ઓટો

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ: ૨૦૨૩-૨૪ રાજ્યમાં કન્યા કેળવણીને પ્રોત્સાહિત કરતી યોજનાઓના અમલીકરણથી ધોરણ ૧ થી ૮ની બાળાઓનો ડ્રોપઆઉટ દર ૨૨.૮ ટકાથી ઘટીને ૩.૦૧ ટકા થયો  

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી  

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના પરિણામે રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સર્જાણી

શાળા પ્રવેશોત્સવના પરિણામે ગુજરાતમાં છેલ્લાં ૨૦ વર્ષ દરમિયાન બાળકોના નામાંકનનો દર ૭૫ ટકાથી વધીને ૧૦૦ ટકાની નજીક પહોંચ્યો

વર્ષ ૨૦૦૧ થી ૨૦૨૨ સુધીમાં રાજ્યની શાળાઓમાં નવા ૧.૪૨ લાખ વર્ગખંડોનું નિર્માણ: પહેલા ૩૮ વિદ્યાર્થી દીઠ એક વર્ગખંડ હતો, જ્યારે હવે ૨૬ વિદ્યાર્થી દીઠ એક વર્ગખંડ ઉપલબ્ધ
  
વર્ષ ૨૦૦૧ થી ૨૦૨૨ સુધીમાં બે લાખથી વધુ શિક્ષકોની ભરતી કરાઈ

‘સૌ ભણે, ગણે અને આગળ વધે’ તથા સૌને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન મળે તેવા ઉમદા આશય સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩થી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. ઇતિહાસની આ પ્રથમ ઘટના હતી જેમાં મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ગામડે-ગામડે જઈ શાળા પ્રવેશોત્સવ થકી નાના ભૂલકાઓને શાળામાં આવકારતા હતા. વડાપ્રધાનશ્રીએ શરુ કરેલી શિક્ષણની આ પરંપરાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સફળતાપૂર્વક આગળ ધપાવી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ આગામી તા.૧૨ થી ૧૪ જૂન દરમિયાન સમગ્ર રાજ્યમાં ૨૦મો શાળા પ્રવેશોત્સવ યોજાશે. ‘ઉજવણી ઉજ્જવળ ભવિષ્ય’ની થીમ સાથે યોજાનારા આ શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી શુભારંભ મુખ્યમંત્રીશ્રી કચ્છથી બાળકોને શાળામાં પ્રવેશ કરાવીને કરશે.

શાળા પ્રવેશોત્સવના પરિણામે ગુજરાતમાં શૈક્ષણિક ક્ષેત્રે ક્રાંતિ આવી છે. શાળા પ્રવેશોત્સવ શરુ થયો તે પહેલા વર્ષ ૨૦૦૨-૦૩માં ગુજરાતમાં નેટ એનરોલ્મેન્ટ રેટ એટલે કે, ધોરણ -૧માં વિદ્યાર્થીઓનો નામાંકન દર ૭૫.૦૫ ટકા હતો. ધોરણ-૧માં વિદ્યાર્થીઓના નામાંકન દરને ૧૦૦ ટકા સુધી પહોંચાડવા માટે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ શાળા પ્રવેશોત્સવની શરુઆત કરવામાં આવી હતી. જેના પરિણામે બીજા જ વર્ષે ૨૦૦૪-૦૫માં નામાંકન દર વધીને ૯૫.૬૪ ટકા થયો. ત્યારબાદ વર્ષ ૨૦૧૨-૧૩માં આ નામાંકન દર ૯૯.૨૫ ટકા સુધી પહોંચ્યો અને ત્યારથી અત્યારસુધી ધોરણ-૧માં વિદ્યાર્થીઓનો નામાંકન દર ૧૦૦ ટકાની નજીક જ રહ્યો છે.

શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમોથી લોકોમાં જાગૃતિ આવી અને નાગરિકો શિક્ષણનું મહત્વ પણ સમજતા થયા. એ સમય હતો જ્યારે અનેક બાળકો વિવિધ કારણોસર અભ્યાસ અધૂરો છોડતા હતા. વર્ષ ૨૦૦૪-૦૫માં રાજ્યમાં ધોરણ ૧ થી ૮ નો ડ્રોપઆઉટ રેટ ૧૮.૭૯ ટકા હતો, અને ધોરણ ૧ થી ૫ નો ડ્રોપઆઉટ રેટ ૧૦.૧૬ ટકા હતો. પરંતુ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અને રાજ્ય સરકારના વિવિધ પ્રયાસોના પરિણામે આજે અભ્યાસ અધૂરો છોડીને જતા બાળકોની સંખ્યામાં ધરખમ ઘટાડો આવ્યો છે. વર્ષ ૨૦૨૧-૨૨ સુધીમાં ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેટ ઘટીને ૨.૮૦ ટકા સુધી પહોંચ્યો હતો, જ્યારે ધોરણ ૧ થી ૫ નો ડ્રોપઆઉટ રેટ વર્ષ ૨૦૨૧-૨૨માં ઘટીને ૧.૨૩ ટકા સુધી પહોંચ્યો હતો.

વર્ષ ૨૦૦૪-૦૫ સુધી રાજ્યમાં કન્યાઓનો નામાંકન દર પણ ખૂબ જ ઓછો હતો, જેના પરિણામે શાળાના વર્ગોમાં કુમાર અને કન્યાના પ્રમાણમાં અસમાનતા જોવા મળતી હતી. આ સમસ્યાના સમાધાન માટે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા શાળા પ્રવેશોત્સવની સાથે કન્યા કેળવણી મહોત્સવ અને ત્યારબાદ કન્યા કેળવણી નિધિ, વિદ્યાલક્ષ્મી બોન્ડ અને વિદ્યાદીપ જેવી અનેક યોજનાઓની શરૂઆત કરાવી હતી. જેના પરિણામે કન્યાઓને શિક્ષણમાં પ્રોત્સાહન મળ્યું અને વર્ષ ૨૦૦૪-૦૫માં ધોરણ ૧ થી ૮ની કન્યાઓનો જે ડ્રોપઆઉટ રેટ ૨૨.૮ ટકા હતો, તે ઘટીને વર્ષ ૨૦૨૧-૨૨માં ૩.૦૧ ટકા સુધી પહોંચ્યો છે. ધોરણ ૧ થી ૫ નો ગર્લ ચાઈલ્ડ ડ્રોપઆઉટ રેટ ૧૧.૭૭ ટકાથી ઘટીને વર્ષ ૨૦૨૨ સુધીમાં ૧.૧૬ ટકાએ પહોંચ્યો છે.

ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ ઉપરાંત શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે સ્વચ્છતાથી માંડીને માળખાગત અને અદ્યતન તકનીકી સુવિધામાં પણ અઢળક વધારો કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૦૧-૦૨માં સ્ટુડન્ટ ક્લાસરૂમ રેશિયો ૩૮:૧ એટલે કે સરેરાશ ૩૮ વિદ્યાર્થી દીઠ ૧ વર્ગખંડ ઉપલબ્ધ હતો. વર્ષ ૨૦૦૧ થી ૨૦૨૨ સુધીમાં સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં નવા ૧.૪૨ લાખ જેટલા વર્ગખંડોનું નિર્માણ કરવાથી આ રેશિયો ઘટીને વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૬:૧ સુધી પહોંચ્યો હતો.

આટલું જ નહિ, વર્ષ ૨૦૦૧-૦૨માં રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થી શિક્ષકનો ગુણોત્તર પણ ૪૦:૧ હતો, એટલે કે રાજ્યમાં પ્રતિ ૪૦ વિદ્યાર્થી માત્ર એક શિક્ષક ઉપલબ્ધ હતો. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૦૧-૦૨ થી ૨૦૨૧-૨૨ના સમયગાળા દરમિયાન બે લાખથી વધુ શિક્ષકો અને મુખ્ય શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી. જેના પરિણામે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થી શિક્ષકનો ગુણોત્તર ૨૦૨૧-૨૨માં સુધરીને ૨૮:૧ થયો હતો. નોંધપાત્ર બાબત તો એ છે કે, ગુજરાતનો વિદ્યાર્થી શિક્ષકનો ગુણોત્તર અન્ય રાજ્યોની સરખામણીએ અને રાઈટ ટુ એજ્યુકેશનના નિયમોમાં દર્શાવેલ વિદ્યાર્થી શિક્ષકના ગુણોત્તર કરતા આગળ છે.

આમ, જોવા જઈએ તો ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના પરિણામે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે. વર્ષ ૨૦૨૧માં થયેલા નેશનલ એચીવમેન્ટ સર્વેમાં ગુજરાતનો સમાવેશ દેશના શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્યોમાં થયો હતો. આ ઉપરાંત ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્ષમાં પણ ગુજરાતે ૧૦૦૦ માંથી ૯૦૩ અંક મેળવી ટોચનું પ્રદર્શન કરતા રાજ્યોમાં સ્થાન મેળવ્યું છે.

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ: ૨૦૨૩-૨૪ રાજ્યમાં કન્યા કેળવણીને પ્રોત્સાહિત કરતી યોજનાઓના અમલીકરણથી ધોરણ ૧ થી ૮ની બાળાઓનો ડ્રોપઆઉટ દર ૨૨.૮ ટકાથી ઘટીને ૩.૦૧ ટકા થયો   Read More »

Uncategorized ઓટો

વારેણા આશ્રમશાળા ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજ સેવા ટ્રસ્ટ બાયડ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

શોર્યધામ ફાગવેલ ટ્રસ્ટ ના પ્રમુખ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા

સમાજના શિક્ષિત આગેવાનો દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું

શોર્યધામ ફાગવેલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ભૂપતસિંહ સોલંકી દ્વારા શોર્યધામ ફાગવેલ ના ટ્રસ્ટ ને પચ્ચીસ હજારનો ચેક અર્પણ કરી અનુદાન કરવામાં આવ્યું

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ઠાકોર સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો.ક્ષત્રિય ઠાકોર સમાજ સેવા ટ્રસ્ટ બાયડ દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો જેમાં ધોરણ 10 અને ધોરણ 12ના 95 જેટલા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો.

જેમાં શોર્યધામ ફાગવેલ ટ્રસ્ટ ના પ્રમુખ ભારતસિંહ પરમાર સહિત હોદ્દેદારો, રૂપસિંહ ચૌહાણ, અમૃતસિંહ ઠાકોર,સી.એન.બારીયા, ટ્રસ્ટી ભૂપતસિંહ સોલંકી , બાયડ ક્ષત્રિય ઠાકોર સમાજ પ્રમુખ ભોલસિંહ પરમાર,પૂર્વ ધારાસભ્ય ભીખીબેન પરમાર, માનસિંહ સોઢા, bkts પ્રમુખ મહેશસિંહ ઠાકોર, દોલતસિંહ સોલંકી, અદેસિંહ ચૌહાણ એન.કે.સોલંકી સહિત સરપંચશ્રીઓ, તાલુકા સદસ્યો, જિલ્લા સદસ્યો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ ને સન્માનિત કરી સારા ભવિષ્ય ની શુભકામનાઓ પાઠવી હતી.

વારેણા આશ્રમશાળા ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજ સેવા ટ્રસ્ટ બાયડ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો Read More »

Uncategorized ઓટો

વૃદ્ધ મહિલાની છેડતી કરનાર રોમિયોને કાયદાનું ભાન કરાવતી અરવલ્લી 181 મહિલા અભયમ ટીમ

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં 181 મહિલા અભયમ ટીમ ઉપર પીડીતા બહેનનો કોલ આવ્યો હતો. જેમાં તેમણે જણાવેલ કે રિક્ષાવાળા ભાઈ દ્વારા તેમની છેડતી કરવામાં આવેલ છે. તે સમયે ફરજ પર હાજર 181 ટીમના કાઉન્સિલર મનીષાબેન મકવાણા અને તેમની ટીમ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી બેનનું કાઉન્સિલિંગ કર્યું જેથી કાઉન્સિલિંગ કરતા પીડિત મહિલાએ જણાવેલ કે તેઓ મોડાસાથી માલપુર જવા માટે મોડાસા ચોકડીથી રિક્ષામાં બેઠા હતા તે દરમિયાન સાકરીયાથી આગળ જતા રિક્ષાવાળા ભાઈએ બાથરૂમ જવાના બહાને રીક્ષા ખેતરમાં લઈ ગયા હતા. ત્યારે પીડીતાબેન રિક્ષામાંથી ઉતરી બીજી સાઈડ ઊભા રહી ફોનમાં જોતા હતા તે દરમિયાન આ રોમિયોએ પાછળથી આવી પીડિત મહિલાનો ફોન હાથમાંથી લઈ લીધો અને બેનના કપડા કાઢી છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો. પીડિત મહિલાએ હિંમત રાખી તેના જોડેથી ફોન ખેંચી લઈ 181 પર જાણ કરી હતી, આથી 181 મહિલા અભયમ ટીમ તરત જ સ્થળ ઉપર જઈ રોમિયોને ધમકાવી પીડિત મહિલાની માફી મંગાવી અને વૃદ્ધાનું યોગ્ય કાઉન્સિલિંગ કર્યું હતું. ત્યારબાદ પીડિત મહિલાની અરજીને આધારે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં રોમિયોને સોંપી દેવામાં આવ્યો જે હેઠળ આગળની કાર્યવાહી પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે.

વૃદ્ધ મહિલાની છેડતી કરનાર રોમિયોને કાયદાનું ભાન કરાવતી અરવલ્લી 181 મહિલા અભયમ ટીમ Read More »

Uncategorized ઓટો

વાપી નગર પાલિકા રામ ભરોસે? એક ડિપ્લોમા એન્જિનિયર નગર પાલિકા મા ૫ જેટલાં ખાતા ઓ પર કબ્જો કરી બેઠા છે?

એહવાલ તંત્રી અનીસ શેખ

વાપી નગર પાલિકા મા ચાલતો જાતિવાદ કોની મહેરબાની ?

મળતી માહિતિ મુજબ  વાપી નગર પાલિકા મા નવા સીઓ ની નિમણુક થયા ના એક વર્ષ મા વાપી નગર પાલિકા મા ઘણાં બધા ફેર ફારો થતાં જોવા મળ્યાં છે!!

હાલમા વાપી નગર પાલિકા મા ડિપ્લોમા સિવિલ એન્જિનિયર ની સર્ટિફિકેટ ધરાવનાર વ્યકિત આખી નગર પાલિકા ના મોટાં ભાગ ના ખાતાઓ ની માલીક બની ને બેસેલો છે ! વાપી નગર પાલિકા ના પ્રમુખ અને ઉપ્રમુખની અને સભ્યો સહિત ની ટીમને સાઈડ મા રાખીને મન ફાવે તેમ કામ ચલાવવા મા આવિ રહ્યું છે જેની ચર્ચા વાપી પંથક મા જોરો શોર મા ચાલી રહી છે  ડિપ્લોમા સિવિલ એન્જિનિયર ને ફાયર શેફટી નાં ઇન્ચાર્જ ઘણા સમય થી વાપી નગર પાલીકા માં નથી તો ફાયર ના અધિકારી વગર ફાયર નુ કામ કોના ભરોસે? *ડિપ્લોમા એન્જિનિયર ના ભરોસે વાપી નગર પાલીકા ની ફાયર ની ટીમ? એપણ રામ ભરોસે!

લાઈટ ના કામ માટે ઈલેક્ટ્રીશિયન ની જરૂર હોય પરંતું વાપી નગર પાલીકા મા તો ડિપ્લોમા સિવિલ એનીજીનીયર ને ઈલેક્ટ્રિકલ  એનીજીનીયરનાં કામ નો પણ ચાર્જ સોંપી દીધો એપણ રામ ભરોસે!
ડિપ્લોમા સિવિલ એન્જીનીયર સર્ટિફિકેટ ધરાવતા કર્મચારી વાપી નગર પાલિકાના આરોગ્ય નુ ખાતું પણ સાંભળી લેતાં હોય છે એપણ રામ ભરોસે! હવે તો હદ કરી વાપી નગર પાલીકા ના એક જ વ્યક્તિ અને તમાંમ કામોમાં નિષ્ણાત છે પ્રાદેશિક કમિશ્નરે આ કર્મચારી અને સી ઓ ને સ્પેશિયલ એવોર્ડ આપી ને સન્માનિત કરવાં જોઈએ જે ૩ જેટલાં સ્પેશિયલ કર્મચારી ઓ નો પગાર બચાવી ને નગર પાલિકાને ફાયદો કરાવી રહ્યા છે..

મહત્વની વાત તો એછે કે ગુજરાત સરકાર ગુજરાત ની જનતાના આરોગ્ય ની સેફ્ટી ને લઈને અવનવી યોજના ઓ અને સ્પેશિયલ સ્ટાફ ની નિમણુક કરિને આરોગ્ય મા અગ્રેસર ગુજરાત ની ભૂમિકા ભજવે છે પરંતું શુ આપડી વાપી નગર પાલીકા મા આરોગ્ય નુ ખાતું સંભાળ નાર કોઇ અધિકારીજ નથી? આરોગ્ય ની જીમેદારી કોની? વાપી નગરપાલીકા એ તો આરોગ્ય ખાતું રામ ભરો સે છોડી ધિધુ*? હવે વાપી ની જનતાના લાડકવાયા નાણાં પ્રધાન કનું ભાઈ દેસાઇ એક નઝર નગર પાલીકા ઉપર કરે તે જરૂરી બન્યું છે! રામ ભરોસે નગરપાલિકા છોડવા કરતા જિમ્મેદાર કર્મચારીઓ ની નિમણુક કરે તેવી વાપી નગર ના લોકો મા માંગ ઉઠવા પામી હતી

વાપી નગર પાલિકા રામ ભરોસે? એક ડિપ્લોમા એન્જિનિયર નગર પાલિકા મા ૫ જેટલાં ખાતા ઓ પર કબ્જો કરી બેઠા છે? Read More »

Uncategorized ઓટો

વાપી: મહિલા ની આત્મનિર્ભરતા રીક્ષા ચાલક ને પસંદ ના આવિ?. અસ્લિન હરકતો કરી મહિલા સાથે અભદ્ર વર્તન કરનાર ને પોલીસે પાઠ ભણવ્યો

મહિલા રિક્ષાચાલક સામે ગંદી હરકત કરનાર આરોપી ને કલાકોમાં જ વલસાડ પોલીસે ઝડપી પોલીસે તેને જાહેરમાં કરાવ્યુ કાયદાનું ભાન

વાપી શહેરમાં એક મહિલા નિયમિત રિક્ષા ચલાવી આત્મનિર્ભર બની છે. મહિલા પોતાના નિત્યક્રમ મુજબ પેસેન્જર લેવા માટે સ્ટેન્ડ પર ઉભી હતી. પરંતુ ત્યાં ઉભેલા અન્ય રિક્ષાચાલકને આ પસંદ ન પડ્યું અને તેને મહિલા રિક્ષાચાલક સાથે પેસેન્જરને લઇને તકરાર કરી.

વલસાડના વાપીમાં (Vapi) એક મહિલા રિક્ષા ચલાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહી છે, પરંતુ વાપીના એક વિધર્મી રિક્ષાચાલકને (Auto driver) કદાચ મહિલાની આત્મનિર્ભરતા પસંદ ન આવી હોય તેમ લાગે છે. વાત કઇક એમ છે કે વાપી શહેરમાં એક મહિલા નિયમિત રિક્ષા ચલાવી આત્મનિર્ભર બની છે. મહિલા પોતાના નિત્યક્રમ મુજબ પેસેન્જર લેવા માટે સ્ટેન્ડ પર ઉભી હતી. પરંતુ ત્યાં ઉભેલા અન્ય રિક્ષાચાલકને આ પસંદ ન પડ્યું અને તેને મહિલા રિક્ષાચાલક સાથે પેસેન્જરને લઇને તકરાર કરી.

આ બેફામ રિક્ષાચાલક આટલેથી પણ ના અટક્યો અને તેને મહિલા રિક્ષાચાલકને અપશબ્દો બોલીને અશ્લીલ હરકત કરી, પરંતુ આ બેફામ વિધર્મી રિક્ષાચાલક એ ભૂલી ગયો કે આ આજના સમયની આત્મનિર્ભર નારી છે. તેને રિક્ષાચાલકની હરકત મોબાઇલમાં કેદ કરી વાયરલ કરી તેના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

તો બીજી તરફ મહિલાની ફરિયાદ મળતા જ પોલીસ સક્રિય થઇ ગઇ હતી અને ગણતરીના કલાકોમાં જ બેફામ વિધર્મી રિક્ષાચાલકને ઝડપી જાહેરમાં મહિલા રિક્ષાચાલકની માફી મંગાવડાવી છે. આ સાથે પોલીસે વિધર્મી રિક્ષાચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે.

વાપી: મહિલા ની આત્મનિર્ભરતા રીક્ષા ચાલક ને પસંદ ના આવિ?. અસ્લિન હરકતો કરી મહિલા સાથે અભદ્ર વર્તન કરનાર ને પોલીસે પાઠ ભણવ્યો Read More »

Uncategorized ઓટો

વિશ્વ પર્યાવરણ દિન ખાસ લેખ: ૨ હિન્દુ પરંપરા મુજબ અગ્નિ સંસ્કાર કરાવવાની સાથોસાથ પર્યાવરણ જાળવણી માટે GEDA નો વિશેષ પ્રયાસ

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

સ્મશાનગૃહોમાં સુધારેલ સ્મશાનભઠ્ઠી લગાડવાની સહાય યોજના: સાત વર્ષમાં રૂ.૨૯ કરોડથી વધુના ખર્ચે ૬ હજારથી વધુ સ્મશાન ભઠ્ઠી લગાવાઈ

અગ્નિ સંસ્કાર માટે વપરાતા લાકડામાં ૪૦ થી ૫૦ ટકા જેટલી બચત

રાજ્યમાં પર્યાવરણના સંરક્ષણ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સઘન આયોજન કર્યું છે. પ્રતિ વર્ષ વધુને વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે. આ જ હેતુ સાથે રાજ્યના સ્મશાન ગૃહોમાં હિન્દુ સમાજના મૃત વ્યક્તિઓના અંતિમ સંસ્કાર માટે ઓછા લાકડાનો વપરાશ થાય તે હેતુથી ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી (GEDA) દ્વારા સુધારેલ સ્મશાન ભઠ્ઠી (સગડી) લગાવવાની સહાય યોજના કાર્યરત છે. જે હેઠળ છેલ્લા ૭ વર્ષમાં રૂ. ૨૯.૩૧ કરોડના ખર્ચે ૬,૫૫૨ જેટલી સ્મશાન ભઠ્ઠી લગાવવામાં આવી છે.

GEDA દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર હિંદુ પરંપરામાં અગ્નિસંસ્કાર વિધિ માટે લાકડાનો ઉપયોગ થતો હોય છે; જેને ઓછો કરી પર્યાવરણનું જતન કરવા માટે  સુધારેલ સ્મશાનભઠ્ઠી લગાવવામાં આવે છે. સુધારેલ સ્મશાનભઠ્ઠીના ઉપયોગથી મૃતદેહના અગ્નિસંસ્કાર પાછળ વપરાતા લાકડામાં આશરે ૪૦ થી ૫૦ ટકા જેટલી બચત થઈ શકે છે. આ યોજનાનો મુળ હેતુ લાકડાની બચત સાથે માનવ શરીરના વધુ ઝડપી અને સ્વચ્છ અગ્નિસંસ્કાર માટે સુધારેલ સ્મશાનગૃહ વિકસાવવાનો છે. આ યોજના હેઠળ ગામના સ્મશાન ગૃહોમાં એક ઈલેક્ટ્રીક સિસ્ટમ સ્થાપિત કરવામાં આવે છે. જેની જાળવણી પંચાયત/તાલુકા પંચાયત/નગર પાલિકા દ્વારા કરવામાં આવે છે.

સુધારેલ સ્મશાનગૃહ યોજના થકી 100 ટકા હિંદુ પરંપરા મુજબ અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. આ ઉપરાંત લોકોની આસ્થા અને માન્યતાનું પણ ધ્યાન રાખવામાં આવે છે. જેમ કે, હિંદુઓની એક મહત્વપૂર્ણ વિધિ કપાલ ક્રિયા અને પંચ સમાધિ જેવી વિધીઓનો પણ અનાદર ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે. પરંપરાગત ખુલ્લી અગ્નિસંસ્કાર પદ્ધતિની તુલનામાં સુધારેલ સ્મશાનગૃહના ઉપયોગથી 40% થી વધુ લાકડાની બચત થાય છે. ખુલ્લી અગ્નિસંસ્કાર પદ્ધતિ માટે સ્મશાન દીઠ લગભગ 350 કિલો લાકડાની જરૂર પડે છે, જ્યારે આ યોજના થકી લાકડાની બચત કરીને પર્યાવરણનું રક્ષણ કરી શકાય છે. સુધારેલ સ્મશાનગૃહમાં અગ્નિસંસ્કાર કરવાથી ખુલ્લા અગ્નિ સંસ્કારની સરખામણીમાં પ્રદૂષણમાં પણ ઘટાડો થયો છે.

આ યોજના વર્ષ ૨૦૧૬થી કાર્યરત છે. આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૨-૨૩માં ૯૦૨ જેટલી સુધારેલ સ્મશાનભઠ્ઠી લગાડવામાં આવી છે. જેની પાછળ રાજ્ય સરકાર દ્વારા રૂ. ૩.૬૭ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ યોજનાનો લાભ લેવા ઈચ્છુક ગ્રામ પંચાયત/ તાલુકા પંચાયત / નગરપાલિકાએ ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી(GEDA)નો સંપર્ક કરવાનો રહે છે.

વિશ્વ પર્યાવરણ દિન ખાસ લેખ: ૨ હિન્દુ પરંપરા મુજબ અગ્નિ સંસ્કાર કરાવવાની સાથોસાથ પર્યાવરણ જાળવણી માટે GEDA નો વિશેષ પ્રયાસ Read More »

Uncategorized ઓટો

વાપી ભાજપ તાલુકા ઉપપ્રમુખ સૈલેશ પટેલ ના હત્યારા જેલના સળિયા પાછળ વાંચો સંપૂર્ણ એહવાલ

વલસાડ જિલ્લા પોલીસે આરોપી ઓ ને ઝડપી પાડી વલસાડ જિલ્લા પોલીસ વડાની પ્રશંસિય કામગિરિ હત્યાના મુખ્ય સૂત્રધાર જેલના સળિયા પાછળ

વાપી તાલુકાના રાજકીય આગેવાન શ્રી શૈલેષભાઇ કીકુભાઇ પટેલ રહે.કોચરવા વાલાની હત્યાનો ભેદ ઉકેલી પાંચ આરોપીઓની ધરપકડ કરતી વલસાડ જીલ્લા પરી

બનાવની વિગત –ગઇ તા.૦૮/૦૫/૨૦૨૩ ના સવારના ૬:૭/૩૦ વાગ્યાના સુમારે રાતા કોપરલી રોડ, રામેશ્વર શિવ મંદીર ખાતે કોચરવા ગામના શ્રી શૈલેષભાઇ પટેલ તેના પરીવારના મહીલા સભ્યો સાથે તેઓની સ્કોર્પીયો કારમાં દર્શન કરવા ગયેલ હતા ત્યારે પરીવારના સભ્યો શિવ મંદીરમાં દર્શન કરવા ગયેલ તે દરમ્યાન રુપભાઇ પોતાની કારમાં ડ્રાઇવીંગ શીટ પર મોબાઇલમાં વ્યસ્ત હતા તે દરમ્યાન કોઇ અજાણ્યા ઇસમોએ શૈલેષભાઇ પર ફાયરીંગ કરી માથાના ભાગે ગોળી મારતા શૈલેષભાઇ ઘટનાસ્થળે મૃત્યુ પામેલ હતા. આ બનાવની પોલીસને જાણ થતા તાત્કાલીક મરણ જનાર શૈલેષભાઇના પત્નિ શ્રીમતી નયનાબેન નાઓ આ ઘટનાના નજરે જોનાર સાહેદ હોય તેણીની ફરીયાદ લઇ ડુંગરા પો.સ્ટે.માં ઇ.પી.કો. કલમ ૩૦૨, ૩૪, ૧૨૦(બી) તથા આર્મ્સ એકટ ૨૫(૧)એ, ૨૫(૧-બી)(એ), ૨૭ મુજબનો ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલ હતી ફરીયાદમાં ફરીયાદીએ (૧) મિતેશ ઈશ્વરભાઈ કો.પટેલ (૨) પીનલ ઈશ્વરભાઈ કો.પટેલ (૩) વિપુલ ઈશ્વરભાઈ કો.પટેલ (૪) શરદભાઈ ઉર્ફે શદીથી દયાળભાઈ કો.પટેલ (૫) સિધ્ધાર્થ ઉર્ફે અમીત સદીયો ઉર્ફે શરદભાઈ કો.પટેલ તમામ રહે.કોચરવા, કુંભારફળીયા (૬) નિલેશ ઉર્ફે નીલુ બાબુભાઈ આહીર રહે,પંડોર કુલ-૬ ઇસમો દ્વારા દશ વર્ષ જુના ઝઘડાની અદાવતનું મને દુઃખ રાખી શૈલેષભાઇની હત્યા કરાવી હોવાનુ જણાવેલ હતું.

ઉપરોક્ત બનાવની ગંભીરતાને ધ્યાને લઇ ગુજરાત રાજયના પોલીસ વડા શ્રી વિકાસ સહાય સાબ પોલીસ મહાનિર્દેશક શ્રી સુરત વિભાગ, સુરત શ્રી પિયુષ પટેલ સાહેબ તેમજ ઇન્ચાર્જ પોલીસ મધ્યનિરીક્ષકશ્રી, સુરત વિભાગ, શ્રી સંદીપસીંધ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી, ડૉ.રાજદિપસિંહ ઝાલા સાહેબના નેતૃત્વમાં વાપી નાયબ પોલીસ અધિક્ષકશ્રી, બી.એન.દવે તથા વાપી ડીવિઝન તથા એલ.સી.બી. અને એસ.ઓ.જી.ના તમામ પોલીસ ઇન્સ્પેકટર તથા પો.સ.ઇ તથા પોલીસ માણસોની જુદી જુદી ટીમોની રચના કરવામાં આવેલ અને જુદા જુદા રાજયોમાં આ ગુન્હાની અલગ અલગ દીશામાં તપાસ શરૂ કરવામાં આવેલ હતી.

તપાસ દરમ્યાન ફરીયાદમાં જણાવેલ શકદારો તેમજ મરણ જનારના સંપર્કવાળા ઇસમોની સતત-પનિષ્ઠ પુછપરછ કરવામાં આવેલ, ટેકનીકલ એનાલીસીસ કરવામાં આવેલ તેમજ પોલીસના આધારભુત…

બાતમીદારોનો સંપર્ક કરી હ્યુમન ઇન્ટેલીજન્સ મેળવવામાં આવેલ આ સમગ્ર તપાસ દરમ્યાન એવી હકીકત ખુલવા પામેલ છે કે, ફરીયાદમાં જણાવેલ ઇસમો પૈકી નં.(૧) શરદ ઉર્ફ સદીયો દયાળભાઇ કોળી પટેલ તથા તેનો ભત્રીજો નં.(ર) વિપુલ ઇશ્વરભાઇ પટેલ અને ની(૩) મિતેશ ઇશ્વરભાઇ પટેલ નાઓએ ભેગા મળી કાવતરૂ રચી તેઓના ઓળખીતા નં.(૧) અજય સુમનભાઇ ગામીત રહે વાપી, ચલા, યોગી કોમ્પ્લેક્ષ, સી-વિંગ, ફ્લેટ ની સી૧ તા.વાપી જી.વલસાડ મુળ રહે કરેલીયા, નાયકી ફળીયું ના વાંસદા જી.નવસારી (૨) સત્યેન્દ્રસિંગ ઉર્ફે સોનું રાજનાથસિંગ (રાજપુત) રહે.હાલ ચણોદ ગામ સાગ ફળીયા બલરામ વાટીકા નીલકંઠ રો-હાઉસ નંબર-૧૭૬ અથર્વ પબ્લિક સ્કુલની બાજુમાં તા વાપી જી.વલસાડ મુળ રહે.ગામ.હરનીડેહશ પોસ્ટ બ્યોહરા પોલીસ થાના દેવગામ તા.લાલગંજ જી.આઝમગઢ યુ.પી.નાઓ મારફતે ઉત્તરપ્રદેશના સાપટ્યુટરીને ૫, ૧૯,૦૦,૦૦૦/માં શૈલેષ પટેલને જાનથી મારી નાંખવાની સોપારી આજથી આશરે એક વર્ષ પહેલા આપેલ હતી. તેમજ શૈલેષ પટેલનો સોશ્યલ મીડીયામાંથી ફોટો મેળવી શાર્પશુટરને આપેલ હતો.

આમ ચૈલ કાવતરા મુજબ સૌપ્રથમ ત્રણ શાર્પશુટરો માટે ડીસેમ્બર-૨૦૨૨ માં આવેલા અને તેઓ ૧૦ જાન્યુઆરી ૨૦૨૩ સુધી રોકાયેલા, આ શાર્પશુટરોની રોકાવાની વ્યવસ્થા ઉપરોક્ત કાવતરાખોરોએ તેમના સગા મારફતે દમણ મુકામે કરેલી અને તેઓને આ ગુન્હાને અંજામ આપવા માટે એક નવું બજાજ પલ્સર મોટર સાયકલ શાર્પશુટરોના નામેજ દમણ મુકામેથી ખરીદ કરી આપેલું આ રોકાણ દરમ્યાન શાર્પશૂટરોએ કાવતરાખોરો સાથે મળી શૈલેષ પટેલના ઘરની તથા તેઓના ઘરથી આવવા જવાના રસ્તાની રેકી કરેલ હતી પરંતુ તેઓના આયોજનમાં સફળ થયેલ નહીં અને નવુ ખરીદેલ મોટર સાયકલ દમણ મુકામે ઉપરોક્ત કાવતરાખોરોના સગાને ત્યાં મુકી પરત પોતાના વતનમાં જતા રહેલ હતા.

ત્યારબાદ ફરીથી ઉપરોક્ત કાવતરાખોરોએ શાર્પશૂટરોનો સંપર્ક કરતા આ જ ત્રણ શાર્પશુટરો ફરીથી તા.૦૩/૦૫/૨૦૨૩ ના રોજ આવેલા અને આ વખતે કાવતરાખોરોએ આ શાર્પશુટરોને રોકાવા જમવાની વ્યવસ્થા પંડોર ગામની સીમમાં આવેલ પોતાની વાડીમાં કરી આપેલ હતી દરમ્યાન આ શાર્પશુટરોએ દમણ મુકામે રાખેલ મોટર સાયકલ મેળવી શૈલેષ પટેલને ફરીથી રેકી કરી તા.૦૮/૦૫/૨૦૩ ના રોજ વહેલી સવારે 9;૭/૩૦ વાગ્યે રાતા કોપરલી રોડ ઉપર શિવ મંદીર પાસે શૈલેષ પટેલને ફાયરીંગ કરી ગોળી મારી હત્યા કરી મોટર સાયકલ ઉપર ત્રણેય શાર્પશુટર નાસી ગયેલ હતા. આ ગુન્હાનો અંજામ આપનાર શાર્પશુટરો અન્ય રાજયના છે.

ઉપરોક્ત ગુન્હામાં પોલીસે આરોપીઓ નં.(૧) વિપુલભાઈ S/O ઈશ્વરભાઈ દયાળભાઈ કો પટેલ ઉ.વ.૩૧ રહે.કોચરવા ગામ, કુંભાર કળીયા, તા.વાપી જી.વલસાડ (ર) મિતેશભાઈ S/O ઈશ્વરભાઈ દયાળભાઈ કો પટેલ ઉ.વ.૩૫ રહે કોચરવા ગામ, કુંભાર ફળીયા, તા.વાપી જી.વલસાડ (3) શરદભાઈ ઉર્ફે સદિયો દયાળભાઈ કો.પટેલ ઉ.વ.૪૮ રહે.કોચરવા ગામ, કુંભાર ફળીયા, તા.વાપી જી.વલસાડ (૪) અજયભાઇ S/O સુમનભાઇ દલુભાઇ ગામીત ઉ.વ.૩૦ રહે વાપી ચલા, યોગી કોમ્પ્લેક્ષ, સી-વિંગ, ફલેટ નં સી/૧ તા વાપી જી.વલસાડ મુળ રહે.કુરેલીયા, નાથકી ફળીયું તા.વાંસદા જી.નવસારી (૫) સત્યેન્દ્રસિંગ ઉર્ફે સોનુ S/O રાજનાથસિંગ કૈડુલીમિંગ(રાજપુત) ઉ.વ ૩૫ રહે.હાલ ચણોદ ગામ, સાગ ફળીયા, બલરામ વાટીકા, નીલકંઠ રો-હાઉસ નંબર-૧૭૬, અથર્વ પબ્લિક સ્કુલની બાજુમાં, તા.વાપી જી.વલસાડ મુળ રહે.ગામ હરનીડેરા પોસ્ટ, બ્યોહરા પોલીસ થાના દેવગામ, તા.લાલગંજ જી.આઝમગઢ, યુ.પી. નાઓની તા.૨૯/૦૫/૨૦૩ ના રોજ ધરપકડ કરેલ છે. અને..

આ ગુન્હામાં સંડોવાયેલ અન્ય તમામ ઇસમોની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુમાં છે. ગુન્હાની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર નાઓ કરી રહેલ છે. આ બનાવની તપાસ દરમ્યાન બનાવનું મુળ કારણ જાણવા મળેલ છે કે, સને.૨૦૧૩ ના વર્ષદરમ્યાન મૃતક શૈલેષ પટેલના ઘર પાસે મૃતક તથા તેના પરીવારજનો તેમજ શકદાર આરોપી શરદ ઉર્ફે સદીયો પટેલ તથા તેના ભાઇ ઇશ્વર પટેલ અને તેના પરીવારજનો વચ્ચે મારામારી થયેલ જે બનાવમાં ઇશ્વર પટેલને ગંભીર ઇજા થતા કોમામાં સરી પડેલ જે ઇજાઓના કારણે આજદીન સુધી તેઓ પેરેલાઇઝડ હોય અને બનાવમાં આરોપી શરદ ઉર્ફે સદીયા પટેલને પણ પગના ભાગે ગંભીર ઇજા થવાથી ખોડખાપણ રહી ગયેલ તેમજ ઇશ્વર પટેલના દિકરા પિનલ પટેલ તથા વિપુલ પટેલને પણ ઇજાઓ થયેલ હતી. જે અંગે બન્ને પક્ષો તરફથી સામસામે ફરીયાદો જે તે સમયે કરવામાં આવેલ ત્યારબાદ સને.૨૦૧૪ માં આ આરોપીઓએ શૈલેષ પટેલ ઉપર જીવલેણ હુમલો કરેલ જે બાબતે પણ ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ થયેલ ત્યારબાદ આ આરોપીઓએ ફરીથી સને.૨૦૧૭ માં શૈલેષ પટેલ ઉપર હુમલો કરેલ જે અંગે પારડી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ થયેલ. આમ, અગાઉની અદાવતનો બદલો લેવા આરોપીઓએ કાવતરૂ રચી સોપારી આપી શાર્પશુટરો મારફતે શૈલેષ પટેલની હત્યા કરાવેલ

ઉપરોક્ત ગુન્હાની તપાસમાં નીચે મુજબના પોલીસ અધિકારીઓ તેમની ટીમ સાથે જોડાયેલ હતા નં.

(૧) શ્રી વી.બી.બારડ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.વલસાડ

નં.(૨) શ્રી જે.એન.ગોસ્વામી પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી.વલસાડ(કેમ્પ વાપી) ન (૩) શ્રી વી.જી.ભરવાડ પોલીસ ઇન્સ્પેકટર વાપી ઉધ્યોગનગર પોલીસ સ્ટેશન

નં.(૪) શ્રી કે.એમ.બેરીયા પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી.વલસાડ

નં.(૫) શ્રી એચ.એ.સિંધા પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી.વલસાડ

નં.(૬) શ્રી એન.સી.સગર પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.ઓ.જી.વલસાડ(કેમ્પ વાપી) નં.(૭) શ્રી જે.જી.પરમાર પોલીસ સબ ઇન્સ્પેકટર નાનાપોંઢા પોલીસ સ્ટેશન

૭. ખારીપીઓનો ગુન્હાહિત ઇનિયમ-

આરોપી વિપુલ ઇશ્વર પટેલ તથા મિતેષ પટેલ તથા શરદ પટેલ વિરૂધ્ધ વાપી ટાઉન તથા ડુંગરા તથા પારડી પો.સ્ટે.માં રાયોટીંગ, ખુનની કોશિષ અને મારામારીના કુલ નોંધાયેલ છે. ૩ ગુન્હા

આરોપી અજય ગામીતના વિરૂધ્ધમાં ખુનનો એક ગુન્હો તથા પ્રોહીબીશનના ગુન્હાઓ નોંધાયેલ છે.

વાપી ભાજપ તાલુકા ઉપપ્રમુખ સૈલેશ પટેલ ના હત્યારા જેલના સળિયા પાછળ વાંચો સંપૂર્ણ એહવાલ Read More »

Uncategorized ઓટો

સરીગામ ખાતે કેડીબી સ્કૂલ મા પેહલીવાર હોકી ટુર્નામેન્ટ નુ આયોજન કરવામા આવ્યુ હતું

: *કેડીબી સ્કૂલ મા હોકીની ટુર્નામેન્ટ રમાડવામાં આવી હતી. જેમાં સરીગામ માં થી 8 ટીમે ભાગ લીધો હતો.. જેમાં થી ફાઇનલમાં બ્લ્યુ વોરિયર અને ગોડ નાઈન ટીમ આવિ હતી. જેમાં બ્લ્યુ વોરિયર ટીમ વિજેતા બની હતી*

બોક્સ: *હોકી ટૂરના મેન્ટ માં હાયેસ્ટ ગોલ સ્કોરલ અને બેસ્ટ પ્લેયર તરિકે વિશાલ ભાઈ ને ટોફી અને ગોલ્ડ મેડલ આપી ને સનમાનીત કરવામા આવ્યાં હતા*

બોક્સ:  *બ્લ્યુ વોરિયર ટીમના વિશાલ ભાઈ અને હિના પ્રજાપતિ સહીત અન્ય ખેલાડી જે સ્ટેટ લેવલે પણ હોકી ની ટૂરના મેન્ટ માં રમી ચૂક્યા છે*

ભારત દેશ મા અલગ અલગ પ્રકારે અવનવી રમતો રમવામાં આવે છે જેવી કે ક્રિકેટ, હૉકી, કબડી, ખોખો આ અવનવી રમતો થી આપસમાં પ્રેમ ભાવ વધે છે અને મન પણ પ્રફુલ્લીત થાય છે ત્યારે સરીગામ સરીગામ હોકી ટીમ ના સ્ટેટ લેવલે રમિચૂકેલા ખેલાડીઓ એ ઉત્સુકતા બતાવી ને સરીગામ માં સૌપ્રથમ વાર હોકી ટુર્નામેન્ટ નુ આયોજન કર્યું હતું
ભારતની રાષ્ટિય રમત છે. આ રમતમાં બે ટુકડીઓ સામસામે રમે છે.હોકી નામ વડે ઓળખાતી અંગ્રેજી જે (J) આકારની લાકડી વડે દડાને સામેની ટુકડીની જાળી(ગોલપોસ્ટ)માં દાખલ કરાવવાનો હોય છે.


હોકીની શરુઆત : હૉકીની શરૂઆત ક્યાં અને ક્યારે થઈ.
ઐતિહાસિક પુરાવા પરથી જણાય છે કે હૉકી જેવી રમત પ્રાચીન સભ્યતામાં રમાતી હતી
નાઈલનઅ ખીણ પ્રદેશમાં બેની હાસન ના મકબરામાં મળી આવેલા ચિત્રોમાં માણસો હૉકી જેવી રમત રમી રહ્યાં હોવાનું દેખાય છે.
અન્ય અમુક ચિન્હોથી જનાય છે કે આરબ, પર્શિયન, રોમન (પૅગાનીકા), ઈથિયોપિયન અને અત્ઝેક લોકો પન ભિન્ન પ્રકારની હૉકી રમતા હતાં
આ ખેલના સૌથી પ્રથમ તોળી બનાવીને રમવાનો ઉલ્લેખ થેમીસ્ટોક્લ્સ દ્વારા ઈ.પૂ.૪૭૮માં બંધાવાયેલ પૂતળાની દીવાલ પર મળી આવે છે.
૧૬મી સદીના આર્જેન્ટીનામાં સ્થયી થયેલા યુરોપીય લોકો દ્વારા ત્યાંના અરૉકાનો લોકો દ્વારા રમાતી રમત ચ્યુકાનો ઉલ્લેખ છે જેનો અર્થ વાંકી વળેલી એવો થાય છે આ શબ્દ તે રમતમાં વપ્રાતી વાંકા છેડા વાળી લાકડીને આધારે પડ્યો હોવો જોઈએ.
મધ્ય યુગમાં સમગ્ર યુરોપમાં આ રમત રમાતી હતી. તે ઈંગલેન્ડમાં કમ્બુકા (કે કોમોક કે કિમોકકે કીમોજી)તરીકે ઓળખાતી, સ્કોટલે ન્ડમાં શીન્ટી, ફ્રાન્સમાં જ્યૂ દે મેલ, અને નેધરલે ન્ડમાં હેટ કોલ્વેન નામે ઓળખાતી.
આધુનિક હૉકી બ્રિટિશ ઈશ્લેસ માં નિર્માંણ થઈ. ૧૯મે સદીના પ્રથમ અર્ધ ભાગમાં તે પ્રચલીત બની.
કેડીબી સ્કૂલ મા હોકીની ટુર્નામેન્ટ રમાડવામાં આવી હતી. જેમાં સરીગામ માં થી 8 ટીમે ભાગ લીધો હતો.. જેમાં થી ફાઇનલમાં બ્લ્યુ વોરિયર અને ગોડ નાઈન ટીમ આવિ હતી. જેમાં બ્લ્યુ વોરિયર ટીમ વિજેતા બની હતી જેમાં વિશાલ સિ રોહિત ની મહેનત થી ટીમને જીત હસિલ થઈ હતી જેમા વિશાલે આખી ટીમ મા સૌથી વધૂ ગોલ કર્યાં હતા.  બ્લ્યુ વોરિયર ટીમના સપોર્ટર તરિકે મોહિત સર અને રમણ સર નુ ખુબ સારું યોગદાન રહ્યુ હતુ બ્લ્યુ વોરિયર ટીમના વિશાલ ભાઈ અને હિના પ્રજાપતિ સહીત અન્ય ખેલાડી જે સ્ટેટ લેવલે પણ હોકી ની ટૂરના મેન્ટ માં રમી ચૂક્યા છે. આ હોકી ટૂરના મેન્ટ માં હાયેસ્ટ ગોલ સ્કોરલ અને બેસ્ટ પ્લેયર તરિકે વિશાલ ભાઈ ને ટોફી અને ગોલ્ડ મેડલ આપી ને સનમાનીત કરવામા આવ્યાં હતા . બ્લ્યુ વોરિયર વિજેતા ટીમને ફાઇનલ વીનર ની ટોફી આપવામા આવી હતી. સરીગામ ના લોકો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા

સરીગામ ખાતે કેડીબી સ્કૂલ મા પેહલીવાર હોકી ટુર્નામેન્ટ નુ આયોજન કરવામા આવ્યુ હતું Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ દ્વારા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામે સમુહ લગ્ન આયોજન કરાયું

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ અધ્યક્ષ સંયોજક સોઢા વિષ્ણુ સિંહ દિપસિહ ના સહયોગથી શનુભા ભગત, મુકેશસિહ ચૌહાણ વિક્રમસિંહ પરમાર ના આયોજન હેઠળ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામે મેલડી માતાજી ના મંદિરે જંબુસર તાલુકાના સૌ પ્રથમ સમુહ લગ્ન આયોજન કરવામાં આવ્યું જેમાં ત્રણ દિકરીઓ એ પ્રભુતામાં પગલાં પાડયાં આ પ્રસંગે સમિતિ અધ્યક્ષ સંયોજક સોઢા વિષ્ણુ સિંહ દિપસિહ, મહિલા પ્રમુખ મીનાક્ષીબા, નવયુવાન કાર્યકર યોગેશ સિંહ સોઢા, વડોદરા જીલ્લા પ્રમુખ અજયસિંહ સોલંકી, ભરૂચ જીલ્લા પ્રમુખ વીરસિંહ પરમાર, ભરૂચ જીલ્લા રાજપુત સમાજ પ્રમુખ બળવંતસિંહ ચાવડા,સુરત તથા ભરૂચ જીલ્લા માથી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા તથા વેડચ ગામના નવયુવાનો ની મહેનત દ્વારા આયોજન જોરદાર સફળ બનાવ્યું
શનુભા ભગત મેલડી માતાજી ના ભુવાજી ધ્વારા દિકરીઓ ને આશિષ વચન આપવામાં આવ્યા.સમિતિ અધ્યક્ષ સંયોજક સોઢા વિષ્ણુ સિંહ દ્વારા સમાજ સુધારાની શરૂઆત જંબુસર તાલુકામાં શરૂઆત કરી આવતા વર્ષે 1111 દિકરીઓ જંબુસર તાલુકામાં ફક્ત એક જ રૂપિયામાં પરણાવવા માટે તથા દરેક દિકરીઓ અને દીકરાઓ ને 50-50 હજાર રૂપિયા ની મેડિકલ પોલિસી ફ્રી આપવાનું જાહેર કરવામાં આવ્યું

સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ દ્વારા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામે સમુહ લગ્ન આયોજન કરાયું Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

સ્વસહાય જૂથોને આત્મ નિર્ભર બનાવવા સરકારની પહેલ સ્વરૂપે કેશ ક્રેડિટના ચેકનું વિતરણ કરાયું.

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં DAY-NRLM યોજના અંતર્ગત કૅશ ક્રેડિટ કેમ્પ નું આયોજન જિલ્લા પંચાયત અરવલ્લી ખાતે કેશ ક્રેડિટ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું,સ્વસહાય જુથની મહિલાઓ સ્વાવલંબી બને અને આજીવિકામાં વધુ સુધારો આવે તે હેતુથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અરવલ્લી જિલ્લા પંચાયત દ્વારા જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને કૅશ ક્રેડિટ કેમ્પ યોજવામા આવ્યો. કુલ 74 SHG ને 101 લાખનું વિતરણ કરવામાં આવ્યુ.ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોની મહિલાઓને સ્વસહાય જુથોમાં સંગઠીત કરી તેઓને બચત તથા બેંકો સાથે જોડી વધુ ધિરાણ આપી એક સુવ્યવસ્થીત પ્રક્રિયા દ્વારા કૌશલ્યવર્ધન તાલીમ અને માર્કેટીંગ સાથે જોડાણ કરી સખી મંડળની બહેનોની આજીવિકામાં વધારો કરી ગરીબીમાંથી બહાર લાવવા ‘રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન યોજના’ની શરૂઆત કરવામાં આવી છે. જિલ્લા પંચાયત અરવલ્લી ખાતે કેશ ક્રેડિટ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી,DLM શ્રી, LDM શ્રી અને નાબાર્ડ ના ddm શ્રી ઉપસ્થિત રહ્યા.

સ્વસહાય જૂથોને આત્મ નિર્ભર બનાવવા સરકારની પહેલ સ્વરૂપે કેશ ક્રેડિટના ચેકનું વિતરણ કરાયું. Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