ક્રિકેટ

મોડાસા ક્ષેત્રમાં “ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ” આયોજન૨૫૦૦ થી વધુ ઘરોમાં ગાયત્રી યજ્ઞમાં આહુતિઓ અર્પણ કરાઈ

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા વિશ્વમાં સુખ શાંતિ હેતુ બુદ્ધ પૂર્ણિમાથી વિશ્વભરમાં ત્રિદિવસીય યજ્ઞ આંદોલન.

મોડાસા, ૭ મે:
વિશ્વમાં યુદ્ધ તેમજ રોગોથી ગ્રસ્ત વાતાવરણ વધી રહ્યું છે ત્યારે ભારતીય સંસ્કૃતિમાં અદ્ભૂત પ્રયોગ એવા યજ્ઞનું પણ ખૂબજ મહત્વ છે. જેમાં અગ્નિમાં શુદ્ધ ભાવનાથી મંત્રોચ્ચાર સાથે ઔષધીય જડીબુટ્ટીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ હવન સામગ્રી હોમવામાં આવે છે . તે અનેક ઘણી સૂક્ષ્મ ઉર્જા માં પરિવર્તન પામે છે. જે રોગોના જીવાણુઓ નાશ કરવામાં અસરકારક ભૂમિકા ભજવે છે. આસપાસના વિસ્તારને સેનેટાઈઝ કરે છે. તેમજ આ ઔષધિઓથી ઉત્પન્ન થનાર ઉર્જાવાન વાયુ મનુષ્યના શરીરમાં શ્વાસોશ્વાસ દ્વારા શરીરમાં જઈ લોહીમાં ભળી જવાથી વ્યક્તિમાં રોગપ્રતિકારક શક્તિમાં પણ વૃદ્ધિ થાય છે. આ યજ્ઞ કાર્ય દરમિયાન ભાવ સંવેદનાથી થતાં મંત્રોચ્ચારથી આત્મબળમાં પણ વૃદ્ધિ થાય છે.
આ યજ્ઞના આધ્યાત્મિક તેમજ વૈજ્ઞાનિક રીતે થતાં અદ્ભૂત લાભ આપતા યજ્ઞના મહત્વને જન જન સુધી પહોંચાડવાના પ્રયોગ રુપે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ ,હરિદ્વાર દ્વારા વિશ્વભરમાં એક સાથે “ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ” આંદોલન બુદ્ધપૂર્ણિમાથી ત્રણ દિવસ રાખવામાં આવ્યું . જેમાં વિશ્વસ્તરે અનેક દેશો સહિત અરવલ્લી જીલ્લામાં મુખ્ય મથક મોડાસા સહિત બાયડ ,ધનસુરા, ભિલોડા, મેઘરજ, માલપુર તાલુકાઓમાં પણ ઘેર ઘેર ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.
ઉલ્લેખનીય છે કે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા મળેલ જાણકારી અનુસાર મોડાસા સહિત ક્ષેત્રમાં ચાલીસ જેટલા ગામોમાં સાત મે, રવિવારે આ “ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ” આયોજન કરવામાં આવ્યું.
યજ્ઞના મહત્વની અગાઉથી સૌને સોસીયલ મિડિયા તેમજ સ્વયં સેવક ભાઈઓ બહેનો દ્વારા રુબરુ સંપર્ક કરી વિગતવાર જાણકારી આપતાં સૌમાં ઉત્સાહ વધતા મોડાસા ક્ષેત્રમાં સાતમી મે ,રવિવારે ૨૫૦૦ ( પચ્ચીસો ) થી વધુ ઘરોમાં યજ્ઞ સંપન્ન થયા. જેમાં આ માટે ઔષધીય જડીબુટ્ટીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ હવન સામગ્રીથી ગાયત્રી મહામંત્ર તેમજ મહામૃત્યુંજય મંત્ર દ્વારા આહુતિઓ આપવામાં આવી. જેને યજ્ઞ કર્મકાંડ જાતે ન ફાવતું હોય તેમને સોસીયલ મિડિયાના ઓનલાઈન માધ્યમ દ્વારા ડિજીટલ યજ્ઞ લીંક, વિડીયો ક્લીપનો ઉપયોગ કરીને પણ સૌને સ્વયં પોતાના ઘેર યજ્ઞ કરવા વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. શક્ય બન્યું તેટલા ઘરોમાં ગાયત્રી પરિવારના સાધકોએ ઘરે ઘરે રુબરુ જઈ કર્મકાંડ કરાવ્યું. મોડાસા શહેર સહિત ક્ષેત્રમાં ચાલીસ જેટલા ગામોમાં ઔષધીય જડીબુટ્ટીઓ યુક્ત હવન સામગ્રી વિના મૂલ્યે તેમજ યજ્ઞ કર્મકાંડની સરળ પત્રિકાઓ ગાયત્રી સાધકો દ્વારા ઘેર ઘેર પહોંચાડવામાં આવેલ. જેથી સૌ સરળ રીતે પોતાના ઘેર જાતે પણ યજ્ઞ કરી શકે એવું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ક્ષેત્રમાં “ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ” અભિયાનમાં ખૂબજ સફળ પ્રતિસાદ મળ્યો છે.

મોડાસા ક્ષેત્રમાં “ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ” આયોજન૨૫૦૦ થી વધુ ઘરોમાં ગાયત્રી યજ્ઞમાં આહુતિઓ અર્પણ કરાઈ Read More »

Uncategorized ક્રિકેટ

સેવા અને શ્રમનું દાન કરી શામળિયાની અસીમકૃપા મેળવીએ,આવો, શામળાજી તીર્થધામને સ્વચ્છ બનાવવાના સફાઈ અભિયાનમાં સ્વયંભૂ સહભાગી બનીએ

ગુજરાત કારોબાર ન્યૂઝ/ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

શામળિયા ઠાકોરના દર્શન સાથે કરીએ સફાઈ અભિયાન રૂપી સ્તુતિ,તા.૨૨ એપ્રિલના રોજ સવારે ૮ થી ૧૧ દરમિયાન શામળાજી પહોંચીને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનીએ,યાત્રાધામ સફાઈ અભિયાન અંતર્ગત આગામી તા.૨૨ એપ્રિલ શનિવારથી રાજ્યભરના વિવિધ યાત્રાધામ ખાતે સફાઈ અભિયાન શરૂ થઈ રહ્યું છે ત્યારે અરવલ્લી સ્થિત સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રીશ્રી ભિખુસિંહ પરમારની અધ્યક્ષતામાં સફાઈ અભિયાન હાથ ધરાશે જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.જિલ્લા કલેકટરશ્રી દ્વારા સફાઈ અભિયાનને લઈને તમામ વ્યવસ્થાઓ ઊભી કરવા સૂચન કરાયું. તેમણે જિલ્લાના નાગરિકોને તથા સેવાભાવી સંસ્થાઓને ગરિમા અને પવિત્રતાના ભાગરૂપે શામળાજી તીર્થધામને સ્વચ્છ બનાવવાના સફાઈ અભિયાનમાં સ્વયંભૂ સહભાગી બનવા અપીલ કરી હતી. આ સફાઈ અભિયાન સવારે ૮ વાગ્યે શરૂ થશે જે ૧૧ વાગ્યા સુધી ચાલશે.જેમાં શામળાજી પરિસર સહિત આસપાસના વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરાશે. સેવા અને શ્રમનું દાન કરી પ્રભુની અસીમકૃપા મેળવવા જિલ્લા વહીવટી તંત્ર અરવલ્લી દ્વારા જિલ્લાના નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે.

સેવા અને શ્રમનું દાન કરી શામળિયાની અસીમકૃપા મેળવીએ,આવો, શામળાજી તીર્થધામને સ્વચ્છ બનાવવાના સફાઈ અભિયાનમાં સ્વયંભૂ સહભાગી બનીએ Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

સુરક્ષા જવાન, સુરક્ષા સુપરવાઇઝર અને સુરક્ષા અધિકારી (GTO) ભરતી શિબિર

ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

24/3/2023

ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્હી અને સિકયોરિટી એન્ડ ઇરેવિજેન્સ સર્વિસ ઈન્ડિયા લી. ના સંયોગથી અરવલ્લી જિલ્લામાં જવાન અને સુરક્ષા સુપરવાઇઝર અને સુરક્ષા અધિકારીની ભરતી શિબિરનું આયોજન રાખવામાં આવેલ છે. તા. ૨૫/૦૩/૨૦૨૩ તાલુકા પંચાયત ભિલોડા, તા. ૨૬/૦૫/૨૦૧૩ તાલુકા પંચાયત માલપુર તા.ર૬/૦૩/૨૦૩ તાલુકા પંચાયત, મેઘરજ, તા. ૨૭?/૦૩/૨૦૨૩ તાલુકા પંચાયત, બાયડ, તા ૨૭/૦૩/૨૦૨૩ તાલુકા પંચાયત, ધનસુરા, તા.૨૮/૦૩/૨૦૨૩ તાલુકા પંચાયત, મોડાસા તા ૨૯/૦૩/૨૦૨૩ તાલુકા પંચાયત મોડાસા, ના રોજ શિબિરનું આયોજન કરેલ છે. જેનો સમય સવારે 10:00 થી ૦૪:૦૦ કલાક સુધી રાખેલ છે. ભરતી અધિકારીશ્રી રામપ્રકાશસિંહ બતાવેલ છે કે ઉમેદવારોની ઉપર ૨૧ થી ૩૬ વર્ષે શૈક્ષણિક લાયકાત સુપરવાઇઝર ૧૨ પાસ સુરક્ષા જવાન ૧૦ પાસ સુરક્ષા અધિકારી (G.T.O.) ગ્રેજ્યુએટ ઉંચાઇ ૧૬૮ સેમી, વજન ૫૬ કિલો, છાત્તી ૮૦ થી ૮૫ અને શારીરિક રીતે તંદુરસ્ત હોવુ જરૂરી છે જેને ઈચ્છા હોય તેવા ઉમેદવાર બધા જ ડૉક્યુમેન્ટ ની ઝેરોક્ષ અને પાસપોર્ટ સાઈઝના ૩ ફોટા, આધારકાર્ડ, બૉલપેન લઇને હાજર રહેવું. પાસ થનાર ઉમેદવાર ભરતી સ્થળે રજીસ્ટ્રેશન કરવાનું હશે જે પાસ ઉમેદવાર રિજિનલ ટ્રેનિંગ સેન્ટર માણસા, ગાંધીનગરમાં ટ્રેનીંગ આપીને સિક્યુરિટી એન્ડ ઈન્ટલેશન્ટ સર્વિસ ઇન્ડિયા લી. માં કાયમી નિયુક્ત ૬૫ વર્ષ સુધી ગુજરાતમાં મળશે. ભારત સરકાર, રાજય સરકાર અને પુરાતત્વ, બંદરગા, એરપોર્ટ, બેંક મલ્ટિનેશનલ ઔધોગિકક્ષેત્ર વગેરે જગ્યાઓ ઉપર નોકરી આપવામાં આવશે. સુરક્ષા સુપરવાઇઝરને ૧૬,૦૦૦/- થી ૨૦,૦૦૦/- સુરક્ષા જવાનને ૧૪,૦૦૦/- થી ૧૮,૦૦૦/- સુધી અને અનન્ય સુવિધા માટે દર વર્ષે પગારમાં વધારો પ્રમોશન પી.એફ, ઈ.એસ.આઇ. ગ્રેજ્યુટી, મેડિકલ સુવિધા, બોનસ પેન્સન જેવી સુવિધા આપવામાં આવશે.

સુરક્ષા જવાન, સુરક્ષા સુપરવાઇઝર અને સુરક્ષા અધિકારી (GTO) ભરતી શિબિર Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

મેગ્નેટ મીડિયા પ્રોડક્શનની દેવેન્દ્ર પટેલ દ્વારા લખાયેલી વેબ સિરીઝ “યુદ્ધ”ના શૂટિંગનું શુભ મૂહુર્ત કરવામાં આવ્યું

ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

24/3/2023

“યુદ્ધ” ગુજરાતી વેબ સિરીઝ જ્યારથી લખાઈ રહી હતી ત્યારથી તેની રાહ જોવાઈ રહી હતી ત્યારે આજે આ વેબ સિરીઝના શૂટિંગનું શુભ મૂહુર્ત ઉત્સાહભેર ગુજરાતી ફિલ્મ જગત સાથે જોડાયેલા લોકોની હાજરીમાં કરવામાં આવ્યું છે. જાણીતા મેગ્નેટ મીડિયા પ્રોડક્શન અને સલીલ પટેલ સાથે મળીને આ વેબ સિરીઝ બનાવાઈ રહ્યા છે. પ્રથમ વખત મેગ્નેટ મીડિયા પ્રોડક્શન સસ્પેન્સ, થ્રીલર વેબ સિરીઝ પર કામ કરી રહ્યું છે મેગ્નેટ મીડિયાના સફળ પ્રોજેક્ટો અત્યાર સુધી થયા છે ત્યારે તેમાં “યુદ્ધ” વેબ સિરીઝનો ઉમેરો કરાયો છે. બીજી મહત્વની વાત એ છે કે, આ વેબ સિરીઝના રાઈટર દેવેન્દ્ર પટેલ છે. આ વેબસિરીઝમાં ડીરેક્ટર કર્તવ્ય શાહ તથા ડાયરેક્ટર ઓફ ફોટોગ્રાફર શ્રી કુમાર નાયર છે તથા મુખ્ય પાત્રોમાં ચેતન ધનાની પૂજા જોષી અને તુષાર સાધુ છે.

“યુદ્ધ” વેબ સિરીઝની આ વાર્તા 3 મુખ્ય પાત્રો પર આધારિત છે. “સહદેવ” જે પોલીસ ઇન્સ્પેક્ટર છે. “અનાહિતા” જે સહદેવની પત્ની છે. “ધનરાજ” જે એક બિઝનેસમેન છે. અનાહિતા અને ધનરાજ વચ્ચે કેટલીક બાબતોને લઈને યુદ્ધ શરૂ થાય છે. શું આ યુદ્ધ અનાહિતાને બચાવે છે કે નહીં? અને અંતે ધનરાજનું શું થાય છે? તે આ વેબસિરીઝમાં બતાવવામાં આવ્યું છે. સસ્પેન્સ થ્રીલર અદભૂત વાર્તા પ્રથમ વખત આ પ્રકારની ગુજરાતી વેબ સિરીઝમાં જોવા મળશે.

દેવેન્દ્ર પટેલે આ વેબ સિરીઝ સ્ટોરીને ખૂબ જ સુંદર રીતે લખી છે. તેઓ ખૂબ જ અનુભવી રાઈટર છે. જેમના લેખો ખૂબ જ લોકો વાંચે છે ત્યારે આ વાર્તા પણ ખૂબ રોચક છે. તેમણે 60થી વધુ પુસ્તકો લખ્યા છે. એટલું જ નહીં દૂરદર્શન અને સબ ટીવી પર પ્રસારિત થતા શો માટે નાટકો અને સ્ક્રિપ્ટો પણ લખી છે.

મેગ્નેટ મીડિયા પ્રોડક્શન વિશે

મેગ્નેટ મીડિયા પ્રોડક્શનમાં ફિલ્મ મેકિંગ, ઇન-ફિલ્મ બ્રાન્ડિંગ અને ઓવરસીઝ ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ જેવી કામગિરી કરે છે. મેગ્નેટ મીડિયાએ સફળ વેબસિરીઝ “વાત વાતમા” અને વાત વાતમા-સીઝન-2નું નિર્માણ કર્યું હતું. જેણે પ્રેક્ષકોને હાસ્ય અને લાગણીઓથી જોડ્યા હતા. મેગ્નેટ મીડિયાએ પણ સુપરહિટ “ધુમ્મસ”નું પણ નિર્માણ કર્યું છે અને “53મું પાનું”ની વ્યાપક પ્રશંસા પણ મેળવી છે. મેગ્નેટ મીડિયા આગામી સમયમાં અંગ્રેજી મૂવી “રેસ્ક્યુ ઇન પેરેડાઇઝ” લઈને પણ આવી રહ્યું છે.

મેગ્નેટ મીડિયા પ્રોડક્શનની દેવેન્દ્ર પટેલ દ્વારા લખાયેલી વેબ સિરીઝ “યુદ્ધ”ના શૂટિંગનું શુભ મૂહુર્ત કરવામાં આવ્યું Read More »

Uncategorized ક્રિકેટ

સિંધી સમાજના ઇષ્ટદેવ સાંઈ જુલેલાલ ની જન્મ જયંતી નિમિત્તે
ચેટીચંડ ની હાર્દિક શુભકામનાઓ સિંધી ભાઈઓને નયા વર્ષની હાર્દિક શુભેચ્છા

ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

ચેત્રી બીજ નવરાત્રી અને રામદેવપીર ની બીજ સર્વે ભાઈઓ બહેનોને ભારતવાસીઓને હાર્દિક હાર્દિક શુભકામના પાઠવવામાં આવે છે આજરોજ અમદાવાદ ખાતે નરોડા ફ્રુટ માર્કેટ રાધે સ્ટેટ મારા સિંધી ભાઈઓ ચાલી સોસાયટીના સ્ટેટના વડીલો આગેવાનો સર્વે ઉપસ્થિત રહ્યા તેમાં જુલે લાલની જે કારબો કરવામાં આવી હતી હતા તેમાં સંગઠનના ઓલ ઇન્ડિયા એસી એસટી ઓબીસી મનોરિટીસ મહા સંઘ સંગઠનના રાષ્ટ્રીય કાર્યકારી સદસ્ય કચ્છ જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી ખેમચંદભાઈ હમીરભાઈ સામળીયા અને શ્રી નથુભાઈ દેસાઈ હિતેશભાઈ સિંધીભરતભાઈ દેસાઈ ઇશ્વરભાઇ દેસાઈ અક્ષયભાઈ સિંધી વિનોદભાઈ સિંધી રાકેશભાઈ સિંધી સફીક ખાન જાહેર અલી અન્સારી રામભાઈ બોધ કનૈયાલાલ આલમ ખાન સુનિલભાઈ સર્વે સમાજના આગેવાનો કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા હતા.

સિંધી સમાજના ઇષ્ટદેવ સાંઈ જુલેલાલ ની જન્મ જયંતી નિમિત્તે
ચેટીચંડ ની હાર્દિક શુભકામનાઓ સિંધી ભાઈઓને નયા વર્ષની હાર્દિક શુભેચ્છા
Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

મોડાસામાં ગાયત્રી ચેતના કેન્દ્ર ધ્વારા વૈદિક હોળી ભવ્ય ઉજવણી કરાઈ

મોડાસામાં ગાયત્રી ચેતના કેન્દ્ર ધ્વારા વૈદિક હોળી ભવ્ય ઉજવણી કરાઈ

ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

મોડાસામાં આપણી મૂળ પરંપરા જાગૃત થાય તેમ પ્રયાસ રુપે ગાયત્રી ચેતના કેન્દ્ર આગળ શુદ્ધ અને પવિત્ર વૈદિક હોળીનું આયોજન કરવામાં આવ્યું. આજ આ વૈદિક હોળીમાં નવયુગલો ધ્વારા પૂજન વિધિથી શુભારંભ કરવામાં આવ્યો. અખંડ દીપકમાંથી અગ્નિ પ્રગટાવી હોળી સાંજે સાત વાગે પ્રાગટ્ય કરવામાં આવી. હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી આ પવિત્ર વૈદિક હોળીમાં મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પણ કરાઈ. ઉપસ્થિત સૌએ પોતપોતાની માન્યતા અનુસાર પવિત્ર વસ્તુઓ હોમી.

આ તમામ માનવ મહેરામણ આ વૈદિક હોળીની પરિક્રમા કરી ધન્યતા અનુભવી. આ વૈદિક હોળી યજ્ઞમાં ગાયના છાણાંમાંથી બનાવેલ ગૌ કાષ્ટ, ગાયનું ઘી, ગાયના છાણાં-ઓરાયા, આંબો, પીપળી, વડ, ખેર, ઉમરો, ખાખરો ,બીલી જેવાં વૃક્ષોની સમિધાઓ, સાત પ્રકારના ધાન્ય, ગુગળ , ઈલાયચી, લવિંગ, કપૂર, શ્રીફળો તેમજ હિમાલયની જડીબુટ્ટીઓ યુક્ત હવન સામગ્રી આ વૈદિક હોળીમાં હોમવામાં આવ્યું. ગાયત્રી ચેતના કેન્દ્રની જીપીવાયજી યુવા ટીમે ઉત્સાહભેર આ વિશેષ વૈદિક હોળીનું આયોજન હાથ ધરેલ છે. જે છઠ્ઠી માર્ચ સોમવારે સાંજે ગાયત્રી ચેતના કેન્દ્ર સામેના મેદાનમાં આયોજન કરવામાં આવ્યું. આપણી સંસ્કૃતિના મૂળ મૂલ્યોને ઉજાગર કરી સૌને પવિત્ર હોળીના મહત્વની પ્રેરણા મલી શકે તેવી પવિત્ર ભાવનાથી આ વૈદિક હોળી મનાવવાનું આયોજન કરવામાં આવ્યું.

મોડાસામાં ગાયત્રી ચેતના કેન્દ્ર ધ્વારા વૈદિક હોળી ભવ્ય ઉજવણી કરાઈ Read More »

Uncategorized ક્રિકેટ

હવામાન ખાતાની આગાહી

અરવલ્લી જીલ્લામાં કમોસમી વરસાદ/માવઠા તેમજ વાદળછાયા વાતાવરણની શક્યતા જણાય તો નીચે મુજબના પગલાં લેવા ખેડુતોને ભલામણ

હવામાન ખાતાની આગાહી Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

હવામાન ખાતાની આગાહી

6/3/2023

અરવલ્લી જીલ્લામાં કમોસમી વરસાદ/માવઠા તેમજ વાદળછાયા વાતાવરણની શક્યતા જણાય તો નીચે મુજબના પગલાં લેવા ખેડુતોને ભલામણ

ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.-૦૭/૦૩/૨૦૨૩ થી ૦૮/૦૩/૨૦૨૩ના અરવલ્લી જીલ્લામાં કમોસમી વરસાદ/માવઠા તેમજ વાદળછાયા વાતાવરણની શક્યતા જણાય તો નીચે મુજબના પગલાં લેવા ખેડુતોને ભલામણ કરવામાં આવે છે.
કમોસમી વરસાદથી થતા પાક નુકસાનીથી બચવા માટે ખેડૂતોના ખેડૂત ઉત્પાદિત પાક ખેતરમાં કાપણી કરેલ હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા.એ.પી.એમ.સી. માં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા એ.પી.એમ.સી. માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/ખેતી અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારી /નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ),KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર–૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવો.

હવામાન ખાતાની આગાહી Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

હઠીપુરા ગામે પરમ પૂજ્ય શ્રી અવિચલ દેવાચાર્ય મહારાજનો જગતગુરુ પદ પ્રતિષ્ઠા સત્કાર સમારંભ યોજાશે

ગુજરાત કારોબાર દૈનિક ન્યુઝ : ભરતસિંહ ઠાકોર અરવલ્લી દિવ્ય

પરમગુરૂ શ્રીમદ કરુણાસાગર મહારાજશ્રીની અસીમ કૃપાથી ગુરુદેવ અનંત વિભૂષિત કૈવલ જ્ઞાન પીઠ સારસાના પીઠાધીશ્વર સપ્તમ કુવેરાચાર્ય અને અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પરમ પૂજ્ય શ્રી અવિચલદાસજી મહારાજને ભારત વર્ષના ધર્મચાર્યો દ્વારા જગતગુરુ પદે અભિષિક્ત કરવામાં આવતા મહારાજશ્રીની જન્મભૂમિ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના હઠીપુરા ગામે સત્કાર સન્માન સમારોહનું અને સીસી રોડના શિલાન્યાસનુ તારીખ ૧૨-૨-૨૦૨૩ ને રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર,પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર, ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા, માનસિંગ ચૌહાણ અને કલેક્ટર ડો.નરેન્દ્રકુમાર મીના ઉપસ્થિત રહેનાર છે. હઠીપુરા સેવા સહકારી મંડળીના પ્રાંગણમાં યોજાનાર કાર્યક્રમમાં સવારે ૯-૦૦ કલાક થી જગતગુરુ પરમ પૂજ્ય અવિચલ દેવાચાર્ય મહારાજની શોભાયાત્રા, પરમગુરૂ ચરણ પાદુકા પૂજન, મહારાજશ્રીનું સન્માન, મહારાજ શ્રીના આશિર્વચન અને સીસી રોડનું શિલાન્યાસ કરવામાં આવનાર છે.હઠીપુરા ગામના અગ્રણી શ્રી વિક્રમભાઈ જશુભાઈ પટેલ અને ગ્રામજનો દ્વારા સૌ ધર્મ પ્રેમી ભાઈ બહેનોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અને આ ભૂમિના પનોતા પુત્ર પરમ પૂજ્ય અવિચલદાસજી મહારાજના આશીર્વાદ અને આશિર્વચનનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

હઠીપુરા ગામે પરમ પૂજ્ય શ્રી અવિચલ દેવાચાર્ય મહારાજનો જગતગુરુ પદ પ્રતિષ્ઠા સત્કાર સમારંભ યોજાશે Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

સરકાર 24 કલ્લાક વીજળી આપવાના વાયદા કરે છે પણ સંજાણ માં વીજળી પૂરતી ના મળતા લોકો પરેશાન!

(ગુજરાત કારોબાર ઈરફાન પઠાણ)

સરકાર 24 કલ્લાક વીજળી આપવાના વાયદા કરે છે પણ સંજાણ માં વીજળી પૂરતી ના મળતા લોકો પરેશાન! છેલ્લા 5 વર્ષ થી ફળીયા ના લોકો સ્લો લાઈટ થી પરેશાન સંજાણ બંદર પર આવેલા માંજરા ફળિયા મા અલગ થી ટ્રાન્સફારમર મૂકવા બાબતે અરજી આપવા છતાં હજુ ખતલ વાડ જીઈબીના અધિકારી ઓ નું પેટનું પાણી નથી હલતુ ઉમરગામ. ઉમરગામ તાલુકાના સંજાણ બંદર ગામ ખાતે તારીખ 17/01/23 ના રોજ દક્ષિણ ગુજરાત વીકંપની ખત્તતલવાડ ડિવિઝન મા વીજળી ના લોવોલ્ટેજ ને લઈ ને સંજાણ બંદર પર આવેલા માંજરા ફળિયા મા અલગ થી ટ્રાન્સફારમર મૂકવા બાબતે અરજી અપાઈ હતી. માંજરા ફળીયા મા છેલ્લા પાંચ વર્ષથી લો વોલટેજ ના પ્રશ્ન ને લઈ જેતે સમય ના અધિકારી ને છેલ્લા પાંચ વર્ષથી ફરિયાદ કરાઈ રહી છે. છતાં પણ એનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. તેને તાકિદ કરવા માટે મંજરા ફળીયામા અલગ થી ટ્રાન્સફારમર મૂકવા બાબતે ગામના નાગરિકો એ અરજી મા સહી કરી ફરિયાદ કરી છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા અરજી ના આધારે કેટલી કામગીરી કરશે એ જોવાનું રહ્યું.

સરકાર 24 કલ્લાક વીજળી આપવાના વાયદા કરે છે પણ સંજાણ માં વીજળી પૂરતી ના મળતા લોકો પરેશાન! Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