ઓટો

શામળાજી ખાતે અમાસ પર સર્વ પિતૃ શ્રાદ્ધ તર્પણ કાર્યક્રમ યોજાયો.

ગાયત્રી પરિવાર દ્વારા નિ:શુલ્ક કાર્યક્રમમાં બસોથી વધુ લોકોએ પિતૃઓનું તર્પણ કર્યું.

ભારતીય સંસ્કૃતિમાં જન્મથી લઈ શરીર હોય ત્યાં સુધી અનેક સંસ્કાર પરંપરા ચાલી રહેલ છે. પરંતુ માનવીના મૃત્યુ પછી તેને સ્વજનો દ્વારા શ્રદ્ધાંજલી અર્પણ કરવા શ્રાદ્ધ તર્પણનું વિશેષ મહત્વ છે. શ્રાદ્ધ પક્ષમાં દરેક પોતાના અવસાન પામેલ સ્વજનોને યાદ કરી શ્રાદ્ધ તર્પણ કરતાં હોય છે. શ્રાદ્ધ પક્ષમાં મૃત્યુની તિથિ મુજબ શ્રાદ્ધ-તર્પણ કરવામાં આવે છે. પરંતુ અમાવસ્યા પર તમામ પિતૃઓને તર્પણનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ પવિત્ર તર્પણ માટે વિષ્ણુ ભગવાનનું તીર્થ ધામ શામળાજી મહત્વનું સ્થાન ગણાય છે. ગાયત્રી શક્તિપીઠ- શામળાજી દ્વારા અમાસના દિવસે શનિવારે નિ: શુલ્ક સર્વ પિતૃ શ્રાદ્ધ તર્પણ કાર્યક્રમનું સામુહિક આયોજન શામળાજી ખાતે કરવામાં આવ્યું . જેમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાંથી બસોથી વધુ લોકો આ નિ: શુલ્ક શ્રાદ્ધ તર્પણનો લાભ લેવા પૂજામાં જોડાયા. મેશ્વો નદીના કિનારે ગાયત્રી શક્તિપીઠ- શામળાજી ખાતે પ્રસિદ્ધ કથાકાર અમૃતભાઈ પટેલે સંગીતમય શૈલીમાં ખૂબ જ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે આ તર્પણ કાર્યક્રમનું સંચાલન કર્યું. સૌએ યજ્ઞમાં આહુતિઓ અર્પણ કરી. કાર્યક્રમના સમાપનમાં સૌએ પોતાના જીવનને કુરિવાજોથી બચાવી વ્યસનમુક્ત શ્રેષ્ઠ માર્ગ પર ચલાવવા સંકલ્પ લીધા. છેલ્લે સૌને માટે ગાયત્રી શક્તિપીઠ તરફથી ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ.

શામળાજી ખાતે અમાસ પર સર્વ પિતૃ શ્રાદ્ધ તર્પણ કાર્યક્રમ યોજાયો. Read More »

Uncategorized ઓટો

શામળાજી પોલીસે સ્વીફ્ટ કારનો ફિલ્મીઢબે પીછો કરી 1.33 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, બુટલેગર અંધારામાં ફરાર

                  બુટલેગરો માટે સિલ્કરૂટ તરીકે જાણીતા અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર રતનપુર ચેકપોસ્ટ પર શામળાજી પોલીસે નાકાબંધી કરી રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરી બુટલેગરો પર તવાઈ બોલાવતા બુટલેગરો અંતરિયાળ માર્ગે વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા છે શામળાજી પોલીસે ગલીસીમરો ગામ નજીક પેટ્રોલિંગ હાથધરી સ્વીફ્ટ કારમાંથી 1.33 લાખનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો કારમાં રહેલ બુટલેગર અંધારામાં ફરાર થઇ જતા ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા 

                   શામળાજી પીએસઆઈ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા રાજસ્થાન મેવડા-વીરપુર બોર્ડર તરફથી સ્વિફ્ટમાં વિદેશી દારૂ ભરી આવતા બુટલેગરો પોલીસજીપ જોઈ કાર રિવર્સ લઇ હંકારી મુકતા પોલીસે ફિલ્મીઢબે પીછો કરતા બુટલેગરો રસ્તો ભૂલી જતા કાચા રસ્તા પર દોડાવી હતી આગળ રસ્તો ન હોવાથી બુટલેગરો કાર રોડ પર મૂકી અંધારામાં ઝાડી-ઝાંખરામાં ફરાર થઇ જતા પોલીસે બિનવારસી કારની તલાસી લેતા ડેકીમાં પ્લાસ્ટિકની કાળી બેગમાં અલગ પેકીંગ કરેલ વિદેશી દારૂની બોટલ નંગ-1079 કીં.રૂ.133200/- તેમજ કાર મળી કુલ.રૂ.633200/- નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

શામળાજી પોલીસે સ્વીફ્ટ કારનો ફિલ્મીઢબે પીછો કરી 1.33 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, બુટલેગર અંધારામાં ફરાર Read More »

Uncategorized ઓટો

સાયરા ગામે વિરાટ ગાયત્રી દિપયજ્ઞ યોજાયો.

મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા જન સમાજ સાચા શ્રેષ્ઠ માર્ગ પર ચાલે તે માટે ગામેગામ વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે. જેમાં અનેક રચનાત્મક ગતિવિધિઓ ચલાવવા સાથે સાથે કુરિવાજ નિવારણ, પર્યાવરણ સંરક્ષણ, વ્યસનમુક્તિ ઝુંબેશ પર ભાર મૂકવામાં આવે છે. આ ઉદ્દેશ્યથી સાયરા ગામે ૮ ઑક્ટોબર, રવિવારે રાત્રે વિરાટ ગાયત્રી દિપયજ્ઞ આયોજન સંપન્ન થયું. જેમાં સમગ્ર ગ્રામજનો સહભાગી બન્યા. ઘરેથી દિપકોની થાળી સજાવી સૌ આ પૂજન વિધિમાં જોડાયા. જેમાં યજ્ઞની જેમ પણ પોતાની થાળીઓમાં દિપક પ્રગટાવી કર્મકાંડ મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અપાઈ. વિશેષમાં હાલમાં શ્રાદ્ધ પક્ષ હોઈ પિતૃઓને પણ આહુતિઓ અર્પણ કરાઈ. શ્રેષ્ઠ જીવન તથા કુરિવાજ નિવારણ, પર્યાવરણ સંરક્ષણ તથા વ્યસનમુક્ત રહેવાના સંકલ્પ લીધા. આ સમગ્ર આયોજન મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના સોમાભાઈ બારોટ તથા અરવિંદભાઈ કંસારાએ મંત્રોચ્ચાર તથા સંગીતમય વાતાવરણ બનાવી પૂજનવિધિ કરાવી તથા અન્ય સૌ પરિજન ભાઈઓ બહેનોના સાથ સહકારથી સંપન્ન થયું.

સાયરા ગામે વિરાટ ગાયત્રી દિપયજ્ઞ યોજાયો. Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

સગીર વયની છોકરીનું યોગ્ય કાઉન્સિલિંગ કરી પરિવારમાં સુમેળ સાધી અપાવતી અરવલ્લી મહિલા અભયમ ટીમ

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

અરવલ્લી જિલ્લામા ફરજ બજાવી રહેલ 181 અભયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સિલર અને એમની ટીમ ફરજ ઉપર હાજર હોય તે દરમિયાન પીડિત મહિલાનો કોલ 181 ટીમને મળતા અરવલ્લી 181 ની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોચી પીડિતા બેનનુ કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું કે તેમના માતા પિતા દ્વારા તેમને મારપીટ અને હેરાનગતિ થાય છે. ત્યારબાદ ટીમ ધ્વરા તેમના માતાપિતા અને દાદા દાદી સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે તેમની દીકરી ગામના જ એક છોકરા સાથે રિલેશનમાં છે અને તેમનુ કહ્યું માનતા નથી. અને ગામમા અમારે દીકરીને કઈ રીતે પરણાવવી તેવુ પરીવારના સભ્યોએ જણાવ્યુ હતુ. ત્યારબાદ ટીમ ધ્વારા તેમની દીકરીને સમજાવી. અને હાલ 12માં ધોરણમાં અભ્યાસ કરે છે તો ભણતરમાં ધ્યાન આપવા સમજાવ્યુ તેમજ તેમના માતાપિતાને દીકરી ઉપર હાથ ના ઉપાડવો અને પ્રેમથી વાતચીત કરી સમજાવવા કહ્યું અને દીકરીને પણ સમજાવેલ કે માતા પિતા પોતાની દિકરીનું ખરાબ નઈ ઇચ્છે ત્યારબાદ દીકરીને અને તેમના માતા પિતાને સમજાવી કાયદાકીય પોલીસ સ્ટેશનની માહીતી આપી અને શાંતીથી રહેવા સમજાવેલ અને સ્થળ પર જ સમાધાન કરાવી અને ફરીથી જરૂર પડે તો 181 ની મદદ લેવા જણાવેલ.

સગીર વયની છોકરીનું યોગ્ય કાઉન્સિલિંગ કરી પરિવારમાં સુમેળ સાધી અપાવતી અરવલ્લી મહિલા અભયમ ટીમ Read More »

Uncategorized ઓટો

સાબરકાંઠા – અરવલ્લી જીલ્લાના માન. સાંસદ શ્રી દિપસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને વાઇબ્રન્ટ અરવલ્લી કાર્યક્રમ યોજાયો



વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં રુ.૫૬૬ કરોડના ૦૬ એમ.ઓ.યુ થયા


દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત છે તેમ રાજ્યમાં અરવલ્લી જિલ્લાને રોલ મોડેલ તરીકે સહિયારા પ્રયાસોથી વિકાસવાનો પ્રયાસ કરાશે : માન. સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ


જીલ્લા માહિતી કચેરી, અરવલ્લી ૦૪-૧૦-૨૦૨૩

રાજ્યમાં વેપાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટના ભાગરૂપે આગામી વર્ષે યોજાનાર સમારોહમાં જિલ્લા કક્ષાએથી ઉદ્યોગકારો, વેપાર સમૂહોનું પ્રતિનિધિત્વ થાય તેવા ઉદ્દેશથી જિલ્લા કક્ષાએ વાઇબ્રન્ટ સમારોહના ઉપલક્ષમાં ‘વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ અરવલ્લી ’ કાર્યક્રમન સાબરકાંઠા – અરવલ્લી જીલ્લાના માન. સાંસદ શ્રી દિપસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લાના ઉદ્યોગકારો વેપારીઓ સાથે B2B અને B2C કાર્યક્રમ, ઉદ્યોગ જગતના નિષ્ણાતો અને સ્થાનિક ઉદ્યોગકારો દ્વારા વિવિધ વિષયો પર એક દિવસીય સેમિનાર પણ યોજાયો હતો. આ સાથે જ જિલ્લાના વેપાર ઉદ્યોગ જગતનું તેમજ સરકારના વિવિધ વિભાગોનું પ્રદર્શન પણ યોજાયું હતું.

