ઓટો

વિશ્વ ના એકમાત્ર કુબેર ભંડારી કરનાળી મંદિરે અમાસે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

 સંવત 2080 માગશર માસની પ્રથમ અમાસે  વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી સ્થિત વિશ્વના એક માત્ર કુબેર ભંડારી મંદિર ખાતે ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.

કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ દિનેશગીરી મહારાજ, નંદગીરી મહારાજએ કુબેર ભંડારી મંદિર વિશે જણાવ્યું છે કે કુબેર ભંડારી એ રાવણના ભાઈ હતા તેઓને શ્રીલંકાની ગાદી મળવાને પાત્ર હતી પરંતુ રાવણે શિવજીની આરાધના કરી પ્રસન્ન થતા શિવજીએ રાવણને શ્રીલંકાની ગાદી આપી હતી તે બાદ કુબેર એ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી ગામે આવી શિવજીની આરાધના કરી હતી અને શિવજી પ્રસન્ન થતા કુબેર ને થયેલા અન્યાયની વાત રજૂ કરી હતી તે સામે શિવજીએ કુબેરને શ્રીલંકા કરતા પણ મોટુ પદ અને પૈસા નું વચન આપ્યું અને કુબેર ને દેવોના ખજાનચી નું સૌથી મોટું પદ પ્રાપ્ત થયું.

કુબેર એ કરનાળીમાં જે શિવલિંગની સમક્ષ બેસીને તપ કરી શિવજીને પ્રસન્ન કર્યા હતા તે શિવલિંગ આજે હવે કુબેર ભંડારી ના નામથી ઓળખાય છે.

 વિશ્વના એકમાત્ર કુબેર ભંડારી મંદિરે પાંચ અમાસ કે તેથી વધુ જે ભાવિક ભક્ત શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરે તેને કુબેર ની જેમ કાંતો સારું પદ મળે અથવા તો ધન પ્રાપ્ત થાય છે.

વડોદરા જીલ્લા ના મા નર્મદા નદીના કિનારે આવેલા વિશ્વના એકમાત્ર કુબેર ભંડારી કરનાળી મંદિરે  2024 ની પ્રથમ અમાસે દર્શનાર્થીઓ ખૂબ મોટી સંખ્યામા ઉમટી પડ્યા હતા. વર્ષ ની પ્રથમ અમાસે મંદિર પ્રશાસન દ્વારા મંદિર ને ફૂલોથી શણગારવામા આવ્યુ હતું  કરનાળી અમાસ ભરતા ભાવિક ભક્તો અગિયારસ થી અમાસ સુધી નિયમિત દર્શન કરી માથું ટેકવે છે. ચૌદશ ની રાત્રી થી ભક્તોએ શ્રધ્ધા થી માથુ ટેકવ્યુ હતું.કુબેર દાદા ને ભક્તો દ્વારા અવનવા રંગબેરંગી સાફા ચડાવવામા આવે છે . વિવિધ ફૂલો થી કુબેર મંદિર ને ખૂબ સુંદર શણગાર કરવાભા આવ્યો હતો.રાત્રી ના 12 કલાકે મંદિર ના કપાટ ખૂલતા ભક્તોએ  જયકુબેર  જયજયકુબેર ના નાદ સાથે સમગ્ર મંદિર પ્રાંગણ ગુંજી ઉઠ્યુ હતું. હતો.દર માસ ની અમાસે  ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત દેશના ખૂણે ખૂણે થી દર્શનાર્થીઓ કુબેર દાદા ના દર્શન કરી ધન્યતા અનુભવે છે .મંદિર પ્રશાસન દ્વારા મંદિર ની ખૂબ સુંદર શણગાર કરવામા આવ્યો હતો ભાવિક ભક્તો માટે વિશાળ ભંડારા નું આયોજન કરવામા આવે છે ભક્તોની સલામતી, પાર્કિંગ અને ભોજન પ્રસાદી માટે સગવડ ઉભી કરવામા આવી છે.  પોલીસ પ્રશાસને ખડેપગે રહી કામગીરી બજાવી હતી. મંદિર ના ટ્રસ્ટીઓ અને કર્મચારીઓ એ ભાવિક ભક્તો ના દર્શન માટે ખૂબ સુંદર આયોજન કર્યુ હતુ.

વિશ્વ ના એકમાત્ર કુબેર ભંડારી કરનાળી મંદિરે અમાસે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા Read More »

Uncategorized ઓટો

શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર પ્રેરિત અક્ષત આમંત્રણ અભિયાન

અંતર્ગત બોરમઠ ગામમાં અયોધ્યા થી આવેલ રામમંદિર આમંત્રણ પત્રિકા શ્રી રામજી મંદિરનો દિવ્ય ફોટો અને અક્ષત ગામમાં ઘર ઘર સુધી પહોંચાડવામાં આવ્યું સૌ ગ્રામજનો એ આમંત્રણ પાઠવી રહેલા રામ ભક્તોનું  કંકુ તિલક કરી સ્વાગત સન્માન કર્યું હતું કેટલીક જગ્યાએ ચા પાણી અને નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જય જય શ્રી રામ ના નાદથી ગામમાં ભક્તિમય વાતાવરણ બની ગયું હતું સૌ રામ ના રંગે રંગાઈ ગયા હતા ગામમાં વડીલો અને વિદ્વાનો આમંત્રણથી હરખ ઘેલા થયા હતા. એક ૧૦૦ વર્ષના દાદી મા એ શ્રી રામ ભક્તોનું રામના ભજન ગાઈ ને સ્વાગત કર્યું હતું.

શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર પ્રેરિત અક્ષત આમંત્રણ અભિયાન Read More »

Uncategorized ઓટો

વિકસિત ભારત સંકલ્પ યાત્રા માન.મંત્રીશ્રી પંચાયત,કૃષિ પ્રવાસ કાર્યક્રમ અને પ્રભારી મંત્રીશ્રી અરવલ્લી ,માનનીય મંત્રીશ્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

આજે અઝાદીના ૭૫ વર્ષ અને ૨૦૪૭ સુધી આખો દેશ પૂર્ણવિકસિત થાય તે માટે આ રથ મોકલ્યો છે. આજે આ રથ આપના ઘર સુધી પોહચ્યા છે અને બધાજ પ્રકારના લાભ આજે મોદી સાહેબે મોકલ્યા છે : પ્રભારી મંત્રીશ્રી

અરવલ્લી જિલ્લાના માલપુરના જીતપુર ખાતે વિકસિત ભારત રથ આવી પોહચ્યો જેમાં ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું. માન.મંત્રીશ્રી પંચાયત,કૃષિ પ્રવાસ કાર્યક્રમ અને પ્રભારી મંત્રીશ્રી અરવલ્લી ,માનનીય મંત્રીશ્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો. 

મંત્રીશ્રીએ સંબોધન કરતા જણાવ્યું; ગુજરાતનાં ૧૮ હજાર ગામડાઓમાં ૨૫૨ રથ ફરી રહ્યા છે. આજે આપના ગામમા મોદી સાહેબની ગેરંટી વાળો રથ આવ્યો છે ત્યારે આપને અભિનંદન પાઠવું છું.આજે અઝાદીના ૭૫ વર્ષ અને ૨૦૪૭ સુધી આખો દેશ પૂર્ણવિકસિત થાય તે માટે આ રથ મોકલ્યો છે. આજે આ રથ આપના ઘર સુધી પોહચ્યા છે અને બધાજ પ્રકારના લાભ આજે મોદી સાહેબે મોકલ્યા છે.

