Uncategorized

ગાંધીનગર ખેતીવાડી વિભાગના નકલી અધિકારી બની થરાદ પંથકના 28 થી વધુ ખેડૂતો પાસેથી 10. 68 લાખ રૂપિયા લઈ ઠગાઈ કરી.

બનાસકાંઠા હાર્દિક સિંહ રાજપૂત દ્ધારા

ઓળખ માટે મુકેલો ફોટો..

થરાદ તાલુકામાં છેલ્લા એક વર્ષથી ભાવનગરના ભૂતિયા ગામના ભાવેશ ડાભી નામનો વ્યક્તિ ખેતીવાડી વિભાગ ગાંધીનગર નિગમમાં નોકરી કરે છે તેવુ કહી થરાદ તાલુકાના 28 થી વધારો ખેડૂતો સાથે ૧૦.૬૮ લાખ ની ઠગાઈ કરી છે જેમાં થરાદ તાલુકાના હાથાવાડા ગામના અલ્લાબગ્સ ગાજીસા જુનેજા એ થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે આજથી 10 મહિના પહેલા મહેસાણા તાલુકાના સુનિલ ચૌહાણ અને ચિરાગ ગણેશપુરા ના સામજી પટેલ જે બંને નર્મદા વિભાગ થરાદ માં કોન્ટ્રાક્ટર નું કામ કરે છે તેઓ મારી પાસે આવેલ અને તેઓએ ગાંધીનગર ખાતે ખેતીવાડી વિભાગમાં નોકરી કરે છે અને તેઓ હોમલોન, પશુલોન કરે છે અને સબસીડી પણ અપાવે છે તેવી ઓળખાણ આપી અને ભાવેશ ડાભી સાથે મારો પરિચય કરાવેલ ત્યારબાદ મારી લોન માટે સુનિલ ચૌહાણે મારું આધાર કાર્ડ મંગાવ્યું અને તે આધારકાર્ડ ભાવેશ ડાભીને આપ્યું અને તે બીજા દિવસે સુનિલ ચૌહાણ નો ફોન આવેલ કે તમારે આટલા ત્રીસ લાખની લોન મંજૂર થઈ ગયેલ છે અને તમે બાકીના ડોક્યુમેન્ટ ની પીડીએફ બનાવીને મોકલો તેના પછી ભાવેશ ડાભી અને સુનિલ ચૌહાણ મારા ઘરે આવેલ અને ભાવેશ ડાભીએ જણાવેલ કે અમે તમારું સર્વે કરવા માટે આવ્યાં છીએ અને મારા ઘરના અને મારા તબેલા ના ફોટા પણ પાડેલા ત્યાર પછી મારા લીધે અલગ અલગ ગામના 28 ખેડૂતોએ હોમ લોન અને પશુ લોનની ફાઈલો બનાવી અને ભાવેશ ડાભીને આપી તેમાં દરેકનો ફાઈલ ખર્ચ, સર્વેખર્ચ અને 40% સબસીડી અલગથી પાસ કરાવવા માટેની રકમ દરેક ખેડૂતોએ ભાવેશ ડાભીને આપેલી જેમ ત્યારબાદ થોડા સમય પછી અમારા ઉપર કોઈ ઓઝા સાહેબ કરીને ફોન આવેલ અને તેમને કહેલું કે તમારી લોન પાસ થઈ ગયેલ છે અને તમે આ તારીખે પાલનપુર ખાતે આવીને તમારો ચેક લઈ જાઓ ત્યારબાદ તારીખો ઉપર તારીખો આપતા ગયા અને કોઈ કોન્ટેક ન થતાં અમે અને મારો ભાઈ અનવરશા જે લોન પાસ થયા ની અમારા ઉપર ગુજરાત ખેતી નિયામક ગાંધીનગર નો લેટર આવેલો હતો તે લેટરના આધારે અમે ગાંધીનગર ગયેલ અને તે ગાંધીનગર ઓફિસમાં અમે પૂછપરછ કરી લોનની તો એ લોકોએ અમને એવો જવાબ આપેલો કે અમે કોઈ આવી લોનો કરતાં નથી અને આ ભાવેશ ડાભી નામનો અમારી ઓફિસમાં કોઈ કર્મચારી કામ કરતો નથી તેમજ ઓઝા સાહેબ નામનો વ્યક્તિ નોકરી કરતો નથી આથી અમને ખબર પડી કે અમારે જોડે ઠગાઈ થયેલ છે અને ખેતીવાડી ના નકલી અધિકારી બનીને આવેલ અમારી પાસે લાખો રૂપિયા ચૂનો લગાવી ગયો છે આથી અમે થરાદ પોલીસ સ્ટેશનમાં ઓઝા સાહેબ, ભાવેશ ડાભી સહિત એક અજાણ્યાં વ્યક્તિ ઉપર ફરિયાદ નોંધાવી પોલીસે 420 સહિત વિવિધ આઠ કલમો લગાવી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

//ખેડૂતોને ભાવેશ ડાભી સાથે મુલાકાત થરાદ નર્મદા વિભાગના કોન્ટ્રાક્ટરોએ કરાવી હતી.//

ઠગાઈ નો ભોગ બનનાર હાથાવાડાના ખેડૂત અલ્લાબગ્સ ગાજીસા જુનેજા એ જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા થરાદ થરાદ નર્મદા વિભાગમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા મહેસાણાના સુનિલ ચૌહાણ અને ગણેશપુરાના શામજીભાઈ પટેલે નકલી અધિકારી ભાવેશ ડાભી સાથે મુલાકાત કરાવી હતી અને ઓળખાણ પણ આપી હતી કે લોન અને સબસીડી નું કરે છે અને ગાંધીનગર ખેતીવાડી અધિકારી છે તેના કારણે અમે છેતરાઈ ગયા અને અમારે લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો.

//થરાદ તાલુકાના 28 ખેડૂતો સાથે નકલી ખેતીવાડી અધિકારી એ 10. 68 લાખની છેતરપિંડી કરી.//

(૧) અલ્લાબગ્સ જુનેજા:- હાથાવાડા
(૨) અનવરશા જુનેજા:- હાથાવાડા
(૩) ગગુસા જુનેજા:- હાથાવાડા
(૪)અકબરશા જુનેજા:- હાથાવાડા
(૫) જુમાસા જુનેજા:- હાથાવાડા
(૬) ગાજીસા જુનેજા:- હાથાવાડા
(૭) ઇમામશા જુનેજા:- હાથાવાડા
(૮) ઈકબાલશા પઠાણ:- હાથાવાડા
(૯) ગિરધારી ભાઈ પરમાર:- હાથાવાડા
(૧૦) માધાભાઈ પરમાર:- હાથાવાડા
(૧૧) દાનાભાઈ પટેલ:- હાથાવાડા
(૧૨) રત્નેશભાઈ સુવાતર:- ચેલા
(૧૩) મિહસા જુનેજા:- વારા
(૧૪) સોગાજી કાગ:- વારા
(૧૫) જયંતીભાઈ પઢીયાર:- આજાવાડા
(૧૬) ભલાભાઇ કોળી:- કારેલી
(૧૭) મેઘજીભાઈ પટેલ:- માંગરોળ
(૧૮) વશરામભાઈ પટેલ:- પીલુડા
(૧૯) ઓખાભાઈ પટેલ:- પીલુડા
(૨૦) રમેશભાઈ પટેલ:- પીલુડા
(૨૧) રડમલસિંહ પુરોહિત:- ઉંટવેલીયા
(૨૨) પદમસિંહ ચૌહાણ :-વળાદર
(૨૩) ગણેશભાઈ સોલંકી:- ભુરીયા
(૨૪) દેવશીભાઈ પટેલ:- ગણેશપુરા
(૨૫) સમદખાન ચૌહાણ:- ભુરીયા
(૨૬) ઉસ્માનખાન ચૌહાણ:- ભુરીયા
(૨૭) મુળાજી પટેલ :-ભુરીયા
(૨૮) શાંતિભાઈ દેવડા:- ભુરીયા

ગાંધીનગર ખેતીવાડી વિભાગના નકલી અધિકારી બની થરાદ પંથકના 28 થી વધુ ખેડૂતો પાસેથી 10. 68 લાખ રૂપિયા લઈ ઠગાઈ કરી. Read More »

Uncategorized

અરવલ્લી: જીલ્લા માધ્યમિક અને ઉચત્તર માધ્યમિક શાળાના વહિવટી કર્મચારી સંઘના પ્રમુખ તરીકે કૌશિક સોની ની વરણી કરાઇ

ગુજરાત કારોબાર દૈનિક સમાચાર-ભરતસિંહ ઠાકોર અરવલ્લી (બ્યુરો)                                  

અરવલ્લી જીલ્લા માધ્યમિક અને ઉચત્તર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘની સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં આવેલ વિશ્વકર્મા પંચાલ સમજવાડીમાં બેઠક યોજાઇ હતી જેમાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી ભિલોડાના કૌશિક સોનીની સર્વાનુમતે પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં કરાવતા અન્ય હોદેદારો અને કર્મીઓએ અભિનંદ પાઠવ્યા હતા.  

  શામળાજી વિશ્વકર્મા પંચાલ સમજવાડીમાં અરવલ્લી જીલ્લા માધ્યમિક અને ઉચત્તર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘની બેઠક યોજાઈ હતી જેમાં અરવલ્લી જીલ્લા માં.અને ઉ.માં.શાળા વહીવટી કર્મચારી સંઘના પૂર્વ અધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલ,પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પટેલ,મણિલાલ પટેલ,મકનાભાઈ પટેલ,કિશોરભાઈ પંચાલ સહિતની ઉપસ્થિતિમાં જીલ્લાના પ્રમુખ તરીકે કૌશિક સોની,મહામંત્રી  તરીકે શૈલેષભાઇ પંડ્યા,મહેશભાઈ પટેલની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી આ પ્રસંગે ઉપપ્રમુખ કનુભાઈ પટેલ,નારાયણભાઈ પટેલ, અર્જુનસિંહ ઝાલા ,જગદીશ પ્રજાપતિ,રમણલાલ પ્રજાપતિ સહિત હોદ્દેદારો સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.નવીન હોદ્દેદારોએ સૌનો આભાર માન્યો હતો

અરવલ્લી: જીલ્લા માધ્યમિક અને ઉચત્તર માધ્યમિક શાળાના વહિવટી કર્મચારી સંઘના પ્રમુખ તરીકે કૌશિક સોની ની વરણી કરાઇ Read More »

Uncategorized

ઓલ ઈન્ડિયા SC.ST.OBC.માઇનોરીટીસ મહાસંઘ સંગઠન દ્વારા પ.પૂ .સંત શિરોમણી ગુરુ રોહિદાસ મહારાજ ની ૬૪૭ મી જયંતિ અંજાર કોટડા ગામે ગુરુ રોહિદાસ બુદ્ધવિહાર અને કચ્છ જિલ્લા ખાતે ઉજવવામાં આવી 

ગુજરાત કારોબાર દૈનિક સમાચાર-ભરતસિંહ ઠાકોર અરવલ્લી (બ્યુરો)

ગુરુ રોહિદાસ બુદ્ધ વિહાર ગામ કોટડા તાલુકો અંજાર કચ્છ ભુજ ખાતે ફુલહાર મીણબત્તી થી ગુરુ રોહિદાસ મહારાજની જયંતિ જોવામાં આવી અને કોટી કોટી વંદન કરવામાં આવ્યું હતું નાથિ બેન ગોવાભાઇ શામળીયા દક્ષ કુમાર ભારમલભાઈ શામળિયા,દક્ષ શામળિયા,તેમજ દાદા દુખાયલ કોલેજ ઓફ એજ્યુકેશ આદિપુર મા કાર્યકમ રાખવામાં આવ્યો હતો જેમાં કોલેજ ના પ્રિન્સીપાલ ડો.સિલ્વિયા થોમસ ડો.હેમલતાબેન જશોદાબેન તથા કોલેજના અન્ય અધ્યાપકો અને વિદ્યાર્થીઓ યે હાજરી આપી હતી જેમાં સંત શિરોમણી શ્રી રોહિદાસ મહારાજના જીવન પ્રસંગો નો‌ વણૅન વિદ્યાર્થીઓ ધ્વારા કરવામાં આવેલ હતું.આજે માનવતાવાદી  સમતા, બંધુતા, અને સ્વતંત્રતાના પુરસ્કર્તા વિશ્વ વંદનીય સંત રોહિદાસે મહાન કવિ અને તેમના ભજનો અને તેમની સાથે દ્વારા જાતિ વ્યવસ્થા વિરુદ્ધ તેમને મોટી ક્રાંતિ કરી હતી તેમણે કહ્યું હતું કે “એસા ચાહું  રાજ મૈ સબકો મિલે અન્ન,ઉચ્ચ નીચ કોઈ ન હો રોહિદાસ રહે પ્રસન્ન “જાતિ,જાતિ મેં જાત હૈજો કેતન કે પાત , રૈદાસ મનુષ્ય ના જુડ શકે જબ તક જાતિ ન જાત ” પદ દ્વારા સામાજિક અન્યાયી જાતિવાદી વ્યવસ્થા સામે બંડ પોકારી પરિવર્તન માટે જાતિવાદને ફેંકી દેવા આહ્વાન પણ કર્યું છે. એવા બહુજન ક્રાંતિકારી  મહામાનવોને કોટી કોટી વંદન કરવામાં આવ્યું અને રહેવાસીઓ એકઠા થઈને ફૂલહાર અને કેન્ડલ જોત પ્રગટાવીને  કાર્યક્રમનો શુભારંભ કર્યું હતુંઅને ગુરુ રોહિદાસના જીવન સંઘર્ષ વિશે પ્રવચન કરવામાં આવ્યું  ઓલ ઈન્ડિયા SC.ST.OBC. માઇનોરીટીસ મહાસંઘ સંગઠન કચ્છ જિલ્લા દ્વારા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી..

ઓલ ઈન્ડિયા SC.ST.OBC.માઇનોરીટીસ મહાસંઘ સંગઠન દ્વારા પ.પૂ .સંત શિરોમણી ગુરુ રોહિદાસ મહારાજ ની ૬૪૭ મી જયંતિ અંજાર કોટડા ગામે ગુરુ રોહિદાસ બુદ્ધવિહાર અને કચ્છ જિલ્લા ખાતે ઉજવવામાં આવી  Read More »

Uncategorized

મહાન સંત રવિદાસ જયંતીએ શત શત નમન….

🔶 સામાજિક સમતા-સમરસતાનો મંત્ર આપ્યો
🔸 સિકંદર લોદીની ધર્માંતરની ધમકી આગળ ન ઝૂક્યા
🔶 રામ નામની ભક્તિનો મહિમા ગાયો
🔸 ગુરુ ગ્રંથ સાહિબમાં 39 દોહા રવિદાસના…

૧૪થી ૧૬મી સદીનો સમયગાળો.
આ ત્રણસો વર્ષનો સમય હિન્દુસ્થાન માટે નિરાશા અને ઘોર સંકટોથી ભરેલો હતો. આપસમાં ફાટફૂટ, આભડછેટ, ઊંચનીચના ભેદભાવ જેવા અનેક દૂષણોથી સમાજ ખદબદતો હતો. બીજી તરફ વિદેશી આક્રમકો ધર્મ, સંસ્કૃતિ અને સમાજને નષ્ટ-ભ્રષ્ટ કરવો તેને ધાર્મિક જેહાદ સમજતા હતા. આક્રમકોના આતંક અને અત્યાચારથી પ્રજા ત્રાહિમામ્ પોકારી ઊઠી હતી. આવા ઘોર અંધકારના વાતાવરણમાં સંતોએ પ્રભુભક્તિનો મંત્ર ગૂંજતો કરી, સમાજમાં નવચેતનાનો સંચાર કર્યો. તુલસીદાસ, સુરદાસ, ચૈતન્ય મહાપ્રભુ, રામાનંદ, રામાનુજાચાર્ય, કબીર જેવા અગણિત સંતોએ ભક્તિના માધ્યમથી દેશને એક તાંતણે ગૂંથવાનો પ્રયાસ કર્યો. આ સંતોની હારમાળાના મણકામાં એક હતા – રવિદાસ જેમને ઘણા રૈદાસ કે રોહિદાસના નામે પણ ઓળખે છે. ગુરુ સ્વામી રામાનંદની આજ્ઞાથી તેમણે સમાજમાં સમતા, મમતા અને શ્રદ્ધાભાવનું વાતાવરણ પેદા કરવા ‘ ‘રામાય નમ:’ મંત્રનો શંખનાદ કર્યો.

  • સંત રવીદાસના ગુરૂ રામાનંદજી એ સમયે ક્રાંતિકારી સમાજસુધારક ગણાતા. એમણે સમગ્ર દેશનું ભ્રમણ કરી, યુગની માગ મુજબ પોતાના વિચારો લોકો વચ્ચે મૂક્યા. ઊંચનીચ, આભડછેટ જેવી વિકૃતિઓ સામે અવાજ ઉઠાવ્યો. રામાનંદ આખા દેશની યાત્રા કરી કાશી પાછા આવ્યા ત્યારે એમને શુદ્ધિ માટે કહેવામાં આવ્યું, પરંતુ રામાનંદે ચોખ્ખી ના પાડી. એ પછી એક નવા સંપ્રદાયની સ્થાપના કરી. એમણે કહ્યું હતું: ‘હરિ કો ભજે સો હરિ કા હોય, જાતપાત પૂછે નહીં કોય…’
  • રામાનંદજીને દેશભ્રમણ પછી લાગ્યું કે અસ્પૃશ્યતા અને ઊંચનીચની દીવાલ તોડવામાં નહીં આવે તો સમાજ ટકી નહીં શકે. સમગ્ર સમાજના રક્ષણ માટે તેમણે ઠેર ઠેર મહંતી અખાડાની સ્થાપના કરી. તેમણે વિચાર વહેતો કર્યો કે બ્રાહ્મણ હોય કે શુદ્ર, ક્ષત્રિય હોય કે ચમાર, વણિક હોય કે લુહાર – સૌનો રામભક્તિ પર સરખો અધિકાર છે. ભગવાનની શરણમાં આવેલા માણસ માટે જાતિ કે કુળનાં બંધન કેવાં? ભક્તિ કોઇ એક જ્ઞાતિનો અધિકાર નથી. ભક્તિ મંદિરના દ્વાર સૌના માટે ખુલ્લાં છે. રામાનંદજી કેવળ ઉપદેશ આપીને ન અટક્યા. એમણે એને આચરણમાં મૂક્યો. બધી જ જ્ઞાતિના લોકોને ભક્તિમાર્ગની દીક્ષા આપી, પોતાના શિષ્યો બનાવ્યા. સ્વામી રામાનંદજીના ૧૨ મુખ્ય શિષ્યોમાં – અનંતાનંદ, કબીર, સુખાનંદ, સુરસુરાનંદ, પદ્માવતી, નરહર્યાનંદ, પીપા, ભાવાનંદ, રવિદાસ, ધન્ના, સેન અને સુરસુરી.
  • રામનામનો મંત્ર દેશભરમાં ગુંજતો કરવા રામાનંદજીએ ધન્ના, કબીર, રવિદાસ અને સેનને ઉત્તરભારતમાં, સુરસુરાનંદને પંજાબ, ભાવાનંદને દક્ષિણમાં, નરહર્યાનંદને ઓરિસ્સા તરફ, ગાલવાનંદને કાશ્મીરમાં અને પીપા તથા યોગાનંદને ગુજરાતમાં રહીને કામ કરવાની આજ્ઞા કરી.
    રામાનંદના આ એક એકથી ચઢિયાતા ૧૨ શિષ્યોમાં રવિદાસ શાંત, સિદ્ધ અને શ્રેષ્ઠ ગણાતા.
  • વારાણસીમાં માતા કર્માદેવી અને પિતા સંતોખદાસના ઘરે જન્મેલા રવિદાસે જાતિવાદથી ઊપર ઊઠી સમાજમાં સમતા-મમતા અને સમરસતાની ભાવગંગા ભક્તિના માધ્યમથી વહેતી કરી.
    ભક્તિ આંદોલનમાં રવિદાસનું નામ આજે પણ ખૂબ આદરપૂર્વક લેવામાં આવે છે.
    એ સમયે સમાજનાં દંભી ધર્મના ઠેકેદારોએ રવીદાસનો વિરોધ કર્યો હતો.
  • રવિદાસની કીર્તિ વધવા લાગી અને એમનો વિરોધ પણ શરૂ થયો. પરંતુ રવીદાસજીએ આવા જાતિવાદીઓને જવાબ આપ્યો હતો:’પ્રભુભક્તિ કોઇ ઊંચ કે નીચ જ્ઞાતિનો ઇજારો નથી. એના પર તો રાજા-રંક, વિદ્વાન-અભણ, નર-નારી સૌનો સમાન અધિકાર છે. મારા ગુરુએ તો મને શીખવાડ્યું છે કે: ‘હરિ કો ભજે સો હરિ કા હોય, જાત પાત પૂછે નહીં કોય.’ પ્રભુનો દરબાર સૌના માટે ખુલ્લો રહે છે. જન્મથી તો બધા જ શૂદ્ર છે. કર્મથી જ એ ઓળખાય છે.’
  • રવિદાસ ઊંચ નીચની વિકૃત માનસિકતા અને ભગવાનના નામે ચાલતા પાખંડને નિરર્થ બતાવ્યો અને જાતિ છે ત્યાં સુધી સમતા-સમરસતા ન આવે એવો ઉપદેશ આપતા ગાયું: ‘જાતિ જાતિ મેં જાતિ હૈ, જો કેતન કે પાત, રૈદાસ મનુષ ના જૂડ સકે, જબ તક જાતિ ન જાત…
    એમણે કહ્યું જન્મથી કોઇ નીચ હોતું નથી. પોતાના કર્મથી નીચ હોય છે: ‘રૈદાસ જન્મ કે કારને હોત ન કોઇ નીચ, નર કૂં નીચ કર ડારિ હૈ, ઓછે કરમ કી નીચ…’ એમણે સામાજિક એકતા માટે વર્ણાશ્રમને ત્યજવા કહ્યું: વર્ણાશ્રમ અભિમાન તજિ, પદ રજ બંદહિજાસુ કી, સંદેહગ્રંથિ ખંડન નિપન, બાનિ વિમુલ રૈદાસ કી…’
  • રવિદાસજીએ સ્વતંત્રતાના મૂલ્યની પ્રશંસા કરી, ગુલામીને પાપ કહી. તેમણે કહ્યું: ‘પરાધીનતા પાપ હૈ, જાનિ લેહુ રે મીત… રવિદાસ દાસ પરાધીન, સૌ કૌન કરે હૈ પ્રીત…’ તેમણે સમતા અને મમતાનો મંત્ર આપતાં કહ્યું કે: ‘અધમ જાતિમાં જન્મ લેનાર નીચ નથી, પરંતુ પાખંડી, ઢોંગી અને પોતાના સ્વાર્થ માટે બીજા સાથે છેતરપીંડી કરે છે એ નીચ છે.’
  • રામનામમાં રવિદાસને અનન્ય શ્રદ્ધા હતી. એમણે અનેક પદોમાં રામનામનો મહિમા ગાયો છે.
    એ કહે છે: ‘અબ કૈસે છૂટૈ રામનામ રટ લાગી….’
    ‘રામ મેં પૂજા કહાં ચઢાઉ, ફલ અરુ ફૂલ અનુપ ન પાઉ…!’
    લોકો શ્રદ્ધાપૂર્વક રવિદાસની વાણીનું અમૃતપાન કરતા. તેમના ક્રાંતિકારી વિચારોને, ખાસ કરીને નાતજાત વિરોધી અને સામાજિક સમતા અને એકતાના ઉપદેશો જીવનમાં અપનાવી તેને વહેવારમાં મૂકતા. કેટલાક એવા લોકો પણ હતા જે રવિદાસના ઉપદેશમાંથી શાંતિ અને સંતોષ મેળવવા આતુર રહેતા. કેટલાક લોકો રવિદાસને હલકા ચીતરવા, તેમને અપમાનીત કરવા અનેક જાતના પેંતરા રચતા.
  • રવિદાસનું જીવન ગંગા સમાન નિર્મળ, પવિત્ર અને સત્યથી ભરેલું હતું. એ લોકોનાં દુ:ખ-દર્દ દૂર કરવા હંમેશાં તત્પર રહેતા. સેવા કરવી એ એમનો જીવનવ્યવહાર હતો.
    રવિદાસની રહેણીકરણીમાં એકરૂપતા હતી. તેઓ જે કંઇ કહેતા તે જ આચરણમાં મૂકતા. આ એમના જીવનની બહુ મોટી વિશેષતા હતી. રવિદાસજી શ્રમ સાધનાના મોટા સમર્થક હતા. તેઓ મહેનત મજૂરીને તપશ્ર્ચર્યા સાથે સરખાવતા. તેઓ માનતા કે પોતાની શક્તિ હોય ત્યાં સુધી પરિશ્રમપૂર્વક નીતિથી કમાણી કરી પોતાનું ગુજરાન ચલાવવું જોઇએ. તેઓ મજૂરીને ઇશ્ર્વરની સેવા માનતા. શ્રમસાધનાને સુખશાંતિનું મૂળ તથા પરમાત્માની નજીક પહોંચવાની ગુરુચાવી સમજતા.
  • મેવાડના રાણા સાંગાના પત્ની રાણી ઝાલીબાઇ અને મીરાંબાઇએ રવિદાસને પોતાના ગુરૂપદે સ્વીકાર્યા હતા. મીરાંબાઇએ પોતે પોતાના પદોમાં પૂર્ણ ગુરુરૂપે રવિદાસનો ઉલ્લેખ કર્યો છે. પોતાના પિતા અને પતિના ઉજ્જવળ નામને કલંકિત કરવાના આરોપનો જવાબ આપતાં તેઓ કહે છે કે
    ‘ન તો હું મારા પિયરની છું, ન તો સાસરિયાની, મને તો સંત રવિદાસના રૂપમાં ગુરુ મળી ગયા છે અને તેમના દ્વારા મને મારા પ્રભુનો મેળાપ થયો છે.
    ‘નહીં મેં પીહર સાસરે,
    નહીં પિયાજી રી સાથ
    મીરાને ગોવિન્દ મિલ્યાજી,
    ગુરુ મિલિયા રૈદાસ॥
    શીખોના પવિત્ર ગ્રંથ ‘ગુરુ ગ્રંથસાહેબ’માં રવિદાસનાં ૩૯ પદ સંગ્રહીત છે.
    એમણે મનની પવિત્રતા પર, સંસ્કાર સિંચન પર ખૂબ ભાર મૂક્યો. એ કહેતા: ‘મન ચંગા તો કથરોટ મેં ગંગા…’
  • વિદેશી આક્રમણખોર મોગલોના અત્યાચારે માઝા મૂકી હતી. તલવારની જોરે ધર્માંતર થતું. આક્રમક સિકંદર લોદી રવિદાસની રામ ભક્તિ અને સામાજિક એકતાના કાર્યથી અકળાયો હતો. રવિદાસનો પ્રભાવ જોરદાર હતો. લોદીની મંશા હતી કે રવિદાસ મુસલમાન બની જાય તો એમના લાખો ભક્તો મુસલમાન બની જશે. લોદીએ રવિદાસને ધર્માંતરણ કરવા ફરજ પાડી ત્યારે એની આગળ ઝૂકવાની રવિદાસે ના પાડી દીધી. લોદીની મારી નાખવાની ધમકી પણ રવિદાસ ડર્યા નહોતા.

મહાન સંત રવિદાસ જયંતીએ શત શત નમન…. Read More »

Uncategorized

I.N.D.I.A को एक और झटका,जम्मू-कश्मीर में फारूक अब्दुल्लाह की पार्टी नेशनल कॉन्फ्रेंस लड़ेगी अकेले चुनाव

एनडीए में शामिल होंगे कश्मीर के नेशनल फ्रंट के वरिष्ठ नेता फारुख अब्दुल्ला
नेशनल कॉन्फ्रेंस के अध्यक्ष फारूक अब्दुल्ला ने गुरुवार को घोषणा की कि उनकी पार्टी आगामी लोकसभा चुनाव में हर सीट पर अकेले लड़ेगी।
उन्होंने यह भी संकेत दिया कि वह भविष्य में एनडीए गठबंधन में फिर से शामिल होंगे, जो चुनाव से ठीक पहले इंडिया गठबंधन के लिए एक और झटका होगा।
एनसी प्रमुख ने क्या कहा?..
राज्य के चुनावों और सीट वितरण के बारे में मीडिया से बात करते हुए नेशनल कॉन्फ्रेंस प्रमुख ने कहा, कि दोनों राज्यों में चुनाव संसदीय चुनावों के साथ होंगे।
उन्होंने कहा, ‘इसमें कोई सवाल नहीं है कि एनसी अकेले चुनाव लड़ेगी और कोई सीट साझा नहीं करेगी।’
उन्होंने कहा कि वह देश के निर्माण के लिए कुछ भी कर सकते हैं।
इसके अलावा, गृह मंत्री और प्रधान मंत्री से मिलने के मुद्दे पर उन्होंने कहा कि जब वे बुलाएंगे तो बातचीत से इनकार करना मुश्किल होगा।
फारूक अब्दुल्ला एनडीए में शामिल होने पर..
उन्होंने कहा, ”हम लोकसभा और विधानसभा चुनाव अकेले लड़ने जा रहे हैं”।
उन्होंने किसी भी समूह के साथ बहस करने से इनकार कर दिया।
एनसी प्रमुख ने कहा कि वे भविष्य में एनडीए में शामिल होने की संभावना से पूरी तरह इंकार नहीं कर सकते। अब्दुल्ला ने बताया कि यह निर्णय इंडिया ब्लॉक में सीट बंटवारे पर चर्चा की विफलता के परिणामस्वरूप किया गया था।

I.N.D.I.A को एक और झटका,जम्मू-कश्मीर में फारूक अब्दुल्लाह की पार्टी नेशनल कॉन्फ्रेंस लड़ेगी अकेले चुनाव Read More »

Uncategorized

गांधी परिवार से 60 साल बाद उच्च सदन की सांसद बनेगी सोनिया गांधी 1964 में राज्यसभा सांसद बनी थी इंदिरा गांधी

ऐसा लगता है जैसे समय ने एक चक्र पूरा कर लिया है क्योंकि कांग्रेस पार्टी की अध्यक्ष सोनिया गांधी ने बुधवार को राजस्थान से राज्यसभा चुनाव के लिए नामांकन पत्र दाखिल किया। जिस नेता को अपने निर्वाचन क्षेत्र, चाहे वह अमेठी हो, बेलारी हो या रायबरेली, जीतने के अलावा कभी कुछ नहीं मिला, उन्होंने अब एक सुरक्षित विकल्प चुना है – राज्यसभा सीट। राज्यसभा सांसद बनते ही वह ऐसा करने वाली गांधी परिवार की दूसरी सदस्य होंगी।
इससे पहले इंदिरा गांधी ही थीं जो जवाहरलाल नेहरू के निधन के बाद 1964 में उत्तर प्रदेश से राज्यसभा सांसद बनी थीं. उन्होंने अपने संसदीय करियर की शुरुआत उच्च सदन से की। जैसा कि कुलदीप नैय्यर ने अपनी पुस्तक ‘बियॉन्ड द लाइन्स’ में उद्धृत किया है, इंदिरा गांधी को लाल बहादुर शास्त्री कभी पसंद नहीं थे। वह पंडित से मिलने के लिए उन्हें 2-3 घंटे तक इंतजार करवाती थी. नेहरू जब प्रधानमंत्री थे। शास्त्री को यह आभास हो गया था कि नेहरू भविष्य में इंदिरा को प्रधानमंत्री बनाना चाहते हैं। उनकी मृत्यु के बाद, चूंकि शास्त्री उनके उत्तराधिकारी बने, इसलिए वे इंदिरा गांधी को दिए जाने वाले विभाग को लेकर थोड़ा सशंकित थे। वह शुरू में उसे एक मजबूत पोर्टफोलियो नहीं देना चाहता था। जैसा कि भाग्य को मंजूर था, सांसद बनने के बाद इंदिरा ने खुद एक छोटा विभाग मांगा जिससे शास्त्री का काम आसान हो गया।
इसके बाद वह सूचना एवं प्रसारण मंत्री बनीं। 1966 में, जब लाल बहादुर शास्त्री की ताशकंद में मृत्यु हो गई, तो उन्होंने राज्यसभा सांसद रहते हुए प्रधान मंत्री पद की शपथ ली। इसके साथ ही वह पीएम बनने वाली पहली राज्यसभा सांसद बन गईं।
अब 60 साल बाद परिवार के एक और सदस्य ने राज्यसभा के लिए नामांकन दाखिल किया है. अब कांग्रेस अपने गढ़ रायबरेली से किसे मैदान में उतारेगी? चूंकि राहुल 2019 में पहले ही स्मृति ईरानी से अमेठी हार चुके थे, इसलिए यह अनुमान लगाया जा रहा है कि सोनिया का निर्वाचन क्षेत्र प्रियंका गांधी को चुनाव में अपनी किस्मत आजमाने के लिए मिल सकता है।

गांधी परिवार से 60 साल बाद उच्च सदन की सांसद बनेगी सोनिया गांधी 1964 में राज्यसभा सांसद बनी थी इंदिरा गांधी Read More »

Uncategorized

અરવલ્લીઃમોહસીને આઝમ મિશનના સુરત ખાતે યોજાયેલા કાર્યક્રમમાં  મોહસીને આઝમ મીશન ગાબટ શાખાનું એવોર્ડથી સન્માન

મોહસીને આઝમ મિશનનું ઓલ ઇન્ડિયા અધિવેશન 4’ફેબ્રુઆરીએ  સુરત મુકામે યોજાયું હતું. આ કાર્યક્રમમાં મોહસીને આઝમ મિશન ગાબટ શાખા ને મોહસીને આઝમ મિશનના સ્થાપક સૈયદ હસન અશ્કરી અશરફના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો હતો.મોહસીને આઝમ મિશન ગાબટ શાખા દ્વારા સામાજિક પ્રવૃત્તિઓ જેવી કે રાશન કીટ, બ્લેન્કેટ વિતરણ, કપડો વિતરણ  મેડિકલ સહાય જરૂરિયાતમંદ લોકોને પહોંચાડવા જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેમ ગાબટ શાખાના પ્રમુખ યુનુશ મોડાસીયાએ જણાવ્યું હતું.

અરવલ્લીઃમોહસીને આઝમ મિશનના સુરત ખાતે યોજાયેલા કાર્યક્રમમાં  મોહસીને આઝમ મીશન ગાબટ શાખાનું એવોર્ડથી સન્માન Read More »

Uncategorized

અરવલ્લી : મોડાસાના સાયરા ગામ નજીક રિક્ષાના ભાડાની તકરારમાં રાજસ્થાની યુવકની હત્યા કરી હત્યારો ફરાર,હત્યાનું ઘુંટાતું રહસ્ય..

હત્યારો યુવક મોડાસા રૂરલ પોલીસના હાથવેંતમાં હોવાની માહિતી

હત્યારા યુવકે રીક્ષા ચાલકને જાનથી મારી નાખવાની ધમકી આપી ચૂપ કરી દીધો

સાયરા ગામ નજીક માઝુમ નદીમાં રિક્ષામાં હત્યા કરાયેલ યુવકની લાશને સગેવગે કરવા જતા સ્થાનિક લોકોની નજર પડતા સમગ્ર ઘટના બહાર આવી હોવાની ચર્ચા

મૃતક રાજસ્થાની યુવક અને હત્યારા વચ્ચે દારૂની મહેફિલ માં પૈસાની લેતીદેતી મામલે હત્યારાએ ચપ્પુ હલાવી દીધું….!!

           અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના સાયરા ગામની નજીક માઝુમ નદીના ગરનાળા પાસે રિક્ષામાં બેઠેલા બે યુવક વચ્ચે ભાડાની માથાકૂટ થતા એક યુવક અન્ય યુવકના પગના ભાગે ધારદાર ચપ્પુ મારી દેતા ગંભીર ઈજાઓ પહોંચતા લોહી લુહાણ હાલતમાં રીક્ષા નીચે ફેંકી દેતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને 108 મારફતે સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતા યુવકનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું હત્યારો સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો મોડાસા રૂરલ પોલીસે રીક્ષા ચાલકની ફરિયાદના આધારે હત્યાનો ગુન્હો નોંધી હત્યારાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા 

   મોડાસા તાલુકાના મુલોજ પાટિયા નજીકથી રમેશ વાલાભાઇ ખાંટની રીક્ષા ભાડે કરી બે યુવકો મોડાસા આવવા નીકળ્યા હતા રિક્ષાના ભાડા અંગે બંને યુવક વચ્ચે તકરાર થતા ધનસુરા તાલુકાના નવા જવાનપુરા ગામના રાજકુમાર સરદારસિંહ મકવાણા નામના યુવકે તેની સાથે બેઠેલા કનુલાલ બંસીલાલ ભગોરા (રહે.રામસગડા-ડુંગરપુર,રાજ)ને પગમાં સાથળના ભાગે ધારદાર ચપ્પુનો જીવલેણ ઘા ઝીંકી દેતા યુવક રિક્ષામાં તરફડીયા મારવા લાગતા હત્યારાએ સાયરા ગામની સીમમાં માઝુમ નદીના ગરનાળા પાસે રીક્ષા ચાલક રમેશ ખાંટને ચપ્પુ ગળા ના ભાગે રીક્ષા આગળ જવા દે નહિ તો જાનથી મારી નાખેની ધમકી આપી હતી માઝુમ નદીના ગરનાળા નજીક રિક્ષામાં ઝગડો થતો હોવાનું જોવા મળતા સ્થાનિક 

લોકો દોડી આવ્યા હતા અને ગરનાળા નજીક ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં પડેલ યુવકને જોઈ ચોંકી ઉઠયા હતા લોકો દોડી આવતા હત્યારો ફરાર થઇ ગયો હતો સ્થાનિકોએ 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફતે ગંભીર ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમિયાન મોત નિપજતા ભારે ચકચાર મચી હતી સમગ્ર ઘટનાની જાણ મોડાસા રૂરલ પોલીસને થતા તાબડતોડ સાર્વજનિક હોસ્પિટલ પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

      મોડાસા રૂરલ પોલીસે રીક્ષા ચાલક રમેશભાઈ વાલાભાઇ ખાંટ (રહે,મુલોજ)ની ફરિયાદના આધારે ધનસુરાના નવા જવાનપુર ગામના રાજ કુમાર સરદારસિંહ મકવાણા સામે હત્યાનો ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા મોડાસા રૂરલ પોલીસે સમગ્ર કેસની ઝીણવટભરી તપાસ હાથધરી છે

અરવલ્લી : મોડાસાના સાયરા ગામ નજીક રિક્ષાના ભાડાની તકરારમાં રાજસ્થાની યુવકની હત્યા કરી હત્યારો ફરાર,હત્યાનું ઘુંટાતું રહસ્ય.. Read More »

Uncategorized

એક ન્યૂઝ એજન્સી એહવાલ મૂજબ GST ચોરોએ રેકોર્ડ તોડ્યા, નાણાકીય વર્ષ 2023માં રૂ. 1.3 લાખ કરોડની કરચોરી ઝડપાઇ.. છતાં હજુપણ વલસાડ જિલ્લા મા ટેક્ષના પૈસા ની ચોરી ખુલ્લેઆમ છતાં તંત્ર કેમ્ મૌન?? કઈ રીતે થાય છે તેક્ષના પૈસાની ચોરી? કોણ છે આ રેકેટ મા સમિલ વાંચો ટુંક સમયમાં

વલસાડ: સ્પેશિયલ રિપોર્ટ અનીશ શેખ દ્વારા તા – 27/1/2024

ઉત્પાદકો દ્વારા ટેક્ષના પૈસા બચાવવા અપનાવવા મા આવેછે અવનવી તરકીબો.. GST વિભાગ ની કામગીરી શંકાના દાયરામાં

GST ચોરોએ નાણાકીય વર્ષ 2022-23માં ચોરીના નવા રેકોર્ડ બનાવ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ (સીબીઆઇટી) એ નાણાકીય વર્ષ 2023 માં 15,562 કેસોમાં 1.3 લાખ કરોડ રૂપિયાની જીએસટી ચોરી શોધી કાઢી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે સંસદમાં માહિતી આપી હતી કે આમાંથી 33,226 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે અને 190ની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષ (નાણાકીય વર્ષ 2021 થી 2023) દરમિયાન કુલ રૂ. 2,54,235 કરોડની જીએસટી ચોરી થઈ છે.

વલસાડ જિલ્લા ના લોખંડ નાં સળિયા અને અન્ય ઉત્પાદનો કરતી અઢળક કંપનીઓ આવેલી છે જે કંપનીઓ દ્વારા અલગ અલગ પદાર્થોનું ઉત્પાદન કરવામાં આવે છે અને પોતાનો ધંધો રોજગાર વધારવામાં આવે છે પરંતુ તે કામ ધંધા માથી પ્રોફિટ મેળવીને સરકાર ને અંધારા મા રાખીને તેમાંથી સરકાર ને ભરવામાં આવતા ટેક્ષનાં પૈસા ( નાણાં) ની ચોરી કરવાના અલગ અલગ કીમિયાઓ તૈયાર કરવામાં આવે છે..

જેમાંથી હાલમાં એક એવો કીમિયો તૈયાર કરવામાં આવ્યો છે કે કમ્પની મા થિ તૈયાર થઈને કોઈપણ પ્રોડક્ટ નીકળશે પરંતુ બિલિંગ અન્ય કોઇ જગ્યાએ થી તૈયાર થસે અને ત્યાર બાદ બરોબર થર્ડ પાર્ટી ને તે માલ વેચી દેવામાં આવશે. આમ અવનાવી ટ્રેડિંગ ના નામે ફોર્મ બનાવી ને લાખો રૂપિયાની સરકાર કર ની ચોરી કરવામા આવે છે વલસાડ GST ના અધિકારીઓ ની નાક નિચે આં કાવતરું ચાલુ હોવા છતાં અધિકારીઓ ના પેટનું પાણી નથી હલતું એનું કારણ શુ હોઈ શકે? દર વર્ષે કરોડો રૂપિયા ની કર ચોરી સરકાર દ્વારા પકડવામાં આવે છે તેમ છતાં દર વર્ષે આ કૌભાંડ બહાર આવે છે કેમ્??

વાંચો ટુંક સમયમાં વલસાડ જિલ્લા ની કઈ કઈ કંપનીઓ દ્વારા કરવામાં આવે છે કર ચોરી

ચોરોએ રેકોર્ડ તોડ્યા, નાણાકીય વર્ષ 2023માં રૂ. 1.3 લાખ કરોડની કરચોરી ઝડપાઇ

GST ચોરોએ નાણાકીય વર્ષ 2022-23માં ચોરીના નવા રેકોર્ડ બનાવ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ (સીબીઆઇટી) એ નાણાકીય વર્ષ 2023 માં 15,562 કેસોમાં 1.3 લાખ કરોડ રૂપિયાની જીએસટી ચોરી શોધી કાઢી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે સંસદમાં માહિતી આપી હતી કે આમાંથી 33,226 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે અને 190ની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષ (નાણાકીય વર્ષ 2021 થી 2023) દરમિયાન કુલ રૂ. 2,54,235 કરોડની જીએસટી ચોરી થઈ છે.