  આ કાર્યક્રમમાં જિલ્લાના છ ઉદ્યોગ-વેપાર એકમોએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મારફતે રોકાણ કરવા માટે એમ.ઓ.યુ. સાઇન કર્યા હતા. કાર્યક્રમમાં કુલ રુ. ૫૬૬ કરોડ રૂપિયાના ૦૬ એમ.ઓ.યુ થયા હતા. કાર્યક્રમના પ્રારંભે માન. સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ જણાવ્યુ કે, કોલ્ડ સ્ટોરેજ, પ્રવાસન અને બટાકાના ઉત્પાદન, સ્ટોરેજ અને પ્રોસેસિંગ ક્ષેત્રે અરવલ્લી  જિલ્લાની આગવી ઓળખ છે ત્યારે અરવલ્લીને આગામી દિવસોમાં ઉદ્યોગ ક્ષેત્રે આગળ લઈ જવા સહિયારા પ્રયાસો કરવામાં આવશે. 


  કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા માન. સાંસદ શ્રી દિપસિંહ રાઠોડે જિલ્લા વહીવટી તંત્રને વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમના ટૂંકા ગાળાના આયોજન દ્વારા ઉત્કૃષ્ટ કાર્યક્રમ ઘડવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.  તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂ થયેલી વાઇબ્રન્ટની વિકાસ યાત્રા આગળ ધપી રહી છે. અરવલ્લીમાં જિલ્લામાં આવનારા સમયમાં રેલ્વેની કેનેક્ટિવીટી ઝડપથી આકાર પામશે જેથી અરવલ્લી જીલ્લામાં રોકાણકારો આવવાથી રોજગારીની વિપૂલ તકો સર્જાશે. જેવી રીતે વાઇબ્રન્ટ ગુજરાત થકી ઉદ્યોગના રોકાણ ક્ષેત્રે દેશમાં ગુજરાત રોલ મોડલ રાજ્ય તરીકે વિકસી આવ્યું એવી જ રીતે વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ-અરવલ્લી  કાર્યક્રમ થકી રાજ્યમાં રોકાણ ક્ષેત્રે અને વેપાર ઉદ્યોગ માટે અરવલ્લી  જિલ્લો રોલ મોડેલ બને તેવા સહિયારા પ્રયાસો કરવામાં આવશે. 

 આ કાર્યક્રમમાં  સાબરકાંઠા - અરવલ્લી માન. સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ , જીલ્લા ક્લેક્ટર શ્રી પ્રશસ્તી પારિક, જીલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેન કેડિયા, નગર પાલિકા પ્રમુખ શ્રી નિરજભાઈ, જનરલ મેનેજર શ્રી , પ્રોજેક્ટ મેનેજર શ્રી, જિલ્લાના અગ્રગણ્ય ઉદ્યોગપતિ, વેપારીઓ, વેપારી મંડળના પ્રતિનિધિઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ અને લાભાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

સાબરકાંઠા – અરવલ્લી જીલ્લાના માન. સાંસદ શ્રી દિપસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને વાઇબ્રન્ટ અરવલ્લી કાર્યક્રમ યોજાયો Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

સરીગામ જિ આઇડીસી ની GELTEC (Innovative Healthcare) PVT.LTDકમ્પની માંથી નીકળતા કાળા ધુમાડા થી સલામતી ખરેખર કેટલી છે? મિલોના પ્રદૂષણ પર કાબૂ મેળવ્યો હોવાનો સરીગામ જીપીસીબીનો દાવો પોકળ??

એહવાલ અનીસ શેખ

એકતરફ જીપીસીબી શહેરમાં પ્રદૂષણ નાથવાના દાવા કરી રહ્યું છે ત્યારે ઉમરગામ-સરીગામ વિસ્તારમાં એવી અનેક કેમિકલ- અને અન્ય મિલો કે ફેકટરીઓ છે જેમની ચીમની ભારે પ્રદૂષણ ફેલાવી રહી છે.

મિલોના પ્રદૂષણ પર કાબૂ મેળવ્યો હોવાનો સરીગામ જીપીસીબીનો દાવો પોકળ

પોલ્યુશનકંટ્રોલ બોર્ડ પ્રદૂષણ મામલે સબ સલામત કહી હાથ ખંખેરતું રહ્યું છે. બીજીતરફ સરીગામ એસ્ટેટ ની GELTEC (Innovative Healthcare) PVT.LTD .કમ્પની માંથી નીકળતા કાળા ધુમાડા સલામતી ખરેખર કેટલી છે તેની ચાડી ખાય રહ્યા છે. ધુમાડો શહેરની સંખ્યાબંધ મિલોમાં પ્રતિબંધિત કાર્બન ડસ્ટના ઉપયોગથી ફેલાય છે. ત્યારે જીપીસીબી આવા એકમો સામે કાર્યવાહી કરવામાં આળસુ સાબિત થઈ રહ્યું છે.!!

ઉમરગામ-સરીગામ  વિસ્તારમાં એવી ડાઇંગ મિલો  કેમિકલ મિલો  પ્રિંન્ટિંગ મિલોમાં થતા વાયુ પ્રદૂષણને અટકાવવા યોગ્ય ટેક્નોલોજીનો ઉપયોગ  કરે તો આરોગ્ય માટે જોખમી ધુમાડો અટકાવી શકે છે.

જો કે, માટે જરૂરી સિસ્ટમ મુકવામાં લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. ઉપરાંત તેને એક્ટિવેટ કરવા દર મહિને લગભગ હજારો રૂપિયા સુધીના અન્ય ખર્ચના આવે છે, જેથી મિલમાલિકો નાણાં બચાવવાની પળોજણમાં બેફીકર થઈને સતત પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. તેવી ચર્ચા પણ સાંભળવા મળી હતી.

જાણકારોના મતે મિલોના બોઇલરમાં ઓટો ફીડિંગ તેમજ ઓટો ફાયરિંગ સિસ્ટમ અને ચોક્કસ પ્રકારના બળતણનો વાપરવા જોઈએ. જ્યારે વાસ્તવિકતામાં કેટલીક મિલો સસ્તો કોલસો કે વેસ્ટનો બળતણ તરીકે ઉપયોગ કરતી હોય છે. બહારના દેશોમાંથી આરોગ્યના કારણોસર પ્રતિબંધિત કરવામાં આવેલો કોલસો કે ચુરી આપણા દેશમાં આરામથી પહોંચી જાય છે. જેનો બેફામ ઉપયોગ સ્થાનિક ઉદ્યોગો જોરશોરથી કરી રહ્યા છે. ઘણા કાર્બન ડસ્ટ કે વેસ્ટ ટાયરના કાર્બનની ચુરી મિક્સ કરી એનો પણ ઉપયોગ બળતણ તરીકે કરે છે. જોખમી ઉપયોગથી ભારે વાયુ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. કમનસીબે જીપીસીબી પાસે મિલોએ પ્રદૂષણ નહીં થાય માટે કોઈ સિસ્ટમ એક્ટિવેટ છે કે નહીં, ચાલુ છે કે નહીં તે ધ્યાન આપવાનો સમય પણ નથી.

શહેરની ડાઇંગ. કેમિકલ મિલ અને પ્રિંન્ટિંગ મિલો તેમના બોઈલર પર અને ચીમનીઓ પાસે ડસ્ટ કલેક્ટર, બેગ ફિલ્ટર, વોટર સ્ક્રબર ઈક્વિપમેન્ટ યોગ્ય રીતે મૂકવામાં આવે તો ચીમનીઓમાંથી નીકળતા કાળા ધૂમાડા બંધ થઈ જશે સાથે બોઈલર માંથી ડસ્ટ કલેક્ટરમાં ભેગી થઈ જશે. જેથી હવામાં ડસ્ટ જશે નહીં, એવું તજજ્ઞોનું કહેવું છે.

સરીગામ જિ આઇડીસી ની GELTEC (Innovative Healthcare) PVT.LTDકમ્પની માંથી નીકળતા કાળા ધુમાડા થી સલામતી ખરેખર કેટલી છે? મિલોના પ્રદૂષણ પર કાબૂ મેળવ્યો હોવાનો સરીગામ જીપીસીબીનો દાવો પોકળ?? Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

સરીગામ ના જાણીતા મનીષ રાય ઉર્ફે ( બાલા રાય ) નાં પટાંગણ મા વર્ષો થી ચાલી આવતી પરંપરા ગત જન્માષ્ઠમી ની ઉજવણી ખૂબજ ધામ ધુમ થી કરવામાં આવી હતી.

એહવાલ અનીસ શેખ

હંમેશા જરૂરત મંદોની વોહરે આવતા અને શોષિયલ વર્કર મનીષ રાય ઉર્ફે બાલા રાય ના આમંત્રણ ને માન આપી ગુજરાત રાજ્યના નાણા મંત્રી સહિત, દમણ સેલવાસ ના સાંસદ લાલુ ભાઈ, કપરાડા ના ધારા સભ્ય જીતુ ભાઈ ચોધરી, ઉમરગામ તાલુકા ના ધારા સભ્ય રમણ ભાઈ પાટકર, બીજેપી પ્રમુખ દિલિપ ભાઈ ભન્ડારી પણ ઊપસ્થિત રહ્યા હતા..

મહા પ્રસાદ સહીત ભક્તિમય માહોલ નો લાભ લેવા મોટી સંખ્યામાં ઉમરગામ તાલુકા ના આગેવાનો અને આજુબાજુ ના ગામના સરપંચો ઊપસ્થિત રહ્યા હતા

જાણો જન્માષ્ઠમી નુ મહત્વ

વિગત વાર વાત કરિએ તો જન્માષ્ટમી કૃષ્ણ ના જન્મ દિવસ નિમિત્તે, શ્રાવણ વદ આઠમ તિથિ (કૃષ્ણ પક્ષ‌‌) ના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. તેને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે.[૧] આ વાર્ષિક હિંદુ તહેવાર વિષ્ણુનાં આઠમાં અવતાર શ્રી કૃષ્ણનાં જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણેના ઓગસ્ટ કે સપ્ટેમ્બર માસમાં આ તહેવાર આવે છે. દ્વારકા અને મથુરા સહિત વિશ્વભરનાં કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની રાત્રે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી તથા આરતી, પૂજાના કાર્યક્રમો હોય છે.

આ દિવસે લોકો ઘરમાં ગોકુળિયુ સજાવે છે અને વિવિધ વાનગીઓ સાથે કૃષ્ણજન્મોત્સવ ઉજવે છે. આઠમના દિવસે કૃષ્ણજન્મના સમય એટલે કે રાત્રિના ૧૨ વાગ્યા સુધી ઉપવાસ રાખે છે અને બીજા દિવસે સવારથી જ ગોવિંદાઓની ટોળીઓ મટકી ફોડ માટે નીકળી પડે છે. ક્યારેક સંતાનપ્રાપ્તિ માટે કે ક્યારેક સંતાનપ્રાપ્તિની ખુશીમાં મટકી ફોડ કરાવવામાં આવે છે. ફૂટેલી માટલીની ટુકડીને તિજોરીમાં રાખવી શુકનવંતી માનવામાં આવે છે. મોટા શહેરોમાં મટકી ફોડ માટે ઈનામો પણ રાખવામાં આવે છે.

હિંદુ અવતારવાદ અને ભાગવત પુરાણ પ્રમાણે કૃષ્ણ એ વિષ્ણુનો અવતાર છે. તેઓ વસુદેવ અને દેવકીનાં પુત્ર છે. શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રીએ મથુરાનાં કારાગૃહમાં જન્મ, અને પછી તુરંત તેમના પિતા તેમને યમુના (નદી) પાર કરી ગોકુળમાં નંદરાય અને યશોદાને ત્યાં મુકી આવ્યાની કથા જાણીતી છે.
ભારત દેશમાં જન્માષ્ઠમી ની ઉજવણી થાય છે તયારે ઉમરગામ તાલુકા ના સરીગામ પંથક મા મનીષ રાય ઉર્ફે બાલા રાય, કીર્તિ રાય, અને બબુ રાય સહીત તમાંમ કમલમ ગ્રૂપના સહયોગ થી દરવર્ષે પરમ પરા ગત સૌ મળીને ધામ ધૂમથી ભક્તિ મય માહોલ મા ભજન કીર્તન કરાવી. કલાકારો બોલાવી તેમના દ્વારા ભક્તિ ભર્યા ભજનો ના તાલે જન્માષ્ઠમી ની ઉજવણી કરવામાં આવી હતી આજ રોઝ હંમેશા જરૂરત મંદોની વોહરે આવતા અને શોષિયલ વર્કર મનીષ રાય ઉર્ફે બાલા રાય ના આમંત્રણ ને માન આપી ગુજરાત રાજ્યના નાણા મંત્રી સહિત, દમણ સેલવાસ ના સાંસદ લાલુ ભાઈ, કપરાડા ના ધારા સભ્ય જીતુ ભાઈ ચોધરી, ઉમરગામ તાલુકા ના ધારા સભ્ય રમણ ભાઈ પાટકર, બીજેપી પ્રમુખ દિલિપ ભાઈ ભન્ડારી પણ ઊપસ્થિત રહ્યા હતા અને તેમને પણ આજના પરવાનો લાભ લીધી હતો અંતે રુચિ ભોજન લઇ સૌ છુટા પડ્યા હતા..

સરીગામ ના જાણીતા મનીષ રાય ઉર્ફે ( બાલા રાય ) નાં પટાંગણ મા વર્ષો થી ચાલી આવતી પરંપરા ગત જન્માષ્ઠમી ની ઉજવણી ખૂબજ ધામ ધુમ થી કરવામાં આવી હતી. Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

સર્વાઇવલ ટેકનો કમ્પની ના અંકલેશ્વર નાં ગોડાઉન મા અને સરીગામ યુનિટ મા કલોઝર આપવામાં આવ્યું હતું છતાં SEBI દ્વારા સર્વાઇવલ ટેકનો ને પ્રાઈવેટ લિમીટેડ કમ્પની કરિદેતા સર્વાઇવલ ટેકનો કમ્પની મા થયેલા ઓડિટ પર ફરી તપાસ કરવામાં તે કેમ જરૂરી? સર્વાઇવલ કમ્પની માં investment કરતા ઇન્વેસ્ટરો કોના ભરોસે? વાંચો અમારો ખાસ એહવાલ!!વારંવાર પર્યાવરણ ને નુકશાન કરતી અને સેફ્ટીમા બેદરકારિ રાખતી સર્વાઇવલ કમ્પની.. વાંચો અગાઊ સર્વાઇવલ ટેકનો કમ્પની ને કઈ કઈ બાબતે ક્લોઝર આપવામાં આવેલુ અને હાલમાં થયેલી ગેસ ગળતર ની ઘટના

એહવાલ અનીસ શેખ

જ્યારે કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપની લિમિટેડ મા ફેરવાય છે ત્યારે તે પેહલા ઘણા ગવરર્મેન્ટ રુલ્સ રેગ્યુલેશન ફોલો કરવાના હૉય છે અને ઘણી બધી સરકારી ઓડિટ પણ થતી હોય છે જે ઓડિટ પણ પાસ કરવાની હોય છે ..ત્યારે લિમીટેડ નુ લેબલ મળે છે અને કમ્પની શેર માર્કેટમાં આવે છે અને હજારો લોકો સરકાર અને કમ્પની ના ભરોસે INVESTMENT કરે છે.. પરન્તુ સર્વાઇવલ કમ્પની છેલ્લા 2 થી 3 વર્ષ મા ૩ થી 4 વાર પર્યાવરણને નુકશાન કરતા અને સેફ્ટી મા બેદરકારિ રાખતા ક્લોઝર આપવામાં આવ્યું હતુ. વેસ્ટેજ જ્વલન શિલ ડ્રમ કમ્પની ની પ્રીમાઇસિસ માં દાટી દેવાના કાંડ પણ આ કમ્પની દ્વારા કરવામાં આવ્યાં હોવાના એહવાલો મળ્યા હતાં

સર્વાઇવલ ટેકનો કમ્પની ને અંકલેશ્વર મા મળેલ ક્લોઝર

સર્વાઇવલ કમ્પની ની વાત કરીએ તો અંકલેશ્વર ના યુનિટ માં વેસ્ટ કેમિકલ નો સંગ્રહ કરી રાખતા 2ડિસેમ્બર 2019 નાં સોમવાર ના રોજ ગુજરાત સમાચાર ના એહવાલ મા પ્રસારીત કરવમાં આવ્યું હતું તેમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી અને સર્વાઇવલ ટેકનો કમ્પની ને દંડ ફટકારી સંગ્રહ કરેલા ગોડાઉન ને ક્લોઝર નોટિસ આપવામાં આવી હતી,, ત્યાર બાદ

