આઈપીએલ

સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવા દોરી સમાન સાબર ડેરીએ આજે 59 ની જનરલ સભા કરી 18.50 ટકા દૂધનો ભાવ વધારો જાહેર કર્યો હતો તેમ જ આગામી સમયની ચૂંટણી માટે વિવિધ નિયમો બનાવતા સ્થાનિક કક્ષાએ વિરોધ પણ સર્જાયો હતો.

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

સાબર ડેરી દ્વારા આજે તેની 59 મી જનરલ સભા યોજવામાં આવી હતી જેમાં છેલ્લા એક વર્ષથી દૂધના ભાવ વધારાની રાહ જોતા પશુપાલકો માટે 18.50 ટકા જેટલો ભાવ વધારો જાહેર કરાયો છે જે આગામી ત્રણ તારીખ સુધીમાં પશુપાલકોના એકાઉન્ટમાં પહોંચશે સાથોસાથ 59 ની જનરલ સભા અંતર્ગત આગામી સાબર ડેરીની ડિરેક્ટર પદ માટેની ચૂંટણી માટેના કેટલાક નિયમોમાં ફેરફાર કરાયો છે જેમાં હવેથી ડિરેક્ટર પદ માટે પાંચ લાખનું શેર ભંડોળ ધરાવનારી મંડળી જ તેની ઉમેદવારી કરી શકશે તેમજ 3500 દૂધ ભરાવનાર ચેરમેન જ ડિરેક્ટર પદ માટે લાયક ગણાશે જોકે અચાનક કરાયેલા આ નિયમના પગલે સાબર ડેરીમાં જનરલ સભા મા વિરોધાભાસ સર્જાતા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ નિયમોના પગલે સામાન્ય ડેરીઓને ભારે નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરી છે

સાથોસાથ સાબર ડેરી માં હાલના ડિરેક્ટર પદ ટકાવી રાખવા માટે આવા નિયમો કરાયા હોવાનું આક્ષેપ કર્યો છે. જોકે આ તબક્કે બાયડના ધારાસભ્ય અમુલ ફેડરેશન સહિત સાબરડેરીના ચેરમેનને આડે હાથ લેતા જણાવ્યું હતું કે સાબર ડેરી મા પશુપાલકોના હિત મામલે કોઈ અવાજ ઉઠાવે તો તે કોઈનો વ્યક્તિગત વિરોધ નથી પરંતુ ચાર લાખ પશુપાલકોના હિત માટે ની વાત છે સાથે સાથે આજે લેવાયેલા નિર્ણયો એ નાની મંડળીઓ સહિત પશુપાલકોના હિતમાં લેવાયેલ નિર્ણય નથી જેથી હું તેનો વિરોધ કરું છું તેમ જ આગામી સમયમાં મામલે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા સહિત જરૂર પડે આંદોલન ના માર્ગે પણ આગળ વધીશું

જોકે 900 થી વધારે દૂધ મંડળીઓ ધરાવનારી સાબર ડેરી માં હાલના તબક્કે વિવિધ વિરોધાભાસ વચ્ચે આગામી સમયમાં યોજાનારી સાબર ડેરી ની ચૂંટણી માટેના કેટલાક નિયમોમાં ફેરફાર કરાયું છે જે હકીકત છે જોકે તેનાથી કેટલો ફાયદો પશુપાલકોને થશે એ તો સમય જ બતાવશે

સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવા દોરી સમાન સાબર ડેરીએ આજે 59 ની જનરલ સભા કરી 18.50 ટકા દૂધનો ભાવ વધારો જાહેર કર્યો હતો તેમ જ આગામી સમયની ચૂંટણી માટે વિવિધ નિયમો બનાવતા સ્થાનિક કક્ષાએ વિરોધ પણ સર્જાયો હતો. Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

હોડીમાં 100 માણસો ડૂબી જતા મોતને ભેટ્યા. લગ્નમાંથી પરત ફરતા બન્યો અક્સ્માત

એહવાલ અનીસ શેખ

આફ્રિકન દેશ ઉત્તરી નાઈજીરીયામાં એક ભયાનક બોટ અકસ્માત થયો છે
આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસ (એપી) અનુસાર, ઉત્તરી નાઈજીરિયાના 100 લોકો એક લગ્નમાંથી બોટ દ્વારા પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન પલ્ટી મારી જવાની આ ઘટના બની હતી.

