ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી ગુજરાત
તારીખ ૬ /૧૨ /૨૦૨૩ ના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે તેમની પ્રતિભાને ફુલહાર અર્પણ કરીને વંદન કરવામાં આવ્યું હતું ,ડૉ. બાબા સાહેબ આંબેડકર ના મહાપરિનિર્વાણ દિવસ ને યાદ કરવામાં આવ્યો ૬ ડિસેમ્બર ૧૯૫૬ ના રોજ ડૉ. બાબા સાહેબ આંબેડકર તેમના નિવાસસ્થાને અલીપુર દિલ્હી મહાપરિનિર્વાણ પામ્યા હતા અને તેમના અંતિમ સંસ્કાર મુંબઈના ચોપાટી માં અરબી સમુદ્ર કિનારે થયેલ હતું તેમની અંતિમ યાત્રામાં પુરા ભારતભરમાંથી લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ દિવસે ભારત દેશમાં શોકની લાગણી છવાઈ હતી એવા મહાન ક્રાંતિકારી વિશ્વ રત્ન ભારત દેશના ભાગ્ય વિધાતા ભારતીય સંવિધાન ના નિર્માતા પડકાર પંડિત વિજ્ઞાન વાદી સમતા વાદી બૌદ્ધિસત્વ મહામાનવ પરમ પૂજ્ય ડૉ. બાબા સાહેબ આંબેડકર નો ૬ ડિસેમ્બર ૬૭ મો મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે અમદાવાદ ખાતે,ઓલ ઇન્ડિયા SC,ST,OBC, માઇનોરીટીસ મહાસંઘ તરફથી વિનમ્ર અભિવાદન કોટી કોટી પ્રણામ કરીને અઘરાંજલી આપવામાં આવી તેમાં ઉપસ્થિત રાષ્ટ્રીય કાર્યકારી સદસ્ય શ્રી ખેમચંદભાઈ ઉર્ફે હમીરભાઈ શામળિયા અને નારણભાઈ વાણીયા અનિલ પરમાર મનોજભાઈ ધેડા રાણાભાઇ મેરીયા પપ્પુભાઈ જાદવ અને સર્વે સમાજ ના કાર્યકર્તા આગેવાનો ભાઈઓ બહેનો ઉપસ્થિતિમાં બાબાસાહેબ આંબેડકરને અભિવાદન કરવામાં આવ્યું
Leave a Reply