ક્રિકેટ

મોડાસા તાલુકાના ટીંટોઈ ટેકરી મહાદેવ મંદિર તથા ઉત્સવ સમિતિ અને સમસ્ત ટીંટોઈ ગ્રામજનો દ્વારા શ્રી શિવ રુદ્રયાગ યજ્ઞ તથા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું 

રુદ્રયાગ યજ્ઞ તથા ભંડારાના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મંત્રી શ્રી અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારીતા શ્રી ભીખુસિંહજી પરમાર તથા અરવલ્લી જિલ્લા પોલીસ વડા શૈફાલી બરવાલ તથા જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક કે.જે. ચૌધરી તથા ટીંટોઈ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.કે રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રીશ્રી તથા જિલ્લા પોલીસ વડા શૈફાલી બરવાલ અને નાયબ પોલીસ અધિક્ષક કે.જે. ચૌધરી સાહેબ નું ફૂલોના બુકે દ્વારા સ્વાગત કરાયું હતું ત્યારબાદ ભોજન ના દાતાશ્રી અને અન્ય દાતાઓનું પણ ફૂલોના બુકેથી સ્વાગત કરવામાં આવ્યું હતું ટેકરી મહાદેવ મંદિર પરિસરમાં વન વિભાગ દ્વારા નવીન વન કુટીર બનાવવામાં આવી હતી જેનું ઉદઘાટન મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર અને જિલ્લા પોલીસ વડા શૈફાલી બરવાલ દ્વારા કરવામાં આવ્યું હતું વન કુટીરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં આરએફઓ સહિત વન વિભાગના અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ટીંટોઇ ગામના વતની અને હાલ મુંબઈ રહેતા ઉદ્યોગપતિ અને દાતાશ્રી હરેશભાઈ વ્યાસ નું ફૂલોના બુકે થી સ્વાગત કરાયું હતું ટીંટોઈ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન પ્રહલાદસિંહજી ચંપાવત બાપુનું ફૂલોના બુકે થી સ્વાગત કરાયું હતું આર.એફ.ઓ. પ્રવીણભાઈ આંજણા સાહેબનું પણફૂલોના બુકે થી સ્વાગત કરાયું હતું ટીંટોઈ જિલ્લા પંચાયત સદસ્ય વીણાબેન ખરાડીનું પણ ફૂલોનાબુકે થી સ્વાગત કરાયું હતું અંતે હીરાભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત આમંત્રિત સૌ મહેમાનો અનેદાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો ટીંટોઈ ગામ તથા આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાંગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા યજ્ઞ તથા ભંડારાના કાર્યક્રમમાં મહાપ્રસાદ નું સુંદર આયોજનઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું

મોડાસા તાલુકાના ટીંટોઈ ટેકરી મહાદેવ મંદિર તથા ઉત્સવ સમિતિ અને સમસ્ત ટીંટોઈ ગ્રામજનો દ્વારા શ્રી શિવ રુદ્રયાગ યજ્ઞ તથા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું  Read More »

Uncategorized ક્રિકેટ

મોડાસા-લુણાવાડા સ્ટેટ હાઇવે પર ઇકો કાર વહેલી સવારે ટીસ્કી પાસે પલટી ખાઈ જતાં કારમાં પાંચ લોકો ઈજાગ્રસ્ત

અરવલ્લી જિલ્લાના મોડાસાથી લુણાવાડા તરફના સ્ટેટ હાઇવે પર લુણાવાડા તરફ જતી ઇકો કાર માલપુર નજીક ટિસ્કી પાસે વહેલી સવારે ચાર વાગે કાર ચાલકે સ્ટિયરિંગ ઉપર કાબુ ગુમાવતાં પલટી મારી જતાં ઇકો કારમાં સવાર ચાર લોકો ,રાજસ્થાન પાલીથી ઘરે જઈ રહ્યા હતા, માહિતી મળતા ઇકો કાર મહીસાગર જિલ્લાના વરધરી ગામની હોવાની માહિતી મળતા ઇકો કારમાં ચાર લોકો સવાર હતા એમાં એક મહિલા પણ હતી આ ચાર લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચતા તેઓના વતન ને લઈ જતા હોસ્પિટલે સારવાર હેઠળ ખસેડાયા