19 ડિસેમ્બરે . :સરીગામની સર્વાઇવલ કંપનીને ક્લોઝર, 50 લાખ ભરવા તાકીદ

જમીનમાં જોખમી કેમિકલ વેસ્ટ દાટેલું મળી આવ્યું હતું
સરીગામ જીઆઇડીસીમાં આવેલી સર્વાઇવલ કંપની પરિસરમાંથી જીપીસીબી 19 ડિસેમ્બરે ખોદકામ કરી જમીનમાં દાટેલા ઝેરી કેમિકલના ડ્રમ શોધી કાઢ્યા હતા.જે અંગેનો રિપોર્ટ વડી કચેરીને કરતા, જીપીસીબીની ગાંધીનગર વડી કચેરીએ સર્વાઇવલ કંપનીને ક્લોઝર ફટકારી તાત્કાલિક અસરથી પાણી અને વીજ જોડાણ કાપી નાખવા આદેશ કર્યો છે. ત્યાર બાદ સરીગામ જીઆઇડીસીના બાયપાસ રોડ નજીક પ્લોટ નં. 1013, 1015, 1017, 1114, 1120 અને 1118માં ફાર્મા ઇન્ટર મીડિયેટનું ઉત્પાદન કરતી સર્વાઇવલ ટેક્નોલોજી પ્રા.લીમીટેડ નામની કંપનીએ જીપીસીબીના નીતિ નિયમને દફનાવી માનવ જીવન જોખમાય તેવી પ્રવુત્તી કરી હાનિકારક કેમિલક વેસ્ટ જમીનમાં દાટી તેનો નિકાલ કરાતો હતો.જે અંગે સરીગામના જાગૃત નાગરિક અને પંચાયત સભ્ય ડો.નીરવ શાહે જીપીસીબીને લેખિત રજુઆત કરી ધ્યાન દોર્યુ હતુ જે બાદ 19 ડિસેમ્બર 2020ના રોજ સરીગામ જીપીસીબીના અધિકારી રાજેશ મહેતાની હાજરીમાં કંપની પરિસરમાં ખોદકામ કરતા જમીનમાં દાટેલા 200 લીટરના ત્રણ ડ્રમ મળી આવ્યા હતા. ખોદકામમાં દાટેલા ડ્રમ ધડાકાભેર ફાટતા ડ્રમમાંથી ઝેરી ધુમાડો બહાર આવતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા તો સ્થાનિકોમાં પણ રોષ ફેલાયો હતો. સરીગામ જીપીસીબીની પ્રાદેશિક કચેરીએ ઉપરોક્ત બાબતે વડી કચેરી ગાંધીનગરને રિપોર્ટ કરતા સર્વાઇવલ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી તાત્કાલિક અસરથી પાણી અને વીજ જોડાણ કાપી નાંખવા જણાવ્યું હતું. કંપનીને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ગાઈડ લાઈન મુજબ અંદાજીત રૂ 50 લાખની ઈડીસી ભરવા જણાવ્યું છે. આ એહવાલ ૩ વર્શ પેહલા ભાસ્કર મા પ્રકાશિત કરવમાં આવ્યો હતો

ત્યારબાદ 30 ઓગસ્ટ બે વર્ષ પહેલાં
સરીગામ સર્વાઇવલ કમ્પની ને સેફટી ઓફિસર તરફથી ક્લોઝર

વલસાડ જિલ્લાના સરીગામ GIDCમાં આવેલી સર્વાઇવલ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સોમવારે અચાનક બ્લાસ્ટ થયો હતો. અચાનક બ્લાસ્ટ થતા આજુબાજુની કંપનીઓમાંથી કામદારો દોડી આવ્યા હતા. સર્વાઇવલ કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં 5 કામદારો ઘાયલ થયા હતા. જ્યારે 1 કામદારનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ભીલાડ પોલીસ, સરીગામ જીપીસીપી અધિકારી, ફેક્ટરી ઇન્સપેક્ટર, નાયબ મામલતદાર અને ફોરેન્સિક ટીમની ઉપસ્થિત વચ્ચે વિડીયો શુટિંગ કરી લાશને નીચે ઉતારી ભીલાડ સીએચસીમાં પીએમ કરી પરિવારને સોંપાતા લાશ લઇ 30 ઓગસ્ટે રાત્રે વતન મધ્યપ્રદેશ રવાના થયા હતા. સેફટી ઓફિસર તરફથી કંપનીને ક્લોઝર નોટિસ આપવામા આવી હોવાનું જાણવા મળ્યું છે. જે બાબત નો એહવાલ ભાસ્કર ન્યુઝ મા પણ પ્રકાશિત કરવામાં આવ્યો હતો..

સર્વાઇવલ સરીગામ યુનિટ મા 6/8/2023 નાં રોજ ગેશળતર થતા વાતાવરણ મા પીળાશ પડતો વાયુ જોવાતા ગભરાટ ફેલાયો હતો..

ત્યાર બાદ તત્કાલ થોડાક દિવસો પેહલા તારિક 6/8/2023 નાં ઓગસ્ટ મહિના મા સર્વાઈવલ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ ઉદ્યોગમા ગેસ ગળતર ની ઘટના અંગે સંદેશ ન્યૂઝ પેપર મા એહવાલ પ્રસારીત કરવમાં આવ્યો હતો.
સરીગામ ઔદ્યોગિક વસાહતના એક ઉદ્યોગમાં રવિવારે કન્ડેન્સર ફાટતા ઝેરી રસાયણિક ફેલાતા વિસ્તારના કામદારોને અસર થઈ હતી. આ ઘટનામાં કામદારો એ જીવ બચાવવા ભાગદોડ મચાવી દીધી હતી.
સરીગામ ઔદ્યોગિક વસાહતના પ્લોટ નંબર ૧૦૧૩ થી ૧૧૨૦ માં કાર્યરત સર્વાઈવલ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ ઉદ્યોગ દ્વારા ફાર્માસ્યુટિકલ ઇન્ટરમિડીયેટરનુ ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉદ્યોગમા રવિવારે સાડા અગિયાર કલાક ની આસપાસ ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન અચાનક કન્ડેન્સરમાં તાપમાન અંકુશ બહાર નીકળી જતા બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ ખુબ જ તીવ્રતાથી થયો હતો. તેમજ બ્લાસ્ટ બાદ અચાનક ઝેરી રસાયણિક ગેસનું ગળતર શરૂ થયું હતું. જેથી ઉદ્યોગ પરિસર અને આજુબાજુના ઉદ્યોગમાં કામ કરતાં કામદારો ડરી ગયા હતા. ઝેરી રસાયણિક ગેસનું ગળતર શરૂ થતા કામદારોને ખાંસી, ઉધરસ, આંખ-છાતીમાં બળતરા થવા લાગી હતી.

જેથી આ કામદારોએ જીવ બચાવવા ભાગદોડ કરી હતી. ઘટના બાદ કર્મચારી બ્રિજેશ મિશ્રાએ આ સમગ્ર મામલાને દબાવવા માટે ઉદ્યોગ પરિસરનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો હતો. આ દરમીયાન ભીલાડ પોલિશને આ ઘટનાની જાણ થતાં તપાસ કરવા ત્યાં પહોંચી હતી. પરંતુ કર્મચારીઓએ કોઈ ઘટના ન બની હોવાનું અને કોઇ જાનહાનિ ન થઈ હોવાનું જણાવી ભીલાડ પોલિશ ને રવાના કરી દીધી હતી. જ્યારે બીજી તરફે આ ઘટનામાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સરીગામ દ્વારા તપાસ કરાતા કર્મચારીઓએ જણાવ્યું હતું કે કન્ડેન્સર ફાટી જતા કામદારોમાં ભાગદોડ મચી હતી. જે બાબતે સંદેશ ન્યૂઝ પેપર મા 7/8/2023 નાં રોજ એહવાલ પ્રકાશિત કરવમાં અવ્યો હતો..

રવિવારે થયેલા ગેસ ગળતર ના વિડિયો પણ સરીગામ પંથક મા અમુક લોકો જોડે જૉવા મળ્યાં હતાં એ બાબતે કંઇપણ જાણકારી મળતાં અમારા નેક્ષ્ટ એહવાલ મા રજુકરવામાં આવશે

છેલ્લા ૨ થી ૩ વષૅ મા ૪ થી ૫ વાર વિવાદ મા આવેલી સર્વાઇવલ કમ્પની ને SEBI દ્વારા પ્રાઈવેટ લિમીટેડ મા ફેરવી નાખતા ઇન્વેસ્ટમેન્ટ કરનારા કોના ભરોસે? શુ ઓડિટ કરતા અઘિકારીઓ આ બાબત થી અજાણ હતા? સર્વાઇવલ કમ્પની ના ઇન્વેસ્ટરો શું આબાબત થી અજાણ છે? લિમીટેડ મા ફેરવાય ત્યારે હજારો લોકો કમ્પની અને સરકારના ના ભરોસે પોતાનાં કરોડો રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે.!!

Gpcb નાં નિયમો નું વારવાર ઉલ્લંઘન કરતી અને પર્યાવરણ ને નુકશાન પોહચાડતી આવેલી સર્વાઇવલ ટેકનો કમ્પની સામે તંત્ર મૌન કેમ??

સર્વાઇવલ ટેકનો કમ્પની ના અંકલેશ્વર નાં ગોડાઉન મા અને સરીગામ યુનિટ મા કલોઝર આપવામાં આવ્યું હતું છતાં SEBI દ્વારા સર્વાઇવલ ટેકનો ને પ્રાઈવેટ લિમીટેડ કમ્પની કરિદેતા સર્વાઇવલ ટેકનો કમ્પની મા થયેલા ઓડિટ પર ફરી તપાસ કરવામાં તે કેમ જરૂરી? સર્વાઇવલ કમ્પની માં investment કરતા ઇન્વેસ્ટરો કોના ભરોસે? વાંચો અમારો ખાસ એહવાલ!!વારંવાર પર્યાવરણ ને નુકશાન કરતી અને સેફ્ટીમા બેદરકારિ રાખતી સર્વાઇવલ કમ્પની.. વાંચો અગાઊ સર્વાઇવલ ટેકનો કમ્પની ને કઈ કઈ બાબતે ક્લોઝર આપવામાં આવેલુ અને હાલમાં થયેલી ગેસ ગળતર ની ઘટના Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

વિશ્વવિખ્યાત હોકીનાં જાદુગર મેજર ધ્યાનચંદની ૧૧૮મી જન્મજયંતિની ઉજવણી બી-કનઈ શાળા દ્વારા હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી.

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી             

વિદ્યાર્થી જીવનમાં અભ્યાસની સાથે સાથે શિસ્ત, સંયમ, સાહસ અને શૌર્યની કેળવણી પણ જરૂરી છે અને તેના ભાગરૂપે રમત ગમત સાથે યોગાનું મહત્વ ખૂબજ રહેલું છે આથી ભારતીય મૂળનાં હોકીનાં જાદુગર તરીકે દુનિયાભરમાં ખ્યાતનામ તેવા મેજર ધ્યાનચંદની જન્મજયંતિને જયારે પુરા ભારત દેશમાં ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મોડાસા શહેરની બી- કનઈ સીબીએસઈ શાળા દ્વારા તારીખ ૨૯-૦૮-૨૦૨૩ના રોજ રમત ગમતનાં આ પર્વની ભવ્યરીતે ઉજવણી કરવામાં આવી. રમત ગમતનાં આ પર્વને યાદગાર બનાવવા માટે વિદ્યાર્થીઓ દ્વારા સૂર્યનમસ્કાર, રિંગ ડાન્સ, સ્કેટિંગ ડાન્સ,પિરામિડ, લાઈવ ટેકવેન્ડો ફાઇટ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું સુંદર સંકલન કરીને પ્રાર્થના સભામાં તેને દર્શવવામાં આવી હતી. શાળાના કેમ્પસ ડાયરેક્ટર શ્રી જે. પી ઉપાધ્યાય સાહેબશ્રીએ વિદ્યાર્થી જીવનમાં રમત ગમતનું વિશેષ મહત્વ પર ભાર મૂકી પ્રેરક માર્ગદર્શન પૂરું પાળ્યું હતું. શાળાનાં આચાર્ય શ્રી કુંદનસિંહ જોદ્ધા સાહેબશ્રીએ મેજર ધ્યાન ચંદને યાદ કરીને તેમના વિશાળ વ્યક્તિત્વનો પરિચય કરાવ્યો હતો. શાળાના કાર્યક્રમનું સફળ સંચાલન કરવા બદલ શાળાના વ્યાયમ શિક્ષકશ્રી દેવેન્દ્ર લેઉવા, શ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રી કિર્તન ચૌધરી, શ્રીમતી જાગૃતિ ત્રિવેદી અને શિક્ષિકા પ્રિયા શર્માનું શાબ્દિક અભિવાદન કરીને સૌને “નેશનલ સ્પોર્ટ્સ ડે” ની શુભકામનાઓ પાઠવી હતી.

વિશ્વવિખ્યાત હોકીનાં જાદુગર મેજર ધ્યાનચંદની ૧૧૮મી જન્મજયંતિની ઉજવણી બી-કનઈ શાળા દ્વારા હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી. Read More »

Uncategorized ઓટો

વાપીમાં પુત્રી પર 6 વર્ષથી દુષ્કર્મ આચરનાર પિતા સામે ફરિયાદ બાદ ધરપકડ.. સમગ્ર પંથકના લોકો હવસખોર પિતા પર ફિટકાર વરસાવી રહ્યા છે.

પિતા દીકરી વચ્ચેના સંબંધને લાંછન લગાવતો કિસ્સો વાપી ટાઉનમાં સામે આવ્યો છે.

વાપી ટાઉન પોલીસમાં એક પુત્રીએ પોતાની માતા સાથે આવી પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, તેમનો પિતા તેના પર છેલ્લા 6 વર્ષથી દુષ્કર્મ આચરી રહ્યો છે. આ ફરિયાદ આધારે વાપી ટાઉન પોલીસે પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વાપીમાં એક સાધન સંપન્ન અને એજ્યુકેટેડ ફેમિલી ધરાવતા પિતા જ પોતાની સગ્ગી દીકરી પર 6 વર્ષથી દુષ્કર્મ અચરતો આવ્યો હોવાની ફરિયાદ વાપી ટાઉનમાં નોંધાઇ છે. પિતા દીકરી વચ્ચેના સંબંધને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યા બાદ વાપી ટાઉન પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે. ભોગ બનનાર પુત્રીએ પોતાની માતા સાથે આવી પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ વિગતો આપી હતી.

વલસાડ ઍસપી ડો. કરણ રાજ વાઘેલા એ શુ કહ્યુ?

જિલ્લા પોલીસવડાએ આ દુષ્કર્મ કેસ અંગે જણાવ્યું હતું કે, વાપી ટાઉનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાય છે. જેમાં આરોપી પીડિતાનો પિતા છે. પીડિતા જ્યારે બાર વર્ષની હતી ત્યારથી તેમનો પિતા તેની સાથે શારીરિક દુષ્કર્મ આચરતો હતો. અને તેનું શોષણ કરતો હતો.

સમગ્ર ઘટના અંગે પીડીતા એ પોતાની માતાને હકીકત કહેતા પીડીતાની માતા અને ભાઈએ પોલીસ સ્ટેશનમાં આવી પિતા વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી છે. વાપી ટાઉન પોલીસે પણ ગંભીરતાને ધ્યાનમાં રાખી આરોપી વિરુદ્ધ પોકસો અને રેપ કેસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દુષ્કર્મના આ કેસમાં ટાઉન પોલીસે આરોપીની ધરપકડ કરી છે વાપી ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પિતાની હવસનો શિકાર બનતી આવેલી પીડિત દીકરી હાલ કોલેજમાં અભ્યાસ કરે છે. તેમનો પિતા એક ફેક્ટરી નો માલિક છે. દીકરી 13 વર્ષની હતી ત્યારથી તેમનો પિતા તેમની સાથે દુષ્કર્મ આચરતો આવ્યો છે. આખરે હિંમત એકઠી કરીને દીકરીએ માતાને વાત કરતા માતા સમગ્ર હકીકતથી ધ્રુજી ઉઠી હતી. દીકરી સાથે તેમની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતા હવસખોર પિતા સામે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાને લઈ સમગ્ર પંથકના લોકો હવસખોર પિતા પર ફિટકાર વરસાવી રહ્યા છે.

વાપીમાં પુત્રી પર 6 વર્ષથી દુષ્કર્મ આચરનાર પિતા સામે ફરિયાદ બાદ ધરપકડ.. સમગ્ર પંથકના લોકો હવસખોર પિતા પર ફિટકાર વરસાવી રહ્યા છે. Read More »

Uncategorized ઓટો