ખેતીવાડી

વલસાડ ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા ની તમામ તાલુકા પંચાયત સભ્યોનું પ્રશિક્ષણ વર્ગ તિથલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો

વલસાડ.. એહવાલ અનિશ શેખ દ્વારા

ગુજરાત સરકાર ના નાણાં, ઉર્જા,પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈજી વિશેષ ઉપસ્થિત રહી તમામ તાલુકા પંચાયત સદસ્યોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

   *ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના પ્રમુખ અને પેજ કમિટી ના પ્રણેતા આદરણીય શ્રી સી.આર.પાટીલજી પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી ની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ માનનીય શ્રી હેમંતભાઈ કંસારાજી ના અધ્યક્ષ સ્થાને તિથલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે વલસાડ જિલ્લા ની તમામ તાલુકા પંચાયત ના ભાજપી સભ્યો માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ મુદ્દાઓ પર વિષેશ આમંત્રિત વક્તાઓ દ્વારા માર્ગદર્શ આપવામાં આવ્યું હતું* 

 *વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનનીય શ્રી હેમંતભાઈ કંસારાજી દ્વારા પ્રથમ સત્રના શરૂઆતમાં કાર્યશાળા અંગે ઉપસ્થિત તમામ તાલુકા પંચાયતના સભ્યોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું* 

 *વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત તાલુકા પંચાયત સદસ્ય કાર્યશાળા ના પ્રથમ સત્રમાં પાર્ટીના ઇતિહાસ,વિકાસ અને વિચારધારા અંગે વિશેષ વક્તા તરીકે ગુજરાત પ્રદેશ પ્રશિક્ષણ સેલ ના સંયોજક શ્રી પ્રકાશચંદ્રજી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સત્રના અધ્યક્ષ તરીકે શ્રી કિશોરભાઈ પટેલ પ્રમુખ વલસાડ તાલુકા ભાજપ અને સત્ર સંચાલક તરીકે શ્રી કેતનભાઇ વાઢું પ્રમુખ ધરમપુર તાલુકા ભાજપ ઉપસ્થિત રહ્યા હતા*

કાર્યશાળાના બીજા સત્રમાં આદર્શ જનપ્રતિનિધિ, વ્યવહાર, પ્રવાસ,કાર્યાલય, સોશિયલ મીડિયા વિષય ઉપર વિશેષ વક્તા તરીકે ગુજરાત પ્રદેશ ભાજપ ના સહ પ્રભારી, સાંસદ માન્દસોર (એમ.પી) માનનીય શ્રી સુધીર ગુપ્તાજીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સત્ર અધ્યક્ષ તરીકે દિલીપભાઈ ભંડારી પ્રમુખ ઉમરગામ તાલુકા ભાજપ અને સત્ર સંચાલક તરીકે શ્રી રમેશભાઈ ગાંવિત પ્રમુખ કપરાડા તાલુકા ભાજપ ઉપસ્થિત રહ્યા હતા

બીજા સત્ર બાદ ગુજરાત સરકાર ના નાણાં, ઉર્જા,પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈજી વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સાથે શ્રી અશોક ધોરજીયાજી પણ વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

*કાર્યશાળાના ત્રીજા સત્ર માં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અંગે વિશેષ વક્તા તરીકે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ,ક્લાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા (રાજ્યકક્ષા) મંત્રીશ્રી અને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, સત્રના અધ્યક્ષ તરીકે શ્રી મહેશભાઈ દેસાઈ પ્રમુખ પાટડી તાલુકા ભાજપ અને સત્ર સંચાલક તરીકે શ્રી સુરેશભાઈ પટેલ પ્રમુખ વાપી તાલુકા ભાજપ ઉપસ્થિત રહ્યા હતા*

 *તાલુકા પંચાયત સદસ્ય કાર્યશાળાના ચોથા અને અંતિમ સત્રમાં સાફલય ગાથા, અનુભવ કથન વિષય ઉપર વિશેષ વક્તા તરીકે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ અને વલસાડ જિલ્લાના ભાજપના પ્રભારી શ્રી મહેન્દ્રભાઈ પટેલે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સત્રના અધ્યક્ષ તરીકે શ્રી હેમંતભાઈ કંસારા પ્રમુખ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને સત્ર સંચાલક તરીકે સીલ્પેશભાઈ દેસાઈ મહામંત્રી વલસાડ જિલ્લા ભાજપ ઉપસ્થિત રહ્યા હતા*

 *આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી,શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી જીતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા,કાર્યશાળા ને સફળ બનાવવા  જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ના માર્ગદર્શન હેઠળ વ્યવસ્થા સમિતી એ સંપૂર્ણ કાર્યશાળા ની જવાબદારી સુપેરે પાર પાડી હતી,કાર્યશાળા માં જિલ્લા ભાજપ મીડીયા,આઈ.ટી,સોશિયલ મીડીયા ઇન્ચાર્જ,સહઇન્ચાર્જ હાજર રહ્યા હતા*

વલસાડ ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા ની તમામ તાલુકા પંચાયત સભ્યોનું પ્રશિક્ષણ વર્ગ તિથલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો Read More »

