જૂનાગઢના કેશોદ માં વ્યાજના વીસચક્ર માં ફસાયેલ યુવાને કર્યો આપઘાત

મૃતક યુવક પાસેથી સ્યુસાઇડ નોટ મળી વ્યાજખોરોના ત્રાસથી યુવાને આપઘાત, કરી લેતા પરિવાર એ નોંધાવી ફરિયાદ

પોલીસે પાંચ ઈસમો સામે ગુનો નોંધી આખાએ મામલે ઝીણવટભરી તપાસ આદરી

જૂનાગઢના કેશોદમાં પ્રજાપતી સોસાયટી ખાતે રહેતાં અને ખાદ્ય ચિજ વસ્તુઓનું વેંચાણ કરવા ફેરી કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતાં વિનોદકુમાર ઘનશ્યામદાસ રોચીરામાણી એ વ્યાજ ચક્રમાં ફસાતાં એમ એમ પેટ્રોલ પંપ સામે સરકારી આવાસ ની બાજુમાં ઉતાવડી નદીના કાંઠા નજીક જઈ ઝેરી દવા પી લીધી હતી. સારવાર દરમ્યાન તેમનું મોત નિપજતા પોલીસ તપાસ દરમિયાન આપઘાત કરનાર યુવક પાસેથી સ્યુસાઇટ નોટ મળી આવી હતી.

પોલીસે આ મામલે મરણ જનારની પત્નિ સવિતાબેન ની ફરિયાદ આધારે તેમના પતિએ અલગ અલગ પાંચ જેટલા આરોપીઓ પાસેથી રૂ.12 લાખ જેવી રકમ વ્યાજે લીધી હોય તેના વ્યાજની રકમ ચૂંકવી દીધી હોય છતાં પણ વધુ 1,24,000 જેવી રકમની આરોપીઓ મારફત વ્યાજની માંગણી કરવામાં આવતી હોય ફોન પર મારી નાખવાની ધમકીઓ, આપી હેરાન પરેશાન કરી ત્રાસ આપવામાં આવતાં મરવા મજબૂર કરતાં વિનોદકુમાર રોચીરામાણી એ ઝેરી ટીકડા પી લેતાં સારવારના અંતે તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ મામલે પોલીસે
આરોપી પ્રવિણ સીંધલ રબારી,ભાવેશ ભુપત રબારી, રાજુ હરદાસ રબારી, અજીત આહીર, અને રવિ ઉર્ફે એસ.કે. પારવાણી રહે. પલ્લવી નગર કેશોદ
રહે.બધા કેશોદ ધારવિસ્તાર વાળાઓ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ઘરી છે.

શૈલેષ પટેલ……. જૂનાગઢ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *