વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ના વિચારો અને માર્ગદર્શન થી ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ ૨૦૨૩ ની ઉજવણી ના ભાગ રૂપે
![](https://i0.wp.com/gujaratkarobar.news/wp-content/uploads/2023/11/IMG-20231106-WA0046.jpg?resize=1024%2C576&ssl=1)
![](https://i0.wp.com/gujaratkarobar.news/wp-content/uploads/2023/11/IMG-20231106-WA0045.jpg?resize=700%2C1024&ssl=1)
![](https://i0.wp.com/gujaratkarobar.news/wp-content/uploads/2023/11/IMG-20231106-WA0044.jpg?resize=725%2C1024&ssl=1)
![](https://i0.wp.com/gujaratkarobar.news/wp-content/uploads/2023/11/IMG-20231106-WA0047.jpg?resize=474%2C1024&ssl=1)
![](https://i0.wp.com/gujaratkarobar.news/wp-content/uploads/2023/11/IMG-20231106-WA0048.jpg?resize=696%2C1024&ssl=1)
બાયડ તાલુકાના વાત્રક પાસે ધારેશ્વર મહાદેવ ખાતે બાયડ ના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ના અધ્યક્ષ સ્થાને યોજાયો તાલુકા કક્ષાનો કૃષિમેળો.ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ ૨૦૨૩ અંતર્ગત ખેડૂતોમાં મીલેટ્સ (બરછટ ધાન્ય ) ના ઉત્પાદન અને તેના મહત્વ અંગે જાગૃતિ લાવવા માટે તથા આધુનિક કૃષિ તંત્રિક્તા અને નવીનતમ સાધનોની માહિતી ખેડૂતો સુધી પહોંચે તે માટે ખેતીવાડી શાખા દ્વારા કૃષિમેળા નું આયોજન કરવામાં આવ્યું.
આ કૃષિમેળા માં બાયડ તાલુકા પંચાયતના પ્રમુખ પારૂલબેન પટેલ, તાલુકા સદસ્યો, જિલ્લા સદસ્યો, તાલુકા કક્ષા ના અધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો,એક હજાર થી વધારે ખેડૂતો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.