Valsad

શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર પ્રેરિત અક્ષત આમંત્રણ અભિયાન

અંતર્ગત બોરમઠ ગામમાં અયોધ્યા થી આવેલ રામમંદિર આમંત્રણ પત્રિકા શ્રી રામજી મંદિરનો દિવ્ય ફોટો અને અક્ષત ગામમાં ઘર ઘર સુધી પહોંચાડવામાં આવ્યું સૌ ગ્રામજનો એ આમંત્રણ પાઠવી રહેલા રામ ભક્તોનું  કંકુ તિલક કરી સ્વાગત સન્માન કર્યું હતું કેટલીક જગ્યાએ ચા પાણી અને નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જય જય શ્રી રામ ના નાદથી ગામમાં ભક્તિમય વાતાવરણ બની ગયું હતું સૌ રામ ના રંગે રંગાઈ ગયા હતા ગામમાં વડીલો અને વિદ્વાનો આમંત્રણથી હરખ ઘેલા થયા હતા. એક ૧૦૦ વર્ષના દાદી મા એ શ્રી રામ ભક્તોનું રામના ભજન ગાઈ ને સ્વાગત કર્યું હતું.

શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર પ્રેરિત અક્ષત આમંત્રણ અભિયાન Read More »

Uncategorized ઓટો

ભીલાડ: મૃતક ની ઓળખાણ થાય તો ભીલાડ પોલીસ મથક નો સમ્પર્ક કરવો

અનીશ શેખ દ્વારા

આ કામે મરણજનાર તા ૨૩/૧૨/૨૦૨૩ ના સાંજના આશરે ૧૯/૩૦ વાગ્યાંના સુમારે મોજે સરીગામ જલ્સા હોટેલ ની સામે આવેલ રોડ પર એક્સીડેન્ટ થતા મરણ ગયેલ હોય જે બાબતે ગુનો ભીલાડ પોસ્ટે દાખલ થયેલ હોય સદર મરણ જનાર ના વાલી વારસ મળી આવેલ નં હોય વાલી વારસ મળી આવ્યે થી ભીલાડ પોસ્ટે અથવા સરીગામ આ. પો નો કોન્ટેક કરશો

ભીલાડ: મૃતક ની ઓળખાણ થાય તો ભીલાડ પોલીસ મથક નો સમ્પર્ક કરવો Read More »

Uncategorized આરોગ્ય

માલપુર તાલુકા ના અંબાવા ગામે નળ સે જલ યોજના ની ગોર બેદરકારી.

અરવલ્લી જીલ્લા ના માલપુર તાલુકા ના અંબાવા ગામે પાણી પુરવઠા વિભાગ દ્વારા નળ સે જલ યોજના અંતર્ગત નળ નાખવા માં આવેલ છે પરંતુ આ ગામને સાતરડા જૂથ યોજના માં સમાવેશ કરવા માં આવેલ છે આ ગામમાં છેલ્લા પંદર દિવસ થી બેથી ચાર વાર લાઈન ઉપર પાણી આવે છે બાકીના દિવસોમાં  સંપ સુધી પાણી આવતું નથી માટે લોકો ને પાણી મળતું નથી આ બાબતે આંબવા ગ્રુપ ગ્રામ પંચાયત ના લોકપ્રિય પૂર્વ  સરપંચ શ્રી લક્ષ્મણ ભાઈ પણુચાઅને ગ્રામ જનોના જણાવ્યા પ્રમાણે લાગતી વળગતી કચેરીએ લગતા વળગતા અધિકારી શ્રી ઓને વારંવાર રજૂઆત કરવા છતાં કચેરીએ થી એવો જવાબ મળે છે કે લાઈન લીકેજ માં છે તેવો વારંવાર રટણ કરવા માં આવે છે તેવો ગામના પૂર્વ સરપંચ અને ગ્રામ જનોનું કહેવું છે ગ્રામ જનો દ્વારા વધુમાં જણાવ્યુ હતું કે અમોને દિવિજત માં કે માલપુર થી સીધું પાણી આપો જેથી અમોને કાયમી પાણી મળી રહે સાતરડા લાઈન થી કોઈ દિવસ રેગ્યુલર પાણી આવતું નથી જેથી અમોને ખુબ મુસીબત સામનો માપલુર થી  અંબાવા તાત્કાલિક સર્વે કરી સીધું પાણી આપવા માં આવે તેવું સમગ્ર  ગ્રામ જનોની માગ ઉઠવા પામી છે 

માલપુર તાલુકા ના અંબાવા ગામે નળ સે જલ યોજના ની ગોર બેદરકારી. Read More »

Uncategorized આરોગ્ય

મોડાસા-લુણાવાડા સ્ટેટ હાઇવે પર ઇકો કાર વહેલી સવારે ટીસ્કી પાસે પલટી ખાઈ જતાં કારમાં પાંચ લોકો ઈજાગ્રસ્ત

અરવલ્લી જિલ્લાના મોડાસાથી લુણાવાડા તરફના સ્ટેટ હાઇવે પર લુણાવાડા તરફ જતી ઇકો કાર માલપુર નજીક ટિસ્કી પાસે વહેલી સવારે ચાર વાગે કાર ચાલકે સ્ટિયરિંગ ઉપર કાબુ ગુમાવતાં પલટી મારી જતાં ઇકો કારમાં સવાર ચાર લોકો ,રાજસ્થાન પાલીથી ઘરે જઈ રહ્યા હતા, માહિતી મળતા ઇકો કાર મહીસાગર જિલ્લાના વરધરી ગામની હોવાની માહિતી મળતા ઇકો કારમાં ચાર લોકો સવાર હતા એમાં એક મહિલા પણ હતી આ ચાર લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચતા તેઓના વતન ને લઈ જતા હોસ્પિટલે સારવાર હેઠળ ખસેડાયા

મોડાસા-લુણાવાડા સ્ટેટ હાઇવે પર ઇકો કાર વહેલી સવારે ટીસ્કી પાસે પલટી ખાઈ જતાં કારમાં પાંચ લોકો ઈજાગ્રસ્ત Read More »

Uncategorized ક્રિકેટ

વલસાડ ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા ની તમામ તાલુકા પંચાયત સભ્યોનું પ્રશિક્ષણ વર્ગ તિથલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો

વલસાડ.. એહવાલ અનિશ શેખ દ્વારા

ગુજરાત સરકાર ના નાણાં, ઉર્જા,પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈજી વિશેષ ઉપસ્થિત રહી તમામ તાલુકા પંચાયત સદસ્યોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

   *ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના પ્રમુખ અને પેજ કમિટી ના પ્રણેતા આદરણીય શ્રી સી.આર.પાટીલજી પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી ની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ માનનીય શ્રી હેમંતભાઈ કંસારાજી ના અધ્યક્ષ સ્થાને તિથલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે વલસાડ જિલ્લા ની તમામ તાલુકા પંચાયત ના ભાજપી સભ્યો માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ મુદ્દાઓ પર વિષેશ આમંત્રિત વક્તાઓ દ્વારા માર્ગદર્શ આપવામાં આવ્યું હતું* 

 *વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનનીય શ્રી હેમંતભાઈ કંસારાજી દ્વારા પ્રથમ સત્રના શરૂઆતમાં કાર્યશાળા અંગે ઉપસ્થિત તમામ તાલુકા પંચાયતના સભ્યોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું* 

 *વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત તાલુકા પંચાયત સદસ્ય કાર્યશાળા ના પ્રથમ સત્રમાં પાર્ટીના ઇતિહાસ,વિકાસ અને વિચારધારા અંગે વિશેષ વક્તા તરીકે ગુજરાત પ્રદેશ પ્રશિક્ષણ સેલ ના સંયોજક શ્રી પ્રકાશચંદ્રજી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સત્રના અધ્યક્ષ તરીકે શ્રી કિશોરભાઈ પટેલ પ્રમુખ વલસાડ તાલુકા ભાજપ અને સત્ર સંચાલક તરીકે શ્રી કેતનભાઇ વાઢું પ્રમુખ ધરમપુર તાલુકા ભાજપ ઉપસ્થિત રહ્યા હતા*

કાર્યશાળાના બીજા સત્રમાં આદર્શ જનપ્રતિનિધિ, વ્યવહાર, પ્રવાસ,કાર્યાલય, સોશિયલ મીડિયા વિષય ઉપર વિશેષ વક્તા તરીકે ગુજરાત પ્રદેશ ભાજપ ના સહ પ્રભારી, સાંસદ માન્દસોર (એમ.પી) માનનીય શ્રી સુધીર ગુપ્તાજીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સત્ર અધ્યક્ષ તરીકે દિલીપભાઈ ભંડારી પ્રમુખ ઉમરગામ તાલુકા ભાજપ અને સત્ર સંચાલક તરીકે શ્રી રમેશભાઈ ગાંવિત પ્રમુખ કપરાડા તાલુકા ભાજપ ઉપસ્થિત રહ્યા હતા

બીજા સત્ર બાદ ગુજરાત સરકાર ના નાણાં, ઉર્જા,પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈજી વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સાથે શ્રી અશોક ધોરજીયાજી પણ વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

*કાર્યશાળાના ત્રીજા સત્ર માં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અંગે વિશેષ વક્તા તરીકે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ,ક્લાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા (રાજ્યકક્ષા) મંત્રીશ્રી અને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, સત્રના અધ્યક્ષ તરીકે શ્રી મહેશભાઈ દેસાઈ પ્રમુખ પાટડી તાલુકા ભાજપ અને સત્ર સંચાલક તરીકે શ્રી સુરેશભાઈ પટેલ પ્રમુખ વાપી તાલુકા ભાજપ ઉપસ્થિત રહ્યા હતા*

 *તાલુકા પંચાયત સદસ્ય કાર્યશાળાના ચોથા અને અંતિમ સત્રમાં સાફલય ગાથા, અનુભવ કથન વિષય ઉપર વિશેષ વક્તા તરીકે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ અને વલસાડ જિલ્લાના ભાજપના પ્રભારી શ્રી મહેન્દ્રભાઈ પટેલે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સત્રના અધ્યક્ષ તરીકે શ્રી હેમંતભાઈ કંસારા પ્રમુખ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને સત્ર સંચાલક તરીકે સીલ્પેશભાઈ દેસાઈ મહામંત્રી વલસાડ જિલ્લા ભાજપ ઉપસ્થિત રહ્યા હતા*

 *આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી,શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી જીતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા,કાર્યશાળા ને સફળ બનાવવા  જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ના માર્ગદર્શન હેઠળ વ્યવસ્થા સમિતી એ સંપૂર્ણ કાર્યશાળા ની જવાબદારી સુપેરે પાર પાડી હતી,કાર્યશાળા માં જિલ્લા ભાજપ મીડીયા,આઈ.ટી,સોશિયલ મીડીયા ઇન્ચાર્જ,સહઇન્ચાર્જ હાજર રહ્યા હતા*

વલસાડ ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા ની તમામ તાલુકા પંચાયત સભ્યોનું પ્રશિક્ષણ વર્ગ તિથલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો Read More »

Uncategorized ખેતીવાડી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લી જિલ્લાને એક દિવસમાં રૂ. ૨૭૪ કરોડના વિકાસ કામોની ભેટ આપી

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

વિકાસથી કોઈ ગામ-કોઈ વિસ્તાર વંચિત ન રહે તેવી સૌના સાથ, સૌના વિકાસની ભાવના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સાકાર થઈ છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લી જિલ્લાને રૂ. ૨૭૪ કરોડના બહુવિધ વિકાસ કામોની ભેટ આપતા જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસથી કોઈ ગામ કે વિસ્તાર વંચિત ન રહે તેવી સૌના સાથ, સૌના વિકાસની ભાવના સાકાર કરી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગરીબ, વંચિત, છેવાડાના અંતરિયાળ વિસ્તારોના લોકોની સેવા દ્વારા તેમને વિકાસની મુખ્યધારામાં લાવવાની આ મોદીજીની ગેરંટી છે.

મુખ્યમંત્રીશ્રીએ અરવલ્લી જિલ્લામાં રોડ ફોરલેન, માઝૂમ નદી પર મેજર બ્રિજનું ખાતમુહૂર્ત, કિસાન સૂર્યોદય યોજના અન્વયે ૨૨૦ કે.વી. સબ સ્ટેશન ખાતમુહૂર્ત અને આદિજાતિ ખેડૂતોને ખેતી માટે પાણીની સુવિધા આપતી ઉદવહન સિંચાઈ યોજના સહિતના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા હતા.

શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, લોકોના વિકાસ માટે કામો કરવાની જનહિતકારી નેમ હોય તો કેવા વિકાસ કામો થાય તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે શીખ્યા છીએ.

વડાપ્રધાનશ્રીએ સતત અવિરત અને ગતિશીલ વિકાસનો જે કાર્ય મંત્ર આપ્યો છે તેને આગળ ધપાવતા આ ડબલ એન્જીન સરકારે પાછલા ૬ જ મહિનામાં અરવલ્લી જિલ્લાને સમગ્રતયા  રૂ. ૬૦૦ કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપી છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે એમ પણ કહ્યું કે, જળ, જમીન અને જંગલ સાથે જોડાયેલા આદિજાતિ બાંધવોને વિકાસની મુખ્ય ધારામાં લાવવાની અને યોજનાઓના લાભો ઘેરબેઠા પહોંચાડવાની પરિપાટી વડાપ્રધાનશ્રીએ વિકસાવી છે.

આ હેતુસર સમગ્ર દેશમાં ૧૫મી નવેમ્બર, ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી શરૂ થઇ છે એમ તેમણે જણાવ્યું હતું.

આ વિકસિત ભારત સંકલ્પયાત્રાએ આદિજાતિ સમુદાયોના કલ્યાણની આગવી દિશા આપી છે અને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનો પ્રધાનમંત્રીશ્રીનો સંકલ્પ પાર પાડવામાં તે મહત્વપૂર્ણ બની રહેશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે રાષ્ટ્રીય ગ્રામીણ આજિવીકા મિશનના લાભાર્થીઓને સહાય ચેક, પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને આવાસ, ખેડૂત સાધન સહાય યોજનાના ચેક, દિવ્યાંગ સહાય તેમજ ટી.બી. મુક્ત અરવલ્લીની નેમ સાથે સેવા સંસ્થાઓ દ્વારા ટી.બી. કીટનું પણ વિતરણ લાભાર્થીઓને કર્યું હતું.

આ પ્રસંગે નાણામંત્રીશ્રી અને ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, અરવલ્લી જિલ્લાના આજે નવા સબસ્ટેશન અને અદ્યતન કચેરી મળી રહી છે. વડાપ્રધાનશ્રીએ ગુજરાતને ભારતના વિકાસનું રોલ મોડલ બનાવ્યું છે. આજે આપણને સમગ્ર ગુજરાતમાં ૨૪ કલાક વીજળી મળી છે.

અરવલ્લી જિલ્લામાં ૨૦૦૨ માં ૧૩ સબ સ્ટેશન હતા જે આજે ૪૦ સબ સ્ટેશન થયા છે. જિલ્લામાં  હજુ આગામી સમયમાં બીજા ૬ સબ સ્ટેશન બનવાના છે. ગુજરાતમાં સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યાનો હલ ભૂપેન્‍દ્ર પટેલનાં નેતૃત્વની રાજ્ય સરકારે કર્યો છે. તમામના સહયોગથી ગુજરાતનું અર્થતંત્ર નવી ઊંચાઈ પર પહોંચશે એમ પણ તેમણે જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, રાજય મંત્રીશ્રી અને અરવલ્લી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ સર્વશ્રી મુકેશભાઈ પટેલ, ભીખુસિંહ પરમાર, સાંસદશ્રી દીપસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રિયંકા ડામોર ,ભિલોડા ધારાસભ્ય શ્રી પી.સી.બરંડા, બાયડ ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા સહિત તાલુકા પંચાયતના સભ્યો, સંગઠનના પદાધિકારીઓ અને જિલ્લાનાં નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લી જિલ્લાને એક દિવસમાં રૂ. ૨૭૪ કરોડના વિકાસ કામોની ભેટ આપી Read More »

Uncategorized આરોગ્ય

मुख्य समाचार बुधवार, 13 दिसंबर 2023

🔸भजनलाल शर्मा होंगे राजस्थान के नए मुख्यमंत्री, पहली बार के विधायक CM

🔸दीया कुमारी और प्रेमचंद बैरवा होंगे राजस्थान में उपमुख्यमंत्री, वासुदेव देवनानी बनाए गए विधानसभा स्पीकर

🔸सुखदेव सिंह गोगामेड़ी के सुरक्षाकर्मी अजीत ने भी अस्पताल में दम तोड़ा

🔸’सिर पर मारेंगे गोली’, अमेरिका के राष्ट्रपति उम्मीदवार रामास्वामी को जान से मारने की मिली धमकी, आरोपी गिरफ्तार

🔸शिवराज को गले लगाकर रोने लगी बहनें, बोली- आपको वोट दिया था भैया… चौहान भी हुए इमोशनल

🔸‘मैं दिल्ली नहीं जाऊंगा’ कुछ मांगने से बेहतर मैं मरना समझूंगा : शिवराज सिंह चौहान

🔸ओडिशा में 20 फुट गहरे बोरवेल के अंदर फंसा नवजात, जान बचाने के लिए रेस्क्यू ऑपरेशन जारी

🔸छत्तीसगढ़ और मध्य प्रदेश में आज होगा शपथग्रहण, पीएम मोदी, गृह मंत्री शाह समेत सभी BJP मुख्यमंत्री रहेंगे मौजूद

🔸कश्मीर की प्रगति में 370 एक कलंक था, सुप्रीम कोर्ट के फैसले पर पीएम मोदी का लेख

🔸गोगामेड़ी हत्याकांड: गैंग को हथियार सप्लाई करने वाली पूजा सैनी गिरफ्तार, फरारी के लिए दिए थे एक लाख रुपए

🔸बुआ मायावती की कर्मभूमि से सियासी पारी का आगाज करेंगे आकाश आनंद? बीएसपी ने साधा चुनावी समीकरण

🔸पाकिस्तान में आत्मघाती हमला: 23 सैनिकों की मौत की जिम्मेदारी लेने वाला संगठन तहरीक जिहाद -ए- पाकिस्तान है

🔸गणतंत्र दिवस पर भारत नहीं आएंगे जो बाइडेन, जनवरी में होने वाली क्वाड की बैठक टली

🔸कंस्ट्रक्शन से निकले धूल कण सबसे ज्यादा प्रदूषण बढ़ाते हैं:131 में से 74% शहर नहीं जानते वहां रोज कितना मलबा निकल रहा

🔸तेलंगाना में 3 मंत्रालयों से अहम फाइलें चोरी:नए मंत्रियों के आने से पहले कुछ डॉक्यूमेंट्स दफ्तर में ही जलाए गए, 3 केस दर्ज

🔸मणिपुर हिंसा… मेडिकल स्टूडेंट्स की पढ़ाई अटकी:न टीचर्स, न परीक्षाएं हो रहीं; 7 महीने में आधा कोर्स छूटा

🔸फारूक अब्दुल्ला बोले- जम्‍मू-कश्‍मीर जहन्‍नुम में जाए:आर्टिकल 370 को लेकर पत्रकार ने सवाल पूछा था, बोले- ऐसी-वैसी चीजें करेंगे तो कैसे होगा

🔸Israel Hamas War: ‘इजरायल नहीं चाहता टू स्टेट सॉल्यूशन’, बाइडन बोले- वैश्विक समर्थन खो रहा… नेतन्याहू को बदलनी होगी सरकार

🔸UP News: सांसद रोजगार मेला में मिली नौकरी तो खुशी से खिल उठे चेहरे, 11,707 बेरोजगार युवक-युवतियों को मिला ऑफर लेटर

🔹Ind vs SA T20 Live Score: रिंकू सिंह की पारी गई बेकार, साउथ अफ्रीका ने 5 विकेट से जीता मुकाबला

🔹IND vs SA : दक्षिण अफ्रीका ने एक गेंद शेष रहते जीता दूसरा टी20 मुकबाला

मुख्य समाचार बुधवार, 13 दिसंबर 2023 Read More »

Uncategorized

વિકસિત ભારત સંકલ્પ યાત્રા માન.મંત્રીશ્રી પંચાયત,કૃષિ પ્રવાસ કાર્યક્રમ અને પ્રભારી મંત્રીશ્રી અરવલ્લી ,માનનીય મંત્રીશ્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

આજે અઝાદીના ૭૫ વર્ષ અને ૨૦૪૭ સુધી આખો દેશ પૂર્ણવિકસિત થાય તે માટે આ રથ મોકલ્યો છે. આજે આ રથ આપના ઘર સુધી પોહચ્યા છે અને બધાજ પ્રકારના લાભ આજે મોદી સાહેબે મોકલ્યા છે : પ્રભારી મંત્રીશ્રી

અરવલ્લી જિલ્લાના માલપુરના જીતપુર ખાતે વિકસિત ભારત રથ આવી પોહચ્યો જેમાં ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું. માન.મંત્રીશ્રી પંચાયત,કૃષિ પ્રવાસ કાર્યક્રમ અને પ્રભારી મંત્રીશ્રી અરવલ્લી ,માનનીય મંત્રીશ્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો. 

મંત્રીશ્રીએ સંબોધન કરતા જણાવ્યું; ગુજરાતનાં ૧૮ હજાર ગામડાઓમાં ૨૫૨ રથ ફરી રહ્યા છે. આજે આપના ગામમા મોદી સાહેબની ગેરંટી વાળો રથ આવ્યો છે ત્યારે આપને અભિનંદન પાઠવું છું.આજે અઝાદીના ૭૫ વર્ષ અને ૨૦૪૭ સુધી આખો દેશ પૂર્ણવિકસિત થાય તે માટે આ રથ મોકલ્યો છે. આજે આ રથ આપના ઘર સુધી પોહચ્યા છે અને બધાજ પ્રકારના લાભ આજે મોદી સાહેબે મોકલ્યા છે.

જેમાં આરોગ્ય,શિક્ષણ,ખેડૂત,મહિલા અને દરેક માટે લાભ મોકલ્યા છે. આજે કોરોનામાં નરેન્દ્રભાઇએ મફત રસી પોહચાડી અને આજે આપણે સૌ સાથે બેઠા છીએ તો એ ફક્ત નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે અને આજે આવનારા ૫ વર્ષો સુધી મફત અનાજ આપવાનું કામ વડાપ્રધાનશ્રીએ કર્યું છે.આજે આરોગ્યની તમામ સુવિધાઓ ૧૦૮ દ્વારા પૂરી કરી છે.૧૦૮ થી લઈને ખિલખિલાટ ગાડી સુધી સુવિધાઓ મોદીજીએ મોકલી છે.ફકત એક કાર્ડથી કોઈપણ બીમારીની મફત સારવાર થઈ રહી છે.આજે વિદેશના ઉદ્યોગો આપણા દેશની ધરતી ઉપર ઉતાર્યા અને દેશના છોકરાઓ માટે રોજગારીની તક ખુલ્લી મૂકી આજે ૧૦૦ વર્ષ પછી વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે અને આજે ગુજરાતના સપૂતોએ અઝાદીની ચળવળ ચલાવીને દેશને અઝાદ કર્યો હતો અને વડાપ્રધાનશ્રીએ અને ભૂપેન્દ્રભાઈની સરકારે આજે ૧૦૦ વર્ષની ઉજવણી ઉજવીને આઝાદ ભારતને વિકસિત ભારત કરવાની નેમ ને આગળ વધી રહ્યા છે.એક તાલુકાથી પૂર્ણવિકસિતની નેમને આગળ વધારીને રાજ્ય અને દેશને પૂર્ણવિકસિત બનાવવાની નેમમાં આપણે સૌએ સાથે ચાલીને કામ કરવું પડશે.આજે આપણે આવી અનેક મહેનતથી દેશને વૈશ્વિક સ્તરે નામના મેળવી રહ્યા છીએ. 

આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારીક,જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ કેડિયા,જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રિયંકાબેન ડામોર,જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના ડાયરેક્ટરશ્રી આર.એન. કુચાર અને અન્ય પદાધિકારિશ્રીઓ અને અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી

વિકસિત ભારત સંકલ્પ યાત્રા માન.મંત્રીશ્રી પંચાયત,કૃષિ પ્રવાસ કાર્યક્રમ અને પ્રભારી મંત્રીશ્રી અરવલ્લી ,માનનીય મંત્રીશ્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ Read More »

Uncategorized ઓટો

સાબરકાંઠા,સરકારમાં પડતર માંગણીઓને લઈ શિક્ષકોએ રેલી સાથે મહાપંચાયત કાર્યક્રમ યોજ્યો

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

” અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત ” દ્વારા વર્ષોથી સરકારમાં પડતર માંગણીઓને લઈ આજરોજ સમગ્ર રાજ્યના જિલ્લા મથકો પર રેલી અને મહાપંચાયત યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું “

*     જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે ” અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત ” પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચો અરવલ્લી – સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના શિક્ષકોએ બેનરો સાથે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર આદર્શ વિદ્યાલય, મોતીપુરા થી પરશુરામ પાર્ક સુધી પદ યાત્રા કાઢી હતી જે પદયાત્રા સાંજે ચાર કલાકે પરશુરામ પાર્ક ખાતે વિશાળ સભામાં પરિવર્તિત થઈ હતી, જ્યાં મહાપંચાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી તેમજ એન.પી.એસ કપાતમાં કેન્દ્ર સરકારનો નિયમ લાગુ કરવામાં આવે અને એન.પી.એસ વાળા કર્મચારીઓને નિવૃત્તિ સમયે ૩૦૦ રજાનું રોકડ રૂપાંતર આપવું, ૩૩૦૦૦ થી વધુ ખાલી રહેલી શિક્ષકો અને આચાર્યોની જગ્યા પર કાયમી ભરતી કરવા જેવી સરકારમાં પડતર વિવિધ ૧૧ માંગણીઓનો તાત્કાલિક ઉકેલ લાવવા અને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે મુખ્યમંત્રીશ્રીને ઉદ્દેશીને કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું…

*    આ કાર્યક્રમમાં ખુબ મોટી સંખ્યામાં સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના શિક્ષકો જોડાયા હતા અને ઘણા રાજ્યોમાં જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ જૂની પેન્શન યોજના લાગુ કરવાની તેમજ વર્ષોથી પડતર પ્રશ્નોનું સરકાર દ્વારા તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરવામાં આવી હતી…

સાબરકાંઠા,સરકારમાં પડતર માંગણીઓને લઈ શિક્ષકોએ રેલી સાથે મહાપંચાયત કાર્યક્રમ યોજ્યો Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

ભિલોડા તાલુકાના લાભાર્થી માટે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાનું કાર્ડ બન્યું આશિર્વાદરૂપ



2 લાખનું ઓપરેશન એક પણ રૂપિયાનાં ખર્ચ વિના આ કાર્ડ થકી શક્ય બન્યું, એ માટે સરકારશ્રીના અમે આભારી છીએ : લાભાર્થી શ્રી શાહિદાબેન રજાકભાઈ મન્સુરી


માહિતી કચેરી અરવલ્લી – ૦૫-૧૨-૨૦૨૩

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના લાભાર્થી શાહિદાબેન રજાકભાઈ મન્સુરીએ ભિલોડા ખાતે યોજાયેલ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દરમ્યાન પોતાનો પ્રતિભાવ આપતાં કહ્યું કે, મારા શરીરની અમુક નસ બ્લોક થઈ ગઈ હતી એટલે તેનું ઓપરેશન તાત્કાલિક કરાવવું ખુબ જ જરૂરી હતુ. મે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાનું વિચાર્યુ ત્યારે ઓપરેશનનો ખર્ચ અંદાજે રૂ.૨ લાખ જેટલો તો સામાન્ય થશે તેમ ડૉક્ટરે કહ્યું હતું. પરંતુ મને કોઈએ કહ્યું કે, જો તમારી પાસે ‘આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું’ કાર્ડ હશે તો તમારી સારવાર નિ:શુલ્ક થઈ જશે.

                બસ આ કાર્ડ થકી મે ઓપરેશન કરાવ્યું તે પણ એક રૂપિયો આપ્યાં વગર એટલે કે મારી સારવાર તો નિ:શુલ્ક થઇ અને મને ઘર સુધી પહોંચાડવા સુધીની ચિંતા સરકારશ્રીએ કરી બસ મારા આ  વ્યક્તિગત અનુભવને અંતે જ મને ખરેખર સમજાયું કે ‘આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાએ અનેક દર્દીઓ માટે આશિર્વાદરૂપ બની રહી છે.  સ્વસ્થ ગુજરાત, સમર્થ ગુજરાતમા જન-જનનાં આરોગ્યની દરકાર લે છે આપણી સરકાર.

ભિલોડા તાલુકાના લાભાર્થી માટે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાનું કાર્ડ બન્યું આશિર્વાદરૂપ Read More »

Uncategorized આરોગ્ય