જેમાં આરોગ્ય,શિક્ષણ,ખેડૂત,મહિલા અને દરેક માટે લાભ મોકલ્યા છે. આજે કોરોનામાં નરેન્દ્રભાઇએ મફત રસી પોહચાડી અને આજે આપણે સૌ સાથે બેઠા છીએ તો એ ફક્ત નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે અને આજે આવનારા ૫ વર્ષો સુધી મફત અનાજ આપવાનું કામ વડાપ્રધાનશ્રીએ કર્યું છે.આજે આરોગ્યની તમામ સુવિધાઓ ૧૦૮ દ્વારા પૂરી કરી છે.૧૦૮ થી લઈને ખિલખિલાટ ગાડી સુધી સુવિધાઓ મોદીજીએ મોકલી છે.ફકત એક કાર્ડથી કોઈપણ બીમારીની મફત સારવાર થઈ રહી છે.આજે વિદેશના ઉદ્યોગો આપણા દેશની ધરતી ઉપર ઉતાર્યા અને દેશના છોકરાઓ માટે રોજગારીની તક ખુલ્લી મૂકી આજે ૧૦૦ વર્ષ પછી વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે અને આજે ગુજરાતના સપૂતોએ અઝાદીની ચળવળ ચલાવીને દેશને અઝાદ કર્યો હતો અને વડાપ્રધાનશ્રીએ અને ભૂપેન્દ્રભાઈની સરકારે આજે ૧૦૦ વર્ષની ઉજવણી ઉજવીને આઝાદ ભારતને વિકસિત ભારત કરવાની નેમ ને આગળ વધી રહ્યા છે.એક તાલુકાથી પૂર્ણવિકસિતની નેમને આગળ વધારીને રાજ્ય અને દેશને પૂર્ણવિકસિત બનાવવાની નેમમાં આપણે સૌએ સાથે ચાલીને કામ કરવું પડશે.આજે આપણે આવી અનેક મહેનતથી દેશને વૈશ્વિક સ્તરે નામના મેળવી રહ્યા છીએ. 

આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારીક,જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ કેડિયા,જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રિયંકાબેન ડામોર,જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના ડાયરેક્ટરશ્રી આર.એન. કુચાર અને અન્ય પદાધિકારિશ્રીઓ અને અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી

વિકસિત ભારત સંકલ્પ યાત્રા માન.મંત્રીશ્રી પંચાયત,કૃષિ પ્રવાસ કાર્યક્રમ અને પ્રભારી મંત્રીશ્રી અરવલ્લી ,માનનીય મંત્રીશ્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ Read More »

Uncategorized ઓટો

સાબરકાંઠા,સરકારમાં પડતર માંગણીઓને લઈ શિક્ષકોએ રેલી સાથે મહાપંચાયત કાર્યક્રમ યોજ્યો

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

” અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત ” દ્વારા વર્ષોથી સરકારમાં પડતર માંગણીઓને લઈ આજરોજ સમગ્ર રાજ્યના જિલ્લા મથકો પર રેલી અને મહાપંચાયત યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું “

*     જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે ” અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત ” પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચો અરવલ્લી – સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના શિક્ષકોએ બેનરો સાથે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર આદર્શ વિદ્યાલય, મોતીપુરા થી પરશુરામ પાર્ક સુધી પદ યાત્રા કાઢી હતી જે પદયાત્રા સાંજે ચાર કલાકે પરશુરામ પાર્ક ખાતે વિશાળ સભામાં પરિવર્તિત થઈ હતી, જ્યાં મહાપંચાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી તેમજ એન.પી.એસ કપાતમાં કેન્દ્ર સરકારનો નિયમ લાગુ કરવામાં આવે અને એન.પી.એસ વાળા કર્મચારીઓને નિવૃત્તિ સમયે ૩૦૦ રજાનું રોકડ રૂપાંતર આપવું, ૩૩૦૦૦ થી વધુ ખાલી રહેલી શિક્ષકો અને આચાર્યોની જગ્યા પર કાયમી ભરતી કરવા જેવી સરકારમાં પડતર વિવિધ ૧૧ માંગણીઓનો તાત્કાલિક ઉકેલ લાવવા અને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે મુખ્યમંત્રીશ્રીને ઉદ્દેશીને કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું…

*    આ કાર્યક્રમમાં ખુબ મોટી સંખ્યામાં સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના શિક્ષકો જોડાયા હતા અને ઘણા રાજ્યોમાં જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ જૂની પેન્શન યોજના લાગુ કરવાની તેમજ વર્ષોથી પડતર પ્રશ્નોનું સરકાર દ્વારા તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરવામાં આવી હતી…

સાબરકાંઠા,સરકારમાં પડતર માંગણીઓને લઈ શિક્ષકોએ રેલી સાથે મહાપંચાયત કાર્યક્રમ યોજ્યો Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ અરવલ્લીના માલપુર તાલુકા ખાતે પોહચ્યો


વિશ્વકર્મા યોજના, pmjay યોજના , પીએમ કિસાન યોજના , ઉજ્જવલા, જન ધન યોજના અને બેન્કિંગની યોજનાઓનો લાભ લેવા જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારિકની ખાસ અપીલ,વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આરંભરાયેલી રથયાત્રા સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લેતી સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે આ યાત્રા ગામડાઓમાં ઠેર-ઠેર ભ્રમણ કરી રહી છે. ત્યારે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો જાગૃતિ સંદેશ અને લાભો ગ્રામીણ સુધી પહોંચાડવા વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

અરવલ્લી જિલ્લામાં માલપુર ખાતે રથ પોહચ્યો હતો.કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અનેક યોજનાઓનો લાભ લોકોને ઘરઆંગણે આપવામાં આવી રહ્યો છે.વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આગમન સમયે રથનું સ્વાગત,વડાપ્રધાનશ્રીનો વિડિયો સંદેશ તથા લાભાર્થીઓને વિવિધ સહાય અને યોજનાની જાણકારી આપવામાં આવશે.
જે અંતર્ગત માલપુર ખાતે જિલ્લા કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં વિકાસ રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું.કલેક્ટરશ્રીએ સંબોધન કરતા ,વિશ્વકર્મા યોજના, pmjay યોજના ,પીએમ કિસાન યોજના , ઉજ્જવલા, જન ધન યોજના અને બેન્કિંગની યોજનાઓનો લાભ લેવા ખાસ અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં માલપુર પ્રમુખશ્રી ભાગ્યશ્રીબેન,જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી,અને તાલુકા સદસ્યશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ તેમજ અન્ય વિભાગીય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ અરવલ્લીના માલપુર તાલુકા ખાતે પોહચ્યો Read More »

Uncategorized ઓટો

શામળાજી મહોત્સવ ૨૦૨૩ના પ્રથમ દિવસે ખૂબજ મોટી સંખ્યામાં જનમેદનીએ કીર્તિદાન ગઢવીને માણ્યા,આજે બીજા દિવસે જાણીતા કલાકાર અનિરૂધ્ધ આહીર જમાવશે શામળાજીમાં ધૂમ.

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર અરવલ્લી દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આયોજીત શામળાજી મહોત્સવ 2023 ની ઉજવણીની શરૂયાત કરવામાં આવી અને પ્રથમ દિવસે જાણીતા કલાકાર કીર્તિદાન ગઢવીએ ધૂમ મચાવી હતી. શામળાજી મંદિરના પરિસરમાં આ ભવ્યાતિ ભવ્ય ઔતિહાસિક કાર્યક્રમ થઈ રહ્યો છે.

અરવલ્લી જિલ્લામાં રમણીય ગિરિમાળાઓ વચ્ચે આવેલ રમણીય પુરાતન શામળાજી મંદિરમાં દેવગદાધાર શામળિયાળા ભગવાનની શ્રી વિષ્ણુ સ્વરૂપની ચતુર્ભુજ ભવ્ય મનોહર મૂર્તિ બિરાજમાન છે. જેના દર્શન થતાં જ ભગવાન પ્રત્યે અનુરાગ જાગે અને મૂર્તિ આગળથી ખસવાનું મન ન થાય. નમ્ર ભાવે આનંદવિભોર બનીને અહીં પરમાત્માના શ્યામલ સ્વરૂપના સાક્ષાત્કારની અનુભૂતિ થાય છે. શામળાજી મંદિરની વાત કરીએ તો મંદિરની ઇમારત પર શિલ્પો ખૂબજ સુંદર રીતે કંડારાયેલા છે.

શામળાજી મહોત્સવ ૨૦૨૩ના પ્રથમ દિવસે ખૂબજ મોટી સંખ્યામાં જનમેદનીએ કીર્તિદાન ગઢવીને માણ્યા. આજે બીજા દિવસે જાણીતા કલાકાર અનિરૂધ્ધ આહીર જમાવશે શામળાજીમાં ધૂમ,અરવલ્લી વહીવટી તંત્ર તમામ જિલ્લાવાસીઓને મહોત્સવમાં પધારવા આમંત્રણ પાઠવીએ છીએ.

૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰

શામળાજી મહોત્સવ ૨૦૨૩ના પ્રથમ દિવસે ખૂબજ મોટી સંખ્યામાં જનમેદનીએ કીર્તિદાન ગઢવીને માણ્યા,આજે બીજા દિવસે જાણીતા કલાકાર અનિરૂધ્ધ આહીર જમાવશે શામળાજીમાં ધૂમ. Read More »

Uncategorized ઓટો

શામળાજી મહોત્સવ-૨૦૨૩ માં ધૂમ મચાવશે કિર્તીદાન ગઢવી અને અનિરુધ્ધ આહીર

૨ અને ૩ ડિસેમ્બરના યોજાશે શામળાજીના પ્રાંગણમાં શામળાજી મહોત્સવ-૨૦૨૩,શામળાજી મહોત્સવ -૨૦૨૩ ની ધામધૂમપૂર્વક ઉજવણી થવાજઈ રહી છે. અરવલ્લીના શામળાજીમાં બિરાજમાન કાળિયા ઠાકોરના આંગણે લોકલાડીલા કિર્તીદાન ગઢવી અને અનિરૂધ્ધ આહીર પોતાની આગવી સંગીત કળાથી શામળાજી મહોત્સવની ઉજવણીમાં સાથ આપશે.અરવલ્લીના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં દરવર્ષે સંગીત,અને ભક્તિનો સમન્વય સમો મહોત્સવ ઉજવાય છે.૨ અને ૩ ડિસેમ્બર ૨૦૨૩ ના બે દિવસ માટે શામળાજી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવશે.અરવલ્લીના તમામ જનતાને આ મહોત્સવ નિહાળવા માટે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર આમંત્રણ પાઠવે છે. આવો સૌ સાથે મળીને શામળાજી મહોત્સવમાં ભાગ લઈએ અને ભક્તિ અને સંગીતના સમન્વયના સાક્ષી બનીએ. 

શામળાજી મહોત્સવ-૨૦૨૩ માં ધૂમ મચાવશે કિર્તીદાન ગઢવી અને અનિરુધ્ધ આહીર Read More »

Uncategorized ઓટો

શ્રી ઠાકોર સમાજ સેવા મંડળ,અરવલ્લી મુ ગડાધર મુકામે શ્રી ઠાકોર સમાજનો ૧૧ મો વિદ્યાર્થી સન્માન સમારંભ શ્રી ઠાકોર સમાજ સેવા મંડળ દ્વારા યોજાયો 

