ઓટો

વલસાડ મા મતદાતા ચેતના અભિયાન” સંદર્ભે મહત્વની બેઠક જિલ્લા ભાજપ મુખ્ય કાર્યાલય ખાતે યોજાઈ

વલસાડ : એહવાલ અનીસ શેખ દ્વારા

ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લા ના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાજી ના અધ્યક્ષ સ્થાને તેમજ પ્રદેશ ભાજપ મીડિયા કન્વીનર શ્રી યજ્ઞેશભાઇ દવેની વિશેષ ઉપસ્થિતિમાં “મતદાતા ચેતના અભિયાન” સંદર્ભે મહત્વની બેઠક જિલ્લા ભાજપ મુખ્ય કાર્યાલય ખાતે યોજાઈ

   *ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના અધ્યક્ષ અને પેજ કમિટી ના પ્રણેતા આદરણીય શ્રી. સી. આર. પાટીલજી, સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી ની સૂચના અને માર્ગદર્શન મુજબ આજરોજ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનનીય શ્રી હેમંતભાઈ કંસારાજીના અધ્યક્ષ સ્થાને તેમજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ મીડીયા કન્વીનર માનનીય શ્રી યજ્ઞેશભાઈ દવેની વિશેષ ઉપસ્થિતિમાં "મતદાતા ચેતના અભિયાન" સંદર્ભે મહત્વની બેઠકનું આયોજન "શ્રી કમલ્મ" વલસાડ જિલ્લા ભાજપ મુખ્ય કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું* 

 *પ્રદેશ સંગઠન ની સૂચના ના માર્ગદર્શન મુજબ આગામી દિવસોમાં યોજાનારા "મતદાતા ચેતના અભિયાન" અંતર્ગત મતદાતા જાગૃતિ લાવવા,નામો કમી કરાવવા,સુધારા કરાવવા જેવી બાબતો અંગે પ્રદેશ ભાજપ ના મીડીયા કન્વીનર શ્રી યગ્નેશભાઈ દવે દ્વારા ઉપસ્થિત સહુને માર્ગદર્શન આપી વિગતવાર માહિતીઓ આપવામાં આવી હતી*

  *આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના મહામંત્રીશ્રી શિલ્પેશભાઈ દેસાઈ,વલસાડ જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ,જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી,કારોબારી અધ્યક્ષશ્રી, શાસ્કપક્ષ ના નેતા,દંડકશ્રી,પ્રદેશ ના હોદેદારો,જિલ્લા સંગઠન ના હોદેદારો,મંડળ ના પ્રભારીશ્રીઓ,મીડીયા,આઈ.ટી. ના જિલ્લા કન્વીનરો,વિધાનસભા દીઠ પાંચ સભ્યોની ટીમ ઉપસ્થિત રહ્યા હતા*

વલસાડ મા મતદાતા ચેતના અભિયાન” સંદર્ભે મહત્વની બેઠક જિલ્લા ભાજપ મુખ્ય કાર્યાલય ખાતે યોજાઈ Read More »

Uncategorized ઓટો

વલસાડ મા ચાર દિનકી ચાંદની ફિર અંધેરી રાત જેવી હાલત.. શોસીયલ મીડીયામાં ફોટા વાયરલ થયાં

એહવાલ અનીસ શેખ

મુખ્યમંત્રી ના આગમન ની ખુશીમાં વલસાડ ના મુખ્યમાર્ગો જગમગી ઉઠ્યા અને પરત ફર્યા બાદ સ્ટ્રીટ લાઈટો પણ બંધ શું આજ છે વિકાસ? પૂછે છે વલસાડ?

વલસાડ શહેરના મુખ્ય માર્ગ ઉપર મુખ્યમંત્રીના આગમન સમયે તંત્ર દ્વારા કરોડોનો ખર્ચો કરી રસ્તા તથા સરકારી કચેરીઓને શણગારવામાં આવી હતી.
અને વલસાડની પ્રજા મોટી સંખ્યામાં પોતાનાજ ટેક્સના પૈસાનો ધુમાડો જોવા ઉમટી પડી હતી..
પરંતુ પ્રજા આ વાતથી અજાણ છે કે આ ખર્ચો માત્ર મુખ્યમંત્રી માટેજ કરાયો હતો..
મુખ્યમંત્રીશ્રીના જવા બાદ વલસાડની પ્રજા માટે મુખ્ય માર્ગ પરની સ્ટ્રીટ લાઈટો પણ બંધ કરી દેવાઈ..

રંગબેરંગી લાઈટોના વિડીયો બનાવી વાઈરલ કરનાર પ્રજા શું હવે વલસાડની વાસ્તવિકતા બતાવવા માટે જાગૃત થશે ખરી..?

વલસાડ મા ચાર દિનકી ચાંદની ફિર અંધેરી રાત જેવી હાલત.. શોસીયલ મીડીયામાં ફોટા વાયરલ થયાં Read More »

Uncategorized ઓટો

વાપી સ્થિત હિરંબા કમ્પની સીસિએ માં પરમિશન ના હોય તેવી પ્રોડક્ટ્સ નુ કરતી હતી ઉત્પાદન! RTI ની માંગેલી માહિતીમાં થયો ખુલાસો

એહવાલ અનીસ શેખ

ડિજિટલ ફોટા સાઈટ પરથી લેવામાં આવ્યો 6

વલસાડ એસ ઓ જી દ્વારા હિરંબા કમ્પની નો કેમિકલ વેસ્ટ ભરેલો ટ્રક પકડીપાડી વાપી gpcb ને બોલાવી આગળની તપાસ વાપી Gpcb એ હાથ ધરી હતી

વાપી હિરંબા કમ્પની નુ કેમિકલ વેસ્ટ ભરેલું ટ્રક થોડાંક મહિના અગાઉ પકડાતા ઇમિડીયેટ કલોઝાર આપવામાં આવેલું એ ટ્રક મા કયું વેસ્ટ હતું તેની માહિતિ gpcb માં RTI નાં નિયમ મૂજબ માંગેલી માહીતિ મા GPCB ની આપેલી માહીતિ મા ખુલાસો થયો તો કે પકડાયેલો કેમિકલ વેસ્ટ જે પ્રોડક્ટ્સ માથી નીકળે તે પ્રોડક્ટ્સ બનાવ વાની મંજુરી હિરંબા કમ્પની પાસે હતી નઈ!

સીસિએ માં પરમિશન ના હોય તેવી પ્રોડેક્ટ્સ હિરંબા કમ્પની ની પકડાતા કમ્પની શંકાના દાયરામાં આવી છે? જે પ્રોડેક્ટ્સ બાનાવ વાની માન્યતા હિરંબા કમ્પની ને નહતી તે પ્રોડક્ટ્સ બનાવી તો તે કઈ પ્રોડેક્ટ હશે? તે પણ તપાસ નો વિષય છે? કેટલા સમય થી તે પ્રોડક્ટ બનાવતા હશે? પ્રોડેક્ટ નુ વેચાણ પણ ચોરી છુપે થતું હશે? ઘણાં બધાં સવાલો હિરંબા કમ્પની સામે ઊભા થઈ રહ્યાં છે?? ટુંક સમય મા વધું માહીતિ સાથે આપની સમકક્ષ રજુ કરીશું !!

વાપી સ્થિત હિરંબા કમ્પની સીસિએ માં પરમિશન ના હોય તેવી પ્રોડક્ટ્સ નુ કરતી હતી ઉત્પાદન! RTI ની માંગેલી માહિતીમાં થયો ખુલાસો Read More »

Uncategorized ઓટો

વિહોતર વિકાસ મંચ આયોજિત વૃક્ષારોપણ તથા ધાબળા (શાલ) વિતરણ કાર્યક્રમ યોજાયો

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી,ગુજરાત

વિહોતર વિકાસ મંચ દ્રારા પાટણના ખીમિયાણા ગામે હીરા શંકર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ ખાતે વૃક્ષારોપણ તેમજ ધાબળા (શાલ) વિતરણ કાર્યક્રમ યોજાયો જેમાં પૂર્વ પંચાયત મંત્રી શ્રી રણછોડભાઈ રબારી સહિત વિહોતર વિકાસ મંચ ના પ્રદેશ તેમજ તાલુકા જિલ્લાના અનેક હોદ્દેદારો સહિત રબારી સમાજના સામાજિક તેમજ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમનું આયોજન વિહોતર વિકાસ મંચ દ્રારા કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ પંચાયત મંત્રી શ્રી રણછોડભાઈ રબારી તથા વિહોતર વિકાસ મંચના હોદ્દેદારો તથા મહિલા મોરચા ના હોદ્દેદારો તથા સમાજના આગેવાનો ના હસ્તે વૃક્ષારોપણ તેમજ ધાબળા (શાલ) વિતરણનું આયોજન કરવાંમાં આવ્યું હતું.આ પ્રસંગે વિહોતર વિકાસ મંચના પ્રદેશ અધ્યક્ષશ્રી* એ જણાવ્યું હતું કે સંગઠન દ્રારા આગામી સમયમાં જ્યાં જ્યાં જરૂર હશે ત્યાં શૈક્ષણિક કેમ્પ તેમજ રોજગાર કેમ્પ તથા આરોગ્યલક્ષી કાર્યક્રમો ગુજરાતભરમાં કરી સમાજમાં ઉત્ક્રાંતિ લાવવામાં આવશે અને સમાજને જ્યાં પણ જરૂર હશે ત્યાં સામાજિક સંગઠન સેવાકીય પ્રવૂતિ માં તૈયાર રહેશે..

વિહોતર વિકાસ મંચ આયોજિત વૃક્ષારોપણ તથા ધાબળા (શાલ) વિતરણ કાર્યક્રમ યોજાયો Read More »

Uncategorized ઓટો

વાપી : નગર પાલીકા એ કરોડોના ખર્ચે બનાવેલા સાઇકલ ટ્રેક મા મોટાં ગાબડાં પડતાં પાલીકા સામે સવાલો ઉભા થયા છે,

વાપીની જનતા માટે પાલિકાએ ચલામાં સાયકલ ટ્રેકનો પ્રોજેકટ શરૂ કર્યો હતો. અમૃતમ યોજના અંતગર્ત પાલિકાએ રૂ.1 કરોડના ખર્ચે જોગીંગ ટ્રેક,ચિલ્ડ્રન્સ પ્લે,ફ્રન્ટ આર્ટ ગેલેરી સહિતનો પ્રોજેકટ 2019માં શરૂ કર્યો હતો,પરંતુ થોડાક દિવસથી લગાતાર વરસતા વરસાદના કારણે સાયકલ ટ્રેક મા ગાબડાં પડીગયા છે. સાયકલ ટ્રેક પર હાલ મોટા ખાડાઓ જોવા મળી રહ્યાં છે.

વાપી નગરપાલિકાએ બનાવેલા સાયકલ ટ્રેક માં ખાડા પડતા વિકાસનિ પોલ ખુલતી જોવા મળી રહી છે. સાયકલ ટ્રેકના ઉદઘાટન વખતે પાલિકાના પદાધિકારીઓ મોટી-મોટી જાહેરાતો કરી હતી, પરંતુ હાલ સાયકલ ટ્રેક ધોવાતા પાલિકાની કામગીરી સામે સીધા સવાલો ઉઠી રહ્યાં છે. પાલિકા ના હોદ્દે દારોએ લોકોની સુવિધા ની ચિંતા કરીને સાઇકલ ટ્રેક બનાવ્યો હતો કે પછી ગ્રાન્ટ ના કરોડો રૂપિયાનો વ્યર્થ કરવાં માટે એ સવાલ ઊભોથાય છે ? લોકો ટ્રેકનો ઉપયોગ કરી શકે એ માટે પ્રતિકલાકના 10 રૂપિયા ભાડૂ લઇને સાયકલ ચલાવવા માટે આપતા હતા જોકે હાલ આખા ટ્રેકમાં ખાડા અને ધોવાણ થતા કરોડો રૂપિયા પાણી મા ગયા હોવાનુ દેખાય રહ્યું છે,

રજાઓ માં પણ વાપીની જનતા એ સાયકલ ટ્રેકનો ઉપયોગ કર્યો નહતો આ ટ્રેકની લંબાઇ 1.50 કિમી છે. અત્યાર સુધીમાં બૌ ઓછા લોકોએ આ સાયકલ ટ્રેકનો ઉપયોગ કર્યો છે તેવી પ્રાથમિક માહીતિ મળી છે, લોકો ના ઉપિયોગ માટે પ્રોજેક્ટ બને અને લોકોજ ઉપિયોગ ના કરીશકે જેથી લોકોમાં અંદર ખાને ભારે આક્રોશ પણ છે,

વાપી : નગર પાલીકા એ કરોડોના ખર્ચે બનાવેલા સાઇકલ ટ્રેક મા મોટાં ગાબડાં પડતાં પાલીકા સામે સવાલો ઉભા થયા છે, Read More »

Uncategorized ઓટો

સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોનું સુરક્ષા કવચ એટલે વિદ્યાદીપ વીમા રક્ષણ યોજના હેઠળ 12 વર્ષમાં 6035 કલેઈમ મંજૂર કર્યા

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

વિદ્યા દીપ વીમા યોજના હેઠળ વર્ષ ૨૦૧૪ થી વર્ષ ૨૦૨૩ દરમ્યાન અરવલ્લી જીલ્લાના ૭ છાત્રોને સહાય ચુુકવાાઈ,બાળકોને વીમા સહાયરુપે 2591 લાખ રકમ ચૂકવી રાજયની શાળાઓમાં બાળકોનું 100 ટકા નામાંકન થાય એ આશયથી રાજય સરકારે અનેકવિધ પહેલો હાથ ધરી છે.અરવલ્લી જીલ્લાના ૭ છાત્રોને વિદ્યા દીપ વીમા યોજના હેઠળ વર્ષ ૨૦૧૪ થી વર્ષ ૨૦૨૩ દરમ્યાન સહાય ચૂકવવામા  આવી છે.રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને સુરક્ષા કવચ માટે આપવા વિદ્યાદિપ વિમા યોજના અમલી છે. જેમાં અકસ્માતે મૃત્યુ પામતા વિદ્યાર્થીના વાલીને વિમાની મળતી રકમ ચૂકવવામાં આવે છે અને તે વિમાનું પ્રીમિયમ રાજ્ય સરકાર ભરે છે.રાજ્યમાં 26મી જાન્યુઆરી-2001 ના રોજ મહા વિનાશકારી ભૂકંપ બાદ રાજ્ય સરકારે વિદ્યાદીપ અમલમાં મૂકી હતી. વર્ષ 2002-03 થી અમલી આ યોજનાનો ઉદ્દેશ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનાં અસ્માતે થતાં અવસાનના કિસ્સામાં તેમના કુંટુંબને વીમાનું રક્ષણ પુરૂ પાડવાનું છે.સરકારી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીનું આપધાત કે કુદરતી મુત્યુ સિવાયના કિસ્સામાં મૃત્યુ થાય તેવા કિસ્સામાં વીમાનું રક્ષણ આપવાનું રાજ્ય સરકારી દ્વારા નકકી કરાયું છે. જેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીનાં કિસ્સામાં ₹50 હજારનો દાવો રજૂ કરી શકાય છે. જેમાં નેશનલ ઈન્સ્યોરન્સ કંપની લિ. ગાંધીનગરના જણાવ્યા મુજબ FIR ની નકલ, પોસ્ટમોર્ટમ શાળાઓમાં રિપોર્ટ, આચાર્યનું પ્રમાણપત્ર સરપંચ તથા અન્ય અગ્રગણ્ય વ્યક્તિઓનું આ બનાવ અંગેનું પંચનામું, ગ્રામ્ય વિસ્તાર માટે ગામના તલાટી કમ મંત્રી દ્વારા ઇસ્યુ કરાયેલ મરણનું પ્રમાણપત્ર તેમજ શહેરી વિસ્તાર માટે મરણનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજુ કરવાનું હોય છે. એડવાન્સ રસીદ વારસદારની સહી સાથે સરકારે નકકી કરેલ નમુનામાં (પરિશિષ્ટ-1) મુજબ વારસદારને મૃત્યુની તારીખથી નિશ્ચિત કરેલ સમયમર્યાદામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, શાસનાધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી આશ્રમશાળા અધિકારીને વિમાની દાવાની અરજી જરૂરી પ્રમાણપત્ર સાથે સીધી મોકલી આપવાની રહે છે. રાજયના બાળકોના પરિવારોનેને આ યોજના હેઠળ વર્ષ 2002-03 થી 2007-08 સુધી વીમા સહાય રૂપિયા 25000 ચૂકવવામાં આવતી હતી. તેમાં બમણો વધારો કરીને વર્ષ 2008-09 થી 50000 ચૂકવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે,અકસ્માતે મૃત્યુ કે કાયમી અપંગતતાના કિસ્સામાં આ સહાય મળવાપાત્ર થાય છે.હાલમાં રાજ્યની તમામ સરકારી, અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં તથા અભ્યાસ આશ્રમ કરતાં , વિદ્યાર્થીઓને વિદ્યાદિપ વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવેલ છે અને શાળા પ્રવેશોત્સવમાં જે વિદ્યાર્થીઓ આવી શાળાઓમાં પ્રવેશ મેળવશે તે તમામને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે. આ તમામ વિદ્યાર્થીઓનાં વિદ્યાદીપ વીમા યોજનાની પ્રીમિયમની રકમ રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવે છે.

સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોનું સુરક્ષા કવચ એટલે વિદ્યાદીપ વીમા રક્ષણ યોજના હેઠળ 12 વર્ષમાં 6035 કલેઈમ મંજૂર કર્યા Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવા દોરી સમાન સાબર ડેરીએ આજે 59 ની જનરલ સભા કરી 18.50 ટકા દૂધનો ભાવ વધારો જાહેર કર્યો હતો તેમ જ આગામી સમયની ચૂંટણી માટે વિવિધ નિયમો બનાવતા સ્થાનિક કક્ષાએ વિરોધ પણ સર્જાયો હતો.

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

સાબર ડેરી દ્વારા આજે તેની 59 મી જનરલ સભા યોજવામાં આવી હતી જેમાં છેલ્લા એક વર્ષથી દૂધના ભાવ વધારાની રાહ જોતા પશુપાલકો માટે 18.50 ટકા જેટલો ભાવ વધારો જાહેર કરાયો છે જે આગામી ત્રણ તારીખ સુધીમાં પશુપાલકોના એકાઉન્ટમાં પહોંચશે સાથોસાથ 59 ની જનરલ સભા અંતર્ગત આગામી સાબર ડેરીની ડિરેક્ટર પદ માટેની ચૂંટણી માટેના કેટલાક નિયમોમાં ફેરફાર કરાયો છે જેમાં હવેથી ડિરેક્ટર પદ માટે પાંચ લાખનું શેર ભંડોળ ધરાવનારી મંડળી જ તેની ઉમેદવારી કરી શકશે તેમજ 3500 દૂધ ભરાવનાર ચેરમેન જ ડિરેક્ટર પદ માટે લાયક ગણાશે જોકે અચાનક કરાયેલા આ નિયમના પગલે સાબર ડેરીમાં જનરલ સભા મા વિરોધાભાસ સર્જાતા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ નિયમોના પગલે સામાન્ય ડેરીઓને ભારે નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરી છે

