Pardi

સુરક્ષા જવાન, સુરક્ષા સુપરવાઇઝર અને સુરક્ષા અધિકારી (GTO) ભરતી શિબિર

ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

24/3/2023

ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્હી અને સિકયોરિટી એન્ડ ઇરેવિજેન્સ સર્વિસ ઈન્ડિયા લી. ના સંયોગથી અરવલ્લી જિલ્લામાં જવાન અને સુરક્ષા સુપરવાઇઝર અને સુરક્ષા અધિકારીની ભરતી શિબિરનું આયોજન રાખવામાં આવેલ છે. તા. ૨૫/૦૩/૨૦૨૩ તાલુકા પંચાયત ભિલોડા, તા. ૨૬/૦૫/૨૦૧૩ તાલુકા પંચાયત માલપુર તા.ર૬/૦૩/૨૦૩ તાલુકા પંચાયત, મેઘરજ, તા. ૨૭?/૦૩/૨૦૨૩ તાલુકા પંચાયત, બાયડ, તા ૨૭/૦૩/૨૦૨૩ તાલુકા પંચાયત, ધનસુરા, તા.૨૮/૦૩/૨૦૨૩ તાલુકા પંચાયત, મોડાસા તા ૨૯/૦૩/૨૦૨૩ તાલુકા પંચાયત મોડાસા, ના રોજ શિબિરનું આયોજન કરેલ છે. જેનો સમય સવારે 10:00 થી ૦૪:૦૦ કલાક સુધી રાખેલ છે. ભરતી અધિકારીશ્રી રામપ્રકાશસિંહ બતાવેલ છે કે ઉમેદવારોની ઉપર ૨૧ થી ૩૬ વર્ષે શૈક્ષણિક લાયકાત સુપરવાઇઝર ૧૨ પાસ સુરક્ષા જવાન ૧૦ પાસ સુરક્ષા અધિકારી (G.T.O.) ગ્રેજ્યુએટ ઉંચાઇ ૧૬૮ સેમી, વજન ૫૬ કિલો, છાત્તી ૮૦ થી ૮૫ અને શારીરિક રીતે તંદુરસ્ત હોવુ જરૂરી છે જેને ઈચ્છા હોય તેવા ઉમેદવાર બધા જ ડૉક્યુમેન્ટ ની ઝેરોક્ષ અને પાસપોર્ટ સાઈઝના ૩ ફોટા, આધારકાર્ડ, બૉલપેન લઇને હાજર રહેવું. પાસ થનાર ઉમેદવાર ભરતી સ્થળે રજીસ્ટ્રેશન કરવાનું હશે જે પાસ ઉમેદવાર રિજિનલ ટ્રેનિંગ સેન્ટર માણસા, ગાંધીનગરમાં ટ્રેનીંગ આપીને સિક્યુરિટી એન્ડ ઈન્ટલેશન્ટ સર્વિસ ઇન્ડિયા લી. માં કાયમી નિયુક્ત ૬૫ વર્ષ સુધી ગુજરાતમાં મળશે. ભારત સરકાર, રાજય સરકાર અને પુરાતત્વ, બંદરગા, એરપોર્ટ, બેંક મલ્ટિનેશનલ ઔધોગિકક્ષેત્ર વગેરે જગ્યાઓ ઉપર નોકરી આપવામાં આવશે. સુરક્ષા સુપરવાઇઝરને ૧૬,૦૦૦/- થી ૨૦,૦૦૦/- સુરક્ષા જવાનને ૧૪,૦૦૦/- થી ૧૮,૦૦૦/- સુધી અને અનન્ય સુવિધા માટે દર વર્ષે પગારમાં વધારો પ્રમોશન પી.એફ, ઈ.એસ.આઇ. ગ્રેજ્યુટી, મેડિકલ સુવિધા, બોનસ પેન્સન જેવી સુવિધા આપવામાં આવશે.

સુરક્ષા જવાન, સુરક્ષા સુપરવાઇઝર અને સુરક્ષા અધિકારી (GTO) ભરતી શિબિર Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

શહીદ દિવસ નિમિતે યાદ કરીએ આપણા અરવલ્લી જિલ્લાના વીર સપૂતોને જેમણે આઝાદીની લડાઈમાં યોગદાન આપ્યું

ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

અરવલ્લી જિલ્લાના મથુરદાસ ગાંધી, નટવરલાલ ગાંધી, ચુનીલાલ ગાંધી,મોહનલાલ ગાંધી,પુરુષોત્તમદાસ શાહ, રમણલાલ સોની, અને સુરજીભાઈ સોલંકી જેવા અનેક લડવૈયાઓને કેવી રીતે ભૂલી શકાય

અરવલ્લીના રાષ્ટ્રપ્રેમી સપૂતોનું પૂણ્ય સ્મરણ કરી તેમને વંદન. બ્રિટીશ હકુમતના પાયા હચમચાવી નાંખનારી દાંડીકૂચ અને નમક સત્યાગ્રહમાં પણ આ જિલ્લાની મહિલા શક્તિના પ્રતિક મણીબહેનના યોગદાનને બિરદાવીએ

આજે દેશ “શહીદ દિવસની” ઉજવણી કરી રહ્યો છે. ત્યારે દેશની આઝાદી માટે લડનારા અને પોતાના પ્રાણોની આહુતિ આપનારા દરેક લડવૈયાઓને આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મેળવવા માટે ભારતે વર્ષો સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો, અને પછી આપણને આઝાદી મળી. આવી સ્થિતિમાં શહીદ દિવસે દેશને આઝાદ કરવા અને દેશની રક્ષા માટે પોતે બલિદાન આપનારા આ નિર્ભીક શહીદોને શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર રાષ્ટ્ર શ્રધ્ધાંજલી પાઠવે છે. અંગ્રેજોનાં રાજમાં ભારતનાં વીર પુત્રોએ આઝાદીને મેળવવા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું હતુ. સમગ્ર દેશ આજે ‘શહીદ દિવસ’ મનાવી રહ્યો છે. દેશની સ્વાતંત્ર્ય ચળવળના ત્રણ દિવાના – ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને 87 વર્ષ પહેલા આજની જ તારીખે બ્રિટિશ શાસકોએ ફાંસી આપી હતી.

 અરવલ્લી જિલ્લામાં નવરાત્રી, દશેરા,  દિવાળી, ઉત્તરાયણ અને હોળી વગેરે તહેવારોને વિદેશી માલની હોળી કરીને રાષ્ટ્રીય પર્વ તરીકે ઉજવ્યા હતા. એટલું જ નહીં પણ વિદેશી કાપડનો મોટાભાગનો વેપાર વણીકોના હાથમાં હોવા છતાં આર્થિક લાભોને અવગણી વણિક સપૂતો અને સુપુત્રીઓએ પોતાની સગાઓની અને જ્ઞાતિભાઈઓની દુકાનો પર કડક પેકેટિંગ કરીને એ ઝુંબેશને સફળ બનાવી હતી. આમ વિદેશી કાપડના બહિષ્કારની ઝુંબેશ માં અરવલ્લીનું પ્રદાન વિશિષ્ટ રહ્યું.

અદાલતના બહિષ્કારની ઝુંબેશ દરમિયાન મોડાસામાં સરકારી અદાલતો નો વિકલ્પ પુરો પાડવા માટે જનતાની લવાદ કોર્ટ સ્થપાઈ હતી. જેમાં 40 સદગુરુહસ્તોએ ન્યાયાધીશ તરીકે ફરજ બજાવી હતી. ઈસ. 1930 માં યોજાયેલી વડી ધારાસભાની તથા મુંબઈ ધારાસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીને રાજકીય જાગૃતિનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

મીઠાના કાયદા સામેના આંદોલનમાં અરવલ્લીના યુવાનો દાંડી લસુન્દ્રા ધોલેરા રાણપુર ધંધુકા અને મુંબઈના વડાલા ગામ સ્થળોએ જઈ મીઠાના સત્યાગ્રહમાં જોડાયા હતા. તે સ્થળોથી બિન જકાતથી મીઠું લાવીને ગામમાં વહેચ્યુ હતું. ધોલેરાની ખાડીથી લાવેલું મીઠું વેચવા મોડાસામાં યોજાયેલી સભા પર પોલીસએ અમાનુષી અત્યાચાર કરીને 80 અબાલ વૃદ્ધોને ઘાયલ કર્યા હતા.
મણીબેન દોશી એ જેલમાં જવાના ઈરાદાથી જાહેરમાં મીઠું પકવવાનો કાર્યક્રમ યોજવાની તૈયારી કરી હતી. આમ મીઠાના કાયદાના ભંગ દરમિયાન ધરપકડો વોહરીને તથા લાઠીચાર્જ જીલીને સ્વયં શિસ્ત અને બલિદાનની ભાવનાના બુનિયાદી મૂલ્યોની પ્રસ્થાપિત કરીને સબળ અને સક્ષમ રાજકિય વાતાવરણ સર્જ્યું હતું.