નાણાકીય વર્ષ 2024માં મે સુધી રૂ. 14,302 કરોડની જીએસટીની ચોરી
ચાલુ નાણાકીય વર્ષમાં મે 2023 સુધીમાં કરચોરીના 2,784 કેસ નોંધાયા છે, જેમાં 14,302 કરોડ રૂપિયાની ચોરી કરવામાં આવી છે. વિભાગે રૂ. 5,716 કરોડ રિકવર કર્યા છે અને 28 ધરપકડ કરી છે.

સીતારમણે ચોમાસુ સત્ર દરમિયાન લોકસભામાં એક નિવેદનમાં જીએસટી અને આવકવેરા ચોરી અંગેનો વાર્ષિક ડેટા રજૂ કર્યો હતો. આ સંદર્ભે ગુજરાતના સાંસદ રંજનબેન ધનંજય ભટ્ટ દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

રૂ. 1,765.5 કરોડ જપ્ત
કામચલાઉ ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 23 માં 741 જૂથો છે, જ્યાં સર્ચ ઓપરેશન હાથ ધરીને 1765.5 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગત નાણાકીય વર્ષમાં 1,253 સર્વે પણ કરવામાં આવ્યા છે. સીતારમણે જણાવ્યું કે ડિપાર્ટમેન્ટ કરચોરીને પકડવા માટે ડેટા એનાલિટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ જેવી હાઇટેક પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યું છે તેના કારણે આ કરચોરી પકડાઇ છે.

કેટલાક મહત્વપૂર્ણ પગલાઓમાં કોમ્પ્યુટરની મદદથી મોનિટરિંગ અને ડેટામાં સંશોધન કરીને કેસોની પસંદગી કરવી, પસંદગી બાદ કાર્યવાહીને પ્રાથમિકતા આપવા માટે મોનિટરિંગ સિસ્ટમ, કરચોરીને સમાપ્ત કરવામાં મદદ કરવા માટે આવકવેરા બિઝનેસ એપ્લિકેશનનો સમાવેશ થાય છે, જે વિભાગના તમામ વર્ટિકલ્સ પર લાગુ કરવામાં આવશે, એમ સીતારામના નિવેદનમાં કહેવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, બનાવટી અથવા બોગસ રજિસ્ટ્રેશનને પકડવા વિભાગે તાજેતરમાં 16 મેથી 15 જુલાઈ સુધી દેશભરમાં ઝુંબેશ શરૂ કરી હતી.

એક ન્યૂઝ એજન્સી એહવાલ મૂજબ GST ચોરોએ રેકોર્ડ તોડ્યા, નાણાકીય વર્ષ 2023માં રૂ. 1.3 લાખ કરોડની કરચોરી ઝડપાઇ.. છતાં હજુપણ વલસાડ જિલ્લા મા ટેક્ષના પૈસા ની ચોરી ખુલ્લેઆમ છતાં તંત્ર કેમ્ મૌન?? કઈ રીતે થાય છે તેક્ષના પૈસાની ચોરી? કોણ છે આ રેકેટ મા સમિલ વાંચો ટુંક સમયમાં Read More »

Uncategorized

સરીગામ નોટિફાઈડ ના નવા ચેરમેન તરીકે નીતિન ભાઈ ઓઝા ની નિમણુંક થતા સરીગામ સ્ટેટ માં ખુશીનો માહોલ.નીતિન ભાઈ ની કાર્ય કુશળતા અને આવડત નો સરીગામ સ્ટેટ ને ફાયદો થશે( ઉદ્યોગ પતિઓ નુ માનવું )

સરીગામ અનિશ શેખ઼ દ્ધારા

પોતાની આગવી ઓળખ અને કામ કરવાની કુશળ તા થી સરીગામ સ્ટેટ ને વિકાશની બુલંદીઓ સુધી લઇજવાની ક્ષમતા નીતિન ઓઝા માં છે

સરીગામ ના નોટિફાઈડ ચેરમેન તરીકે નીતિન ભાઈ ઓઝા ની વરણી થતા સરીગામ સ્ટેટ ના તમામ હોદ્દેદારો એ વધાવી લીધા હતા ફૂલ ગુચ્છ આપી તેમનું સ્વગત કર્યું હતું

નીતિન ભાઈ ના ચેરમેન બનતા સરીગામ ના તમામ કમ્પની સંચાલકો માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

તમામ સરીગામ સ્ટેટ ના હોદ્દેદારો અને આગેવાનો એ નીતિન ભાઈ ને મળીને ખુબ ખુબ શુભકામના ઓ આપી હતી..

નીતિન ભાઈ ના GIDC સહીત તમામ અન્ય ખાતાઓ ની અંદર ઉચ્ચ સ્તરે સારી ઓળખાણ અને કર્યા કરવાની તેવડ ને લઈને સરીગામ નોટિફાઈડ સહીત સરીગામ સ્ટેટ ને તેનો બઉજ લાભ થશે તેવું સરીગામ ના ઉદ્યોગ પતિઓ નુ માનવું છે

નીતિન ભાઈ ઓઝા ની નોટિફાઈડ માં પ્રમુખ તરીકેની વરણી સમયે સરીગામ સ્ટેટના પ્રમુખ કમલેશ ભાઈ ભટ્ટ, નોટિફાઈડ ના કોઠારી સાહેબ, કૌશિક ભાઈ પટેલ, સજ્જન ભાઈ મુરારકા, હેમંત ભાઈ ઉપસ્થિત રહ્યા હતા

સરીગામ નોટિફાઈડ ના નવા ચેરમેન તરીકે નીતિન ભાઈ ઓઝા ની નિમણુંક થતા સરીગામ સ્ટેટ માં ખુશીનો માહોલ.નીતિન ભાઈ ની કાર્ય કુશળતા અને આવડત નો સરીગામ સ્ટેટ ને ફાયદો થશે( ઉદ્યોગ પતિઓ નુ માનવું ) Read More »

Uncategorized