અરવલ્લી જીલ્લા ના માલપુર તાલુકા ના અંબાવા ગામે પાણી પુરવઠા વિભાગ દ્વારા નળ સે જલ યોજના અંતર્ગત નળ નાખવા માં આવેલ છે પરંતુ આ ગામને સાતરડા જૂથ યોજના માં સમાવેશ કરવા માં આવેલ છે આ ગામમાં છેલ્લા પંદર દિવસ થી બેથી ચાર વાર લાઈન ઉપર પાણી આવે છે બાકીના દિવસોમાં સંપ સુધી પાણી આવતું નથી માટે લોકો ને પાણી મળતું નથી આ બાબતે આંબવા ગ્રુપ ગ્રામ પંચાયત ના લોકપ્રિય પૂર્વ સરપંચ શ્રી લક્ષ્મણ ભાઈ પણુચાઅને ગ્રામ જનોના જણાવ્યા પ્રમાણે લાગતી વળગતી કચેરીએ લગતા વળગતા અધિકારી શ્રી ઓને વારંવાર રજૂઆત કરવા છતાં કચેરીએ થી એવો જવાબ મળે છે કે લાઈન લીકેજ માં છે તેવો વારંવાર રટણ કરવા માં આવે છે તેવો ગામના પૂર્વ સરપંચ અને ગ્રામ જનોનું કહેવું છે ગ્રામ જનો દ્વારા વધુમાં જણાવ્યુ હતું કે અમોને દિવિજત માં કે માલપુર થી સીધું પાણી આપો જેથી અમોને કાયમી પાણી મળી રહે સાતરડા લાઈન થી કોઈ દિવસ રેગ્યુલર પાણી આવતું નથી જેથી અમોને ખુબ મુસીબત સામનો માપલુર થી અંબાવા તાત્કાલિક સર્વે કરી સીધું પાણી આપવા માં આવે તેવું સમગ્ર ગ્રામ જનોની માગ ઉઠવા પામી છે