આફ્રિકન દેશ ઉત્તરી નાઈજીરીયામાં એક ભયાનક બોટ અકસ્માત થયો છે. મળતી માહિતી મુજબ આ બોટ દુર્ઘટનામાં લગભગ 100 લોકોના મોત થયા છે. આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસ (એપી) અનુસાર, ઉત્તરી નાઈજીરિયાના 100 લોકો એક લગ્નમાંથી બોટ દ્વારા પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન પલ્ટી મારી જવાની આ ઘટના બની હતી.

એપી અનુસાર, 100થી વધુ લોકો બોટ દ્વારા લગ્નમાંથી પરત ફરી રહ્યા હતા. દરમિયાન અચાનક બોટ ઓવરલોડીંગને કારણે પલટી ગઈ હતી. આ અકસ્માતમાં લગભગ 100 લોકોના મોત થયા છે. પોલીસ અને સ્થાનિક લોકોએ અન્ય લોકોને બચાવવા માટે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. મળતી માહિતી મુજબ, દુર્ઘટના બાદ ઘણા મૃતદેહો મળી આવ્યા છે. તે જ સમયે, અન્યની શોધ ચાલુ છે.
નાઇજર નદીમાં બોટ અકસ્માત
સીએનએનના અહેવાલ મુજબ, આ બોટ દુર્ઘટના નાઈજર નદીમાં થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે બોટમાં લગભગ 300 લોકો સવાર હતા. કાપડાના પરંપરાગત પ્રમુખ અબ્દુલ ગણ લુકપાડાએ જણાવ્યું કે આ ઘટના સોમવારે બની હતી.

અબ્દુલ ગણ લુકપાડાએ જણાવ્યું કે લગ્નમાં આવેલા મહેમાનો નાઈજર નદી પાર કરવા માટે ઈગબોટી ગામથી બોટમાં સવાર થયા હતા. કપરાડામાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તેણે જણાવ્યું કે લગ્ન દરમિયાન જ વરસાદ શરૂ થઈ ગયો હતો. જેના કારણે લોકોએ બોટ દ્વારા પરત જવાનું નક્કી કર્યું હતું.

બોટમાં 300 થી વધુ લોકો સવાર હતા
તેણે જણાવ્યું કે બોટમાં લગભગ 300 લોકો હતા, જેમાં પુરૂષો અને મહિલાઓનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે અકસ્માત સોમવારે સવારે ત્રણથી ચાર વચ્ચે થયો હતો. તેણે જણાવ્યું કે બોટ પાણીમાં ઝાડના થડ સાથે અથડાઈ અને પલટી ગઈ. તેણે કહ્યું કે મારી માહિતી મુજબ માત્ર 53 લોકોને જ બચાવી શકાયા છે.

હોડીમાં 100 માણસો ડૂબી જતા મોતને ભેટ્યા. લગ્નમાંથી પરત ફરતા બન્યો અક્સ્માત Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

સરીગામ ખાતે કેડીબી સ્કૂલ મા પેહલીવાર હોકી ટુર્નામેન્ટ નુ આયોજન કરવામા આવ્યુ હતું

: *કેડીબી સ્કૂલ મા હોકીની ટુર્નામેન્ટ રમાડવામાં આવી હતી. જેમાં સરીગામ માં થી 8 ટીમે ભાગ લીધો હતો.. જેમાં થી ફાઇનલમાં બ્લ્યુ વોરિયર અને ગોડ નાઈન ટીમ આવિ હતી. જેમાં બ્લ્યુ વોરિયર ટીમ વિજેતા બની હતી*

બોક્સ: *હોકી ટૂરના મેન્ટ માં હાયેસ્ટ ગોલ સ્કોરલ અને બેસ્ટ પ્લેયર તરિકે વિશાલ ભાઈ ને ટોફી અને ગોલ્ડ મેડલ આપી ને સનમાનીત કરવામા આવ્યાં હતા*

બોક્સ:  *બ્લ્યુ વોરિયર ટીમના વિશાલ ભાઈ અને હિના પ્રજાપતિ સહીત અન્ય ખેલાડી જે સ્ટેટ લેવલે પણ હોકી ની ટૂરના મેન્ટ માં રમી ચૂક્યા છે*

ભારત દેશ મા અલગ અલગ પ્રકારે અવનવી રમતો રમવામાં આવે છે જેવી કે ક્રિકેટ, હૉકી, કબડી, ખોખો આ અવનવી રમતો થી આપસમાં પ્રેમ ભાવ વધે છે અને મન પણ પ્રફુલ્લીત થાય છે ત્યારે સરીગામ સરીગામ હોકી ટીમ ના સ્ટેટ લેવલે રમિચૂકેલા ખેલાડીઓ એ ઉત્સુકતા બતાવી ને સરીગામ માં સૌપ્રથમ વાર હોકી ટુર્નામેન્ટ નુ આયોજન કર્યું હતું
ભારતની રાષ્ટિય રમત છે. આ રમતમાં બે ટુકડીઓ સામસામે રમે છે.હોકી નામ વડે ઓળખાતી અંગ્રેજી જે (J) આકારની લાકડી વડે દડાને સામેની ટુકડીની જાળી(ગોલપોસ્ટ)માં દાખલ કરાવવાનો હોય છે.


હોકીની શરુઆત : હૉકીની શરૂઆત ક્યાં અને ક્યારે થઈ.
ઐતિહાસિક પુરાવા પરથી જણાય છે કે હૉકી જેવી રમત પ્રાચીન સભ્યતામાં રમાતી હતી
નાઈલનઅ ખીણ પ્રદેશમાં બેની હાસન ના મકબરામાં મળી આવેલા ચિત્રોમાં માણસો હૉકી જેવી રમત રમી રહ્યાં હોવાનું દેખાય છે.
અન્ય અમુક ચિન્હોથી જનાય છે કે આરબ, પર્શિયન, રોમન (પૅગાનીકા), ઈથિયોપિયન અને અત્ઝેક લોકો પન ભિન્ન પ્રકારની હૉકી રમતા હતાં
આ ખેલના સૌથી પ્રથમ તોળી બનાવીને રમવાનો ઉલ્લેખ થેમીસ્ટોક્લ્સ દ્વારા ઈ.પૂ.૪૭૮માં બંધાવાયેલ પૂતળાની દીવાલ પર મળી આવે છે.
૧૬મી સદીના આર્જેન્ટીનામાં સ્થયી થયેલા યુરોપીય લોકો દ્વારા ત્યાંના અરૉકાનો લોકો દ્વારા રમાતી રમત ચ્યુકાનો ઉલ્લેખ છે જેનો અર્થ વાંકી વળેલી એવો થાય છે આ શબ્દ તે રમતમાં વપ્રાતી વાંકા છેડા વાળી લાકડીને આધારે પડ્યો હોવો જોઈએ.
મધ્ય યુગમાં સમગ્ર યુરોપમાં આ રમત રમાતી હતી. તે ઈંગલેન્ડમાં કમ્બુકા (કે કોમોક કે કિમોકકે કીમોજી)તરીકે ઓળખાતી, સ્કોટલે ન્ડમાં શીન્ટી, ફ્રાન્સમાં જ્યૂ દે મેલ, અને નેધરલે ન્ડમાં હેટ કોલ્વેન નામે ઓળખાતી.
આધુનિક હૉકી બ્રિટિશ ઈશ્લેસ માં નિર્માંણ થઈ. ૧૯મે સદીના પ્રથમ અર્ધ ભાગમાં તે પ્રચલીત બની.
કેડીબી સ્કૂલ મા હોકીની ટુર્નામેન્ટ રમાડવામાં આવી હતી. જેમાં સરીગામ માં થી 8 ટીમે ભાગ લીધો હતો.. જેમાં થી ફાઇનલમાં બ્લ્યુ વોરિયર અને ગોડ નાઈન ટીમ આવિ હતી. જેમાં બ્લ્યુ વોરિયર ટીમ વિજેતા બની હતી જેમાં વિશાલ સિ રોહિત ની મહેનત થી ટીમને જીત હસિલ થઈ હતી જેમા વિશાલે આખી ટીમ મા સૌથી વધૂ ગોલ કર્યાં હતા.  બ્લ્યુ વોરિયર ટીમના સપોર્ટર તરિકે મોહિત સર અને રમણ સર નુ ખુબ સારું યોગદાન રહ્યુ હતુ બ્લ્યુ વોરિયર ટીમના વિશાલ ભાઈ અને હિના પ્રજાપતિ સહીત અન્ય ખેલાડી જે સ્ટેટ લેવલે પણ હોકી ની ટૂરના મેન્ટ માં રમી ચૂક્યા છે. આ હોકી ટૂરના મેન્ટ માં હાયેસ્ટ ગોલ સ્કોરલ અને બેસ્ટ પ્લેયર તરિકે વિશાલ ભાઈ ને ટોફી અને ગોલ્ડ મેડલ આપી ને સનમાનીત કરવામા આવ્યાં હતા . બ્લ્યુ વોરિયર વિજેતા ટીમને ફાઇનલ વીનર ની ટોફી આપવામા આવી હતી. સરીગામ ના લોકો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા

સરીગામ ખાતે કેડીબી સ્કૂલ મા પેહલીવાર હોકી ટુર્નામેન્ટ નુ આયોજન કરવામા આવ્યુ હતું Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ દ્વારા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામે સમુહ લગ્ન આયોજન કરાયું

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ અધ્યક્ષ સંયોજક સોઢા વિષ્ણુ સિંહ દિપસિહ ના સહયોગથી શનુભા ભગત, મુકેશસિહ ચૌહાણ વિક્રમસિંહ પરમાર ના આયોજન હેઠળ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામે મેલડી માતાજી ના મંદિરે જંબુસર તાલુકાના સૌ પ્રથમ સમુહ લગ્ન આયોજન કરવામાં આવ્યું જેમાં ત્રણ દિકરીઓ એ પ્રભુતામાં પગલાં પાડયાં આ પ્રસંગે સમિતિ અધ્યક્ષ સંયોજક સોઢા વિષ્ણુ સિંહ દિપસિહ, મહિલા પ્રમુખ મીનાક્ષીબા, નવયુવાન કાર્યકર યોગેશ સિંહ સોઢા, વડોદરા જીલ્લા પ્રમુખ અજયસિંહ સોલંકી, ભરૂચ જીલ્લા પ્રમુખ વીરસિંહ પરમાર, ભરૂચ જીલ્લા રાજપુત સમાજ પ્રમુખ બળવંતસિંહ ચાવડા,સુરત તથા ભરૂચ જીલ્લા માથી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા તથા વેડચ ગામના નવયુવાનો ની મહેનત દ્વારા આયોજન જોરદાર સફળ બનાવ્યું
શનુભા ભગત મેલડી માતાજી ના ભુવાજી ધ્વારા દિકરીઓ ને આશિષ વચન આપવામાં આવ્યા.સમિતિ અધ્યક્ષ સંયોજક સોઢા વિષ્ણુ સિંહ દ્વારા સમાજ સુધારાની શરૂઆત જંબુસર તાલુકામાં શરૂઆત કરી આવતા વર્ષે 1111 દિકરીઓ જંબુસર તાલુકામાં ફક્ત એક જ રૂપિયામાં પરણાવવા માટે તથા દરેક દિકરીઓ અને દીકરાઓ ને 50-50 હજાર રૂપિયા ની મેડિકલ પોલિસી ફ્રી આપવાનું જાહેર કરવામાં આવ્યું

સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ દ્વારા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામે સમુહ લગ્ન આયોજન કરાયું Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

સ્વસહાય જૂથોને આત્મ નિર્ભર બનાવવા સરકારની પહેલ સ્વરૂપે કેશ ક્રેડિટના ચેકનું વિતરણ કરાયું.

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં DAY-NRLM યોજના અંતર્ગત કૅશ ક્રેડિટ કેમ્પ નું આયોજન જિલ્લા પંચાયત અરવલ્લી ખાતે કેશ ક્રેડિટ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું,સ્વસહાય જુથની મહિલાઓ સ્વાવલંબી બને અને આજીવિકામાં વધુ સુધારો આવે તે હેતુથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અરવલ્લી જિલ્લા પંચાયત દ્વારા જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને કૅશ ક્રેડિટ કેમ્પ યોજવામા આવ્યો. કુલ 74 SHG ને 101 લાખનું વિતરણ કરવામાં આવ્યુ.ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોની મહિલાઓને સ્વસહાય જુથોમાં સંગઠીત કરી તેઓને બચત તથા બેંકો સાથે જોડી વધુ ધિરાણ આપી એક સુવ્યવસ્થીત પ્રક્રિયા દ્વારા કૌશલ્યવર્ધન તાલીમ અને માર્કેટીંગ સાથે જોડાણ કરી સખી મંડળની બહેનોની આજીવિકામાં વધારો કરી ગરીબીમાંથી બહાર લાવવા ‘રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન યોજના’ની શરૂઆત કરવામાં આવી છે. જિલ્લા પંચાયત અરવલ્લી ખાતે કેશ ક્રેડિટ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી,DLM શ્રી, LDM શ્રી અને નાબાર્ડ ના ddm શ્રી ઉપસ્થિત રહ્યા.

સ્વસહાય જૂથોને આત્મ નિર્ભર બનાવવા સરકારની પહેલ સ્વરૂપે કેશ ક્રેડિટના ચેકનું વિતરણ કરાયું. Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

સેવા અને શ્રમનું દાન કરી શામળિયાની અસીમકૃપા મેળવીએ,આવો, શામળાજી તીર્થધામને સ્વચ્છ બનાવવાના સફાઈ અભિયાનમાં સ્વયંભૂ સહભાગી બનીએ

ગુજરાત કારોબાર ન્યૂઝ/ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

શામળિયા ઠાકોરના દર્શન સાથે કરીએ સફાઈ અભિયાન રૂપી સ્તુતિ,તા.૨૨ એપ્રિલના રોજ સવારે ૮ થી ૧૧ દરમિયાન શામળાજી પહોંચીને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનીએ,યાત્રાધામ સફાઈ અભિયાન અંતર્ગત આગામી તા.૨૨ એપ્રિલ શનિવારથી રાજ્યભરના વિવિધ યાત્રાધામ ખાતે સફાઈ અભિયાન શરૂ થઈ રહ્યું છે ત્યારે અરવલ્લી સ્થિત સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રીશ્રી ભિખુસિંહ પરમારની અધ્યક્ષતામાં સફાઈ અભિયાન હાથ ધરાશે જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.જિલ્લા કલેકટરશ્રી દ્વારા સફાઈ અભિયાનને લઈને તમામ વ્યવસ્થાઓ ઊભી કરવા સૂચન કરાયું. તેમણે જિલ્લાના નાગરિકોને તથા સેવાભાવી સંસ્થાઓને ગરિમા અને પવિત્રતાના ભાગરૂપે શામળાજી તીર્થધામને સ્વચ્છ બનાવવાના સફાઈ અભિયાનમાં સ્વયંભૂ સહભાગી બનવા અપીલ કરી હતી. આ સફાઈ અભિયાન સવારે ૮ વાગ્યે શરૂ થશે જે ૧૧ વાગ્યા સુધી ચાલશે.જેમાં શામળાજી પરિસર સહિત આસપાસના વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરાશે. સેવા અને શ્રમનું દાન કરી પ્રભુની અસીમકૃપા મેળવવા જિલ્લા વહીવટી તંત્ર અરવલ્લી દ્વારા જિલ્લાના નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે.

સેવા અને શ્રમનું દાન કરી શામળિયાની અસીમકૃપા મેળવીએ,આવો, શામળાજી તીર્થધામને સ્વચ્છ બનાવવાના સફાઈ અભિયાનમાં સ્વયંભૂ સહભાગી બનીએ Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

સુરક્ષા જવાન, સુરક્ષા સુપરવાઇઝર અને સુરક્ષા અધિકારી (GTO) ભરતી શિબિર

ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

24/3/2023

ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્હી અને સિકયોરિટી એન્ડ ઇરેવિજેન્સ સર્વિસ ઈન્ડિયા લી. ના સંયોગથી અરવલ્લી જિલ્લામાં જવાન અને સુરક્ષા સુપરવાઇઝર અને સુરક્ષા અધિકારીની ભરતી શિબિરનું આયોજન રાખવામાં આવેલ છે. તા. ૨૫/૦૩/૨૦૨૩ તાલુકા પંચાયત ભિલોડા, તા. ૨૬/૦૫/૨૦૧૩ તાલુકા પંચાયત માલપુર તા.ર૬/૦૩/૨૦૩ તાલુકા પંચાયત, મેઘરજ, તા. ૨૭?/૦૩/૨૦૨૩ તાલુકા પંચાયત, બાયડ, તા ૨૭/૦૩/૨૦૨૩ તાલુકા પંચાયત, ધનસુરા, તા.૨૮/૦૩/૨૦૨૩ તાલુકા પંચાયત, મોડાસા તા ૨૯/૦૩/૨૦૨૩ તાલુકા પંચાયત મોડાસા, ના રોજ શિબિરનું આયોજન કરેલ છે. જેનો સમય સવારે 10:00 થી ૦૪:૦૦ કલાક સુધી રાખેલ છે. ભરતી અધિકારીશ્રી રામપ્રકાશસિંહ બતાવેલ છે કે ઉમેદવારોની ઉપર ૨૧ થી ૩૬ વર્ષે શૈક્ષણિક લાયકાત સુપરવાઇઝર ૧૨ પાસ સુરક્ષા જવાન ૧૦ પાસ સુરક્ષા અધિકારી (G.T.O.) ગ્રેજ્યુએટ ઉંચાઇ ૧૬૮ સેમી, વજન ૫૬ કિલો, છાત્તી ૮૦ થી ૮૫ અને શારીરિક રીતે તંદુરસ્ત હોવુ જરૂરી છે જેને ઈચ્છા હોય તેવા ઉમેદવાર બધા જ ડૉક્યુમેન્ટ ની ઝેરોક્ષ અને પાસપોર્ટ સાઈઝના ૩ ફોટા, આધારકાર્ડ, બૉલપેન લઇને હાજર રહેવું. પાસ થનાર ઉમેદવાર ભરતી સ્થળે રજીસ્ટ્રેશન કરવાનું હશે જે પાસ ઉમેદવાર રિજિનલ ટ્રેનિંગ સેન્ટર માણસા, ગાંધીનગરમાં ટ્રેનીંગ આપીને સિક્યુરિટી એન્ડ ઈન્ટલેશન્ટ સર્વિસ ઇન્ડિયા લી. માં કાયમી નિયુક્ત ૬૫ વર્ષ સુધી ગુજરાતમાં મળશે. ભારત સરકાર, રાજય સરકાર અને પુરાતત્વ, બંદરગા, એરપોર્ટ, બેંક મલ્ટિનેશનલ ઔધોગિકક્ષેત્ર વગેરે જગ્યાઓ ઉપર નોકરી આપવામાં આવશે. સુરક્ષા સુપરવાઇઝરને ૧૬,૦૦૦/- થી ૨૦,૦૦૦/- સુરક્ષા જવાનને ૧૪,૦૦૦/- થી ૧૮,૦૦૦/- સુધી અને અનન્ય સુવિધા માટે દર વર્ષે પગારમાં વધારો પ્રમોશન પી.એફ, ઈ.એસ.આઇ. ગ્રેજ્યુટી, મેડિકલ સુવિધા, બોનસ પેન્સન જેવી સુવિધા આપવામાં આવશે.

