ખેતીવાડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના 9 વર્ષોમાં ગુજરાતમાં થયેલા વિકાસકાર્યો

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

ગાંધીનગર, 1 જૂન:* 26 મેના રોજ કેન્દ્રમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના 9 વર્ષ પૂર્ણ થયા. આ નવ વર્ષોમાં શ્રી નરેન્દ્ર મોદીએ દરેક ક્ષેત્રમાં ભારતને અગ્રેસર બનાવવા માટે અથાગ પ્રયત્નો કર્યા છે અને વૈશ્વિક સ્તરે ભારતને આગવી ઓળખ આપી છે. ભારતના તમામ રાજ્યોને વિકાસની સમાન તકો મળે તે માટે તેમણે પ્રયાસો કર્યા છે. આ નવ વર્ષો દરમિયાન તેમણે દેશને અનેક ભેટ આપી છે, અને પોતાના હોમ સ્ટેટ ગુજરાતના વિકાસને પણ તેમણે પ્રાથમિકતા આપી છે.

તેઓ 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા, અને પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે ગુજરાતને દેશના વિકાસ મોડેલ તરીકે પ્રસ્થાપિત કર્યું હતું. પરંતુ, કેટલાંક વિષયો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમના કાર્યક્ષેત્રની બહાર હતા, જેના માટે તેમને કેન્દ્ર સરકારના સહકારની જરૂર હતી. વર્ષ 2014માં દેશના વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી, તેમણે પ્રાથમિકતાના ધોરણે આવા મુદ્દાઓ પર ધ્યાન આપ્યું, અને ગુજરાતની વિકાસયાત્રાની ગતિને અવરોધતા પરિબળોને દૂર કર્યા. છેલ્લા 9 વર્ષોમાં વડાપ્રધાન તરીકે શ્રી મોદીના નેતૃત્વમાં ગુજરાતના નાગરિકોને અનેક સુકાર્યોની ભેટ મળી છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે વડાપ્રધાનશ્રીએ દર્શાવેલા પથને અનુસરીને રાજ્યની વિકાસની ગતિને આગળ વધારી રહ્યા છીએ.

આ નવ વર્ષોમાં ગુજરાતના હિત માટે કેન્દ્ર સરકારે રાજ્યને આપેલી કેટલીક મોટી ભેટ વિશે માહિતી મેળવીએ.

*સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની મંજૂરી*
વર્ષ 2014માં વડાપ્રધાન પદની શપથ લીધાના ફક્ત 17 જ દિવસમાં શ્રી નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની મંજૂરી આપી દીધી હતી. વર્ષ 2016માં તમામ 30 દરવાજાઓના નિર્માણની કામગીરી પૂર્ણ કરવામાં આવી. 15 સપ્ટેમ્બર, 2019ના રોજ સરદાર સરોવર ડેમ તેની સંપૂર્ણ જળસપાટી એટલે કે 138.68 મીટર સુધી પાણીથી છલકાયો હતો અને ગુજરાતની પ્રજાનું વર્ષો જૂનું સપનું આખરે સાકાર થયું હતું.

*વર્ષોથી લેવાની બાકી નીકળતી ક્રૂડ રોયલ્ટી ગુજરાતને મળી*
વડાપ્રધાન બન્યા પછી, શ્રી નરેન્દ્ર મોદીએ માર્ચ2015 માં ક્રૂડ ઓઇલની રોયલ્ટી સાથે સંબંધિત અન્ય એક મોટા મુદ્દાને ઉકેલવા માટે નિર્ણય કર્યો. તેઓએ ગુજરાતને ક્રૂડ ઓઈલની રોયલ્ટી તરીકે લગભગ રૂ.800  કરોડ આપવાનું નક્કી કર્યું.

*બુલેટ ટ્રેન*
14 સપ્ટેમ્બર, 2017ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી શિંજો આબેની ઉપસ્થિતિમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ કરીને ગુજરાતની જનતાને એક મોટી ભેટ આપી છે. ગુજરાતનું અમદાવાદ અને મહારાષ્ટ્રનું મુંબઈ, આ બંને એવા પ્રથમ શહેરો બનશે જે ઝડપી ગતિએ દોડતી બુલેટ ટ્રેનના પ્રત્યક્ષ સાક્ષી બનશે. 

*સેક્ટર સ્પેસિફિક એજ્યુકેશન હેઠળ ગુજરાતના વડોદરામાં રેલવે યુનિવર્સિટીની સ્થાપના*
ગુજરાત પહેલેથી જ સેક્ટર સ્પેસિફિક એજ્યુકેશનનું કેન્દ્ર રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 2018માં ગુજરાતના વડોદરા શહેરને દેશની પ્રથમ રેલવે અને પરિવહન યુનિવર્સિટી (નેશનલ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્ટિટ્યૂટ)ની ભેટ આપી.

*રાજકોટ ગ્રીનફિલ્ડ એરપોર્ટ*
આધુનિક સુવિધાયુક્ત એક નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટની ભેટ પણ શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના રાજકોટ શહેરને આપી છે. રાજકોટમાં આ નવું એરપોર્ટ અમદાવાદ-રાજકોટ હાઇવે પર રૂ.2500 કરોડના અંદાજિત ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે.

*ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (GFSU) અને રક્ષાશક્તિ યુનિવર્સિટી (RSU) ને રાષ્ટ્રીય દરજ્જો*
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2020માં ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (GFSU) અને રક્ષાશક્તિ યુનિવર્સિટી (RSU) ને રાષ્ટ્રીય મહત્વ આપીને બંનેને કેન્દ્રીય યુનિવર્સિટીનો દરજ્જો આપ્યો છે. હવે આ યુનિવર્સિટીઓ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) તરીકે ઓળખાય છે.

*AIIMS, રાજકોટ*
ગુજરાતના નાગરિકોને પોસાય તેવા દરે ઉત્તમ સ્વાસ્થ્ય સુવિધાઓ મળી રહે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 31 ડિસેમ્બર, 2020ના રોજ ગુજરાતના રાજકોટ શહેરમાં AIIMS જેવી અદ્યતન મેડિકલ કોલેજ અને હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો હતો.

*કચ્છ ખાતે વિશ્વના સૌથી મોટા હાયબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની ભેટ*
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કચ્છના ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા હાયબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની ભેટ આપી છે. આ પાર્ક દ્વાર વર્ષ 2024 સુધીમાં 30,000 મેગાવોટ (પવન ઊર્જા + સૌર ઊર્જા) ઊર્જાનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે.

*લાઇટ હાઉસ પ્રોજેક્ટ (LHP) – રાજકોટ*
લાઇટહાઉસ પ્રોજેક્ટ એ કેન્દ્રીય શહેરી બાબતોના મંત્રાલયની મહત્વાકાંક્ષી યોજના છે. ગુજરાતમાં રાજકોટ શહેરને આ પ્રોજેક્ટ માટે પસંદ કરવામાં આવ્યું છે, જે હેઠળ રાજકોટમાં 1144 આવાસો બનાવવામાં આવ્યા છે. ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવાયેલા આ મકાનો સસ્તા, મજબૂત અને સંપૂર્ણપણે ભૂકંપ પ્રતિરોધક છે.

*સ્ટેચ્યુ ઑફ યુનિટી (SoU) સુધી રેલવે કનેક્ટિવિટી*
ગુજરાતના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઑફ યુનિટ આજે વૈશ્વિક પ્રવાસન નકશામાં ઉભર્યું છે. વિશ્વભરમાંથી પ્રવાસીઓ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની આ સૌથી ઊંચી પ્રતિમાને જોવા માટે આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવુ પ્રવાસીઓ માટે સરળ બને તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી 2021ના રોજ કેવડિયા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રવાસીઓ માટે અહીંયા 12 નવા પ્રવાસન આકર્ષણો પણ ઉમેરવામાં આવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં આજે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે. 

*ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન, જામનગર*
મે, 2022માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતના જામનગરમાં વિશ્વના પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)નો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોરેશિયસના વડાપ્રધાન શ્રી પ્રવિંદ જુગનાથ અને WHOના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયસસ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

*વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન*
સપ્ટેમ્બર, 2022માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને વંદે ભારત ટ્રેનની ભેટ આપી છે. દિલ્હીના બે રૂટ્સ પર મોટી સફળતા પછી ભારતની પહેલી સ્વદેશી સેમી હાઈ સ્પીડ ટ્રેન હવે ગુજરાતના પાટા પર દોડી રહી છે.

*GIFT સીટીમાં ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય ફાયનાન્સિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી (IFSCA)ના હેડક્વાર્ટરનો શિલાન્યાસ*
ગાંધીનગર સ્થિત ફાઇનાન્શિયલ ટેક સિટી GIFT સિટી ખાતે ઓગસ્ટ, 2022માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આંતરરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી (IFSCA)ના હેડક્વાર્ટરનો શિલાન્યાસ કર્યો હતો.

*GIFT સિટી ખાતે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX)*
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જૂલાઈ, 2022માં  ગાંધીનગર GIFT સિટી ખાતે દેશના પ્રથમ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) તેમજ NSC IFSC-SGX કનેક્ટને લોન્ચ કરવામાં આવ્યા હતા. ભારતને સોનાના વૈશ્વિક ટ્રેડીંગ બજારમાં એક પ્રભાવી દેશ તરીકે પ્રસ્થાપિત કરવાની દિશામાં આ IIBX એક મહત્વપૂર્ણ નિર્ણય છે અને ગુજરાતના જ્વેલર્સ માટે આ એક્સચેન્જ અત્યંત મહત્વપૂર્ણ બન્યું છે.

*અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનો પ્રારંભ*
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં અમદાવાદ મેટ્રો અને સુરત મેટ્રો પ્રોજેક્ટની ભેટ આપી છે. આ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો ગત વર્ષે પૂર્ણ થયો હતો.  સપ્ટેમ્બર 2022માં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ થલતેજથી વસ્ત્રાલ રૂટ પર મેટ્રો રેલવેનો પ્રારંભ કરાવ્યો છે.

*તારંગા હિલ-અંબાજી આબુ રોડ રેલવે લાઇન પ્રોજેક્ટને મંજૂરી*
જૂલાઇ 2022માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા તારંગા હિલથી અંબાજી આબુ રોડના 116.65 કિમી લાંબા રેલવે લાઇન પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી. આ લાઇન તૈયાર થતા શ્રદ્ધાળુઓ અને ભાવિકો સરળતાથી પોતાના ધર્મસ્થાને જઇ શકશે.

*રાજ્યના પાંચ જિલ્લાઓને મેડિકલ કોલેજની ભેટ*
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારે ગત વર્ષે ગુજરાતના પાંચ જિલ્લાઓ નવસારી, નર્મદા, પંચમહાલ, મોરબી અને પોરબંદર ખાતે રૂ.2250 કરોડના ખર્ચે નવી સરકારી મેડિકલ કોલેજની ભેટ આપી છે. પ્રત્યેક મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે 100 સીટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

*દાહોદમાં ઇલેક્ટ્રિક લોકોમોટિવ મશીન ઉત્પાદન એકમનો શિલાન્યાસ*
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ એપ્રિલ, 2022માં ભારતીય રેલવે દ્વારા દાહોદ વર્કશોપમાં અંદાજે રૂ.20 હજાર કરોડના ખર્ચે નિર્માણ થનાર નવ હજાર હોર્સ પાવરના ઇલેક્ટ્રિક લોકોમોટિવ મશીન ઉત્પાદન એકમનો શિલાન્યાસ કર્યો હતો. મેક ઇન ઇન્ડિયા અભિયાનને સાકાર કરતા આ પ્રોજેક્ટ થકી દાહોદ અને તેની આસપાસના વિસ્તારમાં હજારો નોકરીઓની તકો ઊભી થશે.

*ભરૂચમાં બલ્ક ડ્રગ પાર્કની ભેટ*
ઓક્ટોબર 2022માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ભરૂચ ખાતે રૂ.2500 કરોડથી વધુના ખર્ચે તૈયાર થનારા રાજ્યના પ્રથમ સર્વ સુવિધાયુક્ત બલ્ક ડ્રગપાર્કનું ખાતમુહુર્ત કર્યું હતું. આ બલ્ક ડ્રગ પાર્ક ઉપરાંત, 4 ટ્રાઇબલ પાર્ક, 1 એગ્રો પાર્ક, 1 સી-ફૂડ પાર્ક, 1 MSME પાર્ક અને 2 બહુ-સ્તરીય ઔદ્યોગિક શેડનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું.

*ભારતમાલા પરિયોજના*
ભારત સરકારની ‘ભારતમાલા પરિયોજના’ હેઠળ ગુજરાતમાં 1000 કિમીથી વધુના રોડ-રસ્તાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

*ગુજરાતમાં નેશનલ ગેમ્સનું આયોજન*
ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના અમદાવાદમાં સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર રમત-ગમત ક્ષેત્રે આટલા મોટા પાયે કોઈ આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે 3 મહિનાથી પણ ઓછા સમયમાં નેશનલ ગેમ્સ માટેની તૈયારીઓ પૂર્ણ કરી હતી.

*ભારતની જી20 અધ્યક્ષતા હેઠળ ગુજરાતમાં 18 બેઠકોનું આયોજન*
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતને 1 ડિસેમ્બર, 2022થી 30 નવેમ્બર, 2023 સુધી 1 વર્ષ માટે જી20ના સભ્ય દેશોની અધ્યક્ષતા પ્રાપ્ત થઈ છે. જી20 અંતર્ગત ભારતમાં કુલ 200 મીટિંગો આયોજિત થવાની છે, જે પૈકી 18 બેઠકોનું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું છે. જી20 બેઠકોના માધ્યમથી ગુજરાતની સંસ્કૃતિ અને તેના ઇતિહાસને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવાની રાજ્ય પાસે આ એક અમૂલ્ય તક છે. ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવનાથી પ્રેરિત આ બેઠકો દરમિયાન વિદેશી મહેમાનો ગુજરાતના સાંસ્કૃતિક વૈભવને માણીને અભિભૂત થઇ રહ્યા છે.

*સ્માર્ટ સિટી મિશન*
ભારત સરકાર દ્વારા જૂન 2015માં સ્માર્ટ સિટી મિશનની શરૂઆત કરવામાં આવી હતી, જે અંતર્ગત ગુજરાતમાંથી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર તથા દાહોદ એમ કુલ 6 શહેરોની પસંદગી કરવામાં આવી હતી.

*નવસારીમાં PM મિત્ર પાર્ક*
કેન્દ્ર સરકારની પીએમ મિત્ર યોજના અન્વયે નવસારીના વાંસી-બોરસીમાં અદ્યતન સુવિધા સાથે ટેક્સટાઇલ પાર્કનું નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

*સ્મૃતિવન ભૂકંપ સ્મારક, ભુજ*
26 જાન્યુઆરી 2001ના આવેલા ગોઝારા ભૂકંપનો ભોગ બનેલા નાગરિકોની યાદમાં કચ્છમાં સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ સ્મૃતિવનનું નિર્માણ કરવાનો નિર્ધાર કર્યો હતો અને ગત વર્ષે ભારતના વડાપ્રધાન તરીકે તેમણે સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું હતું.

*વીર બાળ સ્મારક, અંજાર*
26 જાન્યુઆરી, 2001ના રોજ કચ્છમાં આવેલા ભયાનક ભૂકંપમાં અંજાર શહેરના 185 બાળકો અને 20 શિક્ષકો એક રેલીમાં જઇ રહ્યા હતાં ત્યારે આસપાસની ઇમારતોના કાટમાળ નીચે દટાઇ જવાથી મૃત્યુ પામ્યા હતાં. આ બાળકોની સ્મૃતિમાં અંજાર શહેરની બહાર વીર બાળ સ્મારક તૈયાર કરવામાં આવ્યું છે. ગત વર્ષે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વીર બાળ સ્મારકનું લોકાર્પણ કર્યું હતું.

*સાબર ડેરી ચીઝ પ્લાન્ટ*
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જૂલાઈ 2022માં સાબર ડેરીના 3 નવા ચીઝ પ્લાન્ટનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કર્યું હતું. ગુજરાતના પશુપાલકોની આવક વધારવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. તેનાથી સાબરકાંઠાના પશુપાલકોને વાર્ષિક રૂ. 700 કરોડની આવક થશે.

*ભાવનગર ખાતે વિશ્વના પ્રથમ સીએનજી ટર્મિનલ પોર્ટનો શિલાન્યાસ*
ઓક્ટોબર, 2022માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ભાવનગર ખાતે વિશ્વના પ્રથમ સીએનજી ટર્મિનલ પોર્ટનો શિલાન્યાસ કર્યો. આ બંદર ₹4024 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે અને તેમાં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ માટે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે વિશ્વની ચોથી સૌથી મોટી લોક ગેટ સિસ્ટમ હશે. સીએનજી ટર્મિનલ ઉપરાંત આ પોર્ટ ભાવનગર જિલ્લાની ભાવિ જરૂરિયાતો અને આગામી પ્રોજેક્ટસ્ જેમ કે વાહન સ્ક્રેપિંગ, કન્ટેનર ઉત્પાદન, અન્ય મેગા પ્રોજેક્ટ્સ અને ખાસ કરીને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન માટેની જરૂરિયાતોને પણ પૂરી કરશે.

*સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અટલ ફૂટઓવર બ્રિજનું નિર્માણ*
અમદાવાદના આઇકોનિક સાબરમતી રિવરફ્રન્ટને એક દાયકો પૂર્ણ થવા નિમિત્તે રિવરફ્રન્ટ ખાતે મુલાકાતીઓની સગવડ માટે એલિસબ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે અટલ ફૂટઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઓગસ્ટ 2022માં આ ફૂટઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.

*નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)*
ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર દરિયાઈ વારસાને દર્શાવવા માટે રૂ.3500 કરોડના ખર્ચે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) બનાવવામાં આવી રહ્યું છે, જેમાં સિંધુ ખીણની સંસ્કૃતિથી વર્તમાન સમય સુધીના સમૃદ્ધ દરિયાઇ વારસાને રજૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટને નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર ઝડપથી કામગીરી કર રહી છે.

*અંબાજી-પાવાગઢ-સોમનાથમાં પ્રવાસન વિકાસકાર્યો*
• અંબાજી યાત્રાધામ ખાતે આવતા શ્રદ્ધાળુઓને હવે એક જ સ્થળે એક સાથે તમામ 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળતો થયો છે. આ સાથે જ ગબ્બર ખાતે રૂ.13.35 કરોડના ખર્ચે લાઇટ એન્ડ સાઉન્ડ શૉનો પ્રારંભ કરવામાં આવ્યો છે, તેમજ સાંસ્કૃતિક વિલેજનું પણ નિર્માણ કરાયું છે. આ ઉપરાંત, અંબાજી મંદિરની અદ્યતન વેબસાઇટ તેમજ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિકસાવાયેલી મોબાઇલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે. 
• પાવાગઢ ખાતે મા કાલિકા માતાના નવનિર્મિત મંદિર પર 500 વર્ષ બાદ સુવર્ણ શિખર ઉપર ધ્વજારોહણ કરવામાં આવ્યું છે. પાવાગઢ ખાતે થયેલા વિકાસકાર્યોમાં, મહાકાળી મંદિરને ભવ્ય સ્વરૂપ આપવામાં આવ્યું છે, પણ ગર્ભગૃહનું મૂળ સ્વરૂપ એવું જ રખાયુ છે. આ સાથે જ પાવાગઢ ધામમાં આવતા શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો થાય તે માટે રાજ્ય સરકારે રૂ.121 કરોડના ખર્ચે મંદિર પરિસરનો વિસ્તાર કર્યો છે. તળેટીના માચી વિસ્તારમાં યાત્રિકોને પાયાની સગવડો આપવા રૂપિયા 37 કરોડના ખર્ચે વિકાસ કામો થઈ રહ્યા છે.
• સૌરાષ્ટ્રને કાંઠે આવેલું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર છે. સોમનાથ ખાતે પ્રવાસીઓને રહેવા માટે સુવિધાયુક્ત સરકીટ હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રસાદ યોજના અંતર્ગત સોમનાથ ધામમાં યાત્રિઓની સુવિધાઓ માટે અનેક વિકાસના કામો થઇ રહ્યા છે.

*એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપ-વે, જૂનાગઢ*
ઓક્ટોબર 2020માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જૂનાગઢ મા અંબાના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેનું લોકાર્પણ કર્યું હતું. આ રોપ-વે ને કારણે ગિરનાર પર્વતના પગથિયાં ચડ્યા વિના મિનિટોમાં જ માતાજીના મંદિર સુધી પહોંચી જવાય છે.

*એસ્ટોલ પ્રોજેક્ટ*
જૂન, 2022માં વડાપ્રધાનશ્રીએ ગુજરાતના વલસાડ જિલ્લામાં એસ્ટોલ પ્રોજેક્ટ રાજ્યની જનતાને સમર્પિત કર્યો હતો. આ પ્રોજેક્ટ વલસાડ જિલ્લાના પહાડી વિસ્તારોના અંતરિયાળ આદિવાસી વિસ્તારોના 174 ગામડાઓ અને 1028 ફળિયાઓમાં રહેનારા 4.50 લાખ લોકોને પાણી પહોંચાડી રહ્યો છે. એન્જિનિયરિંગની દ્રષ્ટિએ એસ્ટોલ પ્રોજેક્ટ એક ચમત્કાર છે, જેમાં મધુબન બંધ મારફતે દરરોજ 7.5 કરોડ લીટર પાણીને લગભગ 200 માળ (1837 ફીટ)ની ઉંચાઈ સુધી ઉપર પહોંચાડીને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

*વિદ્યા સમીક્ષા કેન્દ્ર*
રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાની પળે પળની રીયલ ટાઇમ જાણકારી મેળવવાના અભિનવ પ્રયોગ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગત વર્ષે ગુજરાતમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો. વિદ્યા સમીક્ષા કેન્દ્રનું આધુનિક સ્વરૂપ દેશના અન્ય રાજ્યો માટે મોડલરૂપ સાબિત થયું છે. આજે દેશના વિવિધ  રાજ્યો –પ્રદેશોમાંથી શિક્ષણમંત્રીશ્રીઓ, અધિકારીઓએ આ સમીક્ષા કેન્દ્રની મુલાકાત લઇને સમગ્ર કાર્યપદ્ધતિની સમીક્ષા અને અધ્યયન કરી રહ્યાં છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રની પહેલ હેઠળ રાજ્યના 1.25 કરોડ વિદ્યાર્થીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે. ઉપરાંત  બીગ ડેટા એનાલિસીસ, મશીન લર્નીગ, આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સ તકનીકથી અધ્યયન કરીને વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ પ્રદર્શન માટે સુઝાવ આપીને તેના પર અસરકારક અમલવારી કરાવવામાં આવી રહી છે.

*છેલ્લા 1 વર્ષમાં વડાપ્રધાન શ્રી દ્વારા ગુજરાતમાં કરવામાં આવેલ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત*

• સપ્ટેમ્બર 2022માં સુરતમાં રૂ.3400 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત, જેમાં મહત્વાકાંક્ષી ડ્રીમ (DREAM) સિટી પ્રોજેક્ટના રૂ.370 કરોડના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ રૂ.139 કરોડના ખર્ચે સુરતમાં નવા બાયોડાયવર્સિટી પાર્કનું ખાતમુહૂર્ત.
• સપ્ટેમ્બર 2022માં રૂ.12  હજાર કરોડથી વધુના ખર્ચે અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાનું લોકાર્પણ
• સપ્ટેમ્બર, 2022માં ભાવનગર ખાતે વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ, બ્રાઉન ફિલ્ડ પોર્ટનો શિલાન્યાસ. રૂ.4024 કરોડના ખર્ચે આ બંદર વિકસિત કરવામાં આવશે. આ ઉપરાંત, ભાવનગરમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર અને APPL કન્ટેનરનું ઉદ્ઘાટન.
• સપ્ટેમ્બર, 2022માં બનાસકાંઠામાં રૂ.7908 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત. વિવિધ આવાસ યોજના અંતર્ગત 61805  આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તારંગા હિલથી આબુ રોડ બ્રોડગેજ રેલવે લાઇનનું વડાપ્રધાનશ્રીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતું.
• સપ્ટેમ્બર, 2022માં વડાપ્રધાનશ્રીએ ગુજરાતને વંદે ભારત ટ્રેનની ભેટ આપી.
• ઓક્ટોબર, 2022માં જામનગરમાં સૌની (SAUNI) યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ. રૂ.300 કરોડથી વધુના ખર્ચે સૌની યોજનાના લિંક-1 પેકેજ-5 તેમજ રૂ.700 કરોડથી વધુના ખર્ચે લિંક-3 પેકેજ-7નું લોકાર્પણ.
• અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં રૂ.712 કરોડની આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જેમાં હૃદયની અદ્યતન સારવાર માટે રૂ.54 કરોડના આધુનિક મશીનો અને વિશ્વસ્તરીય સુવિધાઓનું લોકાર્પણ, યુ.એન. મેહતા હોસ્પિટલમાં રૂ.71 કરોડના ખર્ચે નિર્મિત નવી હોસ્ટેલ બિલ્ડિંગનું લોકાર્પણ, કિડની રિસર્ચ સેન્ટર માટે રૂ.408 કરોડના ખર્ચે નિર્મિત નવી હોસ્પિટલનું લોકાર્પણ, મેડિસિટીમાં રૂ.140 કરોડના ખર્ચે નિર્મિત GCRIની નવી બિલ્ડિંગનું લોકાર્પણ
• ઓક્ટોબર, 2022માં ગુજરાતનું મોઢેરા ગામ 24X7 સોલાર પાવર્ડ વિલેજ જાહેર થયું.
• ઓક્ટોબર, 2022માં મહેસાણા ખાતે રૂ.2890 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જેમાં રૂ.511 કરોડના ખર્ચે સાબરમતી-જગુદણ ગેજ કન્વર્ઝનનું લોકાર્પણ, રૂ.336 કરોડના ખર્ચે ONGC-નંદાસણ સરફેસ ફેસિલિટીનું લોકાર્પણ
• ઓક્ટોબર, 2022માં ભરૂચમાં રૂ.8200 કરોડથી વધુના વિકાસકાર્યો અને પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જેમાં ભરૂચમાં રૂ.2500 કરોડના ખર્ચે રાજ્યના પ્રથમ સર્વ સુવિધાયુક્ત બલ્ક ડ્રગ પાર્કનું ખાતમુહુર્ત
• ઓક્ટોબર, 2022માં રાજકોટ, મોરબી જિલ્લા તથા અન્ય જિલ્લાના રૂ.7710 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જેમાં રાજકોટના ગઢકામાં 119 એકરમાં 20 લાખ લિટર પ્રતિ દિવસની ક્ષમતાવાળા અમુલના પ્લાન્ટનું ખાતમુહૂર્ત, મોરબીમાં, મેડીકલ કોલેજ, ફોરલેન રોડ, રેલવે ઓવરબ્રિજ, નવી જિલ્લા કોર્ટ કચેરી સહિતના વિકાસકાર્યો
• ઓક્ટોબર, 2022માં જૂનાગઢમાં કુલ રૂ.4155.17 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જેમાં ઉમરગામથી લખપત કોસ્ટલ હાઈવે યોજના માટે રૂ.2440 કરોડનો ખર્ચ, પોરબંદરમાં 600 બેડની GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત
• ઓક્ટોબર, 2022માં તાપી-નર્મદા-સુરત જિલ્લામાં રૂ.2083 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ, જેમાં સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડને દસ મીટર પહોળો કરવાની કામગીરી શરૂ, તાપી તથા નર્મદા જિલ્લામાં પાણી પુરવઠાને લગતા 4 કાર્યોનું ખાતમુહૂર્ત, સુરત અને તાપી જિલ્લામાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના 11 કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
• ઓક્ટોબર, 2022માં થરાદથી રૂ.8000 કરોડથી વધુ મૂલ્યના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત
• કેવડિયા ખાતે પ્રવાસીઓ માટે ભુલભુલૈયા ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટનું લોકાર્પણ
• ઓક્ટોબર, 2022માં પંચમહાલના જાંબુઘોડામાં ₹885.42 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ, જેમાં ગોવિંદગુરુ યુનિવર્સીટી ગ્રીન એડમિનિસ્ટ્રેટિવ બ્લોક ધરાવતી ગુજરાત રાજ્યની પ્રથમ સ્ટેટ યુનિવર્સિટીનું લોકાર્પણ, રૂ.522 કરોડના ગોધરા મેડિકલ કોલેજ અને રૂ.164 કરોડના કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટીના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત, સ્વાતંત્ર્ય સંગ્રામના વીર શહીદોની યાદમાં સંત જોરિયા પરમેશ્વર પ્રતિમા અને શહીદ રૂપસિંહ નાયક સ્મારક પ્રતિમાનું લોકાર્પણ
• મે, 2023માં ગુજરાતમાં રૂ.2452 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત, જેમાં રૂ.1654 કરોડના ખર્ચે શહેરી વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત, પાણી પુરવઠાના રૂ.734 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના 9 વર્ષોમાં ગુજરાતમાં થયેલા વિકાસકાર્યો Read More »

Uncategorized ખેતીવાડી

વલસાડ : સંજણ હત્યાના કેસમાં એક ને મુંબઈથી અને એક સાગરીત ને બિહારથી ઉમરગામ પોલીસે ઝડપી પાડ્યા

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ રેલવે ફાટક પાસે રેલવે કોરિડોરની કામગીરી દરમ્યાન તાંબાના કેબલ નાખવાની કામગીરી ચાલી રહી હતી. ઝાકીર શેખ અને લક્ષ્મણ માછી રેલવે કોરિડોરની મજૂરો દ્વારા નાખવામાં આવેલા કેબલ કાપી રહ્યા હતા. જે દરમ્યાન કોન્ટ્રાક્ટર અને તેના માણસો અચાનક ત્યાં આવી પહોંચતા કોન્ટ્રાક્ટર અને તેના માણસોએ ભંગારના ગોડાઉન સંચાલક અને તેના માણસને ઝડપી પાડયા હતા. ભંગારના ગોડાઉન સંચાલકને માર મારી હત્યા નિપજાવવાના કેસમાં ઉમરગામ પોલીસની અલગ અલગ ટીમોએ મુંબઈ અને બિહારથી મુખ્ય સૂત્રધાર એવા વધુ 2 આરોપીઓને ઝડપી પાડયા છે.

મુખ્ય આરોપી
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ રેલવે ફાટક પાસે રેલવે કોરિડોરની કામગીરી દરમ્યાન તાંબાના કેબલ નાખવાની કામગીરી ચાલી રહી હતી. ઝાકીર શેખ અને લક્ષ્મણ માછી રેલવે કોરિડોરની મજૂરો દ્વારા નાખવામાં આવેલા કેબલ કાપી રહ્યા હતા. જે દરમ્યાન કોન્ટ્રાક્ટર અને તેના માણસો અચાનક ત્યાં આવી પહોંચતા કોન્ટ્રાક્ટર અને તેના માણસોએ ભંગારના ગોડાઉન સંચાલક અને તેના માણસને ઝડપી પાડયા હતા. ભંગારના ગોડાઉન સંચાલકને માર મારી હત્યા નિપજાવવાના કેસમાં ઉમરગામ પોલીસની અલગ અલગ ટીમોએ મુંબઈ અને બિહારથી મુખ્ય સૂત્રધાર એવા વધુ 2 આરોપીઓને ઝડપી પાડયા છે.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ રેલવે ફાટક પાસે રેલવે કોરિડોરની ચાલી રહેલી કામગીરી દરમ્યન તાંબાના કેબલ નાખવાની કામગીરી સુધાકર નામનો કોન્ટ્રાકટરને સપવામાં આવી હતી. સંજાણ રેલવે ફાટક પાસે રેલવે કોરિડોરની કામગીરી દરમ્યાન તાંબાના કેબલ નાખવાનો ચાલી રહેલી કામગીરી ચાલી રહી હોવાની જાણ નજીકમાં આવેલા ભંગાર ગોડાઉન સંચાલક ઝાકીર શેખને થતા તેના કામદાર લક્ષ્મણ સાથે કટર લઈને કેબલ ચહેરો કરવા પહોંચ્યા હતા. જ્યાં ઝાકીરના કહેવા ઉપર લક્ષ્મણે કેબલ કપવાની કામગીરી હાથ ધરી હતી. જે દરમ્યાન રેલવેના કોન્ટ્રાક્ટર સુધાકર અને તેના માણસોને ઘટનાની જાણ થતાં તાત્કાલિક સંજાણ રેલવે ફાટક પાસે આવી પહોંચ્યા હતા. જ્યાં ઝાકીર ને અને લક્ષ્મણને પકડીને સુધાકર અને તેના માણસોએ માર માર્યો હતો અને ઝાકીરનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. તે કેસમાં મુખ્ય આરોપી રેલવે કોરિડોરની કામગીરીનો કેબલ કોન્ટ્રાક્ટર સુધાકર અને પવન નામના આરોપીને ઝડપી પાડવા ઉમરગામ પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. જેમ મુંબઈથી ઉમરગામ પોલીસે સુધાકર સિંગની ધરપકડ કરી છે. સુધાકરની પ્રાથમિક પૂછપરછ કરતા કેબલ ચોરી કરતા ભંગારના ગોડાઉન સંચાલકને માર મારી તેના ગોડાઉનમાં આગ ચાંપી હોવાની કબૂલાત કરી હતી. ઉમરગામ પોલીસે સુધાકરની વધુ પૂછપરછ હાથ ધરી છે. ઉમરગામ પોલીસની બિહાર તપાસમાં ગયેલી ટીમે આ કેસમાં સંડોવાયેલા પવન નામના આરોપીની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. પવનની પ્રાથમિક પૂછપરછ કરતા પવને પણ કેસમાં સંડોવણી હોવાની કબૂલાત કરતા ઉમરગામ પોલીસ બિહારથી આરોપીની અટકાયત કરી ઉમરગામ લાવવાની તજવીજ હાથ ધરી છે.

વલસાડ : સંજણ હત્યાના કેસમાં એક ને મુંબઈથી અને એક સાગરીત ને બિહારથી ઉમરગામ પોલીસે ઝડપી પાડ્યા Read More »

Uncategorized ખેતીવાડી

લક્ષ્મીનારાયણ મંદિર ધર્મા ટ્રસ્ટ ,ના ૧૦૦ વર્ષ નિમિત્તે શતાબ્દી મહોત્સવ ૧૯૨૩-૨૦૨૩ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

તારીખ .૨૨/૫/૨૦૨૩ ૮, માવજી રાઠોડ રોડ વાલપખાડી, મુંબઈ ખાતે શતાબ્દી મહોત્સવ ના કાર્યક્રમ ના ઉપસ્થિત ઓલ ઇન્ડિયા SC ST OBC માયનોટિસ મહાસંઘ ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા ના મુંબઈ પ્રદેશ ઉપાધ્યક્ષ, ગુજરાતી સમાજના નેતા, અને સંત શ્રી રોહીદાસ વંશી વઢિયારા ચમાર સમાજ (રજીસ્ટર) કેન્દ્રીય પંચાયત ના સહમંત્રી, શ્રી આલજીભાઈ પીઠાભાઈ .મારુ, અને તેમની સાથે ઉપસ્થિત કાર્યકર્તા નું સ્વાગત લક્ષ્મીનારાયણના મંદિરના ટ્રસ્ટી /પ્રમુખ  ના શ્રી કિશનભાઇ ટી. ડોડીયા, અને શ્રી ભાણજીભાઈ મુ. રાબડીયા, ખજાનચી/ ટ્રસ્ટી અનિલ ધ.સોલંકી, ટ્રસ્ટી અને મુંબઈ મેઘવાળ પંચાયતના કેન્દ્રીય સમિતિ ના પ્રમુખ ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઈ પડાયા દ્વારા કરવામાં આવ્યું સમાજના અને આ કાર્યક્રમમાં મુંબઈમાં વસતા સર્વ સમાજ ના લોકો ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી , લક્ષ્મીનારાયણ મંદિરના 100 વર્ષ પૂરા થયા શતાબ્દી મહોત્સવ આ વાલપકડી વિસ્તારમાં  ગુજરાતી સમાજનો અસ્તિત્વ નો ઇતિહાસ ની એક યાદગાર છે  આ સ્થળ ઉપર ભારતીય બંધારણના શિલ્પકાર ડૉ બાબા સાહેબ આંબેડકર, મહાત્મા ગાંધી, નેતાજી સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ, વિઠ્ઠલ પટેલ, જેવા ભારત દેશના  અનેકો મહા અનુભવો  આ સ્થળે મુલાકાત લીધી હતી , તે સમયના સમાજસેવક મેઘવાળ સુધારક સભાના સેક્રેટરી  સ્વ શ્રી સામંત નાનજી મારવાડી અને સ્વ શ્રી શામજી નાનજી મારવાડી જેવા અનુભવી સમાજસેવકો નુ સમાજ હિત માટે મોટું યોગદાન રહ્યું છે તેમજ વાલપકડી વિસ્તારનો બહુમૂલ્ય  સમગ્ર ઐતિહાસિક દસ્તાવેજો ની કમ સે કમ સવાસો વર્ષ જૂની માહિતી  સંઘરી ને જાળવી  રાખનાર  લાયન શ્રી ભરતભાઈ મારવાડી અને શ્રી કિશોર મારવાડી, એ જાળવી રાખ્યો છે સંત શ્રી જય રામ સાહેબ ની જગ્યા રામણકા ના મહંત કલ્યાણદાસ બાપુ એ વીર મેઘમાયા, સંત રોહિદાસ, ડૉ બાબા સાહેબ આંબેડકર, વિશે જય પ્રવચન આપ્યું હતું  આ ભવ્ય શતાબ્દી મહોત્સવ કાર્યક્રમના સૂત્ર સંચાલક – લક્ષ્મીનારાયણ ધર્માદા ટ્રસ્ટ ના પ્રમુખ /ટ્રસ્ટી શ્રી કિશનભાઇ ડોડીયા , મુંબઈ મેઘવાળ પંચાયત કેન્દ્રીય સમિતિના માજી પ્રમુખ શ્રી જયસિંહ ભાઇ પડાયા, મુંબઈ મેઘવાળ પંચાયત કેન્દ્રીય સમિતિના ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઈ પડાયા , પપ્પુભાઈ રાબડીયા  એ કર્યું હતું  કાર્યક્રમમાં ઉપસ્થિત સામાજિક કાર્યકર્તા શ્રી જીવરાજભાઈ સિંગલ, સમૂહ લગ્નના પ્રણેતા કાનજીભાઈ મીઠાભાઈ મારુ, ઓલ ઇન્ડિયા SC ST OBC માયનોટિસ મહાસંઘ ના રાષ્ટ્રીય સંગઠન પ્રમુખ શ્રી નરેશભાઈ મારુ, સમાજસેવક રાઘવભાઈ સોલંકી, બોરીવલી થી પધારેલ  હરેશ બામણી, વિશાલભાઈ મારુ,દિનેશ સોલંકી, મિતેશ મારુ, અશોક સાપરીયા, હરીશ સાપરિયા,સર્વ ઉપસ્થિત રહ્યા હતા

લક્ષ્મીનારાયણ મંદિર ધર્મા ટ્રસ્ટ ,ના ૧૦૦ વર્ષ નિમિત્તે શતાબ્દી મહોત્સવ ૧૯૨૩-૨૦૨૩ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ Read More »

Uncategorized ખેતીવાડી

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં “રાજ્ય સ્વાગત કાર્યક્રમ” યોજાયો

ગુજરાત કારોબાર ન્યૂઝ/ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઓનલાઈન નાગરિકોના સ્વાગત કાર્યક્રમના પ્રશ્નોના નિવારણ માટે પરામર્શ કર્યો

અરવલ્લી જિલ્લા કલેકટરશ્રી પ્રશસ્તિ પારિક સહિત જિલ્લાના અધિકારીશ્રીઓ વિડીયો કોન્ફરન્સમાં જોડાયા,સ્વાગત સેવાના ૨૦ વર્ષની ઉજવણી નિમિત્તે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સ્વાગત ક્રાર્યક્રમના બે દાયકાની ઉજવણી કરવામાં આવી.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૦ વર્ષ પહેલા શરૂ થયેલા સ્વાગત કાર્યક્રમના અરજદારો પૈકીનાં અમુક અરજદારો સાથે ઓનલાઈન વાર્તાલાપ કર્યો હતો આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ સ્વાગત કાર્યક્રમમાં વિવિધ જિલ્લાઓના નીતિવિષયક પ્રશ્નોનો સુચારુ નિકાલ કરવાના સ્તુત્ય પ્રયાસ કરાયા હતાં. “સ્વાગત કાર્યક્રમ”ની ૨૦ વર્ષ ની ગાથા આલેખતી ડોક્યુમેન્ટરી ફિલ્મ આ પ્રસંગે રજુ કરાઈ હતી.આ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વાગત કાર્યક્રમ વિશે ક્હ્યું કે એક નાના બીજથી વટવૃક્ષ બનેલા આ કાર્યક્રમની સફળતા સાચા હક્કદાર ગુજરાતના જાગૃત નાગરિકોને ગણાવ્યા હતા. તેમણે વધુમાં ઉમેરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનું આ મોડલ દુનિયાભરમાં સ્વીકૃતિ પામ્યું છે, તેની અલગ ઓળખ ઊભી થઈ છે. “સ્વાગત કાર્યક્રમ”ને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યા છે, જે તેની સફળતાનો પુરાવો છે.આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી કમલ શાહ, DRDA ડાયરેક્ટરશ્રી આર. એન. કુચારા,નિવાસી અધિક કલેક્ટરશ્રી એન. ડી. પરમાર સહીત અન્ય અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં “રાજ્ય સ્વાગત કાર્યક્રમ” યોજાયો Read More »

Uncategorized ખેતીવાડી

રક્ષા શક્તિ યુનિવર્સિટીના નિયામક પીડીસી કેમ્પને મળ્યા

ગુજરાત કારોબાર ન્યૂઝ/ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

સૂર્ય એકલવ્ય સૈનિક શાળા ખેરાંચા 25/04/23 અને મંગળવારે સવારે 11:00 કલાકે શાળાના પ્રાંગણમાં આવેલા વિવેકાનંદ ઓડિટોરિયમમાં ધોરણ 6 થી 12 ના તમામ વિદ્યાર્થીઓ અને લેફ્ટનન્ટ જનરલ અને રક્ષાશક્તિ યુનિવર્સિટીના તમામ સભ્યોની હાજરીમાં શાળાઓના આંતરિક સુરક્ષા સંરક્ષણ અને વ્યૂહાત્મક અભ્યાસના નિયામક, લેફ્ટનન્ટ જનરલ અસિત મિસ્ત્રી (નિવૃત્ત) વિવિધ વલણો સાથે કામ કરતા પીડીસી કેમ્પને મળ્યા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી કરવામાં આવી. શાળાના સંચાલક સંજય વશિષ્ઠે મહેમાનોનું સ્વાગત કર્યું. સંબોધન કર્યું. સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓ મુખ્ય અતિથિ વિશેષ લેફ્ટનન્ટ જનરલ આસિત મિસ્ત્રીએ જણાવ્યું હતું કે અભ્યાસ દરમિયાન વાંચનનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે.દેશ અને દુનિયાના સમાચારોથી માહિતગાર રહેવાથી સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મનનો વાસ થાય છે. તેમ કહી નિયમિત વ્યાયામ અને રમતગમત માટે સમય કાઢવા જણાવ્યું હતું.સૈન્યમાં જોડાવા માટે શારીરિક ક્ષમતા, વ્યક્તિત્વ અને સ્વ-શિસ્ત માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ.વિદ્યાર્થીઓની પ્રશ્નોત્તરી કરતી વખતે વિદ્યાર્થીઓની શિસ્ત અને આદર્શ વાતાવરણ જોઈ તેઓ પ્રશંસા કરી. ઉપસ્થિત રહીને કાર્યક્રમની સફળતાના સાક્ષી બન્યા.પીડીસી કેમ્પના ડાયરેક્ટર શ્રી રોહિત જી અને શાળાના વરિષ્ઠ શિક્ષક શ્રી વિષ્ણુભાઈ પટેલે મળીને કાર્યક્રમને સફળ બનાવ્યો.શાળાના આચાર્ય શ્રી હાર્દિક જોષીજીએ કાર્યક્રમને અનુરૂપ જરૂરી માહિતી આપી. અંતમાં મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

રક્ષા શક્તિ યુનિવર્સિટીના નિયામક પીડીસી કેમ્પને મળ્યા Read More »

Uncategorized ખેતીવાડી

લુસડિયા ગામે મેશ્વો મહિલા પ્રોડ્યુસર કંપનીની વાર્ષિક સાધારણ સભા યોજાઇ

ગુજરાત કારોબાર ન્યૂઝ/ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

ભિલોડા તાલુકાના લુસડિયા ગામે મેશ્વો મહિલા પ્રોડ્યુસર કંપનીની વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી. આ અંગે મેશ્વો મહિલા પ્રોડ્યુસર કંપનીના CEO (Chief Executive Officer) શ્રીમતિ સુર્યાંબેન કટારાના જણાવ્યા અનુસાર ભિલોડા તાલુકાનાં લુસડિયા વિસ્તારમાં સરકારશ્રીની ૧૦૦૦૦ FPO યોજના હેઠળ CBBO (Cluster Badge Business Organization) મંગલમ સીડ્સ લિમીટેડ અને સ્મોલ ફાર્મર એગ્રીબીઝનેસ કન્સોર્તીંઅમ(SFAC,Govt. of India, New Delhi) મારફત આ ખેડુત ઉત્પાદક કંપની મેશ્વો મહિલા પ્રોડ્યુસર કંપની લિમીટેડ ની રચના થયેલ છે. હાલ આ કંપનીમાં ૮ ગામના 156 જેટલા મહિલા શેર સભાસદની નોધણી થઈ ગઈ છે. કંપનીના આગોતરા આયોજન માટે કંપનીના ડાયરેક્ટરો તથા શેર સભાસદોની વાર્ષિક સાધારણ સભા લુસડિયા મુકામે રામજી મંદિરના ચોગાનમાં રાખવામાં આવી હતી જેમાં ચોમાસુ સિઝનને ધ્યાનમાં લઈને ખેડૂતોને બિયારણની જરૂરિયાત વિષે, પશુઆહાર વિષે, તથા સભાસદો વધારવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે મંગલમ સંસ્થાના પ્રતિનિધિ અનુપભાઇ, સાગરભાઈ, કંપનીના ચેરમેન શ્રીમતી તારાબેન જે. સુવેરા તથા કંપનીના CEO સુર્યાબેન કટારા દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન કંપનીના ડિરેક્ટર શ્રીમતી આશાબેન કે. બરંડા દ્વારા કરવામાં આવ્યું હતું.(સુર્યાબેન ડી. કટારા)CEO મેશ્વો મહિલા પ્રોડ્યુસર કંપની લી.

લુસડિયા ગામે મેશ્વો મહિલા પ્રોડ્યુસર કંપનીની વાર્ષિક સાધારણ સભા યોજાઇ Read More »

Uncategorized ખેતીવાડી

રાજય સરકારના ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘સ્વાગત’ને એપ્રિલ-2023માં ૨૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે અરવલ્લી જિલ્લામાં “સ્વાગત સપ્તાહ”ની ઉજવણી કરાશે

ગુજરાત કારોબાર ન્યૂઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

તા.૧૭મી એપ્રિલના રોજ ગ્રામ્યકક્ષાના સ્વાગત કાર્યક્રમ માટેના પ્રશ્નો સ્વીકારવાના કેમ્પનું આયોજન,તા. ૨૫ અને ૨૬મી એપ્રિલના રોજ તાલુકા કક્ષાએ સ્વાગત ફરિયાદ કાર્યક્રમો યોજાશે,અરવલ્લી જિલ્લામાં તમામ નાગરિકોને તબક્કાવારનાં સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અપીલ,રાજય સરકારના ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ’સ્વાગત’ ને ૨૦ વર્ષ પૂર્ણ થયા છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં એપ્રિલ માસના છેલ્લા સપ્તાહને ’ સ્વાગત સપ્તાહ’ તરીકે ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમ થકી જિલ્લાના નાગરિકો સરકારના લોકાભિમુખ વહીવટથી વાકેફ બને,લોકોના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ જ સુખદ નિરાકરણ આવે તે માટે ગ્રામ્ય કક્ષાથી લઇ જિલ્લા કક્ષાએ એમ ત્રણ સ્તરે સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. ગ્રામ્ય કક્ષાએ લોકો પોતાના પ્રશ્નોની રજૂઆત સરળતાથી કરી શકે, તેમના પ્રશ્નોના ઝડપી નિકાલ થાય તેવું સુચારું આયોજન કરવામાં આવેલ છે. સ્વાગત કાર્યક્રમમાં નાગરિકો દ્વારા રજૂ થતા પ્રશ્નોના પરિણામલક્ષી નિકાલ માટે તાલુકાઓમાં ગામોની પસંદગી કરીને રાજ્યપત્રિત અધિકારીશ્રીઓની નોડલ અધિકારીશ્રી તરીકે નિમણૂક કરવામા આવી છે. તમામ નાગરિકોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત તબક્કાવારનાં સ્વાગત કાર્યક્રમમાં તેઓના પ્રશ્નોની રજૂઆત કરવા ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે જિલ્લા વહીવટી તંત્ર વતી અપીલ કરી છે. તા.૧૭/૦૪/૨૦૨૩ ના રોજ ગ્રામ સ્વાગત માટેના પ્રશ્નો સ્વીકારવા માટે અરવલ્લી જિલ્લાના તમામ તાલુકામાં કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

રાજય સરકારના ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘સ્વાગત’ને એપ્રિલ-2023માં ૨૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે અરવલ્લી જિલ્લામાં “સ્વાગત સપ્તાહ”ની ઉજવણી કરાશે Read More »

Uncategorized ખેતીવાડી

રાજ્યભરની તમામ જેલોમાં ગુજરાત પોલીસની ટુકડીઓ દ્વારા બોડી વોર્ન કેમેરા સાથે સરપ્રાઈઝ ચેકિંગ શરૂ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી અને તેમના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર પોલીસ ભવન સ્થિત ડીજીપી ઓફિસ ખાતે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી

આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાઓને વિડિયો કોન્ફરન્સથી જોડીને જિલ્લાના પોલીસ વડાની આગેવાનીમાં પોલીસ ટુકડીઓ તૈયાર કરી તમામ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવા અપાઇ સૂચના

25/3/2023

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાલ સી.એમ ડેશબોર્ડ પરથી સમગ્ર રાજ્યની તમામ જેલોની સરપ્રાઈઝ ચેકીંગ લાઈવ જોઈને, ગૃહમંત્રીશ્રી અને રાજ્યના પોલીસ વડા સાથે ચર્ચા કરીને પળ પળની ખબરો પર નજર રાખી રહ્યા છે

કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર – ત્રિનેત્ર ખાતેથી તમામ જેલમાં ચાલી રહેલા આ સરપ્રાઈઝ ચેકિંગનું લાઈવ મોનીટરીંગ કરી રહેલા ગૃહ રાજ્ય મંત્રીશ્રી, રાજ્યના પોલીસ વડા, આઈબીના વડા અને સીઆઇડી ક્રાઇમના વડા અને ગૃહવિભાગના સચિવશ્રી

રાજ્યની ૧૭ જેલોમાં ૧૭૦૦ જેટલા પોલીસ અધિકારી- કર્મચારીઓ દ્વારા ચાલી રહી છે આ સરપ્રાઈઝ ચેકિંગ કામગીરી
….
રાજ્યની તમામ જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપેલી સુચના અંતર્ગત તેમના માર્ગદર્શન હેઠળ આજે ગાંધીનગર પોલીસ ભવન સ્થિત ડીજીપી ઓફિસ ખાતે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. જેમાં રાજ્યના ગૃહ સચિવ શ્રી નિપુણા તોરવણે, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય તેમજ ગૃહ વિભાગ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાના પોલીસ વડા તથા તમામ જેલના વડાઓ ઓનલાઈન જોડાયા હતા.

આ મહત્વપૂર્ણ બેઠકમાં આપાયેલી સૂચના બાદ જિલ્લાના પોલીસ વડાની આગેવાનીમાં સંબંધિત જિલ્લાની પોલીસની ટુકડીઓ તૈયાર કરવામાં આવી અને રાજ્યભરની તમામ જેલોમાં આ ગુજરાત પોલીસની ટુકડીઓ દ્વારા બોડી વોર્ન કેમેરા સાથે અત્યારે સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યની ૧૭ જેલોમાં ૧૭૦૦ જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા આ સરપ્રાઈઝ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે.

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાલ સી.એમ ડેશબોર્ડ ખાતેથી સમગ્ર સરપ્રાઈઝ ચેકીંગનું નિરીક્ષણ કરી રહ્યા છે. ઉપરાંત ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર – ત્રિનેત્ર ખાતેથી રાજ્યની તમામ જેલમાં ચાલી રહેલા આ સરપ્રાઈઝ ચેકિંગનું લાઈવ મોનીટરીંગ કરી રહ્યા છે.
…..

રાજ્યભરની તમામ જેલોમાં ગુજરાત પોલીસની ટુકડીઓ દ્વારા બોડી વોર્ન કેમેરા સાથે સરપ્રાઈઝ ચેકિંગ શરૂ Read More »

Uncategorized ખેતીવાડી

રાજ્ય કક્ષાનો ૨૯ મો આદિજાતિ મહોત્સવ – ૨૦૨૩ અરવલ્લીના ભિલોડા ખાતે માન. મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષ સ્થાને ઉજવાયો આદિજાતિ મહોત્સવ

6/3/2023

રાજ્ય કક્ષાનો ૨૯ મો આદિજાતિ મહોત્સવ – ૨૦૨૩ અરવલ્લીના ભિલોડા ખાતે માન. મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષ સ્થાને ઉજવાયો આદિજાતિ મહોત્સવ

ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

રાજ્ય સરકાર દ્વારા દરેક પ્રાદેશિક સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે પ્રાદેશિક મહોત્સવોનું તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે રાજ્યકક્ષાના બે દિવસીય આદિજાતિ મહોત્સવનો રાજ્ય સરકારના મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના હસ્તે અરવલ્લી જિલ્લાના ભિલોડાથી પ્રારંભ કરાયો હતો. જેમાં રાજ્યના અલગ અલગ આદિજાતિ જિલ્લાઓમાંથી ભાતિગઢ ડ્રેસ પરિધાન કરીને અલગ અલગ આદિવાસી નૃત્ય અને કલા કૃતિઓ રજુ કરાઇ હતી. અંબાજીથી લઇને ઉમરગામ સુધી વિસ્તરેલી પૂર્વ પટ્ટીના 14 જીલ્લાઓ તથા અન્ય રાજ્યોના સાતસોથી વધુ કલાકારોએ તેમની આગવી નૃત્યશૈલીમાં પારંપરિક વાદ્યોના તાલે એક મંચ ઉપરથી આદિજાતિ સાંસ્કૃતિક લોકનૃત્યની અનોખી પરંપરાની ઝાંખી રજુ કરી હતી.

મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેને શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા કલેક્ટર શ્રી ડો. નરેંદ્રકુમાર મીના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આદિવાસી સંસ્કૃતિનું જતન કરવા માટે અને આદિવાસી સંસ્કૃતિ જાળવી રાખવા માટે સરકારનો જે અભિગમ છે. તે મુજબ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.કાર્યક્રમમાં માન. મંત્રી શ્રી ભિખુસિંહજી પરમાર, જિલ્લા કલેક્ટર શ્રી ડો. નરેંદ્રકુમાર મીના, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કમલ શાહ, ભિલોડા વિધાનસભાના ધારાસભ્ય પી.સી બરંડા, બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિત અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્ય કક્ષાનો ૨૯ મો આદિજાતિ મહોત્સવ – ૨૦૨૩ અરવલ્લીના ભિલોડા ખાતે માન. મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષ સ્થાને ઉજવાયો આદિજાતિ મહોત્સવ Read More »

Uncategorized ખેતીવાડી

મોદી સાહેબના “પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદા ખાતે નિહાળવામાં આવ્યું

મોદી સાહેબના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદા ખાતે નિહાળવામાં આવ્યું.

(ગુજરાત કારોબાર,કેયુરપટેલ, વાંસદા )

ભાજપ સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા “પરીક્ષા પે ચર્ચા”- છઠ્ઠી આવૃત્તિઅંતર્ગત વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે દેશના યશસ્વી વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અનોખા ઈન્ટરેકટીવ કાર્યક્રમનું તા.૨૭ મી જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ નું લાઈવ પ્રસારણ કાર્યક્રમ શ્રી પ્રતાપ હાઈસ્કૂલ,વાંસદાના હોલમાં રાખવામાં આવેલ જે અંતર્ગત “એક્ઝામવોરીયર્સ” પુસ્તક આધારિત ચિત્રસ્પર્ધાયોજવામાં આવી હતી. તાલુકાની વિવિધશાળામાં યોજાયેલ ચિત્રસ્પર્ધાનું પ્રદર્શન શ્રી પ્રતાપ હાઈસ્કૂલ,વાંસદા ખાતે રાખવા માં આવ્યું હતું.

જેમાં શાળાકક્ષાએ વિજેતા થયેલા વિદ્યાર્થીઓને વાંસદાના પ્રાંત સાહેબશ્રી ડી.આઈ.પટેલનાવરદ્દ હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાહતા.જયારેતા.૨૭-૦૧-૨૦૨૩ ના રોજ“પરીક્ષા પે ચર્ચા”કાર્યક્રમની શરૂઆતમાં ૧૦.૩૦ કલાકે ઉપસ્થિત મહેમાનો નું શાળા ના આચાર્ય શ્રીમહેન્દ્રસિંહ પરમારે પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. મહેમાનો દ્વારા દિપપ્રાગટ્યકરવા માં આવ્યું હતું અને “પરીક્ષા પે ચર્ચા” અંતર્ગત યોજાયેલ તાલુકા કક્ષાની ચિત્ર સ્પર્ધામાંપ્રથમ-હુસેન મુસ્તાકભાઈ બારાનપૂરી-શ્રી પ્રતાપ હાઈસ્કૂલ, વાંસદા ,દ્વિતિય-વૈષ્ણવ આયુષી દેવેન્દ્ર કુમાર-નવયુગ ઈંગ્લીશ સ્કૂલ,વાંસદા, તૃતીય- પટેલ સુહાની સંજીવભાઈ- શ્રી પ્રતાપ હાઈસ્કૂલ,વાંસદા નંબર પ્રાપ્ત કરનાર વિધાર્થીઓને વાંસદાના મામલ તદાર વસાવાસાહેબ,જિલ્લા ઉપપ્રમુખ શ્રી વિરલભાઈ વ્યાસ,જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી ગણપતભાઈ માહલાના વરદ્દહસ્તે પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા ત્યાર બાદ મામલતદાર સાહેબ અને વિરલભાઈ વ્યાસેવિદ્યાર્થી ઓને તેમના ઉદ્દબોધન દ્વારા પ્રેરણા આપી હતી. ત્યાર બાદ વિદ્યાર્થીઓ અને મહેમાનોએ ૧૧.૦૦ વાગ્યાથી માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાહેબના પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.

આ પ્રસંગે વાંસદાના મામલતદાર વસાવા સાહેબ,તાલુકા પંચાયત પ્રમુખ શાંતુભાઈ ગાંવિત, તાલુકા પંચાયતઉપપ્રમુખદશરથભાઈ ભોયા, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી ગણપતભાઈ માહલા, જિલ્લા ઉપપ્રમુખશ્રી વિરલ ભાઈ વ્યાસ,તાલુકા મહામંત્રી રાકેશ ભાઈ શર્મા, તાલુકા ભાજપ પ્રમુખમુકેશભાઈ પટેલ, કાર્યકર પીયુષભાઈ પટેલ, બક્ષી પંચમોરચાના પ્રમુખ રાજુભાઈ મોહિતે,વાંસદા તાલુકા કેળવણી મંડળના પ્રમુખશ્રી નટવરલાલ પાંચાલ,મંત્રી શ્રી ધર્મેશભાઈ પુરોહિત, ટ્રસ્ટી શ્રીધર્મેન્દ્ર સિંહ સોલંકી ,કારોબારી સભ્ય શ્રી પ્રદ્યુમન સિંહ સોલંકી,જિલ્લા પંચાયત સદસ્ય અંબાબેન પટેલ વેગેરે ઉપસ્થિત રહયા હતા.

મોદી સાહેબના “પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદા ખાતે નિહાળવામાં આવ્યું Read More »

Uncategorized ખેતીવાડી