અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે ટાટા સ્ટીલ ફાઉન્ડેશન દ્વારા રિઝનલ સંવાદ યોજાયો

ગુજરાત કારોબાર ન્યુઝ ચેનલ દ્વારા 

અહેવાલ -ભરતસિંહ ઠાકોર અરવલ્લી (બ્યુરો ચીફ)

 વિસ્તાર ની સમસ્યા નું સમાધાન પણ ખુદ કઈ રીતે કરી શકાય તેના વિશે ઊંડાણ થી  સમજણ  આપવામાં  આવી. દરેક સમસ્યા નું કોઈક તો સમાધાન હોય જ ગ્રામ્ય સ્તરે નેત્તૃત્વ ઉભું થાય અને લોકોમાં જાગૃતિ આવે. તેમજ આદિવાસી વિસ્તાર ના  પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં (૧) ખોટાં જાતિનાં પ્રમાણ પત્ર અટકાવવાના ઉપાયો.(૨) સામાજિક સંગઠનોમાં એકતા બનાવી રાખવાના પગલાં.(૩) શિક્ષણની ગુણવત્તામા સુધારો.(૪) આરોગ્ય સુધારવાના ના પગલાં.(૫) ગ્રામ્ય લેવલે રોજગારી માટે ના પગલાં.મુખ્ય પાંચ સમસ્યાના નિવારણ માટે ગ્રામ્ય લેવલે થી કંઈ રીતે કામગીરી હાથ ધરી શકાય તેનાં પર મિટીંગમાં હાજર રહેલ સામાજીક કાર્યકરો દ્વારા માહિતી મેળવી પોતપોતાના અભિપ્રાય વ્યક્ત કરવામાં આવેલ હતાં

. જેમાં અરવલ્લી તથા સાબરકાઠા એક્ટિવ સામાજિક સંગઠનોના સહયોગથી આવનાર સમયમાં સમાજની સમસ્યાના નિરાકરણ માટે એકબીજાના પૂરક બની કામગીરી કરવામાં આવશે. ટાટા સ્ટીલ ફાઉન્ડેશન ગુજરાત તથા અન્ય રાજ્યનાં આદિવાસી સમાજના લીડરો ને એક બીજા સાથે જોડવાનું કામ કરે છે આદિવાસી કલ્ચરના ખાણી પીણી, વેશભુષા, બોલી ભાષા, રહેણી કહેણી. રીતરિવાજ, ને જીવંત રાખવાં દર વર્ષે ઝારખંડમાં સંવાદ કાર્યકમ નું અયોજન કરવામાં આવે છે. જેમાં ઉત્તર ગુજરાત માંથી પણ યુવાનો ભાગ લઈ ને દેશનાં આદીવાસી  સમાજો સાથે દર વર્ષે ભાગ લઈ શકે તેવા હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતુ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *