પોસ્ટ ઓફિસ કર્મચારીઓ નિવૃત થતાં સન્માન સમારોહ યોજાયો

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

ભાટીયા સબ પોસ્ટ ઓફિસ (S. O.) ની બાંકોડી બ્રાંચ પોસ્ટ ઓફિસના તાજેતરમાં બ્રાંચ પોસ્ટ માસ્તર શ્રી રમેશભાઈ એલ. બથીયા તેમજ બાંકોડી E. D.A. કર્મચારી શ્રી મણીલાલ કેશવજીભાઈ ભોગાયતા, મેવાસા ગામમાં E. D.A. કર્મચારી શ્રી રમેશચંદ્ર પોપટલાલ આરંભડીયા આ ત્રણ કર્મચારીઓ વય મર્યાદા પૂર્ણ થતાં નિવૃત થયાં ભાટીયા સબ પોસ્ટ ઓફિસ દ્વારા સન્માન સમારોહ આયોજન કરાયું હતું તે અંતર્ગત સબ પોસ્ટ માસ્તર સાહેબ શ્રી હીરાલાલ ભારદ્વાજ તેમજ ખંભાળિયા પોસ્ટ ઓફિસના મેઈલ ઓવર સિયર શ્રી લક્ષ્મણસિંહ એ. જાડેજા સાહેબ, શ્રી લખુભાઈ મારૂ સાહેબ તેમજ ભાટીયા S.O. ના તમામ સ્ટાફ દ્વારા આ નિવૃત થતાં કર્મચારીઓને ભગવાન શ્રી દ્વારકાધીશ સ્મૃતિ, સહ ઉપવસ્ત્ર ઓઢાડી ફૂલ હાર પહેરાવી સન્માન સહ અભિનંદન પાઠવ્યાં હતાં સાથે તમામ કર્મચારીઓ એ ભોજન પ્રસાદી લીધેલ આ સુભ અવસરે ખંભાળિયા સબ ડિવિઝન ના A, S. P. શ્રી કેતનભાઈ પુંજાણી સાહેબ દ્વારા નિવૃત થતાં કર્મચારીઓ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યાં હતાં

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *