હતી,? ક્યાંથી ભરાતી અને ક્યાં ખાલી થતી હતી? રહસ્ય મય ઘટના! બંનેવ ટ્રક ના પાસિંગ પણ સમાપ્ત તેમ છતા ગાડીઓ બેફામ રીતે રોડ પર દોડાવવામાં આવે છે? કોની મેહરબાની??
24×7 ઉમરગામ રોડ પર ફરતા વલસાડ જિલ્લા ના RTO અને ખાણ ખનીજ અધિકારી ની કામગીરી પર ઉઠતા સવાલો..?
ભોગ બનનરા પિકપ ચાલકે મોડે મોડે થી લેખિતમાં ઉમરગામ પોલીસ મથકે બંનેવ ટ્રક ચલકો વિરિદ્ધ ફરિયાદ કરીહતી
આ ઘટનામાં અધિકારીઓને અંધારામાં રાખી ઘટનાને થાળે પાડવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.જો કે આ ઘટનામાં કોઈની પણ જાનહાનિ ન થયો હોવાને લઈ મામલો રફેદ દફે કરવા આવ્યો હોવાની ચર્ચા પણ સંજાણમાં ટોક ઓફ ધ ટાઉન બની પામી છે.!!
Gj 15 XX 4417 ટ્રક નું ઇન્સ્યોરન્સ ફેબ્રુઆરી 2019 માં સમાપ્ત અને ફિટનેસ મેં 2019 માં અને ટેક્સ સપ્ટેમ્બર 2018 માં સમાપ્ત થયેલો RTO ની પ્રામાણિક કરેલી ઓનલાઇન એપમાં જોવા મળ્યું હતું..!!
Gj 15 UU 1018 ટ્રક નું ઇન્સ્યોરન્સ ડિસેમ્બર 2020 માં સમાપ્ત અને ફિટનેસ ઓગસ્ટ 2019 માં અને ટેક્સ માર્ચ 2019 માં સમાપ્ત થયેલો RTO ની પ્રામાણિક કરેલી ઓનલાઇન એપમાં જોવા મળ્યું હતું.

સૂત્રો અનુસાર મળતી માહિતી મુજબ 24 એપ્રિલના રોજ સંજાણમાં બનેલી અકસ્માતની ઘટનાં અંતર્ગત બંને ટ્રકના આરટીઓ પાસિંગ અને ઇન્સ્યોરન્સની વેલિડિટી સમાપ્ત થઇ ગઈ હતી.તો પણ બે રોકટોક માર્ગ ઉપર દોડતા દેખાઈ!જોકે વગર પસિંગ અને ઇન્શ્યોરન્સ વાળી બને ટ્રક મારફતે અકસ્માત તો કર્યો કોઈ જાનહાનિ ન થતાં મામલો રફેદફે કરવાના પ્રયાસ હાથ ધરાયા ત્યારે ખાણખનીજ અને આરટીઓ અધિકારીઓની કામગીરી ઉપર અનેક સવાલ?

આ બનામાં ઉમરગામથી સંજાણ તરફ આવતા સંજાણા પેટ્રોલપંમ નજીક અકસ્માતની ઘટના બની હતી.પિકપ જેનો નં.Gj-15-av-5779 ઉમરગામ બાજુએથી કાંધા બટાકા ભરી સંજાણ તરફ આવી રહ્યો હતો.તે સમયે પીકપ ચાલકને સીવનેરી ચાહ નજીક પાછળથી મોહરમ (માટી) ભરીને આવતિ ટ્રક ન. GJ-15-UU-1018એ ધડાકા ભેર ટક્કર મારી હતી.તેની પાછળ બીજી ટ્રક પણ પૂરપાટ ઝડપે આવી રહી હતી.જેનો ટ્રક નં GJ-15-XX-4417 હતો. તેણે પણ પીકપને ટક્કર મારી અને ટ્રક ચાલક રિવર્સ લઈને તાત્કાલિક ત્યાથી ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ અકસ્માતનો ગુનો નોંધાય એ આશય એ પોલીસ મથકે પિક અપ ચાલકે અરજી કરી હતી.જ્યારે આરટીઓની તપાસ કરતા આ બંને ઉપરોક્ત ટ્રકોના ઇન્સ્યોરન્સ અને પાસિંગની વેલીડીટી પૂર્ણ થઈ હતી.તેમ છતાં પણ માર્ગ ઉપર આ ટ્રકો બે રોકટોક દોડતી મળી,ત્યારે અકસ્માતના ઘટના વાળી જગ્યા ઉપર ઉપરોક્ત ટ્રકોમાં મોહરમ માટી ભરી હતી.આ રોયલ્ટી વાળી માટી હતી કે,ગેરકાયદેસર? માટી ખોદકામ કરી ખાલી કરવા જતા દરમ્યાન ઉપરોક્ત બંને ટ્રક દ્વારા અકસ્માત બન્યાની તપાસ સંબંધિત અધિકારીઓ હાથ ધરે તો દૂધનું દૂધ પાણીનું પાણી સામે આવે એવી ઘટના બની છે.આ વાત સ્પષ્ટ થાય છે આ ઘટનામાં અધિકારીઓને અંધારામાં રાખી ઘટનાને થાળે પાડવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.જો કે આ ઘટનામાં કોઈની પણ જાનહાનિ ન થયો હોવાને લઈ મામલો રફેદ દફે કરવા આવ્યો હોવાની ચર્ચા પણ સંજાણમાં ટોક ઓફ ધ ટાઉન બની પામી છે.જેને લઇ ઉપરોક્ત ઘટનામાં સાચી તપાસ થાય એ અતિ જરૂરી બની પામ્યો છે.

ઇન્સ્યોરન્સ અને ટેક્ષ પરમીટ પુરા થઇ ગયા હોવા છતાં માટી ભરેલા ટ્રક રસ્તા પર હંકારનાર સામે શું તંત્ર કડક કાર્યવાહી કરે તો અન્ય માટે એક ચેતવણી રૂપ કિસ્સો બનીશકે..!

સંજાણમાં 2ટ્રક અને પિકઅપ વચ્ચે થયેલા અકસ્માતમાં ટ્રકના ઈશ્યુરાન્સ,પાસિંગની વેલીડિટી ખતમ!સાથે ટ્રકમાં ભરેલ માટી ગાયબ?? Read More »

Uncategorized

GPCB and Sarigam SIA together with Macleods Pharmaceuticals celebrate World Earth Day 2024

Report : Umargam Anish shekh.

Earth Day 2024: World Earth Day is celebrated on 22nd April every year, World Earth Day is an annual event
Organized an awareness campaign on non-use of plastic in the society.. Macleods trainees staged plays at KDB School Sarigam, Bhilad Railway Station and Macleods Plant to create awareness.

Global Earth Day 2024: World Earth Day is celebrated every year on 22nd April, World Earth Day is an annual event. It is a day to raise awareness of the environmental challenges we face and inspire action for a sustainable future. This day is dedicated to protecting our planet and its environment. It started in 1970 and since then millions of people around the world are celebrating it.There are many ways to celebrate World Earth Day. Events or workshops are held to create awareness about the environment.

World Earth Day 2024: History World Earth Day history Earth Day emerged in the 1970s*

Born from the vision of US Senator Gaylord Nelson and Harvard student Dennis Hayes. Both of whom were deeply distressed by the damage caused to their environment, including the devastating oil spill in Santa Barbara, California. It aims to connect people and elevate environmental issues. Its immediate success was evident with a massive turnout of 20 million people in America.

On the occasion of World Earth Day 2024, Planet Vs. With the theme Plastic, Macleods Pharmaceuticals Limited organized an awareness campaign on non-use of plastic in the society in collaboration with Gujarat Pollution Control Board (GPCB) and Sarigam Industries Association (SIA). Understanding was provided. The event was organized by Macleods Pharmaceuticals Limited.
The event was conducted under the guidance of Mr. Ashwini Trivedi (RO-GPCB) sir and supported by seniors of SIA. The play and the event were appreciated by the audience at all.

World Earth Day 2024 Theme : World Earth Day 2024Theme

This year’s Earth Day theme Planet vs. Plastics draws attention to the serious issue of plastic pollution and how it harms nature. But Earth Day isn’t just about one problem. It is about understanding how everything in nature is connected.

GPCB and Sarigam SIA together with Macleods Pharmaceuticals celebrate World Earth Day 2024 Read More »

Uncategorized