મોડાસા-લુણાવાડા સ્ટેટ હાઇવે પર ઇકો કાર વહેલી સવારે ટીસ્કી પાસે પલટી ખાઈ જતાં કારમાં પાંચ લોકો ઈજાગ્રસ્ત Read More »

Uncategorized ક્રિકેટ

સાબરકાંઠા,સરકારમાં પડતર માંગણીઓને લઈ શિક્ષકોએ રેલી સાથે મહાપંચાયત કાર્યક્રમ યોજ્યો

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

” અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત ” દ્વારા વર્ષોથી સરકારમાં પડતર માંગણીઓને લઈ આજરોજ સમગ્ર રાજ્યના જિલ્લા મથકો પર રેલી અને મહાપંચાયત યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું “

*     જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે ” અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત ” પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચો અરવલ્લી – સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના શિક્ષકોએ બેનરો સાથે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર આદર્શ વિદ્યાલય, મોતીપુરા થી પરશુરામ પાર્ક સુધી પદ યાત્રા કાઢી હતી જે પદયાત્રા સાંજે ચાર કલાકે પરશુરામ પાર્ક ખાતે વિશાળ સભામાં પરિવર્તિત થઈ હતી, જ્યાં મહાપંચાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી તેમજ એન.પી.એસ કપાતમાં કેન્દ્ર સરકારનો નિયમ લાગુ કરવામાં આવે અને એન.પી.એસ વાળા કર્મચારીઓને નિવૃત્તિ સમયે ૩૦૦ રજાનું રોકડ રૂપાંતર આપવું, ૩૩૦૦૦ થી વધુ ખાલી રહેલી શિક્ષકો અને આચાર્યોની જગ્યા પર કાયમી ભરતી કરવા જેવી સરકારમાં પડતર વિવિધ ૧૧ માંગણીઓનો તાત્કાલિક ઉકેલ લાવવા અને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે મુખ્યમંત્રીશ્રીને ઉદ્દેશીને કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું…

*    આ કાર્યક્રમમાં ખુબ મોટી સંખ્યામાં સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના શિક્ષકો જોડાયા હતા અને ઘણા રાજ્યોમાં જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ જૂની પેન્શન યોજના લાગુ કરવાની તેમજ વર્ષોથી પડતર પ્રશ્નોનું સરકાર દ્વારા તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરવામાં આવી હતી…

સાબરકાંઠા,સરકારમાં પડતર માંગણીઓને લઈ શિક્ષકોએ રેલી સાથે મહાપંચાયત કાર્યક્રમ યોજ્યો Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

મોડાસાની બહેરા મુંગા શાળાના દિવ્યાંગ બાળકોએ કર્યું સામુહિક ગાયત્રી મહામંત્ર લેખન

મોડાસાની વાડિલાલ હીરાલાલ ગાંધી બહેરા મુંગા શાળામાં દિવ્યાંગ બાળકોનો સામુહિક ગાયત્રી મહામંત્ર સાધનાનો કાર્યક્રમ યોજાયો. દિવ્યાંગ બાળકોમાં માનસિક તણાવને દૂર કરવાનો એક અનુપમ પ્રયોગ મોડાસા સહિત સમગ્ર ગુજરાતમાં એક સાથે એક સમયે આ અદભુત પ્રયોગ કરવામાં આવ્યો. ૩ ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસ રવિવારની રજા હોઈ તેના અનુસંધાનમાં ૫ ડિસેમ્બરે મોડાસા સહિત અલગ અલગ જિલ્લાઓમાં થઈ દિવ્યાંગ બાળકોની કુલ 33 સમગ્ર દિવ્યાંગ સંસ્થાઓમાં ૧૧:૩૦ થી ૧૨:૦૦ દરમિયાન સામુહિક ગાયત્રી મહામંત્ર જાપનું આયોજન થયું. વિવિધ દિવ્યાંગ બાળકોનો અલગ અલગ રીતે ગાયત્રી મહામંત્ર જાપ સાધનાનો કાર્યક્રમ રાખેલ. જેમાં જેઓ લખી શકે તેમના માટે લેખન. જે દિવ્યાંગ બાળકો શારિરીક અસ્વસ્થ હોય તેઓ ગાયત્રી મહામંત્રના અવાજ સાથે સાથે માનસિક જાપ આયોજન કરવામાં આવ્યું. જે અંતર્ગત ગુજરાતભરમાં આજ કુલ ૩૨૬૯ દિવ્યાંગ બાળકો આ ગાયત્રી મહામંત્ર સાથે લાભાન્વિત થયા.
આ સમગ્ર ગુજરાતના એક સાથે એક સમયના આયોજનમાં મોડાસા પણ જોડાયું. મોડાસાની બહેરા મુંગા શાળા એ આ સમગ્ર ક્ષેત્રમાં આશિર્વાદ રુપ સંસ્થા છે. આજે સવારે ૧૧:૩૦ કલાકે મોડાસા ગાયત્રી પરિવારના પ્રમુખ ધર્માભાઈ પટેલ તેમજ સંસ્થાના હોદ્દેદારો દ્વારા દિપ પ્રાગટ્ય સાથે શુભારંભ થયો. બહેરા મુંગા એવા ૬૫ બાળકો આ ગાયત્રી મહામંત્ર લેખન કાર્યમાં સહભાગી બન્યા. આ ત્રીસ મિનિટના સાધનાત્મક પ્રયોગ પાછળ આ દિવ્યાંગ બાળકોમાં સર્વાંગીક માનસિક તનાવ દૂર થઈ ગાયત્રી મહામંત્રની દિવ્ય ઉર્જાથી લાભાન્વિત થાય. મંત્ર લેખનમાં જોડાયેલ બાળકોના મુખ પરના ભાવ જોઈ ઉપસ્થિત સૌ આશ્ચર્ય ચકિત હતાં. ગાયત્રી મહામંત્ર એ વૈશ્વિક દિવ્ય ઉર્જાની પ્રાર્થના છે.
આ આયોજન માટે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ હરિદ્વાર આયોજીત ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષાના દિવ્યાંગ બાળકોના ગુજરાતના કન્વીનર હેમાંગીનીબેન દેસાઈએ સમગ્ર ગુજરાતની સંસ્થાઓનો સંપર્ક કરી એક સાથે આ દિવ્યાંગ બાળકો માટે સાધનાત્મક આંદોલન હાથ ધર્યુ હતું.
આજના આ મોડાસાના આયોજનમાં વા. હિ. ગાંધી બહેરા મુંગા શાળા સંસ્થાના પ્રમુખશ્રી ડૉ. ટી. બી. પટેલ સાહેબ, મંત્રીશ્રી મનુભાઈ પટેલ, મંત્રીશ્રી ભાવેશભાઈ જયસ્વાલ, આચાર્યશ્રી સંદિપભાઈ પટેલ, કર્દમભાઈ વ્હોરા, પરિનભાઈ જોષી સહિત સૌ શિક્ષક ભાઈઓ બહેનોએ ખૂબ જ ઉત્સાહભેર આયોજન સફળ બનાવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિશેષમાં ગાયત્રી પરિવાર અરવલ્લી જિલ્લા સંયોજક હરેશભાઈ કંસારા, ગાયત્રી ચેતના કેન્દ્રના પ્રમુખ ધર્માભાઈ પટેલ, કન્યા-કિશોર કૌશલ્ય અભિયાનના મધુબેન પ્રજાપતિ ઉપસ્થિત રહ્યાં હતા. જિલ્લા સંયોજક હરેશભાઈ કંસારાએ આ કાર્યક્રમમાં સહયોગ આપનાર સૌને બિરદાવતા ગાયત્રી મહામંત્રનું મહત્વ રજુ કર્યું હતું. મંત્રીશ્રી ભાવેશભાઈ જયસ્વાલે સંસ્થા વતી આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવેલ.

મોડાસાની બહેરા મુંગા શાળાના દિવ્યાંગ બાળકોએ કર્યું સામુહિક ગાયત્રી મહામંત્ર લેખન Read More »

Uncategorized ક્રિકેટ

સરીગામ : ઉમરગામ તાલુકા ની એક માત્ર ભવ્ય હોસ્પિટલ એટલે કે ભીલાડ થી સંજાણ રોડ પર આવેલી શ્રીજી હોસ્પિટલ જેમાં સેમી ડીલક્ષ જેવા મોંઘા રૂમ માં પણ ગંદકી નું સામ્રાજ્ય.તબીબ ની દેખભાળ અને તપાસ ની સુવીધા માં પણ ઢીલાસ તેવા દર્દીના સગાના આક્ષેપો!! ( નામ બડે પણ દર્શન છોટે )

એહવાલ (અનીસ શેખ દ્વારા )

સેમિડીલક્સ રૂમ ની અંદર દવા મુકવના સ્ટેન્ડ ની હાલત ટોયલેટ ના ટબ કરતા પણ ખરાબ!! જેની ઉપર તબીબ ને પીવડાવા ની દવા મુકવામાં આવે.. તબીબ ને ખાવા ની ચીજ વસ્તુઓ મુકવામાં આવે તેની ઉપર ગંદકી જોઈને તમે ચોકી જસો જાણે કે વર્ષોથી આ ટેબલ સાફજ ના કર્યું હોય તેમ લાગે છે? પેસન્ટ સારું થવાની જગ્યાએ વધુ બીમાર થઈજાય તેવી સ્થિતિ?
રૂમ માં એક બીજું મોટુ ટેબલ મૂકેલું હતું તે ટેબલ ને જોઈએ તો ખાવાનું ગાળામાંથી નીચે ના ઉતરે એટલી ગંદકી આ ટેબલ ઉપર જોવા મળી હતી.. રૂમમાં મુકેલી દરેક વસ્તુ પર ડસ્ટ જોવા મળી હતી. ગંદકી ના કારણે પેસન્ટ ને શ્રીજી હોસ્પિટલ થી ભારે નારાજગી જોવા મળી હતી!!
બીજી વાત કરીએ તો જ્યાં ગંદો કકચરો નાખવામાં આવે છે તેવા ડસ્ટબીન મુકેલા હતા તો આવા ડસ્ટબિન ને તમે જરાક પણ તેની જગ્યાએ થી હટાવસો તો જીણી જીણી કાળા કલરની જીવાતો ઊડતી દેખાશે!! જાણે મહિનાઓ થી આ ડસ્ટબીન મુકવાની જગ્યાને સાફજ઼ ના કરીહોય તેવું લાગી રહ્યું છે..? ડોક્ટરે પેસન્ટ ની ટ્રીટમેન્ટ ની સાથે સાથે હોસ્પિટલ ની અંદર સાફ સફાઈ નું પણ ધ્યાન આપવું જોઈએ?

ભીલાડ, સંજાણ રોડ પર આવેલી શ્રીજી હોસ્પિટલ જેમાં પેસેન્ટ ના ઈલાજ માટે ની દરેક સુવિધા છે ઉમરગામ તાલુકા માં નામના ધરાવતી એક માત્ર હોસ્પિટલ કહી એ તો શ્રીજી હોસ્પિટલ જેમાં દરેક પ્રકારની સુવિધા છે.. જેથી મોટી સંખ્યામાં દર્દીઓ અહીં આવતા હોય છે.. પરંતુ આવીજ મોટી હોસ્પિટલો એ સફાઈકામદાર ના સ્ટાફ ને લીધે બદનામ થવું પડે તે બાબત ખુબ ઘમ્ભીર ઘણી શકાય? બે દિવસ પેહલા એક પેસન્ટ સરીગામ નું ( મૂળ પારપ્રાંતિ ) અહીં શ્રીજી હોસ્પિટલ માં એડમિટ કરવામાં આવ્યું અને તેને બોટલ ચડાવ વામાં આવી તે દરમિયાન પેસન્ટ ની સાથે આવેલા તેના સગાએ અમારા ગુજરાત કારોબાર ન્યૂઝ પેપર ના સહ તંત્રી અનીસ શેખ ને ટેલીફોન કરીને જાણ કરી કે અહીં શ્રીજી હોસ્પિટલ જે ભીલાડ સંજાણ રોડ પર આવેલી છે ત્યાં અમારા એક સગાને સેમી ડિલકસ રૂમ માં એડમિટ કર્યા છે અને અહીં દરેક વસ્તુપર બઉજ ગંદકી છે અમે બેથી ત્રણ વાર સ્ટાપ ને જાણ કરી પરંતુ કોઈ સફાઈ કરવા આવતું નથી આ સમયે બપોર પેહલા 10 થી 12 વગ્યા નો સમય હશે અમારી ગુજરાત કારોબાર ની ટિમ ત્યાં પોહચિ અને ત્યાં નજરે બધું જોયું અને તેમણે વધુમાં જણાવ્યું હતું કે અહીં એડમિટ કર્યા બાદ હજુ સુધી કોઈ ડોક્ટર તપાસ કરવા નથી આવ્યા જે પણ આવે છે તે એક નર્સ છે એપણ એકવાર આવીને બોટલ લગાવી ને ચાલ્યા ગયા આ તે કેવી સુવિધા? અને રૂમ માં પડેલી દરેક વસ્તુ ગંદકી થી ઘેરાયેલી હતી

સરીગામ : ઉમરગામ તાલુકા ની એક માત્ર ભવ્ય હોસ્પિટલ એટલે કે ભીલાડ થી સંજાણ રોડ પર આવેલી શ્રીજી હોસ્પિટલ જેમાં સેમી ડીલક્ષ જેવા મોંઘા રૂમ માં પણ ગંદકી નું સામ્રાજ્ય.તબીબ ની દેખભાળ અને તપાસ ની સુવીધા માં પણ ઢીલાસ તેવા દર્દીના સગાના આક્ષેપો!! ( નામ બડે પણ દર્શન છોટે ) Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

મેઘરજના રાજપુર ગામે આવેલ પ્રા શાળા જર્જરિત હાલતમાં ત્રણમાંથી બે ઓરડા નોનયુઝ ,એક છે એ પણ જોખમી ,55 બાળકો જીવના જોખમે કરી રહ્યા છે અભ્યાસ

રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માં સુવિધા સભર શિક્ષણ મળે તે માટે કરોડો ના ખર્ચે નવા નવા શિક્ષણ ભવન બન્યા હોવાના દાવા કરવામાં આવે છે પરંતુ ગ્રામ્ય વિસ્તાર માં વિદ્યાર્થીઓ આજે પણ જર્જરિત શાળા ના ઓરડામાં જીવ ના જોખમે અભ્યાસ કરી રહ્યા છે 

     વાત છે મેઘરજ તાલુકા ના અંતરિયાળ એવા રાજપુર પ્રા શાળા ની આ પ્રાથમિક શાળા માં ધોરણ 1 થી 5 સુધીનો અભ્યાસ ચાલે છે શાળા ના કુલ 55 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ,આ પ્રા શાળા માં કુલ ત્રણ ઓરડા હતા જેમાંથી બે ઓરડા જર્જરિત હોવાથી નોન યુઝ કરી ને પાડી દીધા છે હાલ એક જ ઓરડા માં બેસી બે શિક્ષકો ધોરણ 1 થી 5 ના 55 વિદ્યાર્થીઓ ને અભ્યાસ કરાવી રહ્યા છે,મહત્વ નું એ છે કે રાજપુર પ્રા શાળા માં જે એક ઓરડો છે એ પણ જર્જરિત છે ઓરડા ના પતરા પણ ઉડી ગયેલા છે દીવાલો માં પણ મોટી મોટી તિરાડો પડેલી છે પીવાના પાણી ની ટાંકી પણ બિસમાર હાલત માં છે રસોઈ ઘર પણ જર્જરિત છે આમ ફક્ત એક ઓરડા માં બેસી તમામ 55 વિદ્યાર્થીઓ જીવ ના જોખમે અભ્યાસ કરી રહ્યા છે ત્યારે કયા સમયે દુર્ઘટના સર્જાય એ નક્કી નહીં માટે રાજપુર પ્રા શાળા ના તમામ નવા ઓરડા તાત્કાલિક બને એવી ગ્રામજનો ની માગ છે.

મેઘરજના રાજપુર ગામે આવેલ પ્રા શાળા જર્જરિત હાલતમાં ત્રણમાંથી બે ઓરડા નોનયુઝ ,એક છે એ પણ જોખમી ,55 બાળકો જીવના જોખમે કરી રહ્યા છે અભ્યાસ Read More »

Uncategorized ક્રિકેટ

મોડાસા નગરપાલિકાના વિવિધ વોર્ડમાં સ્વચ્છતા ઝૂંબેશ યોજાઈ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા ઝુંબેશ.

માન. વડાપ્રધાને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નિર્મળ ગુજરાતના આપેલા વિચારને સ્વચ્છતા હી સેવા અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે આગામી બે મહિના સુધી રાજ્યવ્યાપી સ્વચ્છતા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. 

આ અભિયાનના ભાગરુપે મોડાસા નગરપાલિકા દ્વારા આજરોજ વોર્ડ નંબર ૨, ૫ અને ૬ માં આવેલ GVP પોઇન્ટ સફાઈ કરી ગંદ્કી  દૂર કરવામાં આવી. જેમાં નગરપાલિકાની તમામ સાધન સામગ્રી બે જે.સી.બી, બે હાઈવા તેમજ નગરપાલિકાના સ્ટાફ દ્વારા ખુબ સારી કામગીરી કરવામાં આવેલ છે. મોડાસામાં વિવિધ વિસ્તારના રસ્તાઓ તેમજ તેની આસપાસ સાફ – સફાઈ યોજીને સ્વચ્છતા ઝૂંબેશ હાથ ધરવામા આવી.