ભારતીબેન સારાભાઈએ મોડાસામાં આવીને મોડાસાની મહિલાઓને આઝાદીની લડતમાં જોડાવા ઉત્તેજન આપ્યું હતું. પરિણામે મણીબેન દોશી, શાંતાબેન પટેલ, માણેકબેન પરીખ, પીલીબા, લલીતાબેન શાહ અને ભાનુમતિબેન વગેરે મહિલાઓએ લડતમાં નોંધપાત્ર કામગીરી બજાવી હતી. લલીતાબેન બાળવિદ્યવા હોવા છતાં મોડાસામાં યોજાતી સભાઓ અને સરઘસોમાં ઝંડાધારી તરીકે મોખરે રહેતા હતા.

મેઘરજ તાલુકાના મંગળાભાઈ ભોઇ તથા કલાભાઈ ભગોરા હિંદ છોડો આંદોલન દરમિયાન પત્રિકા પ્રચાર પ્રવૃત્તિ કરતા હતા. સ્વતંત્ર સંગ્રામના રંગે રંગાયેલા સુરેશભાઈ સોલંકી કુટુંબની જીવા દોરી સમાન પોલીસની નોકરી છોડીને લડતમાં નોંધપાત્ર પ્રદાન કર્યું હતું.
અરવલ્લી જિલ્લામાં મુસ્લિમ સમાજમાં રાષ્ટ્રીય જાગૃતિના મૂળ ખિલાફત આંદોલન વખતે નખાયા હતા. તે વખતે મોડાસાના આગેવાન મહમદ હુસેન મુનશી આંદોલનમાં જોડાયા હતા. તેઓ મોડાસા કોંગ્રેસ કમિટીના સક્રિય સભ્ય હતા.

દેશને આઝાદી મળ્યા બાદ પણ માં ભારતીની સેવામાં લાખો વીર સપુતો એ પોતાના પ્રાણની આહુતી આપી. અરવલ્લી જિલ્લાના લક્ષ્મણભાઇ કલાસવા, કાંતિભાઇ કોટવાલ, મુકેશભાઈ ડામોર, દિનેશભાઇ ગડસા, કાંતીભાઇ જોષિયારા અને નાનજીભાઇ જેવા અનેક જવાનો એ દેશ માટે પોતાના પ્રાણ હોમી દીધા

આવો સાથે મળીને શહીદ દિવસે દેશને આઝાદ કરવા અને દેશની રક્ષા માટે પોતાનો બલિદાન આપનારા આ નિર્ભીક શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવીએ.

શહીદ દિવસ નિમિતે યાદ કરીએ આપણા અરવલ્લી જિલ્લાના વીર સપૂતોને જેમણે આઝાદીની લડાઈમાં યોગદાન આપ્યું Read More »

Uncategorized ઓટો

સિંધી સમાજના ઇષ્ટદેવ સાંઈ જુલેલાલ ની જન્મ જયંતી નિમિત્તે
ચેટીચંડ ની હાર્દિક શુભકામનાઓ સિંધી ભાઈઓને નયા વર્ષની હાર્દિક શુભેચ્છા

ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

ચેત્રી બીજ નવરાત્રી અને રામદેવપીર ની બીજ સર્વે ભાઈઓ બહેનોને ભારતવાસીઓને હાર્દિક હાર્દિક શુભકામના પાઠવવામાં આવે છે આજરોજ અમદાવાદ ખાતે નરોડા ફ્રુટ માર્કેટ રાધે સ્ટેટ મારા સિંધી ભાઈઓ ચાલી સોસાયટીના સ્ટેટના વડીલો આગેવાનો સર્વે ઉપસ્થિત રહ્યા તેમાં જુલે લાલની જે કારબો કરવામાં આવી હતી હતા તેમાં સંગઠનના ઓલ ઇન્ડિયા એસી એસટી ઓબીસી મનોરિટીસ મહા સંઘ સંગઠનના રાષ્ટ્રીય કાર્યકારી સદસ્ય કચ્છ જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી ખેમચંદભાઈ હમીરભાઈ સામળીયા અને શ્રી નથુભાઈ દેસાઈ હિતેશભાઈ સિંધીભરતભાઈ દેસાઈ ઇશ્વરભાઇ દેસાઈ અક્ષયભાઈ સિંધી વિનોદભાઈ સિંધી રાકેશભાઈ સિંધી સફીક ખાન જાહેર અલી અન્સારી રામભાઈ બોધ કનૈયાલાલ આલમ ખાન સુનિલભાઈ સર્વે સમાજના આગેવાનો કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા હતા.

સિંધી સમાજના ઇષ્ટદેવ સાંઈ જુલેલાલ ની જન્મ જયંતી નિમિત્તે
ચેટીચંડ ની હાર્દિક શુભકામનાઓ સિંધી ભાઈઓને નયા વર્ષની હાર્દિક શુભેચ્છા
Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

શીકા ગામે ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું વિરાટ આયોજન થયું.

યુગતીર્થ, શાન્તિકુંજ, હરિદ્વારથી શીકા પધાર્યા સંતો.

21/3/2023

ગામેગામથી શ્રદ્ધાળુઓ આ મહાયજ્ઞમાં સહભાગી બન્યા.

મોડાસા, ૨૧ માર્ચ:
વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ માનવમાત્રમાં દેવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગ જેવું દિવ્ય વાતાવરણ બનાવવા બત્રીસો પુસ્તકો લખ્યાં અને ગાયત્રી પરિવારની સ્થાપના કરી. આજે ૧૬ કરોડ જેટલાં ગાયત્રી પરિવારના પીતવસ્ત્રધારી ભાઈઓ બહેનો તેમના કહ્યાં મુજબ માનવતા ઉત્થાનનું કાર્ય કરી રહેલ છે. જન સમાજને સાચા અર્થમાં માનવ બનાવવા અનેક રચનાત્મક ગતિવિધિઓ ચાલી રહેલ છે. જીવમાત્રને માટે વાયુ પ્રદૂષણને શુદ્ધિકરણ માટે યજ્ઞ એ સેનેટાઈઝનું કામ કરે છે. સાથે સાથે યજ્ઞના દિવ્ય ઉર્જાવાન માહોલમાં કર્મકાંડની સાથે સાથે જીવનને સાચી દિશાધારા માટે જરુરી માર્ગદર્શન અપાય છે. સહભાગી થનાર પોતાની કંઈક કુટેવો- વ્યસનો છોડી જીવનને સાચાં માર્ગ પર ચલાવવા સંકલ્પિત થાય છે. જેની અસર સમાજ અને રાષ્ટ્ર ઉત્થાન પર થાય છે.
અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના મુખ્યાલય શાન્તિકુંજ હરિદ્વાર દ્વારા કોરોનાકાળની પરિસ્થિતિ પછી નવ ચેતના જાગરણ હેતું ઠેર ઠેર ૧૦૮, ૫૧, ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ આયોજન થઈ રહેલ છે. જેના ભાગ રુપે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શીકા ગામે ૧૮ થી ૨૦ માર્ચ શનિ, રવિ, સોમવાર દરમિયાન ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું ભવ્ય આયોજન થયું. જેમાં શનિવારે ભવ્ય કલશયાત્રામાં માથા પર લીલાજવારા , કળશ તેમજ પવિત્ર પુસ્તકોની પોથી લઈ સમગ્ર ગામના રસ્તાઓ પર શ્રીરામ શર્મા આચાર્યજીએ માનવમાત્રમાં સાચી માનવતા સ્થાપવા આપેલ જયઘોષના નારાઓથી આ શીકા ગામ ગુંજી ઉઠ્યું હતું. સાંજે વંટોળ તેમજ વરસાદ પડવા છતાંય આયોજકો હિંમત હાર્યા વિના રાત્રે સંકલ્પ દિપયજ્ઞ આયોજન સંપન્ન થયું. જેમાં સૌ ઘરેથી આરતીની થાળી સજાવી લાવી આ વિરાટ આયોજનમાં સૌએ જગમગતા દિવાઓથી આરતી ઉતારી હતી. રવિવાર સવારે ૭ વાગ્યાથી ૨૪ કુંડ પર દંપતિઓ ગોઠવાઈ ગયા હતાં. શાન્તિકુંજ હરિદ્વારથી પધારેલ સર્જન સેનાની પાંચ સંતો આ નવ ચેતના જાગરણ ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞમાં દિવ્ય મંત્રોચ્ચાર-સંગીતમય કર્મકાંડ સાથે સાથે માનવીએ સાચા અર્થમાં જીવન જીવવા માર્ગદર્શન આપતા રહ્યાં. મોડાસા સહિત આસપાસના ગામોમાંથી હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન માટે આ શીકા ગામે ઉમટ્યા સૌએ આ મહાયજ્ઞમાં હિમાલયની જડીબુટ્ટીઓ યુક્ત હવન સામગ્રીની આહુતિઓ અર્પણ કરી ધન્યતા અનુભવી . શીકા ગ્રામજનોએ સૌને માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરી હતી. આ યજ્ઞ ઉપરાંત રવિવાર રાત્રે નારી જાગરણ, આઓ ઘડિએ સંસ્કારવાન પેઢી-ગર્ભોત્સવ સંસ્કાર, યુવા જાગૃતિ, કુરિવાજ નિવારણ વિષયો પર ઉદ્બોધન થયાં તેમજ ગાયત્રી ચેતના કેન્દ્રની બહેનોએ પ્રેરણાત્મક નાટિકા સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. સોમવાર સવારથી દિવસ દરમિયાન આ હરિદ્વારથી પધારનાર સંતોએ ગામમાં જન જનમાં નવ સંકલ્પ માટે સંપર્ક અભિયાનથી સમગ્ર આયોજનનું સમાપન થયું. વિશેષ ખુશીની વાત એ હતી કે આ શીકા ગામના આજીવિકા નોકરી ધંધા અર્થે ગુજરાત કે ભારતભરમાં સ્થળાંતર થયેલ તમામ ગ્રામજનો આ સમગ્ર આયોજન દરમિયાન પોતાના માદરે વતન શીકામાં આવી આ દિવ્ય પવિત્ર આયોજનમાં સહભાગી બની લાભાન્વિત થઈ ગામની આધ્યાત્મિક ભાવના એકતા સમતાથી ગૌરવાન્વિત અનુભવી રહ્યાં હતાં.
આ સમગ્ર આયોજનમાં ગાયત્રી ચેતના કેન્દ્ર- મોડાસાના ગાયત્રી ઉપાસકોના માર્ગદર્શનમાં શીકા ગાયત્રી પરિવારના પરિજનો તથા સમગ્ર શીકા ગામના વડીલો ભાઈઓ બહેનો યુવાનોએ સક્રિય ભૂમિકા ભજવી આ ઉત્સવને સફળ બનાવ્યો.

શીકા ગામે ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું વિરાટ આયોજન થયું. Read More »

Uncategorized ઓટો

શીકા ખાતે યોજાશે ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ ૧૮ થી ૨૦ માર્ચ ત્રિદિવસીય ભવ્ય આયોજન

ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

17/3/2023

ગાયત્રી સાધકો તથા ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર તડામાર તૈયારીઓ ગાયત્રી તીર્થ, શાન્તિકુંજ,હરિદ્વારથી સંતો શીકા પધારશે.

મોડાસા, ૧૭ માર્ચ:સમગ્ર વિશ્વભરમાં યજ્ઞ પરંપરા જાગૃત કરવામાં ગાયત્રી પરિવારનું અનન્ય યોગદાન રહ્યું છે. કોરોનાકાળ પછી હવે ગાયત્રી પરિવારનું મુખ્યાલય ગાયત્રી તીર્થ, શાન્તિકુંજ, હરિદ્વાર દ્વારા સમગ્ર ભારતભરમાં ૧૦૮, ૫૧, ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞના ઠેરઠેર આયોજન કરવામાં આવી રહેલ છે. જે દ્વારા માનવમાત્રમાં માનવતા, સંસ્કાર, જનસેવાનો ભાવ જાગૃત થાય એવા સતત પ્રયત્ન કરવામાં આવી રહેલ છે.ગાયત્રી પરિવારના અરવલ્લી જિલ્લાના અગ્રણી હરેશભાઈ કંસારાએ જણાવ્યાનુસાર અરવલ્લી જિલ્લામાં ગાબટ અને શીકા ખાતે આયોજન આપવામાં આવેલ. હવે ગાબટનો કાર્યક્રમ સમાપન થઈ ૧૮, ૧૯ ,૨૦ માર્ચ દરમિયાન ધનસુરા તાલુકામાં શીકા ગામે નવ ચેતના જાગરણ- ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ આયોજન માટે તડામાર તૈયારીઓ ચાલી રહેલ છે. ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસાના પરિજનો અને સમગ્ર શીકા ગામના ગ્રામજનો આ વિશેષ ઉત્સવ માટે તન,મન, ધનથી તૈયારીઓમાં લાગ્યા છે આ નવ ચેતના જાગરણ- ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ આયોજનમાં ત્રણ દિવસના આયોજન ગોઠવાયું છે. ૧૮ માર્ચ શનિવારે પવિત્ર કળશ અને પોથીયાત્રા સમગ્ર ગામમાં ભ્રમણ કરશે. રાત્રે સંકલ્પ દિપયજ્ઞ, ૧૯ માર્ચ, રવિવાર સવારથી ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાશે. ૨૦મી સોમવારે સવારે સમગ્ર કાર્યક્રમનું સમાપન થશે.જેમાં બોત્તેર દંપતી વિશેષ પૂજામાં જોડાશે. સમગ્ર ગ્રામજનો સહિત આસપાસના તેમજ ગાયત્રી ચેતના કેન્દ્ર, મોડાસાના સંપર્ક ક્ષેત્રના તમામ ગામોમાંથી સાધકો આ શીકા ખાતેના વિરાટ આયોજનમાં જોડાઈ હિમાલયની જડીબુટ્ટીઓ યુક્ત હવન સામગ્રીની આહુતિઓ અર્પણ કરશે. માનવ માનવમાં નવ ચેતના જાગરણ માટે ગાયત્રી તીર્થ, શાન્તિકુંજ હરિદ્વારથી પધારનાર પ્રતિનિધીશ્રીઓ આ સમગ્ર આયોજનમાં યજ્ઞિય કર્મકાંડ કરાવશે . આ ઉપરાંત સંસ્કાર પરંપરા , નારી જાગરણ, આઓ ઘડિએ સંસ્કારવાન પેઢી-ગર્ભોત્સવ સંસ્કાર, યુવા જાગૃતિ માટે વિશેષ ઉદ્બોધનો દ્વારા આ હરિદ્વારથી પધારનાર સંતોની અમૃતવાણીનો લાભ સૌને મળશે.

શીકા ખાતે યોજાશે ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ ૧૮ થી ૨૦ માર્ચ ત્રિદિવસીય ભવ્ય આયોજન Read More »

Uncategorized ઓટો

હવામાન ખાતાની આગાહી

અરવલ્લી જીલ્લામાં કમોસમી વરસાદ/માવઠા તેમજ વાદળછાયા વાતાવરણની શક્યતા જણાય તો નીચે મુજબના પગલાં લેવા ખેડુતોને ભલામણ

હવામાન ખાતાની આગાહી Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

હવામાન ખાતાની આગાહી

6/3/2023

અરવલ્લી જીલ્લામાં કમોસમી વરસાદ/માવઠા તેમજ વાદળછાયા વાતાવરણની શક્યતા જણાય તો નીચે મુજબના પગલાં લેવા ખેડુતોને ભલામણ

ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.-૦૭/૦૩/૨૦૨૩ થી ૦૮/૦૩/૨૦૨૩ના અરવલ્લી જીલ્લામાં કમોસમી વરસાદ/માવઠા તેમજ વાદળછાયા વાતાવરણની શક્યતા જણાય તો નીચે મુજબના પગલાં લેવા ખેડુતોને ભલામણ કરવામાં આવે છે.
કમોસમી વરસાદથી થતા પાક નુકસાનીથી બચવા માટે ખેડૂતોના ખેડૂત ઉત્પાદિત પાક ખેતરમાં કાપણી કરેલ હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા.એ.પી.એમ.સી. માં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા એ.પી.એમ.સી. માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/ખેતી અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારી /નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ),KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર–૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવો.

હવામાન ખાતાની આગાહી Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

હઠીપુરા ગામે પરમ પૂજ્ય શ્રી અવિચલ દેવાચાર્ય મહારાજનો જગતગુરુ પદ પ્રતિષ્ઠા સત્કાર સમારંભ યોજાશે

ગુજરાત કારોબાર દૈનિક ન્યુઝ : ભરતસિંહ ઠાકોર અરવલ્લી દિવ્ય

પરમગુરૂ શ્રીમદ કરુણાસાગર મહારાજશ્રીની અસીમ કૃપાથી ગુરુદેવ અનંત વિભૂષિત કૈવલ જ્ઞાન પીઠ સારસાના પીઠાધીશ્વર સપ્તમ કુવેરાચાર્ય અને અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પરમ પૂજ્ય શ્રી અવિચલદાસજી મહારાજને ભારત વર્ષના ધર્મચાર્યો દ્વારા જગતગુરુ પદે અભિષિક્ત કરવામાં આવતા મહારાજશ્રીની જન્મભૂમિ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના હઠીપુરા ગામે સત્કાર સન્માન સમારોહનું અને સીસી રોડના શિલાન્યાસનુ તારીખ ૧૨-૨-૨૦૨૩ ને રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર,પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર, ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા, માનસિંગ ચૌહાણ અને કલેક્ટર ડો.નરેન્દ્રકુમાર મીના ઉપસ્થિત રહેનાર છે. હઠીપુરા સેવા સહકારી મંડળીના પ્રાંગણમાં યોજાનાર કાર્યક્રમમાં સવારે ૯-૦૦ કલાક થી જગતગુરુ પરમ પૂજ્ય અવિચલ દેવાચાર્ય મહારાજની શોભાયાત્રા, પરમગુરૂ ચરણ પાદુકા પૂજન, મહારાજશ્રીનું સન્માન, મહારાજ શ્રીના આશિર્વચન અને સીસી રોડનું શિલાન્યાસ કરવામાં આવનાર છે.હઠીપુરા ગામના અગ્રણી શ્રી વિક્રમભાઈ જશુભાઈ પટેલ અને ગ્રામજનો દ્વારા સૌ ધર્મ પ્રેમી ભાઈ બહેનોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અને આ ભૂમિના પનોતા પુત્ર પરમ પૂજ્ય અવિચલદાસજી મહારાજના આશીર્વાદ અને આશિર્વચનનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

હઠીપુરા ગામે પરમ પૂજ્ય શ્રી અવિચલ દેવાચાર્ય મહારાજનો જગતગુરુ પદ પ્રતિષ્ઠા સત્કાર સમારંભ યોજાશે Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

સરકાર 24 કલ્લાક વીજળી આપવાના વાયદા કરે છે પણ સંજાણ માં વીજળી પૂરતી ના મળતા લોકો પરેશાન!

(ગુજરાત કારોબાર ઈરફાન પઠાણ)

સરકાર 24 કલ્લાક વીજળી આપવાના વાયદા કરે છે પણ સંજાણ માં વીજળી પૂરતી ના મળતા લોકો પરેશાન! છેલ્લા 5 વર્ષ થી ફળીયા ના લોકો સ્લો લાઈટ થી પરેશાન સંજાણ બંદર પર આવેલા માંજરા ફળિયા મા અલગ થી ટ્રાન્સફારમર મૂકવા બાબતે અરજી આપવા છતાં હજુ ખતલ વાડ જીઈબીના અધિકારી ઓ નું પેટનું પાણી નથી હલતુ ઉમરગામ. ઉમરગામ તાલુકાના સંજાણ બંદર ગામ ખાતે તારીખ 17/01/23 ના રોજ દક્ષિણ ગુજરાત વીકંપની ખત્તતલવાડ ડિવિઝન મા વીજળી ના લોવોલ્ટેજ ને લઈ ને સંજાણ બંદર પર આવેલા માંજરા ફળિયા મા અલગ થી ટ્રાન્સફારમર મૂકવા બાબતે અરજી અપાઈ હતી. માંજરા ફળીયા મા છેલ્લા પાંચ વર્ષથી લો વોલટેજ ના પ્રશ્ન ને લઈ જેતે સમય ના અધિકારી ને છેલ્લા પાંચ વર્ષથી ફરિયાદ કરાઈ રહી છે. છતાં પણ એનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. તેને તાકિદ કરવા માટે મંજરા ફળીયામા અલગ થી ટ્રાન્સફારમર મૂકવા બાબતે ગામના નાગરિકો એ અરજી મા સહી કરી ફરિયાદ કરી છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા અરજી ના આધારે કેટલી કામગીરી કરશે એ જોવાનું રહ્યું.

