શ્રી મુંબઈ દશનામ ગોસ્વામી સમાજ ના હોદેદારોની વરણી કરાઈ

ગુજરાત કારોબાર ન્યૂઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

શ્રી મુંબઈ દશનામ ગોસ્વામી સમાજ ના હોદેદારો ની વરણી કરવામાં આવી હતી.શ્રી મુંબઈ દશનામ ગોસ્વામી સમાજ છેલ્લા સવાસો વર્ષ થી મુંબઈ માં કાર્યરત છે. ઘણાં મહાનુભાવો એ સમાજ ની એકતા, અખંડતા માટે જીવન ભર મહેનત કરી ને સમાજ ને એક તાંતણે બાંધી રાખ્યો છે. સમૂહ લગ્નોત્સવ, સામાજિક મેળાવડા, ક્રિકેટ ટુર્નામેન્ટ, સંતવાણી, સરસ્વતી સન્માન, પરિચય મેળો, શિવરાત્રી ના ભજન, સહિત અનેક કાર્યક્રમો યોજાય છે. તાજેતર માં હોદેદારો ની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ શ્રી શંકરગીરી ઓધવગીરી ગોસ્વામી, ઉપ પ્રમુખ શ્રી જયંતીગીરી ખીમગીરી ગોસ્વામી, મહામંત્રી શ્રી શૈલેષપુરી જેરામપુરી ગોસ્વામી, મંત્રી શ્રી નીરવવન રસિકવન ગોસ્વામી, સહમંત્રી શ્રી કલ્પેશગીરી શંકરગીરી ગોસ્વામી , ખજાનચી શ્રી ભરતગીરી દામોદરગીરી ગોસ્વામી, ટ્રસ્ટી શ્રી શાંતુગીરી પોપટગીરી ગોસ્વામી, ટ્રસ્ટી શ્રી ધર્મેન્દ્રભારતી મોહનભારતી ગોસ્વામી, ટ્રસ્ટી શ્રી પ્રશાંતગીરી સુરેશગીરી ગોસ્વામી, ટ્રસ્ટી શ્રી રાજેશગીરી જયંતીગીરી ગોસ્વામી, ટ્રસ્ટી શ્રી હરેશગીરી ચેતનગીરી ગોસ્વામી, ટ્રસ્ટી શ્રી હરેશગીરી માધવગીરી ગોસ્વામી ની વરણી કરવામાં આવી હતી. તમામ હોદેદારો ને ઠેર ઠેર થી અભિનંદન પાઠવવા માં આવ્યા હતા. શ્રી મહા ગુજરાત દશનામ ગોસ્વામી સમાજ મહા મંડળ ના પ્રમુખ શ્રી રમેશગીરી કરશનગીરી ગોસ્વામી, શ્રી મહા ગુજરાત દશનામ ગોસ્વામી સમાજ મહા મંડળ ના મહિલા મંડળ નાં પ્રમુખ શ્રી મીનાબેન ગોસ્વામી,અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ ના પ્રમુખ શ્રી અમૃતગીરી પ્રેમગીરી ગોસ્વામી, શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ ના મહિલા મંડળ નાં પ્રમુખ શ્રી દક્ષાબેન હિતેશપુરી ગોસ્વામી તથા બંને કમિટી નાં હોદેદારો, સમાજ ના લોકો એ નવ નિયુક્તિ હોદેદારો ને અભિનંદન પાઠવ્યા હતા.એવું મુંબઈ દશનામ ગોસ્વામી સમાજ ના પ્રમુખ શ્રી શંકરગીરી એ અખબારી યાદી માં જણાવ્યું હતું.

You May Also Like

More From Author

+ There are no comments

Add yours