ક્રિકેટ

સરીગામ જિ આઇડીસી ની GELTEC (Innovative Healthcare) PVT.LTDકમ્પની માંથી નીકળતા કાળા ધુમાડા થી સલામતી ખરેખર કેટલી છે? મિલોના પ્રદૂષણ પર કાબૂ મેળવ્યો હોવાનો સરીગામ જીપીસીબીનો દાવો પોકળ??

એહવાલ અનીસ શેખ

એકતરફ જીપીસીબી શહેરમાં પ્રદૂષણ નાથવાના દાવા કરી રહ્યું છે ત્યારે ઉમરગામ-સરીગામ વિસ્તારમાં એવી અનેક કેમિકલ- અને અન્ય મિલો કે ફેકટરીઓ છે જેમની ચીમની ભારે પ્રદૂષણ ફેલાવી રહી છે.

મિલોના પ્રદૂષણ પર કાબૂ મેળવ્યો હોવાનો સરીગામ જીપીસીબીનો દાવો પોકળ

પોલ્યુશનકંટ્રોલ બોર્ડ પ્રદૂષણ મામલે સબ સલામત કહી હાથ ખંખેરતું રહ્યું છે. બીજીતરફ સરીગામ એસ્ટેટ ની GELTEC (Innovative Healthcare) PVT.LTD .કમ્પની માંથી નીકળતા કાળા ધુમાડા સલામતી ખરેખર કેટલી છે તેની ચાડી ખાય રહ્યા છે. ધુમાડો શહેરની સંખ્યાબંધ મિલોમાં પ્રતિબંધિત કાર્બન ડસ્ટના ઉપયોગથી ફેલાય છે. ત્યારે જીપીસીબી આવા એકમો સામે કાર્યવાહી કરવામાં આળસુ સાબિત થઈ રહ્યું છે.!!

ઉમરગામ-સરીગામ  વિસ્તારમાં એવી ડાઇંગ મિલો  કેમિકલ મિલો  પ્રિંન્ટિંગ મિલોમાં થતા વાયુ પ્રદૂષણને અટકાવવા યોગ્ય ટેક્નોલોજીનો ઉપયોગ  કરે તો આરોગ્ય માટે જોખમી ધુમાડો અટકાવી શકે છે.

જો કે, માટે જરૂરી સિસ્ટમ મુકવામાં લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. ઉપરાંત તેને એક્ટિવેટ કરવા દર મહિને લગભગ હજારો રૂપિયા સુધીના અન્ય ખર્ચના આવે છે, જેથી મિલમાલિકો નાણાં બચાવવાની પળોજણમાં બેફીકર થઈને સતત પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. તેવી ચર્ચા પણ સાંભળવા મળી હતી.

જાણકારોના મતે મિલોના બોઇલરમાં ઓટો ફીડિંગ તેમજ ઓટો ફાયરિંગ સિસ્ટમ અને ચોક્કસ પ્રકારના બળતણનો વાપરવા જોઈએ. જ્યારે વાસ્તવિકતામાં કેટલીક મિલો સસ્તો કોલસો કે વેસ્ટનો બળતણ તરીકે ઉપયોગ કરતી હોય છે. બહારના દેશોમાંથી આરોગ્યના કારણોસર પ્રતિબંધિત કરવામાં આવેલો કોલસો કે ચુરી આપણા દેશમાં આરામથી પહોંચી જાય છે. જેનો બેફામ ઉપયોગ સ્થાનિક ઉદ્યોગો જોરશોરથી કરી રહ્યા છે. ઘણા કાર્બન ડસ્ટ કે વેસ્ટ ટાયરના કાર્બનની ચુરી મિક્સ કરી એનો પણ ઉપયોગ બળતણ તરીકે કરે છે. જોખમી ઉપયોગથી ભારે વાયુ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. કમનસીબે જીપીસીબી પાસે મિલોએ પ્રદૂષણ નહીં થાય માટે કોઈ સિસ્ટમ એક્ટિવેટ છે કે નહીં, ચાલુ છે કે નહીં તે ધ્યાન આપવાનો સમય પણ નથી.

શહેરની ડાઇંગ. કેમિકલ મિલ અને પ્રિંન્ટિંગ મિલો તેમના બોઈલર પર અને ચીમનીઓ પાસે ડસ્ટ કલેક્ટર, બેગ ફિલ્ટર, વોટર સ્ક્રબર ઈક્વિપમેન્ટ યોગ્ય રીતે મૂકવામાં આવે તો ચીમનીઓમાંથી નીકળતા કાળા ધૂમાડા બંધ થઈ જશે સાથે બોઈલર માંથી ડસ્ટ કલેક્ટરમાં ભેગી થઈ જશે. જેથી હવામાં ડસ્ટ જશે નહીં, એવું તજજ્ઞોનું કહેવું છે.

સરીગામ જિ આઇડીસી ની GELTEC (Innovative Healthcare) PVT.LTDકમ્પની માંથી નીકળતા કાળા ધુમાડા થી સલામતી ખરેખર કેટલી છે? મિલોના પ્રદૂષણ પર કાબૂ મેળવ્યો હોવાનો સરીગામ જીપીસીબીનો દાવો પોકળ?? Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

મોડાસા તાલુકા ના ફરેડી  ગ્રામ સેવા ઉ.બુ.વિધાલય માધ્યમિક ઉચ્ચત્તર મા.. હાઇસ્કૂલ માં  સ્પોર્ટસ ડે ની સુંદર ઉજવણી કરવામાં આવી. 

શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અશ્વિનભાઈ પટેલ. એગ્રી બિઝનેસ સેન્ટર ફરેડી કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન શોભાવ્યું. સ્પોર્ટ્સ ક્લબ ફરેડી હાઇસ્કૂલની સ્પોન્સરશિપ સ્વીકારી તેમને 30 જેટલા સ્પોર્ટ ડ્રેસનું દાન આજે આપેલ .કુલ મળીને ₹ 15000 નું શાળાને દાન આપ્યું. હતું.શાળાના સંનિષ્ઠ શિક્ષકશ્રી એ.વી.પટેલે મેદાન તૈયાર કરવાથી કરીને સમગ્ર કાર્યક્રમનું સુચારું આયોજન કર્યું.શાળાના પ્રિય (ભૂતપૂર્વ વિદ્યાર્થી) અશ્વિનભાઈ પટેલના ધર્મ પત્ની બડોદરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ છે તેમને શાળાની  વિવિધ ખેલ પ્રવૃત્તિ ઓમાં ભાગ લીધેલ બાળકોને અભિનંદન આપી તેનો આનંદ વ્યક્ત કરેલ શાળા પરિવાર વતીથી હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર.

મોડાસા તાલુકા ના ફરેડી  ગ્રામ સેવા ઉ.બુ.વિધાલય માધ્યમિક ઉચ્ચત્તર મા.. હાઇસ્કૂલ માં  સ્પોર્ટસ ડે ની સુંદર ઉજવણી કરવામાં આવી.  Read More »

Uncategorized ક્રિકેટ

સરીગામ ના જાણીતા મનીષ રાય ઉર્ફે ( બાલા રાય ) નાં પટાંગણ મા વર્ષો થી ચાલી આવતી પરંપરા ગત જન્માષ્ઠમી ની ઉજવણી ખૂબજ ધામ ધુમ થી કરવામાં આવી હતી.

એહવાલ અનીસ શેખ

હંમેશા જરૂરત મંદોની વોહરે આવતા અને શોષિયલ વર્કર મનીષ રાય ઉર્ફે બાલા રાય ના આમંત્રણ ને માન આપી ગુજરાત રાજ્યના નાણા મંત્રી સહિત, દમણ સેલવાસ ના સાંસદ લાલુ ભાઈ, કપરાડા ના ધારા સભ્ય જીતુ ભાઈ ચોધરી, ઉમરગામ તાલુકા ના ધારા સભ્ય રમણ ભાઈ પાટકર, બીજેપી પ્રમુખ દિલિપ ભાઈ ભન્ડારી પણ ઊપસ્થિત રહ્યા હતા..

મહા પ્રસાદ સહીત ભક્તિમય માહોલ નો લાભ લેવા મોટી સંખ્યામાં ઉમરગામ તાલુકા ના આગેવાનો અને આજુબાજુ ના ગામના સરપંચો ઊપસ્થિત રહ્યા હતા

જાણો જન્માષ્ઠમી નુ મહત્વ

વિગત વાર વાત કરિએ તો જન્માષ્ટમી કૃષ્ણ ના જન્મ દિવસ નિમિત્તે, શ્રાવણ વદ આઠમ તિથિ (કૃષ્ણ પક્ષ‌‌) ના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. તેને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે.[૧] આ વાર્ષિક હિંદુ તહેવાર વિષ્ણુનાં આઠમાં અવતાર શ્રી કૃષ્ણનાં જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણેના ઓગસ્ટ કે સપ્ટેમ્બર માસમાં આ તહેવાર આવે છે. દ્વારકા અને મથુરા સહિત વિશ્વભરનાં કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની રાત્રે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી તથા આરતી, પૂજાના કાર્યક્રમો હોય છે.

આ દિવસે લોકો ઘરમાં ગોકુળિયુ સજાવે છે અને વિવિધ વાનગીઓ સાથે કૃષ્ણજન્મોત્સવ ઉજવે છે. આઠમના દિવસે કૃષ્ણજન્મના સમય એટલે કે રાત્રિના ૧૨ વાગ્યા સુધી ઉપવાસ રાખે છે અને બીજા દિવસે સવારથી જ ગોવિંદાઓની ટોળીઓ મટકી ફોડ માટે નીકળી પડે છે. ક્યારેક સંતાનપ્રાપ્તિ માટે કે ક્યારેક સંતાનપ્રાપ્તિની ખુશીમાં મટકી ફોડ કરાવવામાં આવે છે. ફૂટેલી માટલીની ટુકડીને તિજોરીમાં રાખવી શુકનવંતી માનવામાં આવે છે. મોટા શહેરોમાં મટકી ફોડ માટે ઈનામો પણ રાખવામાં આવે છે.