સરકાર 24 કલ્લાક વીજળી આપવાના વાયદા કરે છે પણ સંજાણ માં વીજળી પૂરતી ના મળતા લોકો પરેશાન! Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત દ્વારા મેડિકલક્ષેત્રમાં ભણતી 3 ગરીબ બાળાઓને ભણતર માટે આર્થિક મદદ કરવામાં આવી

(ગુજરાત કારોબાર,કેયુરપટેલ, વાંસદા )તા.૧૮. સ્ત્રી કેળવણી અને સામાજિક જનજાગૃતિ,ગરીબ પરિવારોને જીવન નિર્વાહ માટેની સહાય સહિતના વિવિધ સામાજિક ક્ષેત્રે સતત કામગીરી કરી રહેલ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા તારીખ 18/12/22 ના ગણદેવી તાલુકાના ધનોરી અને ચાંગા ગામમાં અને ધરમપુર તાલુકાના બિલપુડી ગામે 3 ગરીબ બાળાઓને ગરીબીના કારણે ભણતર નહીં અટકે તે માટે પ્રોત્સાહન રૂપે આર્થિક મદદ કરવામાં આવી.જેમાં નવસારીના અગ્રણ્ય રેડિયોલોજીસ્ટ ડો.ચેતન પટેલને સ્થાનિક યુવાનો સંજય હળપતી અને હાર્દિક રાઠોડ દ્વારા ગણદેવી તાલુકાની દિકરી આરતી હળપતિના પિતાનું 6 વર્ષ પૂર્વે અવસાન થતાં માતાએ કાળી મજૂરી અને મોટી બહેને પોતાનું ભણતર છોડીને નોકરી કરીને આરતીને ડોક્ટર બનાવવાના અરમાનો સાથે ભણવા માટે મોકલી હોવાની હકીકત જણાવતાં એમણે સમસ્ત આદિવાસી સમાજની ટીમને જાણ કરતાં તાત્કાલિક ધોરણે આદિવાસી સમાજની ટીમ મદદ માટે દિકરીના ઘરે પહોંચી હતી.

અન્ય બે પરિવારો પણ ખેતમજૂરી કરી કપરી પરિસ્થિતિમાં જીવન ગુજારી રહ્યા છે.આ પ્રસંગે ઉપસ્થિત સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખશ્રી ડો.પ્રદીપભાઈ ગરાસિયા દ્વારા ભવિષ્યમાં જયારે પણ જરૂર પડે દરેકે દિકરીઓના વાલીઓને બાંહેધારી આપી કોઈપણ ગરીબ દિકરા-દિકરીનું ભણતર માત્ર તેની આર્થિક પરિસ્થિતિને કારણે અટકવું નહીં જોઈએ વિષય પર ભાર આપી ભવિષ્યમાં પણ આવા કોઈપણ જરૂરિયાતમંદ બાળકોને ભણાવવા શક્ય એટલા તમામ પ્રયત્નો કરીશું એવો નિર્ધાર જાહેર કર્યો હતો.અને નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ પટેલ દ્વારા દરેક વાળીઓને જણાવવામાં આવ્યું કે આવી જ રીતે તમારા બાળકો ભણીગણી કમાતા થાય ત્યારે તમારા બાળકોને એટલું ચોક્કસથી શીખવાડજો કે આવી રીતે કોઈપણ સમાજના ગરીબ બાળકોને ભણવામાં મદદરૂપ થશે. અન્યથા ઘણીવાર એવા કિસ્સાઓ બન્યા છે કે આવા બાળકો સારી નોકરી મેળવી લીધા પછી સમાજના ગરીબોને મદદરૂપ થતાં નથી ત્યારે પારાવાર દુઃખ થાય છે.આ પ્રસંગે નિવૃત ખેતીવાડી અધિકારી ધનસુખ ભાઇ,ડો.દિવ્યાંગી,ડો.નીરવભાઈ ગાયનેક,ડો.કૃણાલ,ડો.પંકજ,ડો.પ્રિયેશ,મુકેશભાઈ,કીર્તિભાઇ,મીંતેશભાઈ,દલપતભાઈ,રમેશભાઈ,ઠાકોરભાઈ,હસમુખભાઈ,મયુર,ઉમેશભાઈ મોગરાવાડી , ભાવેશ,ભાવિન,ઉમેશભાઈ વાડ, દલપતભાઈ, ભૂમિક,કાર્તિક, પથિક, જીતેન્દ્ર,હિરેન,સાગર સહિતના ટીમના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતાં.

સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત દ્વારા મેડિકલક્ષેત્રમાં ભણતી 3 ગરીબ બાળાઓને ભણતર માટે આર્થિક મદદ કરવામાં આવી Read More »

Uncategorized ઓટો