સાથોસાથ સાબર ડેરી માં હાલના ડિરેક્ટર પદ ટકાવી રાખવા માટે આવા નિયમો કરાયા હોવાનું આક્ષેપ કર્યો છે. જોકે આ તબક્કે બાયડના ધારાસભ્ય અમુલ ફેડરેશન સહિત સાબરડેરીના ચેરમેનને આડે હાથ લેતા જણાવ્યું હતું કે સાબર ડેરી મા પશુપાલકોના હિત મામલે કોઈ અવાજ ઉઠાવે તો તે કોઈનો વ્યક્તિગત વિરોધ નથી પરંતુ ચાર લાખ પશુપાલકોના હિત માટે ની વાત છે સાથે સાથે આજે લેવાયેલા નિર્ણયો એ નાની મંડળીઓ સહિત પશુપાલકોના હિતમાં લેવાયેલ નિર્ણય નથી જેથી હું તેનો વિરોધ કરું છું તેમ જ આગામી સમયમાં મામલે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા સહિત જરૂર પડે આંદોલન ના માર્ગે પણ આગળ વધીશું

જોકે 900 થી વધારે દૂધ મંડળીઓ ધરાવનારી સાબર ડેરી માં હાલના તબક્કે વિવિધ વિરોધાભાસ વચ્ચે આગામી સમયમાં યોજાનારી સાબર ડેરી ની ચૂંટણી માટેના કેટલાક નિયમોમાં ફેરફાર કરાયું છે જે હકીકત છે જોકે તેનાથી કેટલો ફાયદો પશુપાલકોને થશે એ તો સમય જ બતાવશે

સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવા દોરી સમાન સાબર ડેરીએ આજે 59 ની જનરલ સભા કરી 18.50 ટકા દૂધનો ભાવ વધારો જાહેર કર્યો હતો તેમ જ આગામી સમયની ચૂંટણી માટે વિવિધ નિયમો બનાવતા સ્થાનિક કક્ષાએ વિરોધ પણ સર્જાયો હતો. Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

વાવાઝોડા ના કારણે અનરાધાર વરસાદની સવારી સવારે પણ યથાવત

ગુજરાતમાં સવારથી બપોર સુધીમાં 117 તાલુકામાં વરસાદ

સૌથી વધુ દ્વારકા ના જામખંભાળિયામાં સાડા સાત ઇંચ વરસાદ

જામનગર શહેરમાં સવારે પણ ભારે વરસાદના કારણે 6-5 ઇંચ પાણી પડ્યું

કચ્છના અંજાર અને માંડવીમાં પણ ચાર -ચાર ઇંચ વરસાદ

દ્વારકામાં પણ અનરાધાર વરસાદના કારણે ચાર ઇંચ વરસાદ

ગાંધીધામમાં પણ વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો

રાજકોટના લોધીકામાં પણ ત્રણ ઇંચ વરસાદ

કચ્છના મુન્દ્રામાં પણ દે ધનાધન ત્રણ ઇંચ વરસાદ

રાજકોટ ,વાંકાનેર ,જામકંડોણા અબડાસા અને નખત્રાણામાં પણ બે ઇંચ વરસાદ

વાવાઝોડા ના કારણે અનરાધાર વરસાદની સવારી સવારે પણ યથાવત Read More »

Uncategorized ઓટો

હોડીમાં 100 માણસો ડૂબી જતા મોતને ભેટ્યા. લગ્નમાંથી પરત ફરતા બન્યો અક્સ્માત

એહવાલ અનીસ શેખ

આફ્રિકન દેશ ઉત્તરી નાઈજીરીયામાં એક ભયાનક બોટ અકસ્માત થયો છે
આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસ (એપી) અનુસાર, ઉત્તરી નાઈજીરિયાના 100 લોકો એક લગ્નમાંથી બોટ દ્વારા પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન પલ્ટી મારી જવાની આ ઘટના બની હતી.

આફ્રિકન દેશ ઉત્તરી નાઈજીરીયામાં એક ભયાનક બોટ અકસ્માત થયો છે. મળતી માહિતી મુજબ આ બોટ દુર્ઘટનામાં લગભગ 100 લોકોના મોત થયા છે. આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસ (એપી) અનુસાર, ઉત્તરી નાઈજીરિયાના 100 લોકો એક લગ્નમાંથી બોટ દ્વારા પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન પલ્ટી મારી જવાની આ ઘટના બની હતી.

એપી અનુસાર, 100થી વધુ લોકો બોટ દ્વારા લગ્નમાંથી પરત ફરી રહ્યા હતા. દરમિયાન અચાનક બોટ ઓવરલોડીંગને કારણે પલટી ગઈ હતી. આ અકસ્માતમાં લગભગ 100 લોકોના મોત થયા છે. પોલીસ અને સ્થાનિક લોકોએ અન્ય લોકોને બચાવવા માટે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. મળતી માહિતી મુજબ, દુર્ઘટના બાદ ઘણા મૃતદેહો મળી આવ્યા છે. તે જ સમયે, અન્યની શોધ ચાલુ છે.
નાઇજર નદીમાં બોટ અકસ્માત
સીએનએનના અહેવાલ મુજબ, આ બોટ દુર્ઘટના નાઈજર નદીમાં થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે બોટમાં લગભગ 300 લોકો સવાર હતા. કાપડાના પરંપરાગત પ્રમુખ અબ્દુલ ગણ લુકપાડાએ જણાવ્યું કે આ ઘટના સોમવારે બની હતી.

અબ્દુલ ગણ લુકપાડાએ જણાવ્યું કે લગ્નમાં આવેલા મહેમાનો નાઈજર નદી પાર કરવા માટે ઈગબોટી ગામથી બોટમાં સવાર થયા હતા. કપરાડામાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તેણે જણાવ્યું કે લગ્ન દરમિયાન જ વરસાદ શરૂ થઈ ગયો હતો. જેના કારણે લોકોએ બોટ દ્વારા પરત જવાનું નક્કી કર્યું હતું.

બોટમાં 300 થી વધુ લોકો સવાર હતા
તેણે જણાવ્યું કે બોટમાં લગભગ 300 લોકો હતા, જેમાં પુરૂષો અને મહિલાઓનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે અકસ્માત સોમવારે સવારે ત્રણથી ચાર વચ્ચે થયો હતો. તેણે જણાવ્યું કે બોટ પાણીમાં ઝાડના થડ સાથે અથડાઈ અને પલટી ગઈ. તેણે કહ્યું કે મારી માહિતી મુજબ માત્ર 53 લોકોને જ બચાવી શકાયા છે.

હોડીમાં 100 માણસો ડૂબી જતા મોતને ભેટ્યા. લગ્નમાંથી પરત ફરતા બન્યો અક્સ્માત Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું.

રમેશ ગોસ્વામી “સારથિ”

શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ ની પ્રેરણાથી શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી યુવક મંડળ તેમજ શ્રી મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળ યુવક મંડળ કચ્છ પ્રદેશ દ્વારા આયોજીત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ કૈ.વા. હષાઁબહેન રમેશગિરિ સ્મૃતિ કપ- ૨૦૨૩
ની મેગા ફાઈનલ મેચ અંજાર નગરપાલિકા સ્ટેડિયમ મધ્યે યોજાયી હતી.આ સમગ્ર ટુનાઁમેન્ટમાં કુલ ૨૬ ટીમો એ ભાગ લીધો હતો.જેમાંથી ૪ ટીમ મહિલાઓની હતી.ફાઈનલ મેચમાં ભુજ ની નવ્યા તેમજ નખત્રાણા ની શીવ શક્તિ ઇલેવન પહોંચી હતી.જેમા ફાઈનલ મેચમાં ભુજ ની નવ્યા ઇલેવન નો વિજય થયો હતો. જ્યારે મહિલા ક્રિકેટ ટીમ માં આશાપુરા ઇલેવન – ગાંધીધામ અને શ્રી શિવ શક્તિ ઇલેવન – માંડવી વચ્ચે રસાકસી જામી હતી. જેમાં શિવ શક્તિ ઇલેવન નો વિજય થયો હતો.( શિવ શક્તિ ઇલેવન નાં કેપ્ટન ઉર્વિબેન દર્શનગીરી ગોસ્વામી, વાઈસ કેપ્ટન કોમલ બેન ધર્મેશ ગીરી ગોસ્વામી).
આ સંપૂર્ણ ટુર્નામેન્ટ ના મુખ્યદાતા સમાજ નું ગૌરવ એવા શ્રી રમેશગીરી કરશનગીરી ગોસ્વામી ( ભામાશા ) માનનિય પ્રમુખશ્રી મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળ કચ્છ પ્રદેશ નું ઉપસ્થિત સૌએ વિશેષ સન્માન કરેલ હતું.આ સમગ્ર ટુર્નામેન્ટ અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ ના કર્મનિષ્ઠ પ્રમુખ શ્રી અમૃતગીરી પ્રેમગીરી ગોસ્વામી ની અધ્યક્ષતા માં રમાડવામા આવેલ.જેનો શુભારંભ રુદ્રાણી જાગિરના મહંતશ્રી લાલગીરી બાપુએ કરાવેલ.સમગ્ર ટુર્નામેન્ટ નું સફળ આયોજન અખિલ કચ્છ દશનામ ગોસ્વામી યુવક મંડળ ના પ્રમુખ આશિષગીરી જયસુખગીરી ગોસ્વામી ની આગેવાની માં કરવામા આવ્યુ હતું.આ ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ ને સફળ બનાવવાની જહેમત મહામંડળ યુવક મંડળ ના પ્રમુખ જયેશગીરી ગુણવંતગીરી,ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ મંથનગીરી અતુલગીરી તેમજ મહામંત્રી કિશનગીરી જેઠીગીરી અને સવેઁ યુવાનો દ્વારા ઉઠાવવામાં આવી હતી.ક્રિકેટ ટુર્નામેન્ટ ની વિશેષ વ્યવસ્થા મિતેષગીરી,મેહુલપુરી તેમજ અમિતવન દ્વારા કરવામાં આવી હતી.આ ટુર્નામેન્ટ માં કલ્પેશગીરી ચમનગીરી (મુખ્ય જીલ્લા સરકારી વકીલ),કચ્છ જીલ્લા ભાજપ ના ઉપપ્રમુખ ભરતભાઈ શાહ,મંત્રી વસંતભાઈ કોડરાણી,અંજાર શહેર ભાજપના પ્રમુખ ડેનીભાઈ શાહ,મહામંત્રી દિગંતભાઈ ધોળકિયા તેમજ અશ્વિનભાઈ સોરઠીયા,ઉપપ્રમુખ ક્રિપાલસિંહ રાણા ખાસ ઉપસ્થિત રહી ને ખેલાડીઓ ને પ્રોત્સાહન આપ્યું હતું.
ફાઈનલ માં અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ ના મહામંત્રી ત્રંબકપુરી, પૂર્વ પ્રમુખ મનોજપુરી તુલસીપુરી,ગુજરાત મહામંડળ ના ઉપપ્રમુખ દેવેન્દ્રગીરી રેવાગીરી,અખિલ કચ્છ મહિલા મંડળ ના પ્રમુખ દક્ષાબહેન,મહામંડળ મહિલા મંડળ ના પ્રમુખ મીનાબહેન,તેમજ દરેક તાલુકા ના આગેવાનો તેમજ યુવા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા,અંજાર શહેર યુવા ભાજપ ના સંજયભાઈ સોરઠીયા, પાર્થભાઈ ખાંડેકા,ભૌતિકભાઈ શાહ,નિરવભાઈ પંડ્યા વગેરે સામાજીક તેમજ રાજકિય અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
દશનામ ગોસ્વામી સમાજ ની આ ક્રિકેટ ટુર્નામેન્ટ ને જીલ્લા ભર માં થી સમાજ ના લોકો ને સાથ સહકાર આપ્યો હતો. આઇપીએલ જેવી રસાકસી જામી હતી.અત્રે ભોજન ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.લાઈવ પ્રસારણ ને સમસ્ત ગુજરાત ગોસ્વામી સમાજે મેચ માણી હતી.

શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું. Read More »

Uncategorized ઓટો