સુરક્ષા જવાન, સુરક્ષા સુપરવાઇઝર અને સુરક્ષા અધિકારી (GTO) ભરતી શિબિર Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

સિંધી સમાજના ઇષ્ટદેવ સાંઈ જુલેલાલ ની જન્મ જયંતી નિમિત્તે
ચેટીચંડ ની હાર્દિક શુભકામનાઓ સિંધી ભાઈઓને નયા વર્ષની હાર્દિક શુભેચ્છા

ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

ચેત્રી બીજ નવરાત્રી અને રામદેવપીર ની બીજ સર્વે ભાઈઓ બહેનોને ભારતવાસીઓને હાર્દિક હાર્દિક શુભકામના પાઠવવામાં આવે છે આજરોજ અમદાવાદ ખાતે નરોડા ફ્રુટ માર્કેટ રાધે સ્ટેટ મારા સિંધી ભાઈઓ ચાલી સોસાયટીના સ્ટેટના વડીલો આગેવાનો સર્વે ઉપસ્થિત રહ્યા તેમાં જુલે લાલની જે કારબો કરવામાં આવી હતી હતા તેમાં સંગઠનના ઓલ ઇન્ડિયા એસી એસટી ઓબીસી મનોરિટીસ મહા સંઘ સંગઠનના રાષ્ટ્રીય કાર્યકારી સદસ્ય કચ્છ જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી ખેમચંદભાઈ હમીરભાઈ સામળીયા અને શ્રી નથુભાઈ દેસાઈ હિતેશભાઈ સિંધીભરતભાઈ દેસાઈ ઇશ્વરભાઇ દેસાઈ અક્ષયભાઈ સિંધી વિનોદભાઈ સિંધી રાકેશભાઈ સિંધી સફીક ખાન જાહેર અલી અન્સારી રામભાઈ બોધ કનૈયાલાલ આલમ ખાન સુનિલભાઈ સર્વે સમાજના આગેવાનો કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા હતા.

સિંધી સમાજના ઇષ્ટદેવ સાંઈ જુલેલાલ ની જન્મ જયંતી નિમિત્તે
ચેટીચંડ ની હાર્દિક શુભકામનાઓ સિંધી ભાઈઓને નયા વર્ષની હાર્દિક શુભેચ્છા
Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

હવામાન ખાતાની આગાહી

અરવલ્લી જીલ્લામાં કમોસમી વરસાદ/માવઠા તેમજ વાદળછાયા વાતાવરણની શક્યતા જણાય તો નીચે મુજબના પગલાં લેવા ખેડુતોને ભલામણ

હવામાન ખાતાની આગાહી Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

હવામાન ખાતાની આગાહી

6/3/2023

અરવલ્લી જીલ્લામાં કમોસમી વરસાદ/માવઠા તેમજ વાદળછાયા વાતાવરણની શક્યતા જણાય તો નીચે મુજબના પગલાં લેવા ખેડુતોને ભલામણ

ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.-૦૭/૦૩/૨૦૨૩ થી ૦૮/૦૩/૨૦૨૩ના અરવલ્લી જીલ્લામાં કમોસમી વરસાદ/માવઠા તેમજ વાદળછાયા વાતાવરણની શક્યતા જણાય તો નીચે મુજબના પગલાં લેવા ખેડુતોને ભલામણ કરવામાં આવે છે.
કમોસમી વરસાદથી થતા પાક નુકસાનીથી બચવા માટે ખેડૂતોના ખેડૂત ઉત્પાદિત પાક ખેતરમાં કાપણી કરેલ હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા.એ.પી.એમ.સી. માં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા એ.પી.એમ.સી. માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/ખેતી અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારી /નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ),KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર–૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવો.

હવામાન ખાતાની આગાહી Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