૨ અને ૩ ડિસેમ્બરના યોજાશે શામળાજીના પ્રાંગણમાં શામળાજી મહોત્સવ-૨૦૨૩,શામળાજી મહોત્સવ -૨૦૨૩ ની ધામધૂમપૂર્વક ઉજવણી થવાજઈ રહી છે. અરવલ્લીના શામળાજીમાં બિરાજમાન કાળિયા ઠાકોરના આંગણે લોકલાડીલા કિર્તીદાન ગઢવી અને અનિરૂધ્ધ આહીર પોતાની આગવી સંગીત કળાથી શામળાજી મહોત્સવની ઉજવણીમાં સાથ આપશે.અરવલ્લીના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં દરવર્ષે સંગીત,અને ભક્તિનો સમન્વય સમો મહોત્સવ ઉજવાય છે.૨ અને ૩ ડિસેમ્બર ૨૦૨૩ ના બે દિવસ માટે શામળાજી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવશે.અરવલ્લીના તમામ જનતાને આ મહોત્સવ નિહાળવા માટે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર આમંત્રણ પાઠવે છે. આવો સૌ સાથે મળીને શામળાજી મહોત્સવમાં ભાગ લઈએ અને ભક્તિ અને સંગીતના સમન્વયના સાક્ષી બનીએ.
શામળાજી મહોત્સવ-૨૦૨૩ માં ધૂમ મચાવશે કિર્તીદાન ગઢવી અને અનિરુધ્ધ આહીર
by
Tags:
Leave a Reply