Uncategorized ખેતીવાડી

વલસાડ જિલ્લા ના પત્રકારો મા ભારે આક્રોશ કોંગ્રેસ નુ પત્રકારો સાથે નુ આવું વલણ જરાપણ ચલાવી નહીં લેવાય વલસાડ જિલ્લા ના પત્રકારો એક મંચ પર. જરૂર પડશે તો ગુજરાત ભરના પત્રકારો ના સંગઠનો સાથ સહકાર માંટે તત્પર,

એહવાલ અનીસ શેખ

વલસાડ જિલ્લા ના વલસાડ, કપરાડા, ધરમપુર, પારડી તથા ઉમરગામ સહિત તમામ તાલુકા ના પત્રકારો ની બેઠક નુ થયું આયોજન

વલસાડ જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ ના બન્ને પુત્રો એ પત્રકારો વિરુદ્ધમાં કરેલા વ્યવહાર ને ચલાવી નહિ લેવાય

જો કોંગ્રેસ પ્રમૂખ ના પૂત્ર અને પ્રમુખ માફી નહી માંગે તો જિલ્લાના તમામ પત્રકારો મહારેલી યોજી કલેકટર ઓફીસે પ્રતીક ઉપવાસ સાથે ધરણાં ની વિચારણા

દેશના ચોથા સ્થંભ નો અવાજ દબાવી દેવાની કોસિશ કોઇપણ પાર્ટી કે રાજકારણી કરશે તે ચલાવી નહીં લેવાય તમામ પત્રકારો એક મંચ પર

જરૂર પડશે તો ગુજરાત ભરના પત્રકારો ના સંગઠનો સાથ સહકાર માંટે તત્પર,

વિગતવાર વાત કરીએ તો બે દીવસ અગાઊ કૉંગ્રેસ ના કાર્યક્રમ મા વલસાડ ના રીજનલ ચેનલ ના પત્રકારો ને લાતો મારી ગાળો આપવાનો જે બનાવ બન્યો હતો તે બાદ વલસાડ પોલિસ મથકે પત્રકારો દ્વારા ફરિયાદ કરતા વલસાડ કૉંગ્રેસ પ્રમુખ ના બંને પુત્રો ની વલસાડ પોલિસે  ધરપકડ કરી કાયદાકીય પગલા ભર્યા હતા.

જે બાદ પણ કૉંગ્રેસ પ્રમુખે તેમની ભૂલ સ્વીકારવા નાં બદલે આક્રોશમા આવી પત્રકારો ને ફસાવવા પાયા વિહોણા મુદ્દાઓ ઉભા કરીને પોલીસ ફરિયાદ કરવાની વાતો ચર્ચાતા આજ રોજ વલસાડ જિલ્લા ના તમામ પત્રકારો એકત્રિત થયા હતા જેમા વલસાડ, કપરાડા, પારડી, ધરમપુર, વાપી, અને ઉમરગામ સહીત ના નેશનલ, રીઝનલ, અને વિકલી અને દૈનીક ન્યૂઝ પેપર ના તમામ પત્રકારો મોટી સંખ્યામા હાજર રહ્યા હતા અને વલસાડ જિલ્લા ના પત્રકારો એકત્રિત તમામ પત્રકારો નું મંતવ્ય જાણ્યું હતુ
જેમાં દરેકે પત્રકારે એકજ વાત કરી હતી કે આ બાબત કોઇપણ રિતે ચલાવી લેવામાં આવશે નહીં આજે કોંગ્રેસ દ્વારા જે કરવમાં આવ્યું કાલે બીજી કોઇ પાર્ટી કે અન્ય કોઇ વર્ગ દ્વારા આવું કરવામાં આવશે જેથી આ બાબતને ખૂબજ ગંભીર ગણી ને વલસાડ કૉંગ્રેસ પ્રમુખના પુત્રો નાં વ્યવહાર સામે આક્રોશ વ્યકત કરી જો પ્રમુખ સહીત તેમના બંને પુત્રો માફી નહીં માંગે તો પત્રકારો દ્વારા ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરી કલેકટર કચેરીએ પ્રતીક ઉપવાસ કરી ધરણાં પ્રદર્શન ની પણ તૈયારી કરી છે.

જોકે આ સમગ્ર ઘટનામાં કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી એ ટેલીફોનિક બાંહેધરી આપી છે બે દિવસમાં વલસાડ કોંગ્રેસના નેતાઓ પત્રકારો સાથે બેસી સમગ્ર ઘટનાનું નિરાકરણ લાવશે જોકે એ પ્રકારનું કોઈ પણ વાતચીત આવનારા બે દિવસમાં ન થાય તો પત્રકારોએ લડી લેવાનો મૂડ બનાવી લીધો છે જે બાબતે ગુજરાત ભરના તમામ પત્રકારો ના સંગઠનો નો એકજૂથ થઈ આ બાબતમાં સાથ સહકાર મળી રહ્યો છે..

વલસાડ જિલ્લા ના પત્રકારો મા ભારે આક્રોશ કોંગ્રેસ નુ પત્રકારો સાથે નુ આવું વલણ જરાપણ ચલાવી નહીં લેવાય વલસાડ જિલ્લા ના પત્રકારો એક મંચ પર. જરૂર પડશે તો ગુજરાત ભરના પત્રકારો ના સંગઠનો સાથ સહકાર માંટે તત્પર, Read More »

Uncategorized ખેતીવાડી

વલસાડ જિલ્લા ના કપરાડા તાલુકા ના હુંડા ગામનાં ડેપ્યુટી સરપંચ એ.સી.બી નાં સકંજામાં

અહેવાલ અનીસ શેખ

ભત્રીજાનું પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સરકારશ્રી તરફથી પાસ થયેલા ઘર માં વ્યવહાર મા કરીહતી ૫૦૦૦ રૂપિયા ની માંગ

વલસાડ જિલ્લા ના દરેક ગામો મા પ્રધાન મંત્રી આવાસ યોજના ના ઘર આવે તો સરપંચ કે ડેપ્યુટી સરપંચ કે પછી તલાટી દ્વારા લાભાર્થી પાસેથી વ્યવહાર પેટે રૂપિયા માંગાતા હોવાની લોક મુખે ચર્ચા..

ટ્રેપીંગ અધિકારી ઓ મા શ્રી ડી.એમ.વસાવા, પોલીસ ઇન્સ્પેકટર, વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે. તથા સ્ટાફ સુપરવિઝન અધિકારી : શ્રીમતી એ.કે.ચૌહાણ, I/C મદદનીશ નિયામક, એસીબી સુરત એકમ, સુરત ની ટીમ જોડાઈ હતી.

આ કામના ફરીયાદીના કૌટુંબીક ભત્રીજાનું પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સરકારશ્રી તરફથી મકાન મંજુર થયેલ અને જે યોજનાના રૂપિયા બે હપ્તામાં તેઓના બેંક એકાઉન્ટમાં રૂા.૧,૧૦,૦૦૦/- જમા થયેલ હોય જે મકાન મંજુર થયેલ તેના વ્યવહાર પેટે આ કામના આરોપીએ ફરીયાદી પાસે રૂા.૫,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ જે પૈકીના રૂા.૧,૦૦૦/- અગાઉ આરોપીએ ફરીયાદી પાસેથી લઇ લીધેલ અને બાકીના રૂા.૪,૦૦૦/- ની માંગણી કરતા હોય જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય, ફરીયાદીએ એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપી નાઓએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૪,૦૦૦/- ની લાંચની માંગણી કરી, રકમ સ્વીકારી સ્થળ પર પકડાઇ જઇ ગુનો કર્યા હતો . આરોપીને એ.સી.બી. એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે..

વલસાડ જિલ્લા ના કપરાડા તાલુકા ના હુંડા ગામનાં ડેપ્યુટી સરપંચ એ.સી.બી નાં સકંજામાં Read More »

Uncategorized ખેતીવાડી

વલસાડ ના ધરમપુરમાં નર્સિંગ કોલેજને નામે અનેક વિધાર્થીઓ સાથે છેતરપિંડી કરનાર 5 આરોપીઓ પૈકી અગાઊ બે આરોપીઓની ધરપકડ કર્યાં બાદ ગતરોજ મુખ્ય માસ્ટર માઈન્ડ વિરલ ચિંતામણી ની ધરમ પુર પોલીસે કરી ધરપકડ

વિરલ આરોગ્ય ખાતામાં સરકારી કર્મચારી નિ ફરજ બજાવતા હોવા છતાં શિક્ષણ જગત સાથે ખિલવાડ કરનારા આવા સરકારી કર્મચારીઓ સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી વિદ્યાર્થીઓ નિ માંગ છે

સૂત્રો પાસેથી મળતી માહીતી મુજબ મહાત્મા ગાંધી નર્સિંગ કૉલેજ શ્રીજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવસારી જિલ્લા ના નરસિંહ નો કોર્સ કરતા વિદ્યાર્થી ઓ ને સ્કોલરશીપ મળી તો પછી ધરમપુરમાં ચાલતી આં મહાત્મા ગાંધી નર્સિંગ કૉલેજ ના વિદ્યાર્થી ઓ ને સ્કોલરશીપ આપવાં વલસાડ જિલ્લા ના તકેદારી ઓફિસરે સ્કોલર શિપ આપવાં ના પાડી હતી. તો પછી નવસારી ના તકેદારી અઘિકારી ની તપાસ કરવામાં આવે તેમણે ક્યા નિયમો આધારે સ્કોલરશીપ આપી.?કે પછી આરોપિયો સાથે નવસારી ના સ્કોલરશીપ પાસ કરતા અધિકારીઓ ની સાટ ગાંઠ છૅ ? તે પણ પોલીસ તપાસ કરે તે જરૂરી

વલસાડ જિલ્લા ના ધરમપુર ગામેથી અત્યારસુધી 60 થી 70 વિદ્યાર્થીઓ એ ફરિયાદ કરિહોય તેવા પ્રાથમિક માહીતિ મળી છે

પ્રાપ્ત માહિતી અનુસાર મહાત્મા ગાંધી નર્સિંગ કૉલેજ શ્રીજી ચેરિટેબલ ના નામે ચાલતી આ નર્સિંગ કૉલેજ ને કોઇપણ નર્સિંગ કૉલેજ ચલાવ વાની માન્યતા પ્રાપ્ત ન હોવાછતાં ડુબ્લિકેટ સર્ટિ ઓ આપી ગુનાહીત કૃત્ય કરવામા આવ્યું ગુજરાત રાજ્ય અને ભારત દેશમાં આ રીતના હજૂ કેટલા કૌભાંડો કર્યાં હશે તેની તપાસ પણ વલસાડ પોલિસ દ્વારા કરવામા આવે તો મોટો કૌંભાંડ બહાર આવેતેવી શક્યતા

સાળા બનેવી ની જુગલ જોડીએ વિદ્યાર્થી ઓ ના ભવિષ્ય સાથે ચેડા કરી ડુબ્લિકેટ રિઝલ્ટ, અને ડુબ્લિકેટ માર્કશીટ અને ડુબ્લિકેટ સર્ટિ ફિકેટ બનાવી લખોરૂપિય પડાવી લીધા આ જૉ આ ડુબ્લિકેટ સર્ટિઓની તપાસ કરવામા આવે તો ઘણું શ્રડીયંત્ર બહાર આવે તેવી સંભાવના છે

ધરમપુરમાં નર્સિંગ કોર્ષ કરવાના નામે એક સંસ્થા ખોલી વિધાર્થીઓપાસે સ્કોલરસીપના નાણાં લઈ તેમજ ઓરીજનલ ડોક્યુમેન્ટ લઈ લીધા બાદ ના ડોક્યુમેન્ટ પરત કર્યા કે ન સ્કોલરસીપના નાણાં અનેક વિધાર્થીઓ સાથે કરવામાં આવેલી છેતરપિંડીના કેસમાં વિદ્યાર્થીઓએ પોલીસ મથકે ફરિયાદ કરતા સમગ્ર કેસમાં પોલીસે 5 આરોપી પૈકી. અગાઉ 2 આરોપીઓ અને ગતરોજ 1 આરોપિ ની ધરપકડ કરી હતી અગાઉના આરોપીઓ ના રિમાન્ડ કોર્ટે મંજૂર કરી રિમાન્ડ આપ્યા હતા. મુખ્ય માસ્ટર માઈન્ડ આરોપી વિરલ ને કોર્ટ કેટલા દિવસના રિમાન્ડ આપે છે તે જોવાનું રહ્યું. વધુમાં વલસાડ પોલિસે અન્ય આરોપી ની પણ ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે ત્યારે શિક્ષણ ના નામે કૌભાંડ ચલાવનારા અને ,વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા હોય આગામી દિવસમાં સંસ્થા દ્વારા વિધાર્થીઓનું અહિત કેમ થયું તે અંગે પોલીસ તપાસ માં બહાર આવશે..

વલસાડ ના ધરમપુરમાં નર્સિંગ કોલેજને નામે અનેક વિધાર્થીઓ સાથે છેતરપિંડી કરનાર 5 આરોપીઓ પૈકી અગાઊ બે આરોપીઓની ધરપકડ કર્યાં બાદ ગતરોજ મુખ્ય માસ્ટર માઈન્ડ વિરલ ચિંતામણી ની ધરમ પુર પોલીસે કરી ધરપકડ Read More »

Uncategorized ખેતીવાડી

વલસાડ જિલ્લા મા બૂટલેગરો તેમજ જુગાર ચલાવનાર ગેમ્બલરો ને મૂળિયાંમાથી ઉખેડનાર રાજદીપસિંહ ઝાલા દાહોદ SP તરીકે મુકાયા

એહવાલ અનીસ શેખ

વલસાડ જિલ્લા ના નિસ્પક્ષ નિડર અને પોતાનાં કામ થી જાણીતાં અસપી રાજદીપ સિંહ ઝાલાને દાહોદ ખાતે SP તરીકે ફરજ પર મુકાયા

વલસાડ જિલ્લા મા દારૂના બૂટલેગરો અને જુગારીયાઓ ને મૂળિયામાં થી ઉખાડી નાખનાર અને ગૌતસ્કરોમાં ફફડાટ ઊભો કરનાર , મર્એડરવલસાડ જિલ્લા મા દારૂના બૂટલેગરો અને જુગારીયાઓ ને મૂળિયામાં થી ઉખાડી નાખનાર અને ગૌતસ્કરોમાં ફફડાટ ઊભો કરનાર એસપી રાજદીપ સિંહ ઝાલા દાહોદ એસપી તરીકે મુકાયાથી લઇને લૂંટ જેવાં ગુનાહો ગણત્રી ના કલાકો મા ડિટેકટ કરી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલ નાર ઝાબાજ SP રાજદીપ સિંહ ઝાલા દાહોદ એસપી તરીકે મુકાયા

ગુજરાત સરકારે મોડી સાંજે 70 જેટલા આઇપીએસ અધિકારીએ ની સગમટે બદલીઓ કરતા આ બદલીઓ ના દોર મા પંચમહાલ રેન્જ આઇજી ચિરાગ કોરડીયા, પોલીસ અધિક્ષક બલરામ મીણા, નવ નિયુક્ત એ,સપી જગદીશ બાંગરવાની બદલી કરવામા આવિ છે, ઉપરોક્ત અધિકારીએ ની બદલી થતાં 2002 માં દાહોદમાં દાહોદ મા ડીવાય એસપી તરીકે ફરજ બજાવ નાર રાજેન્દ્ર અસારીની પંચમહાલ રેન્જ આઇજી તરીકે બદલી કરી છે, જ્યારે વલસાડ જિલ્લા માં બૂટલેગરો તેમજ જુગાર ચલાવનારા ગેમ્બ્લારો ને જડ મૂળમાંથી ઉખેડનાર રાજદીપ સિંહ ઝાલા ને દાહોડ SP તરીકે નિયુક્ત કરાયા છે , જયરે ASP તરીકે સિદ્ધાર્થ ની પહેલેથીજ નિમણુક કરીડદેવામાં આવિ છે.

છેલ્લાં ઘણાં સમય થી દાહોદ જિલ્લામાં ઈંગ્લીશ દારૂની હાટડીઓ પર સ્ટેટ મોનીટરીંગ સેલ ના દરોડા પડતા હોવા છતાં સ્થાનીક પોલીસ તથા એલસીબી પોલીસ ના પેટનું પાણી હલતું નહતું , ગુજરાત સરકારે આ બાબતને ગંભીર રિતે ધ્યાન પર લઈ વલસાડ મા બૂટલેગરો ને જડ મૂળમાંથી ઉખાડી ફેકનાર 2012 ની બેચના SP રાજદીપ સિંહ ઝાલાને દાહોદ માSP ની ફરજ પર મુકાયા.દાહોદ મા ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ ની શાન ઠેકાણે લાવવા અને દાહોદ ને દારૂની બદીમાં થી મુક્ત કરાવવા અને મધ્યપ્રદેશ અને રાજસ્થાન ની બોર્ડર પર થી વિદેશી દારૂ ગુજરાત માં ઠાલવનારા બૂટલેગરો પર અંકુશ મેળવવા મા આવશે તેવી દાહોદ નાં નાગરિકો ની આશા જાગી છૅ ..

વલસાડ જિલ્લા મા બૂટલેગરો તેમજ જુગાર ચલાવનાર ગેમ્બલરો ને મૂળિયાંમાથી ઉખેડનાર રાજદીપસિંહ ઝાલા દાહોદ SP તરીકે મુકાયા Read More »

Uncategorized ખેતીવાડી

વરસાદી માહોલમાં અહલાદક અનુભવ કરાવતું મોડાસા તાલુકા પાસે દધાલીયા ખાતે આવેલ કકરાઈ માતાજીનું મંદિર

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી,ગુજરાત

શ્રદ્ધા સાથે કુદરતી સૌંદર્યના દર્શન એટલે કકરાઈ માતાજીનું મંદિર

શ્રી કકરાઈ માતા મોડાસા તાલુકાના ડુંગરમાળામાં બિરાજેલા છે.આ સુંદર સ્થળને ‘મીની પાવાગઢ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કકરાઈ માતાનું મંદિર મોડાસાથી લગભગ 22 કિલોમીટર દૂર છે.જંગલ અને ડુંગર વચ્ચે આવેલા કકરાઈ માતાના મંદિર સુધી પહોંચવાનો માર્ગ ખૂબ જ સુંદર છે.કુદરતી સુંદરતાથી ખીલેલો અને કુદરતના સાનિધ્યમાં આ સ્થળની મુલાકાત લેવાથી એક અલગ જ અનુભૂતિ થાય છે.

કુદરતના ખોળે આવેલ આ સુંદર મંદિરમાં શ્રદ્ધાળુઓ ખુબજ આસ્થાથી આવે છે. એટલે કુદરતની સુંદરતા અને આસ્થાનો સુખદ સમન્વય જોવા મળે છે. અરવલ્લીની ગીરીમાળાઓમાં અનેક સુંદરતાસભર પ્રકૃતિના દર્શન થાય છે.

પર્વત ઉપર ઉભા રહી કુદરતની સુંદરતા નિહાળી શકો છો આ મંદિર સુધી પહોંચવા માટે તમારે ખાનગી વાહનો દ્વારા જવું પડશે. કકરાઈ માતા નું મંદિર ટોચની ટેકરી પર સ્થિત હોવાથી તમે ત્યાં આસપાસ આવેલા ગામડાઓને ખેતરોના સુંદર દ્રશ્યો જોઈ શકો છો. કહેવાય છે કે આ મંદિરની સ્થાપના વિક્રમ સવંત 1648 માં પ્રથમ સૂર્યવંશીના હસ્તે કરવામાં આવી હતી. માટી છાણ તેમજ ધાતુથી નિર્મિત માતાજીની મૂર્તિ ધરાવતું આ મંદિર શરૂઆતમાં નાનું હતું. પરંતુ હવે તેમાં વખતે વખત સુધારા કરી મંદિર મોટું બનાવવામાં આવ્યું છે. માતાના ભક્તોને દર્શન માટે વિવિધ સ્થળોથી આવે છે. આ મંદિર હિન્દુ સમાજની કેટલીક જાતિઓ પોતાના બાળકોની બાધા ઉતરાવવા આવતા હોય છે. મંદિરના સુંદર શાંત અને વિશાળ પરિસરમાં પહોંચતા જ આધ્યાત્મિક અહેસાસ થાય છે. સવારનો અને સાંજના સમયે સ્થળ પર જવાનો સંતોષકારક સમય છે.

વરસાદી માહોલમાં અહલાદક અનુભવ કરાવતું મોડાસા તાલુકા પાસે દધાલીયા ખાતે આવેલ કકરાઈ માતાજીનું મંદિર Read More »

Uncategorized ખેતીવાડી

વડાપ્રધાન મોદીએ પગના નિશાનને ઓળખી શકતા રણછોડભાઈ પગીની શૌર્ય ગાથાની પ્રશંસા કરી ,પગના નિશાન જોઈ પગી કહી દેતા કે ઊંટ પર કેટલી સવારી છે

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૯૬૫ અને ૧૯૭૧ના યુધ્ધ દરમિયાન કચ્છના રણમાં ભારતીય સેના સેના માટે ગાઈડની ભૂમિકા ભજવનાર જાંબાઝ રણછોડભાઇ પગીની વીરતાને બિરદાવી છે. શ્રી વડવાળા મંદિર દૂધરેજ ધામના મહંત શ્રી કનીરામદાસજી મહારાજે લખેલા પત્રનો જવાબ આપતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે સાધારણ સંજોગોમાંથી આવતા અસાધારણ નાયકોના શૌર્યનું ઉચિત સન્માન થાય તે તેમની સરકારની પ્રાથમિકતા રહી છે. એમણે ઉમેર્યું કે એ જરૂરી છે કે આવા લોકોની જીવન ગાથા પ્રજા સામે આવે જેથી આવનારી પેઢી એમની વીરતા, એમના સાહસ અને પરાક્રમમાંથી પ્રેરણા લઇ શકે. એમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આઝાદીના અમૃત કાલખંડમાં પોતાના વારસા, આપણા નાયકો માટે ગૌરવ અનુભવી દેશ નિરંતર આગળ વધી રહ્યો છે.

રણછોડભાઈ પગી ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધના એ ગુમનામ નાયકોમાંના એક છે જેની આજની પેઢીને જાણકારી નથી. એમની પાસે એક ખાસ હુન્નર હતું જેના કારણે એમણે બંને યુધ્ધોમાં અગત્યની ભૂમિકા ભજવી.રણછોડભાઈ પગી કચ્છના રણમાં ઊંટના પગના નિશાન જોઇને જણાવી દેતા કે ઊંટ પર કેટલા લોકો સવાર છે, એટલું જ નહીં માણસના પગન નિશાન જોઈ એમના કદ કાઠી વિષે પણ તેઓ જાણકારી આપી શકતા હતા. એમની આ વિલક્ષણ પ્રતિભાને કારણે એમણે ભારતીય સેના માટે આ યુદ્ધોમાં ગાઈડની ભૂમિકા નિભાવી અને દુશ્મનોની હિલચાલની જાણકારી આપતા રહેતા.

આવા નાયકોની પ્રેરક ગાથાઓ સમાજ સમક્ષ ઉજાગર કરવાના ભાગરૂપે ગુજરાતના શાળા પાઠ્યપુસ્તકમા રણછોડભાઈ પગીની જીવનગાથાને સમાવવામાં આવી છે. સરકાની આ પહેલને બિરદાવતાં શ્રી વડવાળા મંદિર દૂધરેજ ધામના મહંત શ્રી કનીરામદાસજી મહારાજે તાજેતરમાં પત્ર લખ્યો હતો. એમણે કહ્યું કે રણછોડભાઈ પગીના પ્રેરક જીવનને પાઠ્યપુસ્તકમાં સામેલ કરવાથી ભાવી પેઢી સુધી તેમની શૌર્યગાથાની જાણકારી સરળતાથી પહોંચશે. વીર નાયકોની આવી ગાથાઓ બાળકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત કરી ભવિષ્યના જવાબદાર નાગરિક બનાવવામાં મદદરૂપ નીવડશે.

વડાપ્રધાન મોદીએ પગના નિશાનને ઓળખી શકતા રણછોડભાઈ પગીની શૌર્ય ગાથાની પ્રશંસા કરી ,પગના નિશાન જોઈ પગી કહી દેતા કે ઊંટ પર કેટલી સવારી છે Read More »

Uncategorized ખેતીવાડી

મોડાસામાં ગાયત્રી પરિવાર- પારિવારિક યુવા સંમેલન યોજાયું વિશ્વની દિશા અને દશા બદલી શકે છે યુવા : જીગર ઠક્કર

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

જીપીવાયજીના યુવાનોએ પ્રકૃતિ અને સમાજ સેવા માટે કર્યું ચિંતન મંથન.

મોડાસા, 12 જુન: યુવાઓને વધુ વેગવાન બનાવવા યુવાનોનું પારિવારિક યુવા સંમેલન ૧૧ જૂન, રવિવારે મોડાસા ખાતે યોજાયું . મુખ્ય અતિથિ ગોપાલ સ્નેક્સ પ્રા. લી. ના જયસુખભાઈ ચાપલા તથા રશિલાબેન ચાપલા તેમજ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્યથી શુભારંભ થયો. વિશેષ મહેમાનોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું. અરવિંદભાઈ કંસારાના મધુર અવાજમાં યુવાઓ માટે જોશભર્યા પ્રજ્ઞાગીત સંગીતથી યુવાનોમાં નવિન ઉત્સાહનો સંચાર થયો. કોર્પોરેટ જગત તથા યુવા વર્ગના ઉદ્બોધન માટે પ્રસિદ્ધ એવા વડોદરાથી આવેલ જીગરભાઈ ઠક્કરે પોતાના ઉદ્બોધનમાં સમગ્ર વિશ્વમાં ભારત યુવા દેશ છે. આ યુવાનો યોગ્ય રાહ પર ચાલે તો વિશ્વની દશા અને દિશા બદલી શકે છે. યુવાઓના ઉત્થાન માટે આદર્શો વિષે ખૂબ જ ઝીણવટ ભરી રજૂઆત કરી. યુવાવસ્થામાં અનેક સપનાઓને સાકાર કરવાનો સમય હોય છે. ગુજરાતના ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે. ઘટમાં ઘોડા થનગને આતમ વિંઝે પાંખ .આ કવિતા રચનાત્મકતા તરફ યુવાનોને દિશા નિર્દેશ કરે છે. યુવાનીમાં રચનાત્મકતા અને સૃજનાત્મકતા ના હોય તો યુવાની એળે જાય છે. રચનાત્મકતાનું બીજુ નામ છે યુવા. આ વાક્ય આ સંમેલનના મોટીવેટર કિરણ પટેલે લવ યુ જીંદગી વિષય પર ઉદ્બોધનમાં જણાવ્યું. ગાયત્રી પરિવાર યુવા પ્રકોષ્ઠ, ગુજરાતના સંયોજક કિરિટભાઈ સોનીએ યુવાનો માટે હાલના વિકટ સમયમાં ભયસ્થાનોથી બચવા માટે હ્રદયની વેદના ભર્યા અવાજમાં પોતાના વિચારો રજુ કર્યા. જન સેવાના કાર્યો વિષે યુવાઓની ફરજો પર પ્રકાશ પાડ્યો. ઉપસ્થિત સૌ યુવા ભાઈઓ બહેનોએ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા. સૌએ ગાયત્રી ચેતના કેન્દ્રની યુવા ટીમ જીપીવાયજી- મોડાસા દ્વારા ચાલતી જન સેવાકિય અને પ્રકૃતિને અનુસરણ જીવન માટેની પ્રવૃતિઓ વધુ વેગવાન બનાવવા પોતાની તૈયારી બતાવી. આ માટે યુવા જિલ્લા સંયોજક ભાર્ગવભાઈ પ્રજાપતિએ દરેક આંદોલનો માટે અલગ અલગ ટીમોની રચના કરવા રજૂઆત કરી. જેથી જીપીવાયજી દ્વારા ચાલતી પ્રવૃતિઓ વધુ વેગવાન થઈ શકે. આ માટે સૌ યુવાઓનો સમય તેમજ પોતાની શક્તિઓ સમાજ સેવામાં લગાવવા આહવાન કરવામાં આવ્યું. જેમાં સૌ યુવાઓએ પોતાના રસપ્રદ આંદોલનમાં સહભાગી થવા બસોથી વધુ યુવા ભાઈ- બહેનોએ સંકલ્પ કર્યા.
આ પારિવારિક યુવા સંમેલન સફળ બનાવવા જીપીવાયજી મોડાસાની ટીમના સૌ યુવાઓએ ખૂબ જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર આયોજનનું સંચાલન સ્વાતિબેન કંસારાએ કર્યું.

મોડાસામાં ગાયત્રી પરિવાર- પારિવારિક યુવા સંમેલન યોજાયું વિશ્વની દિશા અને દશા બદલી શકે છે યુવા : જીગર ઠક્કર Read More »

Uncategorized ખેતીવાડી

વલસાડ જિલ્લાની ત્રણ પંચાયતોનો સ્માર્ટ વીલેજ માં સમાવેશ કરવમાં આવ્યો. જાણો ક્યાં ક્યાં ગામોને સ્માર્ટ વિલેજ તરીકે સીએમ એ ઓળખ આપી

એહવાલ અનીસ શેખ

વાપી તાલુકાના મોરાઇ,પારડીના ઉદવાડા અને ઉમરગામના ભીલાડ ગામને સ્માર્ટ વિલેજ ગામની ઓળખ સરકારે આપી છે

તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 16 જિલ્લાની 35 ગ્રામ પંચાયતોને સ્માર્ટ વિલેજ તરીકે જાહેર કરી છે. જેમાં વલસાડ જિલ્લાની ત્રણ પંચાયતોનો સમાવેશ થાય છે. વાપી તાલુકાના મોરાઇ,પારડીના ઉદવાડા અને ઉમરગામના ભીલાડ ગામને સ્માર્ટ વિલેજ ગામની ઓળખ સરકારે આપી છે. આ ત્રણેય ગામોમાં અદ્યતન પંચાયત કચેરી બનેલી છે.મોટા ભાગની કામગીરી ઓનલાઇન પણ થઇ રહી છે. સરકારની જાહેરાતથી ત્રણેય ગામોમાં આનંદની લાગણી પ્રસરી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાલુકાદીઠ એક ગામ સ્માર્ટ વિલેજ બનાવવાના વિકાસલક્ષી અભિગમ સાથે 16 જિલ્લાના 35 ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા છે. આ ગામો રાજ્ય સરકારની સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજના અન્વયે પસંદ કરાયેલા ગામો છે. સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજનામાં પસંદ થયેલા આ ગામોના સર્વાંગી વિકાસ માટે ગ્રામ પંચાયત દીઠ પાંચ લાખ રૂપિયાની પુરસ્કાર રકમ આપવામાં આવશે ફક્ત એટલું જ નહિ, આ ગામોને વિકાસ કામો માટેના સ્વ ભંડોળનો આ પુરસ્કાર રાશિ ભાગ બનશે,ત્યારે વલસાડ જિલ્લાની ત્રણ પંચાયતોનો સ્માર્ટ વિલેજમાં સમાવેશ થયો છે,જેમાં વાપી તાલુકાના મોરાઇ,પારડીના ઉદવાડા અને ઉમરગામના ભીલાડ ગામને સ્માર્ટ વિલેજ ગામની ઓળખ સરકારે આપી છે.સરકારે આ ત્રણેય ગામોની સુવિધા અને માપદંડોના આધારે પસંદગી કરી છે.અઘત્તન પંચાયત કચેરી અને મોટા ભાગની કામગીરી ઓનલાઇન પણ થઇ રહી છે. સરકારની જાહેરાતથી ત્રણેય ગામોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે.