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ગડાદર મુકામે નવ-નિર્મિત મકાનના ૧૨૦બાય ૪૦ ના વિશાલ હોલ માં યોજાય ગયો જેમા ઠાકોર સમાજ દ્વારા આમંત્રીત  મહેમાનશ્રી  ભિખુસિંહ ગંભીરસિંહ ડાભી (સાણંદના ઉધોગપતિ)ના અધ્યક્ષ સ્થાને યોજાયો. ઉધોગપતિશ્રીએ ૫૧૦૦૦ નું રોકડ માતબર દાન તથા હોલના બારી-બારણ બનાવી આપવાની જાહેરાત કરી તથા બાયડ-માલપુર તાલુકા ના લોક-લાડીલા ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા સાહેબે ૧૧૦૦૦ હજારનું રોકડ દાન આપ્યુ તેમણે પોતાના પ્રવચનમાં સ્પર્ધાના જમાનામાં ઉત્તમ શિક્ષણ થીસમાજમાં પરિવર્તન શકય છે શિક્ષણ થી ક્રાંતિ લાવી શકાય છે ભવનના નિર્માણમાં આજસુધીના પાયાના કાર્યકર્તાઓને બિરદાવ્યા હતા લગભગ ૮૦૦ જેટલા સમાજના આગેવાનો, વિદ્યાર્થીઓ તથા મહેમાનોએ હાજરી આપી હતી અક્ષર પ્રકાશન તરફથી પધારેલ પ્રો. બી.સી.રાઠોડ સાહેબ તથા પ્રો.શંકરભાઇ ખાંટ સાહેબે વિવિધ સ્પર્ધાત્મક  પરીક્ષાઓ માટે સમાજના વિદ્યાર્થીઓ પુસ્તકો વાંચી શકે તે માટે ૫૧૦૦૦ હજારના સમાજ પુસ્તકાલય માટે ૧૩૫ પુસ્તકો આપ્યા  હતા ભિલોડા તાલુકા બીજેપી ના મહામંત્રી શ્રી ભવનસિંહ કે  ઠાકોર ૫૦૦૦૦૦ લાખની કિંમતના સમાજ વાડીના પટાંગણમાં બ્લોક ગોઠવી આપ્યા છે તથા પાણી બોર-પંપની પણ વ્યવસ્થા કરી આપી છે શ્રીમતિ નિલાબેન મડીયા ભિલોડા તાલુકા પંચાયત સદસ્યએ વાડી ફરેતે કોટ બનાવી આપવાની જાહેરાત કરી છે તેમજ પો.સ.ઇ. શ્રી નારણભાઇ સુનોખ વાળાની મહેનતથી સાણંદમાંથી ૫૧૦૦ ચંદુસિંહ,૫૧૦૦ દિનુભાઇ,૫૧૦૦ પટેલ રાજાભાઇ, ૧૧૦૦ પટેલ બળદેવભાઇ ૧૧૦૦ મીણા જસવંતભાઇ તરફથી દાન મેળવી આપવાનો સહીયોગ પાપ્ત થયો છે તથા નાયક  મોતિભાઇ સરડોઇએ હાજરી આપી હતી આ પ્રસંગે સમાજવાડીની ઓફિસનું ઉદઘાટન શ્રી આશાપુરા ફર્નિચરવાળા દિલિપભાઇ ઠાકોર ના સુપુત્ર હસ્તે  કરવામાં આવ્યુ હતુ   વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન  મળે તે માટે પહેલા ,બીજા તથા ત્રીજા નંબર  વાળાને પ્રમાણપત્ર શિલ્ડ  તથા પાંચ  ચોપડા સમાજ ના સહયોગથી છાપેલા આપ્યા તથા બાકીના દરેક વિદ્યાર્થીઓ ને ત્રણ ચોપડા આપ્યા નિમણૂંક  અને નિવૃત  કર્મચારીઓને પણ સન્માનવામા આવ્યા હતા સમાજ આગેવાનોમાં પ્રમુખ શ્રી ધીરુભાઇ,સંચાલક શ્રી શિવુભાઇ ,ઉપ-પ્રમુખ સોમાભાઇ ખરાડી,ભવાનભાઇ તરાર કાનાભાઇ ખાંટ સહ-સંચાલક ગેમુભાઇ મકવાણા ડૉ. જેમાભાઇ મકવાણા મહામંત્રી ભવાનસિંહ ઠાકોર શિ.ચેરમેન કેશુભાઇ ઠાકોર સહ-મંત્રી તથા શિ. વા.ચેરમેન બી.કે ઠાકોર .સભ્યશ્રીઓ શ્રીમોતીભાઇ ઠાકોર,શ્રી છગનભાઇ ઠાકોર,શ્રીભરતભાઇ ઠાકોર શ્રીઆત્મભાઇ ઠાકોર શ્રી ખુમાભાઇ ઠાકોર શ્રી કાનાભાઇ.આર.ઠાકોર શ્રી પ્રવિણભાઇ ઠાકોરશ્રી રમણભાઇ ઠાકોર  શ્રી રમેશભાઇ ઠાકોર શ્રી કલજીભાઇ ઠાકોર શ્રી જીવાભાઇ કે ઠાકોર શ્રી સોમાજી ઠાકોર .કાળુજી ઠાકોર કાનાજી ઠાકોર રામાજી ઠાકોર રેવાજી ઠાકોર રાજુજી ઠાકોર  તથા રસોયા નટુભાઇ ઠાકોર નામી-અનામી ઠાકોર સમાજ આગેવાનોએ હાજરી આપી હતી આ કાર્યક્રમનું સંચાલન કેશુભાઇ,કાનાજી તથા ભવાનજીએ કર્યુ હતુ કાર્યક્રમના અંતે સર્વે ભોજન લીધુ હતુ

શ્રી ઠાકોર સમાજ સેવા મંડળ,અરવલ્લી મુ ગડાધર મુકામે શ્રી ઠાકોર સમાજનો ૧૧ મો વિદ્યાર્થી સન્માન સમારંભ શ્રી ઠાકોર સમાજ સેવા મંડળ દ્વારા યોજાયો  Read More »

Uncategorized ઓટો

શ્રીમતી એમ કે કડકિયા વિદ્યાલય તથા શ્રી આર એસ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય ખાતે દ્વી વિધ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

શ્રી ડુગરવાડા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એમ કે કડકિયા વિદ્યાલય તથા શ્રી આર એસ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય ડુગરવાડા ખાતે આવેલી શાળામાં નવીન સભાખંડ તથા શ્રી ચેતનભાઇ એ પટેલ આચાર્યશ્રી નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં સંજયભાઈ પટેલ કારોબારી સભ્ય શ્રી દ્વારા મહેમાન શ્રીઓનો શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. કેળવણી મંડળ ના પ્રમુખશ્રી ચીમનભાઈ પટેલ દ્વારા શાળા પરિચય આપવામાં આવ્યો હતો. કેળવણી મંડળના પ્રમુખશ્રી દ્વારા શાળાના વિકાસ ની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે અધ્યક્ષ તરીકે અર્ચનાબેન ચૌધરી ડી ઈ ઓ શ્રી અરવલ્લી જિલ્લો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના મુખ્ય દાતા શ્રી આર એસ પટેલ જેઓએ આ સંસ્થામાં અત્યાર સુધી કુલ 68 લાખ જેટલું માતબર દાન આપ્યું છે તેઓ મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે શ્રી એમ એસ પટેલ સાહેબ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના મુખ્ય દાતા શ્રી દ્વારા આ શાળા ઉત્તરોત્તર ખૂબ પ્રગતિ કરે અને જે વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરીને શાળાનું ગામનું નામ રોશન કરે એવી અભિલાષા વ્યક્ત કરી હતી.
શાળાના આચાર્ય શ્રી ચેતનભાઇ પટેલ કે જેઓ વય મર્યાદા ના કારણે નિવૃત્ત થઈ રહ્યા હતા ત્યારે તેમનો વિદાય સમારંભ પણ સાથે સાથે યોજવામાં આવ્યો હતો. ચેતનભાઇ પટેલ આચાર્ય તરીકે આ શાળા માં 18 વર્ષ સુધી આચાર્ય તરીકેનું પદ શોભાવ્યું હતું. તેઓ નિષ્ઠાવાન પ્રગતિશીલ અને કર્મનિષ્ઠ વ્યક્તિ હતા. કેળવણી મંડળ તથા શાળા પરિવાર દ્વારા શ્રી ચેતનભાઇ પટેલ નો નિવૃત્ત જીવન આરોગ્યમય નિરામય અને પ્રવૃત્તિશીલ રહે તેવી પ્રભુ પ્રાર્થના કરવામાં આવી હતી. આચાર્યશ્રી ચેતનભાઇ પટેલ દ્વારા કેળવણી મંડળ શાળાના સ્ટાફગણ દ્વારા તેમના કાર્યકાળ દરમિયાન મદદરૂપ થવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

શ્રીમતી એમ કે કડકિયા વિદ્યાલય તથા શ્રી આર એસ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય ખાતે દ્વી વિધ કાર્યક્રમ યોજવામાં આવ્યો. Read More »

Uncategorized ઓટો

સરીગામ : ઉમરગામ તાલુકા ની એક માત્ર ભવ્ય હોસ્પિટલ એટલે કે ભીલાડ થી સંજાણ રોડ પર આવેલી શ્રીજી હોસ્પિટલ જેમાં સેમી ડીલક્ષ જેવા મોંઘા રૂમ માં પણ ગંદકી નું સામ્રાજ્ય.તબીબ ની દેખભાળ અને તપાસ ની સુવીધા માં પણ ઢીલાસ તેવા દર્દીના સગાના આક્ષેપો!! ( નામ બડે પણ દર્શન છોટે )

એહવાલ (અનીસ શેખ દ્વારા )

સેમિડીલક્સ રૂમ ની અંદર દવા મુકવના સ્ટેન્ડ ની હાલત ટોયલેટ ના ટબ કરતા પણ ખરાબ!! જેની ઉપર તબીબ ને પીવડાવા ની દવા મુકવામાં આવે.. તબીબ ને ખાવા ની ચીજ વસ્તુઓ મુકવામાં આવે તેની ઉપર ગંદકી જોઈને તમે ચોકી જસો જાણે કે વર્ષોથી આ ટેબલ સાફજ ના કર્યું હોય તેમ લાગે છે? પેસન્ટ સારું થવાની જગ્યાએ વધુ બીમાર થઈજાય તેવી સ્થિતિ?
રૂમ માં એક બીજું મોટુ ટેબલ મૂકેલું હતું તે ટેબલ ને જોઈએ તો ખાવાનું ગાળામાંથી નીચે ના ઉતરે એટલી ગંદકી આ ટેબલ ઉપર જોવા મળી હતી.. રૂમમાં મુકેલી દરેક વસ્તુ પર ડસ્ટ જોવા મળી હતી. ગંદકી ના કારણે પેસન્ટ ને શ્રીજી હોસ્પિટલ થી ભારે નારાજગી જોવા મળી હતી!!
બીજી વાત કરીએ તો જ્યાં ગંદો કકચરો નાખવામાં આવે છે તેવા ડસ્ટબીન મુકેલા હતા તો આવા ડસ્ટબિન ને તમે જરાક પણ તેની જગ્યાએ થી હટાવસો તો જીણી જીણી કાળા કલરની જીવાતો ઊડતી દેખાશે!! જાણે મહિનાઓ થી આ ડસ્ટબીન મુકવાની જગ્યાને સાફજ઼ ના કરીહોય તેવું લાગી રહ્યું છે..? ડોક્ટરે પેસન્ટ ની ટ્રીટમેન્ટ ની સાથે સાથે હોસ્પિટલ ની અંદર સાફ સફાઈ નું પણ ધ્યાન આપવું જોઈએ?

ભીલાડ, સંજાણ રોડ પર આવેલી શ્રીજી હોસ્પિટલ જેમાં પેસેન્ટ ના ઈલાજ માટે ની દરેક સુવિધા છે ઉમરગામ તાલુકા માં નામના ધરાવતી એક માત્ર હોસ્પિટલ કહી એ તો શ્રીજી હોસ્પિટલ જેમાં દરેક પ્રકારની સુવિધા છે.. જેથી મોટી સંખ્યામાં દર્દીઓ અહીં આવતા હોય છે.. પરંતુ આવીજ મોટી હોસ્પિટલો એ સફાઈકામદાર ના સ્ટાફ ને લીધે બદનામ થવું પડે તે બાબત ખુબ ઘમ્ભીર ઘણી શકાય? બે દિવસ પેહલા એક પેસન્ટ સરીગામ નું ( મૂળ પારપ્રાંતિ ) અહીં શ્રીજી હોસ્પિટલ માં એડમિટ કરવામાં આવ્યું અને તેને બોટલ ચડાવ વામાં આવી તે દરમિયાન પેસન્ટ ની સાથે આવેલા તેના સગાએ અમારા ગુજરાત કારોબાર ન્યૂઝ પેપર ના સહ તંત્રી અનીસ શેખ ને ટેલીફોન કરીને જાણ કરી કે અહીં શ્રીજી હોસ્પિટલ જે ભીલાડ સંજાણ રોડ પર આવેલી છે ત્યાં અમારા એક સગાને સેમી ડિલકસ રૂમ માં એડમિટ કર્યા છે અને અહીં દરેક વસ્તુપર બઉજ ગંદકી છે અમે બેથી ત્રણ વાર સ્ટાપ ને જાણ કરી પરંતુ કોઈ સફાઈ કરવા આવતું નથી આ સમયે બપોર પેહલા 10 થી 12 વગ્યા નો સમય હશે અમારી ગુજરાત કારોબાર ની ટિમ ત્યાં પોહચિ અને ત્યાં નજરે બધું જોયું અને તેમણે વધુમાં જણાવ્યું હતું કે અહીં એડમિટ કર્યા બાદ હજુ સુધી કોઈ ડોક્ટર તપાસ કરવા નથી આવ્યા જે પણ આવે છે તે એક નર્સ છે એપણ એકવાર આવીને બોટલ લગાવી ને ચાલ્યા ગયા આ તે કેવી સુવિધા? અને રૂમ માં પડેલી દરેક વસ્તુ ગંદકી થી ઘેરાયેલી હતી

સરીગામ : ઉમરગામ તાલુકા ની એક માત્ર ભવ્ય હોસ્પિટલ એટલે કે ભીલાડ થી સંજાણ રોડ પર આવેલી શ્રીજી હોસ્પિટલ જેમાં સેમી ડીલક્ષ જેવા મોંઘા રૂમ માં પણ ગંદકી નું સામ્રાજ્ય.તબીબ ની દેખભાળ અને તપાસ ની સુવીધા માં પણ ઢીલાસ તેવા દર્દીના સગાના આક્ષેપો!! ( નામ બડે પણ દર્શન છોટે ) Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