![](https://i0.wp.com/gujaratkarobar.news/wp-content/uploads/2023/03/Screenshot_20230314-104217.jpg?resize=1024%2C795&ssl=1)
જાહેર શૌચાલયોમાં સ્વચ્છતાના અભાવે ગંદકીથી ખદબદતી મુતરડી માથું ફાડી નાંખતી દુર્ગંધથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે.!!
![](https://i0.wp.com/gujaratkarobar.news/wp-content/uploads/2023/03/Screenshot_20230314-104231.jpg?resize=760%2C1024&ssl=1)
વાંસદા નગરના ગાંધી મેદાન સામે આવેલ ગંદકીથી ખદબદતા જાહેર શૌચાલય નિયમિત સફાઈ માગે છે. પરંતુ આ જાહેર શૌચાલયો સફાઈના અભાવે ઘણા સમયથી ગંદકીથી ખદબદતા લોકોને મુશ્કેલીમાં મુકાવું પડતું હોવાની ફરિયાદ ઊઠી છે.આ બાબતે ગ્રામ પંચાયત જાહેર શૌચાલયની યોગ્ય સફાઈ દરરોજ કરાવે તો અનેક લોકોને ઉપયોગી થઈ શકે તેમ છે ગાંધીમેદાન સામે આવેલ જાહેર શૌચાલય અને મૂતરડીમાં સફાઈના અભાવે અતિ દુર્ગંધ ફેલાયેલી રહે છે. ઘણા સમયથી અહીં સફાઈ થઈ જ ન હોય તેવું લાગી રહ્યા હોવાનું જાગૃતોએ જણાવ્યું હતું મૂતરડી ગંદકીથી ઊભરાતી હોવાની લોક ફરિયાદ ઊઠી છે.પરંતુ આ શૌચાલયની અંદર ઉભરાતી મુતરડી અને શૌચાલયના ગંદા પાણી તંત્રના સ્વચ્છતા અભિયાનનો છેદ ઉડાડી દીધો છે શૌચાલયમાં ખદબદતી ગંદકી સામે અવાજ ઉઠાવવામાં નિષ્ફળ લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે ગાંધી મેદાન સામે આવેલ જાહેર આ શૌચાલયમાં ગંદકીના સામ્રાજ્યે એટલી માઝા મૂકી છે કે તેમાં પગ મૂકવામાં પણ ભારે પરેશાની વેઠવી પડે છે. ઠેર-ઠેર ગંદકી અને મળમૂત્રથી ભરેલા જોવા મળે છે સફાઈના નામે મીંડું જોવા મળે છે. ઘણા વખતથી લોકોની ફરિયાદ હોવા છતાં પણ ગ્રામ પંચાયતના સત્તાધીશો કોઈ અસકરકારક પગલાં લેવામાં નથી આવતા સ્વચ્છતાના અભાવે ગંદકીથી ખદબદતી મુતરડી માથું ફાડી નાખે એવી દુર્ગંધથી આજુ-બાજુના દુકાનદારો રાહદારીઓ તોબા પોકારી ઉઠ્યા છે એક બાજુ સરકાર સફાઈ ઝુંબેશ ચલાવે છે અને આવી જાહેર જગ્યા પર એટલી ગંદકી અને બદબૂ આવે છે કે ત્યાંથી પસાર થતાં લોકોને પોતાના નાક ઉપર રૂમાલ મૂકીને નીકળવું પડે છે.
વાંસદા જાહેર શૌચાલય ની સફાઈ ની જીમેદરી કોની? તંત્ર ની કે પછી વપરાશ કરતી જાહેર જનતાની?
![](https://i0.wp.com/gujaratkarobar.news/wp-content/uploads/2023/03/Screenshot_20230314-104203.jpg?resize=748%2C1024&ssl=1)
આવી ગંદકીથી રોગચાળો પણ ફાટી નીકળવાની દહેશત લોકો વ્યક્ત કરી રહ્યા છે. ઘણા વખતથી સફાઈ થતી નથી લોકો જાહેર શૌચાલયમાં જઈ શકે તેમ ન હોતાં પરેશાની ભોગવી રહ્યા છે બહાર ગામથી આવત લોકો માટે સુવિધા ખૂબ જ જરૂરી છે. એટલું જ નહીં જાહેરમાં અવરજવર ધરાવતા વિસ્તારમાં માત્ર એક જ જાહેર શૌચાલય છે તેમાં પણ ગંદકી જોવા મળે છે આવા દૃશ્યોથી ગ્રામ પંચાયત અજાણ છે ? ગંદકીમાંથી પસાર થવા મજબુર બનવું પડે છે.