આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ઓમ પ્રાકૃતિક ફાર્મ પર તાલીમ યોજાઈ

ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

અરવલ્લી જિલ્લાના ભિલોડના ટાકાટૂંકા માં આવેલ ઓમ પ્રાકૃતિક ફાર્મ ખાતે પ્રાકૃતિક ખેતી વિષય ઉપર જિલ્લા અંદર તાલીમ યોજવામાં આવી. જેમાં 70 થી વધુ ખેડૂત ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ બ્લોક ટેક્નોલોજી મેનેજર કુલદીપ.એચ.પટેલ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેની સમજ આપવાની સાથે ખેતી દ્વારા થતા ફાયદા જેમકે ઓછા બજેટમાં ખેતી થાય છે આ ખેતીમાં રાસાયણિક દવાઓ કે અન્ય કોઈ જાતના રસાયણ ન વાપરતા આ ખેતી થકી ગંભીર અને જીવલેણ બીમારીઓથી ભવિષ્યની પેઢીને ઉગારી શકાશે.તેમજ મકાઈ સંશોધન કેન્દ્ર માંથી મુકેશભાઈ પટેલ એ પાક માં આવતા રોગો,અને તેનું નિયંત્રણ વિશે જાણકારી આપવામાં આવી હતી .આ પ્રસંગે બાગાયત અધિકારી ભિલોડા ,તાલુકા સંયોજક,સહ સંયોજક અશોકભાઈ પટેલ પ્રગતિશીલ ખેડૂત,ગ્રામસેવક શ્રી બીપીનભાઈ પ્રજાપતિ,આત્મા પ્રોજેક્ટના કલ્પેશભાઈ પટેલ વગેરે અધિકારીઓ દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે સવિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ બહેનો ઉપસ્થિત રહી આ જિલ્લા અંદર તાલીમ ને સફળ બનાવી હતી .

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *