આરોગ્ય

માલપુર તાલુકામાં જય ગાયત્રી માં સખી મંડળ તથા માલપુર મહિલા ગ્રામ વન વિકાસ મંડળ દ્વારા રોપા વિતરણ કરવામાં આવ્યું

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં જય ગાયત્રી માં સખી મંડળ તથા માલપુર મહિલા ગ્રામ વન વિકાસ મંડળ દ્વારા અનેક પ્રકારની કામગીરી કરવામાં આવે છે. જેમાં રોપા વિતરણ, નશાબંધી તાલીમ, જેવી અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેમાં ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ ગાંધીનગરના સહયોગથી પણ કાર્યક્રમ યોજવામાં આવે છે.આ સખી મંડળના સભ્ય નીતાબહેન પંડ્યા દ્વારા જણાવ્યું કે આ મંડળમાં ખાસ રોપા વિતરણ કરવામાં આવતું હોય છે, જે શાળાઓ, હોસ્પિટલ કમ્પાઉન્ડ , જંગલ વિસ્તાર, તેમજ ખેડૂતોને રોપાનું વિતરણ કરવામાં આવે છે. અમારા મંડળ દ્વારા અનેક લોકજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે.

માલપુર તાલુકામાં જય ગાયત્રી માં સખી મંડળ તથા માલપુર મહિલા ગ્રામ વન વિકાસ મંડળ દ્વારા રોપા વિતરણ કરવામાં આવ્યું Read More »

Uncategorized આરોગ્ય

મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના વજાપુર, સિલાદ્વિ અને બોલુન્દ્રા પ્રાથમિક શાળા ખાતે ભૂલકાઓનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

‘આ ઉજવણી છે ભૂલકાઓના સુંદર અને ઉજ્જવળ ભવિષ્યની’
શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૩

“કોઈ પણ સમાજ, વ્યક્તિ કે દેશના વિકાસ માટે શિક્ષણ અનિવાર્ય”- મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત

વજાપુર, સિલાદ્રિ અને બોલુન્દ્રા પ્રાથમિક શાળાઓમાં અંદાજિત 45 બાળકોએ પ્રવેશ મેળવ્યો

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૩ અંતર્ગત અરવલ્લી જિલ્લાના વજાપુર, સિલાદ્રિ અને બોલુન્દ્રા પ્રાથમિક શાળા ખાતે માન. મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને ભૂલકાઓનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. ત્રણ શાળાઓમાં ૪૫ જેટલાં બાળકોને સ્કૂલ બેગ કીટ અને વિતરણ કરવામાં આવ્યું. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને સંબોધતા મંત્રીશ્રીએ જણાવ્યું ભારતના દુરદેશી વડાપ્રધાનશ્રી અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારના આ અભૂતપૂર્વ વિચાર થકી શિક્ષા ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરવામાં મદદ મળી છે. શિક્ષણથી બુદ્ધિ અને જીવનનું ઘડતર થાય છે. સારું શિક્ષણ પ્રાપ્ત કરવું અત્યંત જરૂરી છે. વ્યક્તિનો સર્વાંગી વિકાસ શિક્ષણના કારણે થાય છે. શિક્ષણ હોય તો ગમે તે સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. સારા અને યોગ્ય શિક્ષણ આપણાં ભવિષ્યને આકાર આપવા અને વ્યાવસાયિક કારકિર્દી ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે આપણા વ્યક્તિત્વને વિકસાવવામાં અને કુટુંબ અને સમાજમાં માન્યતા અને આદર મેળવવા માટે મદદ કરે છે. આપણે કહી શકીએ કે શિક્ષણ એ સામાજિક અને વ્યક્તિગત માનવ જીવનનો આવશ્યક ભાગ છે. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ થકી શાળામાં ૧૦૦ ટકા નામાંકનનું લક્ષ્યાંક પ્રાપ્ત થયું છે.આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, ગામના વડીલો તેમજ સમાજના હોદ્દેદારો અને પદાઅધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના વજાપુર, સિલાદ્વિ અને બોલુન્દ્રા પ્રાથમિક શાળા ખાતે ભૂલકાઓનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો Read More »

Uncategorized આરોગ્ય

મીડિયા ચેરીટેબલ ટ્રસ્ટ વાપીનો પ્રથમ સેમિનાર આજે વાપીમાં યોજાયો હતો.

એહવાલ તંત્રી અનીસ શેખ

સૌથી મહત્વની વાત એ છે કે મીડિયા ચેરીટેબલ ટ્રસ્ટ વાપીમાં સ્થાનિક પ્રિન્ટ મીડિયા પેપર માલિકોના સહયોગથી આ સંસ્થાની રચના કરવામાં આવી હતી.*

પત્રકારોના હિતોની રક્ષાની સાથે સાચા પત્રકારત્વની સમજ આપવામાં આવી હતી.*

*મીડિયા ચેરીટેબલ ટ્રસ્ટ વાપીના પ્રથમ સેમિનારનું આયોજન અતિથિ હોટલ, વાપી ખાતે કરવામાં આવ્યું હતું.*

*આ કાર્યક્રમમાં વાપી જિલ્લા કોર્ટના સરકારી વકીલો પણ ઉપસ્થિત રહ્યા હતા.*

આ પ્રસંગે વાપી જિલ્લા કોર્ટના સરકારી એડવોકેટ અનિલ ત્રિપાઠી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પત્રકારોનું મનોબળ વધાર્યું હતું અને મંચનું સંચાલન અશોક ભાઈ ઠાકુરે કરી સંસ્થાના આ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.*

પત્રકાર એકતા પરિષદ સંગઠન ના વલસાડ જિલ્લા પ્રમુખ અનીસ શેખ નુ સન્માન મિડિયા ચેરીટેબલ ટ્રસ્ટ વાપી ના પ્રમુખ  અને સેક્રેટરી એ કર્યું હતું,. મિડિયા ચેરીટેબલ ટ્રસ્ટ ને ગુજરાત ના સૌથી મોટા સંઘઠન પત્રકાર એકતા પરિષદ સાથે જોડી પ્રત્રકારો ના હિતોનુ રક્ષણ કરીશું. પત્રકાર એકતા પરિષદ ગુજરાત ના ૩૩, જિલ્લા ઓ મા કાર્યરત છે મીડીયા ચેરીટેબલ ટ્રસ્ટ ના દરેક સભ્યને પાલિતાણા મા થનારા મહા પત્રકાર અધિવેશન મા જોડાવા આમંત્રિત કરાયા!!*

જેમાં વલસાડ, પારડી, વાપી, ઉમરગામ, ધરમપુર, સેલવાસ, દમણના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.*

*વલસાડ જિલ્લા VHP પ્રમુખ પિયુષભાઈ જૈન પણ ઉપસ્થિત રહ્યા હતા જેનું મીડિયા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયરૂપ દાસ ઉર્ફે જગદીશભાઈ વૈષ્ણવ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.*


મીડિયા ચેરીટેબલ ટ્રસ્ટ વાપીના પ્રમુખ જય રૂપદાસ વૈષ્ણવ ઉર્ફે જગદીશ ભાઈએ આ ટ્રસ્ટની યોજના વિશે માહિતી આપી હતી. આ સાથે પત્રકારોના હિતમાં અનેક કાર્યો કરવા જણાવ્યું હતું, પત્રકારો સાથે કોઈ અઘટિત ઘટના બને તો અમારી સંસ્થા પત્રકારને હંમેશા સાથ આપશે. આ સાથે પત્રકારોનો વીમો, મેડિકલ અને બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને અન્ય સંસ્થાઓ સાથે સમાજ સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વલસાડ જિલ્લાના વરિષ્ઠ સંવાદદાતા
અશોક ભાઈ ઠાકોર, દેવાંગ દેસાઈ, અશોક જોષી, કાશીનાથ પવાર, રાહુલ સૂર્યવંશી, કુલદીપ ભાઈ, તેજસ ભાઈ દેસાઈ, કેયુર રોણવેલીયા, મિતેશ ભાઈ, સમીર ગોયલ, નીતિન પટેલ, પ્રદીપ ભાઈ દેસાઈ, કુલદીપ ભાઈ મીડિયા ચેરીટેબલ ટ્રસ્ટ વાપીના સેમિનારનું આયોજન કર્યું હતું. પત્રકારો અને જગદીશભાઈએ આભાર વ્યક્ત કર્યો અને સન્માનિત કરવામાં આવ્યા.

મીડિયા ચેરીટેબલ ટ્રસ્ટના તમામ સભ્યોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું, અનેક સામાજિક સંસ્થાઓના લોકોએ પ્રમુખ જયરૂદાસ વૈષ્ણવ ઉર્ફે જગદીશ ભાઈ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ વલસાડ જીલ્લા પ્રમુખ પિયુષ શાહ, અનિકેત શાહ, હિન્દુ સેનાના શેલેન્દ્ર મિશ્રા, અભિજીત શુક્લનું સ્વાગત કર્યું. , અને કરણી સેનાના ગજેન્દ્રભાઈએ પણ મીડિયા ચેરીટેબલ ટ્રસ્ટ વાપીના પ્રમુખ અને સમગ્ર ટીમનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું.
આજે આ સંગઠનની રચનામાં 40 પત્રકારો હાજર રહ્યા હતા અને તે બધાએ તે સંસ્થાનું કામ કર્યું હતું.પ્રસંશાના અંતે મીડિયા ચેરીટેબલ ટ્રસ્ટના સેક્રેટરી સોનિયા ચૌહાણે તમામ પત્રકારોનો આભાર વ્યક્ત કર્યો હતો અને કારોબારી મંડળની રચના કરવાની જાહેરાત કરી હતી. સંસ્થા અને પત્રકારોના હિતમાં અનેક પહેલ કરવામાં આવી હતી.સૂચન સાથે કામ કરવા માટે કહેવામાં આવ્યું હતું મહિલાઓનું સ્વાગત સેક્રેટરી સોનિયા ચૌહાણ અને સેમ શર્મા જોઈન્ટ ટ્રેઝરર દ્વારા સમારંભમાં આવેલા મહેમાન તરીકે આ સંસ્થાના વડા જયરૂપ દાસ વૈષ્ણવ ઉર્ફે જગદીશ, ઉપપ્રમુખ મોહમ્મદ. અલી મકંદર, સેક્રેટરી સોનિયા ચૌહાણ, ખજાનચી ક્રિષ્ના ઝા જોઈન્ટ ટ્રેઝરર સેમ શર્મા, સલાહકાર ઈકરામ સૈયદ અને કિન્નર દેસાઈએ આ સંસ્થાને સફળ બનાવી હતી, જેમાં પધારેલા મહેમાનો અને પત્રકારોએ ટીમનો આભાર માન્યો હતો, ત્યારબાદ સમૂહ ભોજન કરાવીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. .

મીડિયા ચેરીટેબલ ટ્રસ્ટ વાપીનો પ્રથમ સેમિનાર આજે વાપીમાં યોજાયો હતો. Read More »

Uncategorized આરોગ્ય

મહારાષ્ટ્ર ની એક ગર્લ્સ હોસ્ટેલમાં બાળકી પર બળાત્કાર કર્યાં બાદ તેની હત્યા, જેવ્યક્તિ પર શંકા હતી એનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળી આવ્યો

CRIME REPORT : ANIS SHEKH

મુંબઈના મરીન ડ્રાઈવમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મુંબઈની સરકારી ગર્લ્સ હોસ્ટેલમાં 18 વર્ષની યુવતીની નગ્ન અવસ્થામાં મૃત હાલતમાં મળી આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે બાળકી પર બળાત્કાર કરવામાં આવ્યો અને પછી તેની હત્યા કરવામાં આવી. આ કિસ્સામાં, શંકાસ્પદ સુરક્ષા ગાર્ડે ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસે બુધવારે આ જાણકારી આપી. મૃતકની ઓળખ પ્રકાશ કનોજિયા તરીકે થઈ છે, જે તે જ હોસ્ટેલમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતો હતો. આના એક દિવસ પહેલા મુંબઈના ચર્ચગેટ વિસ્તારમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલમાં 19 વર્ષની યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.

મુંબઈના મરીન ડ્રાઈવમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મુંબઈની સરકારી ગર્લ્સ હોસ્ટેલમાં 18 વર્ષની યુવતીની નગ્ન અવસ્થામાં મૃત હાલતમાં મળી આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે બાળકી પર બળાત્કાર કરવામાં આવ્યો અને પછી તેની હત્યા કરવામાં આવી. આ કિસ્સામાં, શંકાસ્પદ સુરક્ષા ગાર્ડે ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસે બુધવારે આ જાણકારી આપી. મૃતકની ઓળખ પ્રકાશ કનોજિયા તરીકે થઈ છે, જે તે જ હોસ્ટેલમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતો હતો. આના એક દિવસ પહેલા મુંબઈના ચર્ચગેટ વિસ્તારમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલમાં 19 વર્ષની યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.

ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, પોલીસને શંકા છે કે રેપ બાદ બાળકીની હત્યા કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે તેનો રૂમ બહારથી બંધ હતો અને તે અંદરથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેના પ્રાઈવેટ પાર્ટ પર ઈજાના નિશાન પણ મળી આવ્યા છે અને તેના ગળામાં દુપટ્ટો બાંધવામાં આવ્યો હતો. જો કે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. પોલીસ હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે

મહારાષ્ટ્ર ની એક ગર્લ્સ હોસ્ટેલમાં બાળકી પર બળાત્કાર કર્યાં બાદ તેની હત્યા, જેવ્યક્તિ પર શંકા હતી એનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળી આવ્યો Read More »

Uncategorized આરોગ્ય

મ લાયન્સ કલબ સોસાયટી મોડાસા સંચાલિત શ્રી વા. હી. ગાંધી બહેરા – મૂંગા શાળા ખાતે દિવ્યાંગ જન સન્માન કાર્યક્રમ યોજાયો

ગુજરાત કારોબાર ન્યૂઝ/ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે માનનીય મંત્રીશ્રી ભીખુંસિંહજી પરમારની ઉપસ્થિતિમાં લાયન્સ કલબ સોસાયટી મોડાસા સંચાલિત શ્રી વા. હી. ગાંધી બહેરા – મૂંગા શાળા ખાતે દિવ્યાંગ જન સન્માન કાર્યક્રમ યોજાયો.
જેમાં સંસ્કૃતિ કાર્યક્રમ સાથે દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને પૂર્વ વિદ્યાર્થીઓને પણ બોલાવવામાં આવ્યા હતા.જિલ્લામાં 2002 થી ચાલી રહેલ ગુજરાતની પ્રથમ લાયન્સ ઔધોગિક તાલીમ સંસ્થા દિવ્યાંગ આઈ.ટી.આઈ જેમાં દિવ્યાંગ તાલીમાર્થીઓ વિવિધ પ્રકારના વ્યવસાયિક તાલીમ મેળવી હાલ કંપની કે પેઢીમાં નોકરી મારફતે પોતાના ધંધા રોજગાર શરૂ કરી અને તે પોતાના સ્વ પગ પર નિર્ભર બન્યા છે.જેમનું સન્માન કરવામાં આવ્યું હતું. એ સાથે જ વર્ષોથી કામ કરતા અને આ સંસ્થામાં જોડાયેલા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું અને નિવૃત્ત થતા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકોએ ખૂબ જ સુંદર રીતે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે આજે તે ખૂબ જ ખુશી અનુભવી રહ્યા છે. આ સુંદર આયોજન થકી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ખુબ જ સુંદર કામગીરી કરી રહી છે દિવ્યાંગ બાળકોના ઘડતર અને શિક્ષણ ઉપર સૌથી મહત્વનો ફાળો આપી રહી છે. ત્યારે સંસ્થાની સાથે જોડાયેલા દરેકને ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું.આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીક જિલ્લાના અધિકારીશ્રીઓ અને પદાઅધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.

મ લાયન્સ કલબ સોસાયટી મોડાસા સંચાલિત શ્રી વા. હી. ગાંધી બહેરા – મૂંગા શાળા ખાતે દિવ્યાંગ જન સન્માન કાર્યક્રમ યોજાયો Read More »

Uncategorized આરોગ્ય

ભિલોડા તાલુકાના લીલછા ગામના માટીના દેશી માટલા ખૂબ પ્રખ્યાત છે.ગામના 200 જેટલાં પરિવારો માટલા બનાવવાના હુન્નરને અકબંધ રાખી રહ્યા છે

ગુજરાત કારોબાર ન્યૂઝ/ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

ચક્કર ચક્કર ઘૂમી ચાકડો, પીંડ સહિત માટીનો…
ગોળ ઘૂમે ને ઘાટ ઘડાય રોજ નવા આકારો..!!
કુંભાર તણી હાથ લાકડીયેથી,રોજ ચાકડો ફરતો,આજના યાંત્રિક યુગમાં ઉનાળાની ગરમીમાં તરસ છીપાવવા લોકો ફ્રીઝનો ઉપયોગ કરે છે.આજે ફ્રિજ કરતા વધારે માટલાનું પાણી પીવાનો વ્યાપ વધારે છે, દરેક ઘરમાં આજે અલગ અલગ ડિઝાઇનના અને અલગ અલગ પ્રકારના માટલાઓ જોવા મળે છે, ત્યારે ખુબજ પ્રખ્યાત દેશી માટીમાંથી અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના લીલછા ગામના બ્રહ્માના પુત્રો એટલે કે પ્રજાપતિ સમાજ દ્વારા હાથે ઘડીને બનાવેલ માટલા સમગ્ર દેશમાં ઠંડુ પાણી પીવા માટે આશીર્વાદ રૂપ સાબિત થયા છે.હા દેશી માટલા તો ઘણા ગામોમાં બનાવાય છે પરંતુ લીલછાના માટલા વર્ષોથી પ્રખ્યાત છે.ઉનાળાની સીઝનમાં તમામ પરિવારો લાખોની સંખ્યામાં માટલા બનાવે છે. આ માટલા સમગ્ર ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાં જાય છે.આ ગામમાં પેઢીઓથી આ વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારો રહે છે. સરકારના કુટિર ઉદ્યોગ દ્વારા માટલા પકવવા માટે ભઠ્ઠી પણ પ્રાપ્ત થયેલ છે. ત્યારે સ્થાનિક માટલાના વ્યવસાય સાથે વણાયેલા પ્રજાપતિ પરિવારોને તેમના વ્યવસાય પ્રત્યે ખુબ ગર્વ છે.લીલછા ગામના યજ્ઞેશભાઈ જણાવે છે, ‘આ ગામમાં વર્ષોથી આ માટીકામ કરીએ છીએ, પરંપરાગત વ્યવસાયમાં જોડાયેલા છીએ. લીલછાના માટલાઓ ખુબ પ્રખ્યાત છે અને આજુબાજુના ગામોમાં તેમજ બીજા જિલ્લાઓમાં પણ વેચાણ કરીએ છીએ અને ગુજરાન ચલાવીએ છીએ.200 જેટલા પરિવારો આજે પણ તેમના માટલા બનાવવાના હુન્નરને અકબંધ રાખી ગામના પ્રખ્યાત બનેલા દેશી માટલા અને લોળિયાની પરંપરાને જાળવી રહ્યા છે.

ભિલોડા તાલુકાના લીલછા ગામના માટીના દેશી માટલા ખૂબ પ્રખ્યાત છે.ગામના 200 જેટલાં પરિવારો માટલા બનાવવાના હુન્નરને અકબંધ રાખી રહ્યા છે Read More »

Uncategorized આરોગ્ય

માનનીય ગુજરાત રાજ્યના ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે અરવલ્લી જિલ્લામાં પોલીસ આવાસનું લોકાર્પણ કરાયું

ગુજરાત કારોબાર ન્યૂઝ/ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

૪૭ કરોડ ૪
લાખના ખર્ચે ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા નવીન પોલીસ હેડક્વાટર ખાતે બી કક્ષાના ૨૮૦
રહેણાંક મકાનોનું આજે લોકાર્પણ

અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે માનનીય ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી તેમજ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી, ભીખસુસિંહજી પરમાર તથા
ગાંધીનગર રેન્જ આઇ જી પી શ્રી અભય ચુડાસમાની ઉપસ્થિતિમા પોલીસ કર્મચારીઓ માટે તેમના
કુટુંબીજનોને પાયાની સુવિધાઓ અને જરૂરી સગવડો મળી રહે તેવા ઉમદા અભિગમથી સરકારશ્રી દ્વારા ૪૭ કરોડ ૪
લાખના ખર્ચે ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા નવીન પોલીસ હેડક્વાટર ખાતે બી કક્ષાના ૨૮૦
રહેણાંક મકાનોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું.તેમજ આંબલીયારા પોલીસ સ્ટેશન, રૂપિયા ૨ કરોડ ૭૩ લાખના ખર્ચે અધતન મકાન બનવાયુ,ટીંટોઇ પોલીસ સ્ટેશન,ભીલોડા બફેલ ફાયર્રિંગ રેન્જ જે ૧૮ લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું
,મોડાસા ટાઉન ચારરસ્તા પોલીસ ચોકી,૧૫ લાખના ખર્ચ બનવવામાં આવ્યું ,આશ્રમ ચોકી શામળાજી જે ૨૫ લાખના ખર્ચે નવીન બનવવામાં આવુ જેના નું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું.

માનનીય ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું,ગુજરાત રાજ્યમાં પોલીસ આજે ખડેપગે સતત પોતાના પરિવારની ચિંતા કર્યા વગર આપણી સુરક્ષા અને સેવા માટે તત્પર રહે છે.આજે રાજ્યમાં બનતા મોટા ગુન્હાઓને ગણતરીના કલાકોમાં ઉકેલીને પ્રજાના મનમાં સુરક્ષિત હોવાનો વિશ્વાસ કાયમ રહ્યો છે, રાતદિવસ જનતાની સેવામા, સુરક્ષામાં અડીખમ રહે છે. ડિજીટલ ટેક્નોલોજીના આ યુગમાં સાયબર ક્રાઇમ જેવા ગુનાઓ સહિતની બદલાઇ રહેલી ક્રાઇમ પેટર્નને જાણવા-સમજવા આજે પોલીસ કર્મીઓની સજ્જતાને આપણે વધુ સંગીન બનાવી છે . ગુજરાત આજે શાંત, સલામત અને સુરક્ષિત રાજ્ય બનવા સાથે વિકાસના મોડેલ સ્ટેટ તરીકે ખ્યાતિ પામ્યુ છે. તેના પાયામાં સમાજ જીવનની રક્ષા-સુરક્ષા માટેની પોલીસ દળની કર્તવ્ય પરાયણતા છે.આજે અરવલ્લી જિલ્લામાં આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.પોલીસ પરિવારોને શુભકામનાઓ આપું છું.આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લામાં પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસના અધિકારીઓ કર્મચારીઓને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં માનનીય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે સંબોધન કરતા જણાવ્યું કે સતત કાર્યશીલ, જનતાની સુરક્ષા અને સેવામાં અડીખમ રહેતી એવી અરવલ્લી જિલ્લાની પોલીસને અને પોલીસના પરિવારને હું શુભકામનાઓ પાઠવું છું, આજે અરવલ્લી જીલ્લો પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે, આપણે સૌ સાથે મળીને જિલ્લાના વિકાસના કામને આગળ ધપાવીશું.

આ કાર્યક્રમમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી શ્રી ભિખુસિંહ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી લાલસિંહ ચૌહાણ, ધારાસભ્ય શ્રી પી. સી. બરંડા, ધારાસભ્ય શ્રી ધવલસિહ ઝાલા, રેન્જ આઇજી શ્રી અભય ચુડાસમા, જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારિક, જિલ્લા પોલીસવડાશ્રી સંજય ખરાત સહિત પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

માનનીય ગુજરાત રાજ્યના ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે અરવલ્લી જિલ્લામાં પોલીસ આવાસનું લોકાર્પણ કરાયું Read More »

Uncategorized આરોગ્ય

માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ-એન.કે. સિંઘે હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે દેહરી ઉમરગામના કષ્ટભંજન હનુમાન મંદિરના વિકાસની કામગીરી હાથ ધરી

એહવાલ વિજય રાઠોડ ઉમરગામ

વાપીનું પ્રખ્યાત સમાજ સેવક ટ્રસ્ટ કે જે માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ તરીકે પ્રસિદ્ધ છે. આ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક અને સંસ્થાપક માનનીય શ્રી એન.કે. સિંઘ છે. સામાજિક કાર્યકર એન.કે. સિંઘ દરેક સમાજના કામ માટે આગળ આવે છે. સમાજના કોઈપણ વર્ગના હોય તેઓ દરેક વર્ગના સમાજ માટે બહોળો ફાળો આપે છે. આ જ હનુમાન જન્મ મહોત્સવ વલસાડ જિલ્લાના તાલુકા ઉમરગામ દેહરી ગામે કષ્ટભંજન હનુમાન મંદિરમાં યોજાયો હતો. માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હનુમાન જન્મ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

આ હનુમાન જન્મ મહોત્સવના કાર્યક્રમમાં દેહરી ગામના વડીલોનું પુષ્પગુચ્છ અને હાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું. જ્યારે દેહરી ગામના વરિષ્ઠ સભ્યોએ માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી એન. કે. સિંહજીનું સન્માન કર્યું. તેમજ માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટના તમામ સભ્યોને પુષ્પગુચ્છ અને ફૂલહાર પહેરાવીને.
આ સાથે બિહારથી પધારેલ માઈજી મહારાજનું પણ ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમમાં વાપીના પી વિદ્યા મંદિરના આચાર્ય સુનીતા તિવારીનું પણ સન્માન કરવામાં આવ્યું. અને ટ્રસ્ટી ઉમેશચંદ્ર તિવારીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. બિહાર વેલ્ફેર એસોસિએશનના પ્રમુખ વિપુલ સિંહનું તેમજ તમામ સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સૌનું સન્માન કર્યા બાદ હનુમાન મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ તમામ ગ્રામજનોએ ધ્વજ ફરકાવવા માટે નાચગાન કરી એકબીજાને હનુમાનજીની શુભેચ્છા પાઠવી. જ્યારે માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ એન.કે. સિંહજીએ તમામ દેશવાસીઓને હનુમાન જન્મ મહોત્સવની શુભેચ્છા પાઠવી હતી.

માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ-એન.કે. સિંઘે હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે દેહરી ઉમરગામના કષ્ટભંજન હનુમાન મંદિરના વિકાસની કામગીરી હાથ ધરી Read More »

Uncategorized આરોગ્ય

માનવ કલ્યાણ યોજના અંતર્ગત અરવલ્લી જિલ્લાના જીતપુર ગામના હીનાબેન મિસ્ત્રી બન્યા આત્મનિર્ભર


ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

અંતરિયાળ ગામોમાં હસ્તકલા,હાથશાળ, કુટિર અને ગ્રામોદ્યોગ દ્વારા કારિગરોને આત્મનિર્ભર બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ


માનવકલ્યાણ યોજનાનો મુખ્ય હેતુ નાનો ધંધો-રોજગાર કરવા ઇચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા- રોજગાર અનુરૂપ કિટ્‍સ આપવામાં આવે છે,અને તેનો ધંધો સરળતા થી ચાલુ કરી શકે અથવા તેના ચાલુ કામ ને વધુ સારી રીતે આવક ઊભી કરી શકે.


નવતર યોજનાઓના નક્કર અમલીકરણના પરિણામે આજે ગુજરાતમાં બહેનોને અનેક ક્ષેત્રોમાં પોતાનું શક્તિ સામર્થ્ય દર્શાવવાની મળી તક


માહિતી કચેરી અરવલ્લી -23 માર્ચ 2023

અરવલ્લી જિલ્લાના જીતપુર ગામના હીનાબેન મિસ્ત્રી માનવ કલ્યાણ યોજનાનો લાભ મેળવી આત્મનિર્ભર
બન્યા છે. હીનાબેન નું કેવું છે કે સરકારની માનવ કલ્યાણ યોજના નો લાભ મેળવીને હું આર્થિક રીતે પગભર થઈ છું. આજે ગુજરાત રાજ્ય સરકાર અનેક યોજનાઓમાં લાભ આપી રહી છે.અને રાજ્યની મહિલાઓ પગભર અને આત્મનિર્ભર બની રહી છે. સહાયમાં જે કપડા સીવા માટે સીવણ મશીન મળ્યું છે તેનાથી હું આર્થિક રીતે પગ પર બનીને મારા પરિવારને મદદ કરી રહી છું. માટે રાજ્ય સરકાર નો ખુબ ખુબ આભાર માનું છું.
નવતર યોજનાઓના નક્કર અમલીકરણના પરિણામે આજે ગુજરાતમાં બહેનોને અનેક ક્ષેત્રોમાં પોતાનું શક્તિ સામર્થ્ય દર્શાવવાની તક મળી રહી છે. રાજ્ય સરકારના અભિગમથી ઘર પરિવારના સામાજિક નિર્ણયો તેમજ આર્થિક નિર્ણયોમાં મહિલાઓના યોગદાનથી રાજ્યની વિકાસયાત્રામાં મહિલા શક્તિને સહભાગી થવાની તક મળી છે.આ યોજનામાં આર્થિક રીતે પુરતી આવક અને સ્‍વરોજગાર ઉભા કરવા માટે ઓજારો/સાધનો આપવામાં આવે છે. જેનાથી લાભાર્થી પોતાના સ્વરોજગારની શરૂઆત કરી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે.


માનવ કલ્યાણ યોજના અંતર્ગત અરવલ્લી જિલ્લાના જીતપુર ગામના હીનાબેન મિસ્ત્રી બન્યા આત્મનિર્ભર Read More »

Uncategorized આરોગ્ય

મહિલા આંતરરાષ્ટ્રીય દીનની ઉજવણી સખી વન સ્ટોપ સેન્ટર અરવલ્લી દ્વારા મહિલા આંતરરાષ્ટ્રીય દીનની ઉજવણી કરાઈ

ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

   પરખ  સંસ્થા સંચાલિત  સખી વન સ્ટોપ સેન્ટર અરવલ્લી દ્વારા ચાંદટેકરી મોડાસા ખાતે નિ:શુલ્ક માર્ગદર્શન કેન્દ્રના સહયોગથી  મહિલા આંતરરાષ્ટ્રીય  દિવસ નિમિતે મહિલા જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. કેન્દ્ર સંચાલક વિક્રમ બા દ્વારા મહિલાઓને આંતરરાષ્ટ્રીય દિવસની શુભકામનાઓ પાઠવી આંતરરાષ્ટ્રીય દિવસ વિશે તથા સખી વન સ્ટોપ સેન્ટર વિશે માહિતી આપી તેમજ કેસ વર્કર શ્રધાબેન દ્વારા મહિલાલક્ષી યોજનાઓની માહિતી આપવા આવેલ. ચાઈલ્ડ લાઈનના કર્મચારી સમીમ બેન દ્વારા ચાઈલ્ડ હેલ્પ લાઈન વિશે તથા બાળકોના હક્કો વિશે માહિતગાર કરવામાં આવેલ તેમજ સખી વન સ્ટોપ સેન્ટર ના કેસવર્કર સીતાબેન દ્વારા પત્રિકા વિતરણ કરી સખી વન સ્ટોપ સેન્ટર નો પ્રચાર પ્રસાર કરવામાં આવેલ છે.કાર્યક્રમમાં માર્ગદર્શન કેન્દ્રના કન્વીનર હારીથ ખાનજી, સહ કન્વીનર તાહિર ધન્સુરીયા અને સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ , તેમજ ચાંદ ટેકરીના જાગૃત નાગરિકો  હાજર રહ્યાં હતા.

મહિલા આંતરરાષ્ટ્રીય દીનની ઉજવણી સખી વન સ્ટોપ સેન્ટર અરવલ્લી દ્વારા મહિલા આંતરરાષ્ટ્રીય દીનની ઉજવણી કરાઈ Read More »

Uncategorized આરોગ્ય