અહેવાલ:- કુંદનકુમાર પરમાર
![](https://i0.wp.com/gujaratkarobar.news/wp-content/uploads/2023/09/IMG-20230920-WA0154.jpg?resize=1024%2C768&ssl=1)
સમગ્ર દેશમાં ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. અત્યારે તો કચેરીઓ, સંસ્થાઓ અને શોપિંગ સેન્ટરમાં ગણેશ સ્થાપન કરી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.
![](https://i0.wp.com/gujaratkarobar.news/wp-content/uploads/2023/09/IMG-20230920-WA0153.jpg?resize=388%2C291&ssl=1)
આજ રોજ ગણેશ ચતુર્થીના દિવસે ગમતી નિશાળ ખાતે બાળકોએ ગમતા ગણેશજી ની સ્થાપના કરી હતી. આ આયોજનમાં સંકુલ ખાતે ગમતી નિશાળના ચેરમેન ડૉ.જીગર જોષી અને લેખક, ઇનોવેટર અને ગમતી નિશાળના સંયોજક ડૉ.ભાવેશ પંડ્યા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિવાર અને બાળકો સાથે વાલીઓ આ પૂજા અને સ્થાપન વિધિમાં જોડાયા હતા. ગમતી નિશાળ ખાતે દગડુ શેઠના ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. આ અંગે શાળાના આચાર્ય દ્વારા પાલનપુર શહેરની ધર્મપ્રેમી જનતાને દર્શન કરવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે