ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ૧૦ કિલોમીટર દૂર લાઈબ્રેરીમાં વાંચન માટે જવું પડે છે.
(ગુજરાત કારોબાર,
કેયુરપટેલ, વાંસદા )
તા.૧૭.
વાંસદા તાલુકાના સિણધઈ ગામના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય છે તેવા વિદ્યાર્થીઓ વાંચવા માટે વાંસદા સહિત ડોલવણ જેવા ૧૦ કિલોમીટર દૂર સુધી લાઈબ્રેરીમાં વાંચન કરવા માટે જવું પડે છે સિણધઈ વિસ્તારના વિદ્યાર્થીઓમાં નિરાશા જોવા મળી રહી છે જેમાં ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા અહીં લાઈબ્રેરીની સુવિધા આપવામાં તેવી માંગ સાથે ગામના યુવાનોએ સરપંચને લેખિતમાં રજુઆત કરી છે વિવિધ વિષયોના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મુશ્કેલી વેઠવી પડે છે. હાલના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થી ઓને વાંચનપ્રક્રિયાને લઈને લાઈબ્રેરી સહારો લેવો પડતો હોય છે તેમજ વિદ્યાર્થીઓને વાંચન માટેની યોગ્ય જગ્યા એટલે કે લાઈબ્રેરી. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં લાઈબ્રેરી નહિ હોવાના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી વેઠવી પડે છે ગુજરાત રાજયમાં પોલિસ ભરતી, તલાટી કમ મંત્રી, ફોરેસ્ટની ભરતી માટેની મહત્વની પરીક્ષાઓ સરકારશ્રી તરફથી લેવામાં આવતી હોય છે આવી મહત્વની ભરતીઓના અનુસંધાને વિદ્યાર્થીઓ આવી સ્પર્ધાત્મક પરીક્ષા પસાર કરવા માટે સતત વાંચન ની જરૂર પડતી હોય છે ત્યારે લાઈબ્રેરી નહિ હોવાના કારણે તેઓ પરીક્ષારૂપી સાહિત્યનું વાંચન કરી શકતા નથી. જેથી લાયબ્રેરીની વ્યવસ્થા કાર્યરત કરવામાં આવે તો આવા વિદ્યાર્થીઓ આ લાયબ્રેરીનો લાભ લઇ શકે અને પોતાના ભવિષ્ય માટે પરીક્ષાની તૈયારી માટે આવી વ્યવસ્થાનો ઉપયોગ કરી શકે. માટે સરપંચને લેખિતમાં રજુઆત કરી લાયબ્રેરી કાર્યરત કરવાની માંગ કરી હતી જેમાં આજુ-બાજુના ગામડાના વિદ્યાર્થીઓ તેનો લાભ લઇ શકે.
સિંણધઈ ગામના મયુર પટેલ દ્વારા જણાવ્યા પ્રમાણે વાંસદા ખાતે લાયબ્રેરીની વ્યવસ્થા છે પરંતુ રોજ અપડાઉન કરવામાં સમય વેડફાય છે તેમજ આવવા જવા માટે ખર્ચ થતો હોય છે જેથી ગામમાં લાયબ્રેરી હોય તો વધુ સરળ બને એમ છે તેમજ સિંણધઈ ગામે અનેક યુવાનો અને યુવતીઓ ભણતરમાં ખૂબ હોશિયાર છે પરંતુ મોટા ભાગના યુવાનો અને યુવતીઓ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે પુસ્તકોના ખર્ચ ઉઠાવી શકતા નથી જેને કારણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ સારા ગુણ મેળવી નથી શકતા જેને કારણે આગળ તક મળતી નથી જેથી ગામમાં સ્પર્ધાત્મક પરીક્ષાની લાયબ્રેરીનું આયોજન કરવામાં આવે તો અનેક યુવક યુવતી સ્પર્ધાત્મક પરીક્ષાની સારી ત્યારી કરી શકે અને સરકારી નોકરીમાં તક મળે જેને લઈ ગામના યુવાનો દ્વારા સરપંચને લેખિતમાં રજુવાત કરવામાં આવી હતી
![](https://i0.wp.com/gujaratkarobar.news/wp-content/uploads/2022/12/Screenshot_20221218-112933.jpg?resize=1024%2C771&ssl=1)