મોડાસા નગરપાલિકાના વિવિધ વોર્ડમાં સ્વચ્છતા ઝૂંબેશ યોજાઈ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા ઝુંબેશ. Read More »

Uncategorized ક્રિકેટ

મોડાસાના વિવિધ વિસ્તારના રસ્તાઓ તેમજ તેની આસપાસ સ્વચ્છતા હી સેવા સ્વચ્છતા ઝૂંબેશ

મોડાસાના વિવિધ વિસ્તારના રસ્તાઓ તેમજ તેની આસપાસ સ્વચ્છતા ઝૂંબેશ યોજાઈ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા ઝુંબેશ.માન. વડાપ્રધાને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નિર્મળ ગુજરાતના આપેલા વિચારને સ્વચ્છતા હી સેવા અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે આગામી બે મહિના સુધી રાજ્યવ્યાપી સ્વચ્છતા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.આ અભિયાનમાં ભાગરુપે મોડાસાના વિવિધ વિસ્તારના રસ્તાઓ તેમજ તેની આસપાસ સાફ – સફાઈ યોજીને સ્વચ્છતા ઝૂંબેશ હાથ ધરવામા આવી.

મોડાસાના વિવિધ વિસ્તારના રસ્તાઓ તેમજ તેની આસપાસ સ્વચ્છતા હી સેવા સ્વચ્છતા ઝૂંબેશ Read More »

Uncategorized ક્રિકેટ

સાયરા ગામે વિરાટ ગાયત્રી દિપયજ્ઞ યોજાયો.

મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા જન સમાજ સાચા શ્રેષ્ઠ માર્ગ પર ચાલે તે માટે ગામેગામ વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે. જેમાં અનેક રચનાત્મક ગતિવિધિઓ ચલાવવા સાથે સાથે કુરિવાજ નિવારણ, પર્યાવરણ સંરક્ષણ, વ્યસનમુક્તિ ઝુંબેશ પર ભાર મૂકવામાં આવે છે. આ ઉદ્દેશ્યથી સાયરા ગામે ૮ ઑક્ટોબર, રવિવારે રાત્રે વિરાટ ગાયત્રી દિપયજ્ઞ આયોજન સંપન્ન થયું. જેમાં સમગ્ર ગ્રામજનો સહભાગી બન્યા. ઘરેથી દિપકોની થાળી સજાવી સૌ આ પૂજન વિધિમાં જોડાયા. જેમાં યજ્ઞની જેમ પણ પોતાની થાળીઓમાં દિપક પ્રગટાવી કર્મકાંડ મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અપાઈ. વિશેષમાં હાલમાં શ્રાદ્ધ પક્ષ હોઈ પિતૃઓને પણ આહુતિઓ અર્પણ કરાઈ. શ્રેષ્ઠ જીવન તથા કુરિવાજ નિવારણ, પર્યાવરણ સંરક્ષણ તથા વ્યસનમુક્ત રહેવાના સંકલ્પ લીધા. આ સમગ્ર આયોજન મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના સોમાભાઈ બારોટ તથા અરવિંદભાઈ કંસારાએ મંત્રોચ્ચાર તથા સંગીતમય વાતાવરણ બનાવી પૂજનવિધિ કરાવી તથા અન્ય સૌ પરિજન ભાઈઓ બહેનોના સાથ સહકારથી સંપન્ન થયું.

સાયરા ગામે વિરાટ ગાયત્રી દિપયજ્ઞ યોજાયો. Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

સાબરકાંઠા – અરવલ્લી જીલ્લાના માન. સાંસદ શ્રી દિપસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને વાઇબ્રન્ટ અરવલ્લી કાર્યક્રમ યોજાયો



વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં રુ.૫૬૬ કરોડના ૦૬ એમ.ઓ.યુ થયા


દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત છે તેમ રાજ્યમાં અરવલ્લી જિલ્લાને રોલ મોડેલ તરીકે સહિયારા પ્રયાસોથી વિકાસવાનો પ્રયાસ કરાશે : માન. સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ


જીલ્લા માહિતી કચેરી, અરવલ્લી ૦૪-૧૦-૨૦૨૩

રાજ્યમાં વેપાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટના ભાગરૂપે આગામી વર્ષે યોજાનાર સમારોહમાં જિલ્લા કક્ષાએથી ઉદ્યોગકારો, વેપાર સમૂહોનું પ્રતિનિધિત્વ થાય તેવા ઉદ્દેશથી જિલ્લા કક્ષાએ વાઇબ્રન્ટ સમારોહના ઉપલક્ષમાં ‘વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ અરવલ્લી ’ કાર્યક્રમન સાબરકાંઠા – અરવલ્લી જીલ્લાના માન. સાંસદ શ્રી દિપસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લાના ઉદ્યોગકારો વેપારીઓ સાથે B2B અને B2C કાર્યક્રમ, ઉદ્યોગ જગતના નિષ્ણાતો અને સ્થાનિક ઉદ્યોગકારો દ્વારા વિવિધ વિષયો પર એક દિવસીય સેમિનાર પણ યોજાયો હતો. આ સાથે જ જિલ્લાના વેપાર ઉદ્યોગ જગતનું તેમજ સરકારના વિવિધ વિભાગોનું પ્રદર્શન પણ યોજાયું હતું.

  આ કાર્યક્રમમાં જિલ્લાના છ ઉદ્યોગ-વેપાર એકમોએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મારફતે રોકાણ કરવા માટે એમ.ઓ.યુ. સાઇન કર્યા હતા. કાર્યક્રમમાં કુલ રુ. ૫૬૬ કરોડ રૂપિયાના ૦૬ એમ.ઓ.યુ થયા હતા. કાર્યક્રમના પ્રારંભે માન. સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ જણાવ્યુ કે, કોલ્ડ સ્ટોરેજ, પ્રવાસન અને બટાકાના ઉત્પાદન, સ્ટોરેજ અને પ્રોસેસિંગ ક્ષેત્રે અરવલ્લી  જિલ્લાની આગવી ઓળખ છે ત્યારે અરવલ્લીને આગામી દિવસોમાં ઉદ્યોગ ક્ષેત્રે આગળ લઈ જવા સહિયારા પ્રયાસો કરવામાં આવશે. 


  કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા માન. સાંસદ શ્રી દિપસિંહ રાઠોડે જિલ્લા વહીવટી તંત્રને વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમના ટૂંકા ગાળાના આયોજન દ્વારા ઉત્કૃષ્ટ કાર્યક્રમ ઘડવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.  તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂ થયેલી વાઇબ્રન્ટની વિકાસ યાત્રા આગળ ધપી રહી છે. અરવલ્લીમાં જિલ્લામાં આવનારા સમયમાં રેલ્વેની કેનેક્ટિવીટી ઝડપથી આકાર પામશે જેથી અરવલ્લી જીલ્લામાં રોકાણકારો આવવાથી રોજગારીની વિપૂલ તકો સર્જાશે. જેવી રીતે વાઇબ્રન્ટ ગુજરાત થકી ઉદ્યોગના રોકાણ ક્ષેત્રે દેશમાં ગુજરાત રોલ મોડલ રાજ્ય તરીકે વિકસી આવ્યું એવી જ રીતે વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ-અરવલ્લી  કાર્યક્રમ થકી રાજ્યમાં રોકાણ ક્ષેત્રે અને વેપાર ઉદ્યોગ માટે અરવલ્લી  જિલ્લો રોલ મોડેલ બને તેવા સહિયારા પ્રયાસો કરવામાં આવશે. 

 આ કાર્યક્રમમાં  સાબરકાંઠા - અરવલ્લી માન. સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ , જીલ્લા ક્લેક્ટર શ્રી પ્રશસ્તી પારિક, જીલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેન કેડિયા, નગર પાલિકા પ્રમુખ શ્રી નિરજભાઈ, જનરલ મેનેજર શ્રી , પ્રોજેક્ટ મેનેજર શ્રી, જિલ્લાના અગ્રગણ્ય ઉદ્યોગપતિ, વેપારીઓ, વેપારી મંડળના પ્રતિનિધિઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ અને લાભાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

સાબરકાંઠા – અરવલ્લી જીલ્લાના માન. સાંસદ શ્રી દિપસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને વાઇબ્રન્ટ અરવલ્લી કાર્યક્રમ યોજાયો Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