હિંદુ અવતારવાદ અને ભાગવત પુરાણ પ્રમાણે કૃષ્ણ એ વિષ્ણુનો અવતાર છે. તેઓ વસુદેવ અને દેવકીનાં પુત્ર છે. શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રીએ મથુરાનાં કારાગૃહમાં જન્મ, અને પછી તુરંત તેમના પિતા તેમને યમુના (નદી) પાર કરી ગોકુળમાં નંદરાય અને યશોદાને ત્યાં મુકી આવ્યાની કથા જાણીતી છે.
ભારત દેશમાં જન્માષ્ઠમી ની ઉજવણી થાય છે તયારે ઉમરગામ તાલુકા ના સરીગામ પંથક મા મનીષ રાય ઉર્ફે બાલા રાય, કીર્તિ રાય, અને બબુ રાય સહીત તમાંમ કમલમ ગ્રૂપના સહયોગ થી દરવર્ષે પરમ પરા ગત સૌ મળીને ધામ ધૂમથી ભક્તિ મય માહોલ મા ભજન કીર્તન કરાવી. કલાકારો બોલાવી તેમના દ્વારા ભક્તિ ભર્યા ભજનો ના તાલે જન્માષ્ઠમી ની ઉજવણી કરવામાં આવી હતી આજ રોઝ હંમેશા જરૂરત મંદોની વોહરે આવતા અને શોષિયલ વર્કર મનીષ રાય ઉર્ફે બાલા રાય ના આમંત્રણ ને માન આપી ગુજરાત રાજ્યના નાણા મંત્રી સહિત, દમણ સેલવાસ ના સાંસદ લાલુ ભાઈ, કપરાડા ના ધારા સભ્ય જીતુ ભાઈ ચોધરી, ઉમરગામ તાલુકા ના ધારા સભ્ય રમણ ભાઈ પાટકર, બીજેપી પ્રમુખ દિલિપ ભાઈ ભન્ડારી પણ ઊપસ્થિત રહ્યા હતા અને તેમને પણ આજના પરવાનો લાભ લીધી હતો અંતે રુચિ ભોજન લઇ સૌ છુટા પડ્યા હતા..

સરીગામ ના જાણીતા મનીષ રાય ઉર્ફે ( બાલા રાય ) નાં પટાંગણ મા વર્ષો થી ચાલી આવતી પરંપરા ગત જન્માષ્ઠમી ની ઉજવણી ખૂબજ ધામ ધુમ થી કરવામાં આવી હતી. Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

મેઘરજ તાલુકાના ઉન્ડવા ચેકપોસ્ટ નજીક દારુ ના નશામાં બેહોશ હાલતમાં ધુત બની રોડ સાઈડ બાઈક સાથે યુવાન સુતેલો વિડિયો વાયરલ થયો…..

દારુ ના નશામાં ધૂત બની નિદોર્ષ વાહન ચાલક ને અડફેટે લેતાં હોય છે ..

કોઈ અજાણ વ્યક્તિ નો પરિવાર ને વિખુટો પડે તેવી ઘટના બનતી હોય છે

મેઘરજ તાલુકાના ઉન્ડવા રોડ કાલિયા કુવા પર અકસ્માત ઘટના વધી રહી છે.

પોલીસ તંત્ર દ્વારા ઉન્ડવા ચેકપોસ્ટ અને કાલિયા કુવા ચેકપોસ્ટ કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ.

મેઘરજ તાલુકાના ઉન્ડવા ચેકપોસ્ટ નજીક દારુ ના નશામાં બેહોશ હાલતમાં ધુત બની રોડ સાઈડ બાઈક સાથે યુવાન સુતેલો વિડિયો વાયરલ થયો….. Read More »

Uncategorized ક્રિકેટ

સર્વાઇવલ ટેકનો કમ્પની ના અંકલેશ્વર નાં ગોડાઉન મા અને સરીગામ યુનિટ મા કલોઝર આપવામાં આવ્યું હતું છતાં SEBI દ્વારા સર્વાઇવલ ટેકનો ને પ્રાઈવેટ લિમીટેડ કમ્પની કરિદેતા સર્વાઇવલ ટેકનો કમ્પની મા થયેલા ઓડિટ પર ફરી તપાસ કરવામાં તે કેમ જરૂરી? સર્વાઇવલ કમ્પની માં investment કરતા ઇન્વેસ્ટરો કોના ભરોસે? વાંચો અમારો ખાસ એહવાલ!!વારંવાર પર્યાવરણ ને નુકશાન કરતી અને સેફ્ટીમા બેદરકારિ રાખતી સર્વાઇવલ કમ્પની.. વાંચો અગાઊ સર્વાઇવલ ટેકનો કમ્પની ને કઈ કઈ બાબતે ક્લોઝર આપવામાં આવેલુ અને હાલમાં થયેલી ગેસ ગળતર ની ઘટના

એહવાલ અનીસ શેખ

જ્યારે કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપની લિમિટેડ મા ફેરવાય છે ત્યારે તે પેહલા ઘણા ગવરર્મેન્ટ રુલ્સ રેગ્યુલેશન ફોલો કરવાના હૉય છે અને ઘણી બધી સરકારી ઓડિટ પણ થતી હોય છે જે ઓડિટ પણ પાસ કરવાની હોય છે ..ત્યારે લિમીટેડ નુ લેબલ મળે છે અને કમ્પની શેર માર્કેટમાં આવે છે અને હજારો લોકો સરકાર અને કમ્પની ના ભરોસે INVESTMENT કરે છે.. પરન્તુ સર્વાઇવલ કમ્પની છેલ્લા 2 થી 3 વર્ષ મા ૩ થી 4 વાર પર્યાવરણને નુકશાન કરતા અને સેફ્ટી મા બેદરકારિ રાખતા ક્લોઝર આપવામાં આવ્યું હતુ. વેસ્ટેજ જ્વલન શિલ ડ્રમ કમ્પની ની પ્રીમાઇસિસ માં દાટી દેવાના કાંડ પણ આ કમ્પની દ્વારા કરવામાં આવ્યાં હોવાના એહવાલો મળ્યા હતાં

સર્વાઇવલ ટેકનો કમ્પની ને અંકલેશ્વર મા મળેલ ક્લોઝર

સર્વાઇવલ કમ્પની ની વાત કરીએ તો અંકલેશ્વર ના યુનિટ માં વેસ્ટ કેમિકલ નો સંગ્રહ કરી રાખતા 2ડિસેમ્બર 2019 નાં સોમવાર ના રોજ ગુજરાત સમાચાર ના એહવાલ મા પ્રસારીત કરવમાં આવ્યું હતું તેમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી અને સર્વાઇવલ ટેકનો કમ્પની ને દંડ ફટકારી સંગ્રહ કરેલા ગોડાઉન ને ક્લોઝર નોટિસ આપવામાં આવી હતી,, ત્યાર બાદ

19 ડિસેમ્બરે . :સરીગામની સર્વાઇવલ કંપનીને ક્લોઝર, 50 લાખ ભરવા તાકીદ

જમીનમાં જોખમી કેમિકલ વેસ્ટ દાટેલું મળી આવ્યું હતું
સરીગામ જીઆઇડીસીમાં આવેલી સર્વાઇવલ કંપની પરિસરમાંથી જીપીસીબી 19 ડિસેમ્બરે ખોદકામ કરી જમીનમાં દાટેલા ઝેરી કેમિકલના ડ્રમ શોધી કાઢ્યા હતા.જે અંગેનો રિપોર્ટ વડી કચેરીને કરતા, જીપીસીબીની ગાંધીનગર વડી કચેરીએ સર્વાઇવલ કંપનીને ક્લોઝર ફટકારી તાત્કાલિક અસરથી પાણી અને વીજ જોડાણ કાપી નાખવા આદેશ કર્યો છે. ત્યાર બાદ સરીગામ જીઆઇડીસીના બાયપાસ રોડ નજીક પ્લોટ નં. 1013, 1015, 1017, 1114, 1120 અને 1118માં ફાર્મા ઇન્ટર મીડિયેટનું ઉત્પાદન કરતી સર્વાઇવલ ટેક્નોલોજી પ્રા.લીમીટેડ નામની કંપનીએ જીપીસીબીના નીતિ નિયમને દફનાવી માનવ જીવન જોખમાય તેવી પ્રવુત્તી કરી હાનિકારક કેમિલક વેસ્ટ જમીનમાં દાટી તેનો નિકાલ કરાતો હતો.જે અંગે સરીગામના જાગૃત નાગરિક અને પંચાયત સભ્ય ડો.નીરવ શાહે જીપીસીબીને લેખિત રજુઆત કરી ધ્યાન દોર્યુ હતુ જે બાદ 19 ડિસેમ્બર 2020ના રોજ સરીગામ જીપીસીબીના અધિકારી રાજેશ મહેતાની હાજરીમાં કંપની પરિસરમાં ખોદકામ કરતા જમીનમાં દાટેલા 200 લીટરના ત્રણ ડ્રમ મળી આવ્યા હતા. ખોદકામમાં દાટેલા ડ્રમ ધડાકાભેર ફાટતા ડ્રમમાંથી ઝેરી ધુમાડો બહાર આવતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા તો સ્થાનિકોમાં પણ રોષ ફેલાયો હતો. સરીગામ જીપીસીબીની પ્રાદેશિક કચેરીએ ઉપરોક્ત બાબતે વડી કચેરી ગાંધીનગરને રિપોર્ટ કરતા સર્વાઇવલ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી તાત્કાલિક અસરથી પાણી અને વીજ જોડાણ કાપી નાંખવા જણાવ્યું હતું. કંપનીને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ગાઈડ લાઈન મુજબ અંદાજીત રૂ 50 લાખની ઈડીસી ભરવા જણાવ્યું છે. આ એહવાલ ૩ વર્શ પેહલા ભાસ્કર મા પ્રકાશિત કરવમાં આવ્યો હતો

ત્યારબાદ 30 ઓગસ્ટ બે વર્ષ પહેલાં
સરીગામ સર્વાઇવલ કમ્પની ને સેફટી ઓફિસર તરફથી ક્લોઝર

વલસાડ જિલ્લાના સરીગામ GIDCમાં આવેલી સર્વાઇવલ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સોમવારે અચાનક બ્લાસ્ટ થયો હતો. અચાનક બ્લાસ્ટ થતા આજુબાજુની કંપનીઓમાંથી કામદારો દોડી આવ્યા હતા. સર્વાઇવલ કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં 5 કામદારો ઘાયલ થયા હતા. જ્યારે 1 કામદારનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ભીલાડ પોલીસ, સરીગામ જીપીસીપી અધિકારી, ફેક્ટરી ઇન્સપેક્ટર, નાયબ મામલતદાર અને ફોરેન્સિક ટીમની ઉપસ્થિત વચ્ચે વિડીયો શુટિંગ કરી લાશને નીચે ઉતારી ભીલાડ સીએચસીમાં પીએમ કરી પરિવારને સોંપાતા લાશ લઇ 30 ઓગસ્ટે રાત્રે વતન મધ્યપ્રદેશ રવાના થયા હતા. સેફટી ઓફિસર તરફથી કંપનીને ક્લોઝર નોટિસ આપવામા આવી હોવાનું જાણવા મળ્યું છે. જે બાબત નો એહવાલ ભાસ્કર ન્યુઝ મા પણ પ્રકાશિત કરવામાં આવ્યો હતો..

સર્વાઇવલ સરીગામ યુનિટ મા 6/8/2023 નાં રોજ ગેશળતર થતા વાતાવરણ મા પીળાશ પડતો વાયુ જોવાતા ગભરાટ ફેલાયો હતો..

ત્યાર બાદ તત્કાલ થોડાક દિવસો પેહલા તારિક 6/8/2023 નાં ઓગસ્ટ મહિના મા સર્વાઈવલ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ ઉદ્યોગમા ગેસ ગળતર ની ઘટના અંગે સંદેશ ન્યૂઝ પેપર મા એહવાલ પ્રસારીત કરવમાં આવ્યો હતો.
સરીગામ ઔદ્યોગિક વસાહતના એક ઉદ્યોગમાં રવિવારે કન્ડેન્સર ફાટતા ઝેરી રસાયણિક ફેલાતા વિસ્તારના કામદારોને અસર થઈ હતી. આ ઘટનામાં કામદારો એ જીવ બચાવવા ભાગદોડ મચાવી દીધી હતી.
સરીગામ ઔદ્યોગિક વસાહતના પ્લોટ નંબર ૧૦૧૩ થી ૧૧૨૦ માં કાર્યરત સર્વાઈવલ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ ઉદ્યોગ દ્વારા ફાર્માસ્યુટિકલ ઇન્ટરમિડીયેટરનુ ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉદ્યોગમા રવિવારે સાડા અગિયાર કલાક ની આસપાસ ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન અચાનક કન્ડેન્સરમાં તાપમાન અંકુશ બહાર નીકળી જતા બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ ખુબ જ તીવ્રતાથી થયો હતો. તેમજ બ્લાસ્ટ બાદ અચાનક ઝેરી રસાયણિક ગેસનું ગળતર શરૂ થયું હતું. જેથી ઉદ્યોગ પરિસર અને આજુબાજુના ઉદ્યોગમાં કામ કરતાં કામદારો ડરી ગયા હતા. ઝેરી રસાયણિક ગેસનું ગળતર શરૂ થતા કામદારોને ખાંસી, ઉધરસ, આંખ-છાતીમાં બળતરા થવા લાગી હતી.

જેથી આ કામદારોએ જીવ બચાવવા ભાગદોડ કરી હતી. ઘટના બાદ કર્મચારી બ્રિજેશ મિશ્રાએ આ સમગ્ર મામલાને દબાવવા માટે ઉદ્યોગ પરિસરનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો હતો. આ દરમીયાન ભીલાડ પોલિશને આ ઘટનાની જાણ થતાં તપાસ કરવા ત્યાં પહોંચી હતી. પરંતુ કર્મચારીઓએ કોઈ ઘટના ન બની હોવાનું અને કોઇ જાનહાનિ ન થઈ હોવાનું જણાવી ભીલાડ પોલિશ ને રવાના કરી દીધી હતી. જ્યારે બીજી તરફે આ ઘટનામાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સરીગામ દ્વારા તપાસ કરાતા કર્મચારીઓએ જણાવ્યું હતું કે કન્ડેન્સર ફાટી જતા કામદારોમાં ભાગદોડ મચી હતી. જે બાબતે સંદેશ ન્યૂઝ પેપર મા 7/8/2023 નાં રોજ એહવાલ પ્રકાશિત કરવમાં અવ્યો હતો..

રવિવારે થયેલા ગેસ ગળતર ના વિડિયો પણ સરીગામ પંથક મા અમુક લોકો જોડે જૉવા મળ્યાં હતાં એ બાબતે કંઇપણ જાણકારી મળતાં અમારા નેક્ષ્ટ એહવાલ મા રજુકરવામાં આવશે

છેલ્લા ૨ થી ૩ વષૅ મા ૪ થી ૫ વાર વિવાદ મા આવેલી સર્વાઇવલ કમ્પની ને SEBI દ્વારા પ્રાઈવેટ લિમીટેડ મા ફેરવી નાખતા ઇન્વેસ્ટમેન્ટ કરનારા કોના ભરોસે? શુ ઓડિટ કરતા અઘિકારીઓ આ બાબત થી અજાણ હતા? સર્વાઇવલ કમ્પની ના ઇન્વેસ્ટરો શું આબાબત થી અજાણ છે? લિમીટેડ મા ફેરવાય ત્યારે હજારો લોકો કમ્પની અને સરકારના ના ભરોસે પોતાનાં કરોડો રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે.!!

Gpcb નાં નિયમો નું વારવાર ઉલ્લંઘન કરતી અને પર્યાવરણ ને નુકશાન પોહચાડતી આવેલી સર્વાઇવલ ટેકનો કમ્પની સામે તંત્ર મૌન કેમ??

સર્વાઇવલ ટેકનો કમ્પની ના અંકલેશ્વર નાં ગોડાઉન મા અને સરીગામ યુનિટ મા કલોઝર આપવામાં આવ્યું હતું છતાં SEBI દ્વારા સર્વાઇવલ ટેકનો ને પ્રાઈવેટ લિમીટેડ કમ્પની કરિદેતા સર્વાઇવલ ટેકનો કમ્પની મા થયેલા ઓડિટ પર ફરી તપાસ કરવામાં તે કેમ જરૂરી? સર્વાઇવલ કમ્પની માં investment કરતા ઇન્વેસ્ટરો કોના ભરોસે? વાંચો અમારો ખાસ એહવાલ!!વારંવાર પર્યાવરણ ને નુકશાન કરતી અને સેફ્ટીમા બેદરકારિ રાખતી સર્વાઇવલ કમ્પની.. વાંચો અગાઊ સર્વાઇવલ ટેકનો કમ્પની ને કઈ કઈ બાબતે ક્લોઝર આપવામાં આવેલુ અને હાલમાં થયેલી ગેસ ગળતર ની ઘટના Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

મોડાસા ના બડોદરા ગ્રામ પંચાયત ને LIC દ્વારા 1 લાખ નો ચેક અર્પણ કરાયો

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

બડોદરા ગ્રુપ ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી ને L I C વીમા કંપની દ્વારા વિકાસના કામો માટે ચેક આપવામાં આવ્યો,ભારતીય વીમા નિગમ L I C દ્વારા બડોદરા ગ્રુપ ગ્રામ પંચાયત ને વિકાસ માટે બીમા યોજના અંતર્ગત જરૂરી પૉલિસી કરેલ હોય મોડાસા ના મૅનેજર અને એજન્ટ પટેલ દિનેશભાઈ વાલાભાઈ ના હસ્તે સરપંચ શ્રી કીર્તિબેન અશ્વિનભાઈ પટેલ ને રૂપિયા 1 લાખ નો ચેક અર્પણ કરવામાં આવ્યો .પંચાયત દ્વારા મેનેજર સાહેબ શ્રી , do સર આર એમ પટેલ અને એજન્ટ શ્રી પટેલ દિનેશભાઈ વાલાભાઈ પટેલ નું સન્માન કરવામાં આવેલ હતું..આ તબક્કે બડોદરા ગામ માં દૂધઉત્પાદક મંડળી માં સભા કરી L I C કાર્યો અને પ્લાનો ની માહિતી આપી માહિતગાર કરવામાં આવ્યા હતા ગામ ના વિકાસ માં ભાગીદાર થવા બદલ L I C નો ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો

મોડાસા ના બડોદરા ગ્રામ પંચાયત ને LIC દ્વારા 1 લાખ નો ચેક અર્પણ કરાયો Read More »

Uncategorized ક્રિકેટ

સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોનું સુરક્ષા કવચ એટલે વિદ્યાદીપ વીમા રક્ષણ યોજના હેઠળ 12 વર્ષમાં 6035 કલેઈમ મંજૂર કર્યા

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

વિદ્યા દીપ વીમા યોજના હેઠળ વર્ષ ૨૦૧૪ થી વર્ષ ૨૦૨૩ દરમ્યાન અરવલ્લી જીલ્લાના ૭ છાત્રોને સહાય ચુુકવાાઈ,બાળકોને વીમા સહાયરુપે 2591 લાખ રકમ ચૂકવી રાજયની શાળાઓમાં બાળકોનું 100 ટકા નામાંકન થાય એ આશયથી રાજય સરકારે અનેકવિધ પહેલો હાથ ધરી છે.અરવલ્લી જીલ્લાના ૭ છાત્રોને વિદ્યા દીપ વીમા યોજના હેઠળ વર્ષ ૨૦૧૪ થી વર્ષ ૨૦૨૩ દરમ્યાન સહાય ચૂકવવામા  આવી છે.રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને સુરક્ષા કવચ માટે આપવા વિદ્યાદિપ વિમા યોજના અમલી છે. જેમાં અકસ્માતે મૃત્યુ પામતા વિદ્યાર્થીના વાલીને વિમાની મળતી રકમ ચૂકવવામાં આવે છે અને તે વિમાનું પ્રીમિયમ રાજ્ય સરકાર ભરે છે.રાજ્યમાં 26મી જાન્યુઆરી-2001 ના રોજ મહા વિનાશકારી ભૂકંપ બાદ રાજ્ય સરકારે વિદ્યાદીપ અમલમાં મૂકી હતી. વર્ષ 2002-03 થી અમલી આ યોજનાનો ઉદ્દેશ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનાં અસ્માતે થતાં અવસાનના કિસ્સામાં તેમના કુંટુંબને વીમાનું રક્ષણ પુરૂ પાડવાનું છે.સરકારી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીનું આપધાત કે કુદરતી મુત્યુ સિવાયના કિસ્સામાં મૃત્યુ થાય તેવા કિસ્સામાં વીમાનું રક્ષણ આપવાનું રાજ્ય સરકારી દ્વારા નકકી કરાયું છે. જેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીનાં કિસ્સામાં ₹50 હજારનો દાવો રજૂ કરી શકાય છે. જેમાં નેશનલ ઈન્સ્યોરન્સ કંપની લિ. ગાંધીનગરના જણાવ્યા મુજબ FIR ની નકલ, પોસ્ટમોર્ટમ શાળાઓમાં રિપોર્ટ, આચાર્યનું પ્રમાણપત્ર સરપંચ તથા અન્ય અગ્રગણ્ય વ્યક્તિઓનું આ બનાવ અંગેનું પંચનામું, ગ્રામ્ય વિસ્તાર માટે ગામના તલાટી કમ મંત્રી દ્વારા ઇસ્યુ કરાયેલ મરણનું પ્રમાણપત્ર તેમજ શહેરી વિસ્તાર માટે મરણનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજુ કરવાનું હોય છે. એડવાન્સ રસીદ વારસદારની સહી સાથે સરકારે નકકી કરેલ નમુનામાં (પરિશિષ્ટ-1) મુજબ વારસદારને મૃત્યુની તારીખથી નિશ્ચિત કરેલ સમયમર્યાદામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, શાસનાધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી આશ્રમશાળા અધિકારીને વિમાની દાવાની અરજી જરૂરી પ્રમાણપત્ર સાથે સીધી મોકલી આપવાની રહે છે. રાજયના બાળકોના પરિવારોનેને આ યોજના હેઠળ વર્ષ 2002-03 થી 2007-08 સુધી વીમા સહાય રૂપિયા 25000 ચૂકવવામાં આવતી હતી. તેમાં બમણો વધારો કરીને વર્ષ 2008-09 થી 50000 ચૂકવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે,અકસ્માતે મૃત્યુ કે કાયમી અપંગતતાના કિસ્સામાં આ સહાય મળવાપાત્ર થાય છે.હાલમાં રાજ્યની તમામ સરકારી, અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં તથા અભ્યાસ આશ્રમ કરતાં , વિદ્યાર્થીઓને વિદ્યાદિપ વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવેલ છે અને શાળા પ્રવેશોત્સવમાં જે વિદ્યાર્થીઓ આવી શાળાઓમાં પ્રવેશ મેળવશે તે તમામને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે. આ તમામ વિદ્યાર્થીઓનાં વિદ્યાદીપ વીમા યોજનાની પ્રીમિયમની રકમ રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવે છે.

સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોનું સુરક્ષા કવચ એટલે વિદ્યાદીપ વીમા રક્ષણ યોજના હેઠળ 12 વર્ષમાં 6035 કલેઈમ મંજૂર કર્યા Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી થઈ

કથા-સત્સંગ સાથે ગુરુપૂર્ણિમા પાવન પર્વ ઉજવાયું.

રિપો્ર્ટ ભરતસિંહ ઠાકોર અરવલ્લી

મોડાસા, ૩ જુલાઈ:ગુરુપૂર્ણિમા પાવન પર્વ પર દરેક શિષ્ય પોતાના સદગુરુ દ્વારા લીધેલ દિક્ષાના સંકલ્પને યાદ કરી ગુરુ પૂજન કરે છે. ગુરુના માર્ગદર્શનમાં પોતાના જીવનમાં દુર્ગુણો શોધી દુર કરવા નવ સંકલ્પ કરે છે. ગુરુ પોતાના શિષ્યોને સન્માર્ગે આગળ વધારવા પોતાની તપ શક્તિ, સદ્જ્ઞાન, સદ્વ્યવહાર સાથે પોતાના શિષ્ય સહિત માનવમાત્રના કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ રહે છે.
ગાયત્રી પરિવાર દ્વારા મોડાસા ખાતે છેલ્લા વીસેક વર્ષથી કથા-સત્સંગ સાથે ગુરુ પૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે પણ ૩૦ જૂન થી ૨ જુલાઈ ત્રણ દિવસ “રામ કથાની પ્રબળ પ્રેરણા” કથા-સત્સંગનો ભાવિક ભક્તોએ ખૂબ જ ઉત્સાહભેર લાભ લીધો. આજ ૩ જુલાઈ, સોમવાર ગુરુ પૂર્ણિમા પર્વ પર સવારે ૬ વાગેથી શુભારંભ થયો. મુખ્ય યજમાન ચંદ્રિકાબેન પટેલ, સોનલબેન પટેલ તથા જીજ્ઞેશભાઈ પટેલ દ્વારા દિપ પ્રાગટ્ય તથા દેવ પૂજનથી શુભારંભ કરવામાં આવ્યો. જેમાં ધ્યાન, ગાયત્રી મહામંત્રના સામુહિક જાપ, રશ્મિભાઈ પંડ્યા દ્વારા મંત્રોચ્ચાર સાથે અગિયાર કુંડી ગાયત્રી મહાયજ્ઞ , અરવિંદભાઈ કંસારાના મધુર સ્વરમાં સંગીત સાથે ગુરુશિષ્ય મહિમાના ગીતોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. કિરીટભાઈ સોની દ્વારા ગુરુસંદેશ આપવામાં આવ્યો. આ ઉપરાંત ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે તેમજ કથા સ્થાન ગાયત્રી સંસ્કાર ધામ ખાતે આવનાર દર્શનાર્થીઓને તિલક કરી હાથે નાડાછડી બાંધી સ્વાગત કરી દર્શનાર્થીઓ દ્વારા ગુરુ પાદુકા પૂજન કરવામાં આવ્યું.
આજના આ ગુરુપૂર્ણિમા ઉત્સવ પર મોડાસા સહિતના આસપાસના અનેક ગામોના સાધકો પરિવાર સહ ઉપસ્થિત રહી ગુરુદિક્ષાના સંકલ્પોને યાદ કરી હવેથી વધુ શ્રદ્ધાં ,ભક્તિ, સમર્પણ અને અનુશાસનની ભાવના વધુ જગાવી પોતાના જીવનને વધુ શ્રેષ્ઠ બનાવી માનવતાની સેવામાં વધુ પ્રયાસ કરવા સંકલ્પિત બન્યા. ઉપસ્થિત રહેનાર સૌને માટે ભોજન-પ્રસાદ સાથે દરેકને તુલસીના રોપા પ્રસાદ વિતરણ સાથે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી.

મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી થઈ Read More »

Uncategorized ક્રિકેટ

મોડાસા કેળવણી મંડળ સંચાલિત બી કનઈ શાળામાં ગુરુપૂર્ણિમાની રંગેચંગે ઉજવણી કરવામાં આવી

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

અષાઢી પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા.આપણી ભારતીય સંસ્કૃતિમાં અર્વાચીન કાળથી ગુરુનું વિશેષ મહત્વ રહેલું છે અને તે સંસ્કૃતિનાં જતન હેતુ દર વર્ષે ગુરુપૂર્ણિમાનાં પર્વની ઉજવણી પુરા ભારત વર્ષમાં થતી હોય છે અને તેનાજ ઉપક્રમે મોડાસા કેળવણી મંડળ સંચાલિત બી કનઈ શાળામાં ગુરુપૂર્ણિમા પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શાળામાં ઉપસ્થિત તમામ ગુરુજનોનું કુમકુમ તિલક કરી પર્યાવરણનાં જતન હેતુ રોપાઓ આપી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પર્વ પર ગુરુનાં મહિમા ગાતા શ્લોક ગાન , ગુરુ પૂર્ણિમા પર વક્તવ્ય, તેમજ સુંદર નાટક શાળા નાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મોડાસા કેળવણી મંડળનાં પ્રમુખ શ્રી બિપીનભાઈ આર શાહ સાહેબ તેમજ સેક્રેટરીશ્રી નિખિલભાઈ શાહ પોતાની વિશેષ ઉપસ્થિતિ આપી ગુરુપૂર્ણિમાની સૌ ગુરુજનોને શુભેચ્છાઓ પાઠવી હતી અને ગુરુનાં મહિમાનાં દર્શન કરાવ્યા હતા. શાળાનાં કેમ્પસ ડાયરેકર શ્રી જે.પી. ઉપાધ્યાય તેમજ શાળાના આચાર્યશ્રી કુંદન સિંહ જોદ્ધા સાહેબે ગુરુપૂર્ણિમા પર્વની શુભેચ્છા આપી સૌને શુભકામનાઓ પાઠવી હતી અને આ પર્વને સફળ બનાવવા બદલ સૌનો આભાર વ્યકત કર્યો હતો.

મોડાસા કેળવણી મંડળ સંચાલિત બી કનઈ શાળામાં ગુરુપૂર્ણિમાની રંગેચંગે ઉજવણી કરવામાં આવી Read More »

Uncategorized ક્રિકેટ

સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવા દોરી સમાન સાબર ડેરીએ આજે 59 ની જનરલ સભા કરી 18.50 ટકા દૂધનો ભાવ વધારો જાહેર કર્યો હતો તેમ જ આગામી સમયની ચૂંટણી માટે વિવિધ નિયમો બનાવતા સ્થાનિક કક્ષાએ વિરોધ પણ સર્જાયો હતો.

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

સાબર ડેરી દ્વારા આજે તેની 59 મી જનરલ સભા યોજવામાં આવી હતી જેમાં છેલ્લા એક વર્ષથી દૂધના ભાવ વધારાની રાહ જોતા પશુપાલકો માટે 18.50 ટકા જેટલો ભાવ વધારો જાહેર કરાયો છે જે આગામી ત્રણ તારીખ સુધીમાં પશુપાલકોના એકાઉન્ટમાં પહોંચશે સાથોસાથ 59 ની જનરલ સભા અંતર્ગત આગામી સાબર ડેરીની ડિરેક્ટર પદ માટેની ચૂંટણી માટેના કેટલાક નિયમોમાં ફેરફાર કરાયો છે જેમાં હવેથી ડિરેક્ટર પદ માટે પાંચ લાખનું શેર ભંડોળ ધરાવનારી મંડળી જ તેની ઉમેદવારી કરી શકશે તેમજ 3500 દૂધ ભરાવનાર ચેરમેન જ ડિરેક્ટર પદ માટે લાયક ગણાશે જોકે અચાનક કરાયેલા આ નિયમના પગલે સાબર ડેરીમાં જનરલ સભા મા વિરોધાભાસ સર્જાતા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ નિયમોના પગલે સામાન્ય ડેરીઓને ભારે નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરી છે

સાથોસાથ સાબર ડેરી માં હાલના ડિરેક્ટર પદ ટકાવી રાખવા માટે આવા નિયમો કરાયા હોવાનું આક્ષેપ કર્યો છે. જોકે આ તબક્કે બાયડના ધારાસભ્ય અમુલ ફેડરેશન સહિત સાબરડેરીના ચેરમેનને આડે હાથ લેતા જણાવ્યું હતું કે સાબર ડેરી મા પશુપાલકોના હિત મામલે કોઈ અવાજ ઉઠાવે તો તે કોઈનો વ્યક્તિગત વિરોધ નથી પરંતુ ચાર લાખ પશુપાલકોના હિત માટે ની વાત છે સાથે સાથે આજે લેવાયેલા નિર્ણયો એ નાની મંડળીઓ સહિત પશુપાલકોના હિતમાં લેવાયેલ નિર્ણય નથી જેથી હું તેનો વિરોધ કરું છું તેમ જ આગામી સમયમાં મામલે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા સહિત જરૂર પડે આંદોલન ના માર્ગે પણ આગળ વધીશું

જોકે 900 થી વધારે દૂધ મંડળીઓ ધરાવનારી સાબર ડેરી માં હાલના તબક્કે વિવિધ વિરોધાભાસ વચ્ચે આગામી સમયમાં યોજાનારી સાબર ડેરી ની ચૂંટણી માટેના કેટલાક નિયમોમાં ફેરફાર કરાયું છે જે હકીકત છે જોકે તેનાથી કેટલો ફાયદો પશુપાલકોને થશે એ તો સમય જ બતાવશે

સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવા દોરી સમાન સાબર ડેરીએ આજે 59 ની જનરલ સભા કરી 18.50 ટકા દૂધનો ભાવ વધારો જાહેર કર્યો હતો તેમ જ આગામી સમયની ચૂંટણી માટે વિવિધ નિયમો બનાવતા સ્થાનિક કક્ષાએ વિરોધ પણ સર્જાયો હતો. Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