સ્માર્ટ વિલેજથી ફાયદો થશે
રાજય સરકારે મોરાઇ ગામને સ્માર્ટ વિલેજ તરીકે જાહેર કર્યું છે. સ્માર્ટ વિલેજની ઓળખના કારણે ગામને ફાયદો થશે. ઝડપથી મોરાઇ ગામનો વિકાસ થશે.ગામના સર્વાંગી વિકાસ માટે સરકારે સારો નિર્ણય લીધો છે. જોકે, આ મુદ્દે હજુ સરકારની કોઇ ગાઇડ લાઇન પંચાયતને મળી નથી. જેની રાહ જોવાઇ રહી છે. > પ્રતિક પટેલ, સરપંચ,મોરાઇ તા.વાપી

વલસાડ જિલ્લાની ત્રણ પંચાયતોનો સ્માર્ટ વીલેજ માં સમાવેશ કરવમાં આવ્યો. જાણો ક્યાં ક્યાં ગામોને સ્માર્ટ વિલેજ તરીકે સીએમ એ ઓળખ આપી Read More »

Uncategorized ખેતીવાડી

મોથાલિયા પૂર્વ કચ્છ એસપી મહેન્દ્ર બગડિયા નાં નેતૃત્વ હેઠલ 1કરોડ 4લાખ ની લૂંટ કરનારાર આરોપી ઓ ને પકડી પાડી 93લાખ નો મુદ્દા માલ જપ્ત કરાયો

એહવાલ તંત્રી અનીસ શેખ

ગાંધીધામના ચકચારી આંગડિયા લૂંટ કેસમાં ૬ આરોપીઓ ઝડપાયા.

ગાંધીધામ: શહેરમાં આવેલ આંગડિયા પેઢીમાં સંચાલકોને બંદુક બતાવી ૪ ઈસમોએ ૧ કરોડ ૫ લાખની લૂંટ ચલાવીને નાસી ગયા હતા. કચ્છના ઈતિહાસની સૌથી મોટી આંગડિયા લૂંટ કેસમાં ફરિયાદ થયા બાદ પોલીસે આરોપીઓને પકડવા માટે કવાયત હાથ ધરી હતી, જેમાં કુલ ૬ શખ્સોને ઉઠાવીને 93 લાખનો મુદામાલ રિકવર કરવામાં આવ્યો છે.

આઈજી જે. આર. મોથાલિયા પૂર્વ કચ્છ એસપી મહેન્દ્ર બગડિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી હતી. આઈજી જે. આર. મોથાલિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, રરમી મેના આંગડિયા પેઢીમાં ૪ હેલ્મેટધારી શખ્સો ઘુસી આવ્યા હતા. અને પિસ્તોલ બતાવી રૂપિયા લૂંટીને બે બાઈક પર નાસી ગયા હતા. જે ઘટના કેમેરામાં પણ કેદ થઈ હતી. આ બનાવમાં પોલીસે કુલ ૬ શખ્સોને રાઉન્ડઅપ કર્યા છે. લૂટમાં મદદ કરનાર અન્ય છ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે. પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓનું પગેરૂ દબાવ્યું હતું. જેમાં ઉજજવલ અમરેન્દ્ર પાલ (ઉત્તરપ્રદેશ) હનીફ ઈસ્માઈલ સોઢા (મીઠીરોહર), યોગેન્દ્ર ઉર્ફે યોગી ઉર્ફે પહેલવાન શ્યામલાલ ચૌહાણ (યુપી), મુકેશસિંગ ઉર્ફે બીપી તાલુકદારસિંગ (પડાણા), વિપુલ બગડા રામદી ગગડા (મીઠીરોહર) અને હનીફ સીધીક લુહાર (વાયરો) નામના છ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી 96 લાખ 90 હજાર 30 રૂપિયા રોકડા, ઈન્ડિગો કાર, ઈન્ડિકા કાર, બોલેરો ડાલુ, મોટર સાઈકલ-2 સહિતના વાહનો કિમત રૂપિયા 9 લાખ, 1 લાખ 25 હજારની હાથ બનાવટની પિસ્ટલ –૫ અને 47 જીવીત કાર્ટીશ કબ્જે કરાયા

હતા. તેમજ 25 હજાર 500ની કિમતના 6 મોબાઈલ મળીને કુલ 1 કરોડ 7 લાખ 45 હજાર 230નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. તેમજ આરોપીઓને મદદગારી કરનાર આરોપીઓ નઈમખાન ઉર્ફે સુદુ, શિવમ સુભાષ યાદવ, આલોક રામપ્રસાદ ચૌહાણ, અરૂણ પ્રેમકુમાર ચૌહાણ, જુણસ ઈસ્માઈલ સોઢા અને દીપક રામભવન રાજભર સંડોવણી નિકળતા પોલીસે ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

મોથાલિયા પૂર્વ કચ્છ એસપી મહેન્દ્ર બગડિયા નાં નેતૃત્વ હેઠલ 1કરોડ 4લાખ ની લૂંટ કરનારાર આરોપી ઓ ને પકડી પાડી 93લાખ નો મુદ્દા માલ જપ્ત કરાયો Read More »

Uncategorized ખેતીવાડી